Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે મતદાનની તારીખોનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયો છે. જેના કારણે તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. તમામ રાજકીય પક્ષોએ વિધાનસભાની ચૂંટણીને લઇ પ્રચાર અભિયાનને તેજ બનાવ્યું છે.  રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી એક વાર ફરી સત્તા વાપસી માટે તનતોડ મહેનત કરી રહી છે. વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ વચ્ચે ભાજપે 160 બેઠક પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ ભાજપ દ્વારા તેમના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી 14 મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં…

Read More

માલદીવની રાજધાની માલેથી એક ખરાબ સમાચાર આવ્યા છે. માલેમાં આજે એટલે કે ગુરુવારે વિદેશી કામદારો માટે બનાવેલા મકાનોમાં આગ લાગી હતી, જેમાં 10 લોકો બળીને ખાખ થઈ ગયા હતા. આ આગમાં મૃત્યુ પામેલા 10 લોકોમાં 9 ભારતીય કામદારોનો સમાવેશ થાય છે. આગની આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ એટલી ભીષણ હતી કે તેને બુઝાવવામાં 4 કલાકનો સમય લાગ્યો હતો. માલેમાં ભારતીય હાઈ કમિશને આ આગ પર દુઃખ વ્યક્ત કર્યું છે અને કોઈપણ પ્રકારની મદદ માટે 2 નંબર પણ જારી કર્યા છે. ગુરુવારે રાજધાની માલેમાં વિદેશી કામદારોના તંગીવાળા ઘરોમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 10…

Read More

મોરબી પુલ દુર્ઘટના સાથે જોડાયેલ એક સવાલનો જવાબ આપતા કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, તેઓ એક એવી સિસ્ટમ લગાવશે, જે નબળા થઈ રહેલા બ્રિજ વિશે પહેલાથી જાણ કરી દેશે. તેમણે કહ્યું કે, પુલ ક્યાંય પણ ખરાબ હોય, તેના વિશે દિલ્હીમાં બેઠા બેઠા ખબર પડી જશે. સરકારી આંકડા અનુસાર, 30 ઓક્ટોબરે મોરબીમાં થયેલા કેબલ પુલ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. ચૂંટણી રાજ્યમાં આ ભયંકર અકસ્માત બાદ રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર વિપક્ષના ટાર્ગેટ પર આવી ગઈ હતી. વિપક્ષ મોરબી પુલ દુર્ઘટનાને લઈને સરકારને સવાલ પુછી રહ્યા છે. દુર્ઘટનાને લઈને વિપક્ષ તરફથી કરવામાં આવેલી ટિકા અને…

Read More

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે. આજે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આ વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. ભાજપે વિધાનસભા ચૂંટણીમાં 25થી વધારે દિગ્ગજ નેતાઓની ટિકિટ કાપી નાખી છે. આપને જણાવી દઈએ કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 150થી વધુ બેઠકનો લક્ષ્યાંક પાર પાડવા તમામ મોરચે તાકાત લગાવી દીધી છે. છેલ્લા ઘણા સમયથી ભાજપના ઉમેદવારોને લઈને ચાલી રહેલી અટકળોનો આજે અંત આવી ગયો છે. ભાજપે 160 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આપને જણાવી દઈએ કે, ગઈકાલે દિલ્હીમાં પીએમ મોદીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં ઉમેદવારોના નામ પર…

Read More

જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના થઈ છે. સાંબા જિલ્લામાં જમ્મુ-પઠાણકોટ નેશનલ હાઈવ પર બસની ટક્કરમાં ત્રણ લોકોના કરુણ મોત થયા છે. આ ઘટનામાં એક 13 વર્ષની બાળકીનો પણ જીવ ગયો છે અને 17 લોકો ગંભીર રીતે ઈજા થઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. આ ટક્કર બાદ ચારે તરફ ચિસો પડવા લાગી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, સાંબા જિલ્લા હોસ્પિટલના ચિકિત્સા અધિકારી ડો. ભારત ભૂષણે જાણકારી આપી છે કે આ દુર્ઘટનામાં મરનારા લોકોમાં 13 વર્ષની બાળકી પણ સામેલ છે. સાથે જ 17 ઘાયલ લોકો છે અને 7ન અન્ય હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા છે.…

