What's Hot
- સાયબર છેતરપિંડીની નવી પદ્ધતિ, એન્ડ્રોઇડ યુઝર્સ ભૂલથી પણ આ ભૂલ ન કરતા
- શુભમન ગિલ પાસે ઇતિહાસ રચવાની તક, તેની પહેલી શ્રેણીમાં સુવર્ણ તક
- સવારે ખાલી પેટે ડ્રાયફ્રૂટ્સ ખાવાની સાચી રીત કઈ છે, શું ખાવું અને શું ન ખાવું, બધું જ જાણો
- યુરિક એસિડ વધવાનું પહેલું લક્ષણ શું છે, શરીરમાં કઈ સમસ્યાઓ થવા લાગે છે, જાણો ક્યારે સાવધાન રહેવું જોઈએ
- DNA ટેસ્ટ દ્વારા વિમાન દુર્ઘટનાના 125 પીડિતોની ઓળખ, 64 મૃતદેહો તેમના પરિવારોને સોંપાયા
- પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, અમિત શાહ સહિત વરિષ્ઠ નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી
- ઈરાનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે સરકારે કંટ્રોલ રૂમ બનાવ્યો, હેલ્પલાઈન નંબરો જારી કર્યા
- દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો તમારા વિસ્તારમાં હવામાન કેવું રહેશે?
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
સ્થાનિક બજારમાં ખાંડની ઉપલબ્ધતા જાળવી રાખવા માટે સરકારે તેની નિકાસ પરના નિયંત્રણોને આવતા વર્ષે 31 ઓક્ટોબર સુધી લંબાવી દીધા છે. ખાંડની નિકાસ પરના નિયંત્રણો આ વર્ષે 31 ઓક્ટોબરે સમાપ્ત થવાના હતા. પરંતુ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે (DGFT) એ હવે તેને એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય લીધો છે. શુક્રવારે સાંજે જારી કરાયેલા નોટિફિકેશનમાં આ માહિતી આપતા DGFTએ જણાવ્યું હતું કે, “કાચી, શુદ્ધ અને સફેદ ખાંડની નિકાસ પરના નિયંત્રણો 31 ઓક્ટોબર, 2022 થી 31 ઓક્ટોબર, 2023 સુધી અથવા આગળના આદેશો સુધી લંબાવવામાં આવ્યા છે.” આ સંબંધમાં અન્ય તમામ નિયમો અને શરતો યથાવત રહેશે. જો કે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ…
ગુજરાત ચૂંટણીની તારીખોનું એલાન થોડા દિવસમાં જ થઈ શકે છે ત્યારે વર્તમાન સરકારની અંતિમ કેબિનેટ બેઠકમાં અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને સરકારે કેબિનેટ બેઠકમાં પ્રસ્તાવ પસાર કર્યો છે. નોંધનીય છે કે ઉત્તરાખંડમાં પણ ચૂંટણી પહેલા ભાજપ સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડને લઈને જાહેરાતો કરવામાં આવી હતી અને તે બાદ સરકાર બન્યા પછી કાયદો પસાર કરવામાં આવ્યો હતો. હવે એ જ પેટર્નથી ગુજરાતમાં પણ સરકાર પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે જેને લઈને આગામી ટૂંક જ સમયમાં મોટી જાહેરાત થઈ શકે છે. વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપનો માસ્ટર સ્ટ્રોક સમાન આ યુનિફોર્મ સિવિલ કોડને…
રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ઠંડી ક્યારે શરુ થશે, તેની રાહ જોવાઇ રહી છે. હાલ તો સવારે ઠંડીનો અહેસાસ થાય છે, પરંતુ બપોર થતા ગરમી થાય છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને તાપમાન યથાવત રહેશે. જોકે, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું અનુમાન છે કે, નવેમ્બરના પહેલા સપ્તાહથી ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જશે. હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત પરથી પસાર થશે. 31 ઓક્ટોબરે એક હળવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે. કાશ્મીર લેહ લદાખ પરથી પસાર થશે. જેના કારણે 4-5 નવેમ્બરથી ગુજરાતમાં હળવી ઠંડી શરૂ થઈ જશે. અત્યારે ગુજરાતમાં 32થી 37 ડીગ્રી સુધી તાપમાન…
શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં રિ-એન્ટ્રી કરી શકે છે! રઘુ શર્મા અને શંકર સિંહ વાઘેલા વચ્ચે યોજાઇ બેઠક
ગુજરાતમાં ચૂંટણીમાં પડઘમ પ્રચંડ થઈ ગયા છે, આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર ખૂબ તેજ કરી દેવામાં આવ્યો છે. કોંગ્રેસના કેન્દ્રીય નેતાઑ ભલે ગુજરાતથી દૂરી બનાવીને ચાલી રહ્યા હોય પણ પ્રાદેશિક નેતાઓ પ્રચારની સાથે સાથે મોટા નેતાઓને પાર્ટીમાં સામેલ કરાવવા માટે મહેનત કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. ગઇકાલે જ મહેન્દ્ર સિંહ વાઘેલાએ કોંગ્રેસ જોઇન કર્યું છે ત્યારે હવે શંકરસિંહ વાઘેલા પણ કોંગ્રેસમાં સામેલ થાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્મા અને શંકર સિંહ વાઘેલા વચ્ચે બેઠક બાદ બાપુની રિ એન્ટ્રીને લઈને તખ્તો તૈયાર કરી…
વંદે ભારત ટ્રેનને ફરી અકસ્માત નડ્યો છે. વલસાડના અતુલ સ્ટેશન નજીક ટ્રેનને અકસ્માત નડ્યો છે. અહીં ટ્રેન સાથે ગાય અથડાતાં ટ્રેનને નુકસાન પહોંચ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. અકસ્માતને પગલે રેલવે વિભાગના કર્મચારી દોડતા થયા છે અને ઘટના સ્થળે આવી પહોંચ્યા છે. અકસ્માતમાં ટ્રેનનો આગળનો ભાગ તૂટી ગયો છે. એન્જીનના ભાગે પણ નુકસાન પહોંચ્યું હોવાનું જાળવા મળી રહ્યું છે. આજે સવારે ટ્રેન અમદાવાદથી મુંબઇ જઇ રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી. આ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ વંદે ભારત ટ્રેનનો અકસ્માત નડ્યો હતો. અમદાવાદના વટવા અને મણીનગર રેલવે સ્ટેશનની વચ્ચે મુંબઇ-અમદાવાદ વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ટ્રેનના આગળના ભાગે…
રાજ્યભરમાં 29 ઓક્ટોબર એટલે કે, લાભપાંચમથી 90 દિવસ સુધી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે વર્ષ 2022-23માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ-PSS હેઠળ ખરીદીનો પ્રારંભ કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય કરાયો છે. આની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા કરવામાં આવી છે. કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ ખરીફ વર્ષ 2022-23 માટે મગફળીનો ટેકાનો ભાવ રૂ.5,850, મગનો રૂ.7,755, અડદનો રૂ.6,600 અને સોયાબિનનો રૂ.4,300 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. ખરીફ 2022-23માં ગુજરાતમાં મગફળીના 9,79,000 મે.ટન, મગના 9,588 મે.ટન, અડદના 23,872 મે.ટન અને સોયાબિનના 81,820 મે.ટન જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવા…