Read More

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આજે સાંજે 5:00 કલાકે ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે. તેમજ ભાજપ, કોંગ્રેસ, AAP સહિત તમામ પક્ષોની બહારના સ્ટાર પ્રચારકોએ તેમના સ્ટેશન છોડવા પડશે. હિમાચલમાં સાંજે 5:00 વાગ્યા પછી સાયલન્ટ ઝોન જાહેર કરવામાં આવશે. આ પછી, અહીં કોઈ જાહેર સભા થશે નહીં અને કોઈ રેલીનું આયોજન કરવામાં આવશે નહીં. ચૂંટણી પ્રચાર સંબંધિત પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ચૂંટણીમાં ઊભેલા કોઈપણ ઉમેદવાર ટેલિવિઝન કે ડિજિટલ મીડિયા પર ઈન્ટરવ્યુ આપી શકશે નહીં. ચૂંટણી વિભાગે આ અંગે જરૂરી માર્ગદર્શિકા બહાર પાડી છે. વિભાગે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને આ આદેશોનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું છે.…

Read More

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે. આજે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. ગઈકાલે રાત્રે દિલ્હીમાં પીએમ મોદીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. ભાજપે આ ઉમેદવારોને આપી ટિકિટ જેતપુર – જયેશ રાદડીયા લિંબાયત – સંગીતા પાટીલ વરાછા – કુમાર કાનાણી વલસાડ – ભરત પટેલ ઓલપાડ – મુકેશ પટેલ બારડોલી – ઈશ્વર પરમાર ગાંધીધામ – માલતીબેન મહેશ્વરી જલાલપોર – આર.સી.પટેલ રાપર – વિરેન્દ્ર સિંહ જાડેજા દસાડા – પી કે પરમાર વઢવાણ – જીગાબેન પંડ્યા ચોટીલા – શ્યામજીભાઈ ગઢડા – શંભુનાથ ટૂંડિયા ગીર સોમનાથ – માનસિંહભાઈ અમરેલી – કૌશિક…

Read More

દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત છેતરપિંડી સંબંધિત કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે વધુ એક કાર્યવાહી કરી છે. દિલ્હી શરાબ નીતિ કેસમાં કાર્યવાહી કરતા EDએ બે ફાર્મા કંપનીઓના વડા શરદ રેડ્ડી અને વિનોય બાબુની ધરપકડ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે ED હવે આ બંને આરોપીઓની પૂછપરછ કરશે. જણાવી દઈએ કે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને પણ આ જ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા છે અને ભૂતકાળમાં તેમના પીએની પૂછપરછ કરવામાં આવી હતી. હકીકતમાં, મની લોન્ડરિંગ હેઠળ દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડની તપાસ કરી રહેલી EDએ દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા આંધ્રપ્રદેશ-તેલંગાણા મૂળના રહેવાસીઓ શરદ રેડ્ડી અને વિનોય બાબુની ધરપકડ…

Read More

રાજ્યમાં હાલ રાજકારણ ગરમાયું છે. તમામ પક્ષો પોતાના ઉમેદવારોની ગોઠવણમાં લાગ્યા છે. ક્યાંક મનામણા અને ક્યાંક રિસામણાં દેખાઇ રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર વિરુદ્ધ બેનર લગાવાયા છે. ગાંધીનગર દક્ષિણ બેઠક વિસ્તારમાં આ બેનર લાગ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, અમારી દક્ષિણની બેઠકમાં તમારી કોઇ જરૂર નથી. તમારા માટે રાધનપુર બરાબર છે. અલ્પેશ ઠાકોર વિરુદ્ધ લાગેલા બેનરોમાં લખવામાં આવ્યું છે કે, ભાવીમુખ્યમંત્રીશ્રી અલ્પેશ ઠાકોર (આયાતી ઉમેદવાર), અમારી 35 ગાંધીનગર દક્ષિણ વિધાનસભામાં તમારી કોઇ જરૂર નથી તમારા માટે રાધનપુર બરાબર છે. આવશો તો લીલા તોરણે જવાની તૈયારી રાખજો. ગાંધીનગરમાં બીજેપી નેતા અલ્પેશ ઠાકોર વિરુદ્ધ પોસ્ટર લાગતા રાજકારણ ગરમાયું છે. આપને…

Read More

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા લઈને મોટા સમચાર આવી રહ્યા છે. આજે ભાજપ તેના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરી શકે છે, તેવામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને ભુપેન્દ્ર ચુડાસમાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.  આ દિગ્ગજ નેતાઓ આ વિધાનસભામાં ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરવામાં આવી છે. વિજય રૂપાણ, નિતિન પટેલ, ભુપેન્દ્ર ચુડાસમા અને પ્રદિપસિંહ જાડેજા બાદ આર સી ફળદુએ પણ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. તેમણે ભાજપ પ્રમુખ સી આર પાટીલને પત્ર લખીને જાણ કરી છે. ભાજપના અન્ય પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ આ વખતે ચૂંટણી નહીં લડે. તેવી તેમના…

Read More