દિવાળીના તહેવારમાં દર વર્ષ કરતા ચાલુ વર્ષે વધુ રોનક જોવા મળી હતી. તહેવારની રજામાં પ્રવાસન સ્થળો ધમધમતા રહ્યા હતા. પરિવાર સાથે દિવાળીનો તહેવાર કરવા જતાં એસટી બસ સ્ટેશનો પર પણ ભારે ભીડ જોવા મળી હતી. એસટી નિગમ દ્વારા પણ છેલ્લા વર્ષનો અભ્યાસ કરીને જે રૂટ પર ટ્રાફિક વધુ રહે તે તરફ વધારાની બસો દોડાવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે સુરતમાં સૌથી વધુ 2115 ટ્રીપનું એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવ્યું હતું. આ સાથે જ અમદાવાદ સહિત 16 ડિવિઝનમાંથી વધારાની બસો દોડાવી હતી. એસ.ટી નિગમના સચિવ કે.ડી દેસાઈએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, દિવાળીના તહેવાર દરમિયાન 2,300 બસો દોડાવવાનું…
હરિયાણાના સુરજકુંડમાં ચાલી રહેલા બે દિવસીય ‘ચિંતન શિબિર’નો આજે છેલ્લો દિવસ છે અને આ દરમિયાન પીએમ મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના તમામ રાજ્યોના ગૃહ સચિવ, ડીજીપી, સશસ્ત્ર સેના દળો અને અને કેન્દ્રીય સુરક્ષા દળોના અધિકારીઓ પાસે દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા વિનંતી કરી હતી. એ સમયે પીએમ મોદીએ કલમવાળા કેટલાક લોકોને પણ નક્સલવાદી ગણાવ્યા હતા અને કહ્યું હતું કે આ બધા માટે કોઈ ઉકેલ શોધવો પડશે. સાથે જ એમને પોલીસ અધિકારીઓ પર પણ આ નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે આપણે અમૃતકાળમાં છીએ અને આ સમય દરમિયાન આપણે ‘પંચ પ્રાણ’ના સંકલ્પ પર ચાલવું પડશે તો…
રાજ્ય સરકારે રાજ્યના ૮ લાખથી વધુ ખેડૂત ખાતેદારોના વ્યાપક હિતમાં કિસાન હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરીને રૂ. ૬૩૦.૩૪ કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુ છે. રાજ્યમાં ર૦રરની ખરીફ રૂતુમાં ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકશાનમાં સહાયરૂપ થવાના આ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ભારે વરસાદને કારણે ૧૪ જિલ્લામાં ખેતરોમાં પાણી ભરાવાને કારણે ખેતી પાકોને વ્યાપક નુકશાન થયું હતું. અમદાવાદ: રાજ્ય સરકારે રાજ્યના ૮ લાખથી વધુ ખેડૂત ખાતેદારોના વ્યાપક હિતમાં કિસાન હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરીને રૂ. ૬૩૦.૩૪ કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુ છે. રાજ્યમાં ર૦રરની ખરીફ રૂતુમાં ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકશાનમાં સહાયરૂપ થવાના આ સહાય પેકેજ જાહેર…
દિવાળી દરમિયાન 108 ઈમરજન્સી ઓપરેશનના આગોતરા આયોજન થકી આપાતકાલીન સ્થિતિઓને સુચારૂ અને સરળ પ્રતિસાદ આપવામાં 108 EMS સક્ષમ રહી છે. જો કે દિવાળીના પર્વ દરમિયાન સામાન્ય દિવસોની તુલનામાં આપાતકાલીન સ્થિતિઓમાં વધારો પણ જોવા મળ્યો હતો. દિવાળી પર્વ પર(24મી ઓક્ટોબર), દિવાળીના આગલા દિવસે (25 મી ઑક્ટોબર) અને નવા વર્ષ (26મી ઑક્ટોબર) અને ભાઈ બીજના દિવસે ઈમરજન્સીમાં અનુક્રમે, 4.26%, 5.81% અને 17.03% જેટલો વધારો નોંધાયો છે. રોડ અકસ્માતો (ટ્રોમા વ્હીક્યુલર), નોન-વ્હીકલ ટ્રોમા કેસો જેમ કે શારીરિક હુમલો અને બળી જવાના (Burns) નાઈમરજન્સી કેસોમાં એકંદરે વધારો થવા પામ્યો છે. જ્યારે નવા વર્ષ/ભાઈ બીજ (26 ઑક્ટોબર)ના રોજ સૌથી વધુ માર્ગ અકસ્માતો નોંધાયેલ હતા. જે…