What's Hot
- સાયબર છેતરપિંડીની નવી પદ્ધતિ, એન્ડ્રોઇડ યુઝર્સ ભૂલથી પણ આ ભૂલ ન કરતા
- શુભમન ગિલ પાસે ઇતિહાસ રચવાની તક, તેની પહેલી શ્રેણીમાં સુવર્ણ તક
- સવારે ખાલી પેટે ડ્રાયફ્રૂટ્સ ખાવાની સાચી રીત કઈ છે, શું ખાવું અને શું ન ખાવું, બધું જ જાણો
- યુરિક એસિડ વધવાનું પહેલું લક્ષણ શું છે, શરીરમાં કઈ સમસ્યાઓ થવા લાગે છે, જાણો ક્યારે સાવધાન રહેવું જોઈએ
- DNA ટેસ્ટ દ્વારા વિમાન દુર્ઘટનાના 125 પીડિતોની ઓળખ, 64 મૃતદેહો તેમના પરિવારોને સોંપાયા
- પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, અમિત શાહ સહિત વરિષ્ઠ નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી
- ઈરાનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે સરકારે કંટ્રોલ રૂમ બનાવ્યો, હેલ્પલાઈન નંબરો જારી કર્યા
- દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો તમારા વિસ્તારમાં હવામાન કેવું રહેશે?
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
અમદાવાદ શહેરમાં ફરી એકવાર તહેવાર પૂર્વે નકલી પોલીસનો આતંક સામે આવ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારના રામોલમાં તો અસામાજીક તત્વો પોલીસની નિષ્ક્રિયતાના કારણે ઘર કરી ગયા હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં ગેંગવોરમાં એક હત્યા થઇ અને બાદમાં અનેક બનાવો સામે આવ્યા હતા. ત્યારે હવે નકલી પોલીસે આતંક મચાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીઓ સુધી પોલીસ પહોંચી શકે છે કે ફરી નિષ્ક્રિયતા સામે આવે છે તે જોવાનું રહેશે. નડિયાદના ડભાણ ખાતે રહેતા વિપુલભાઇ સુથાર બારેજા ખેડા રોડ પર આવેલી એક કંપનીમાં નોકરી કરે છે. ધનતેરસના દિવસે તેઓ નોકરીએથી છૂટીને તેમની બહેનના ઘરે જતા હતા. તેમની બહેનના સુરેલિયા એસ્ટેટ ખાતે આવેલા ઘરે જમવાનો પ્રોગ્રામ હોવાથી તેઓ…
બોટાદમાં 24 વર્ષની મહિલા કોન્સ્ટેબલની આપઘાતની ઘટના સામે આવી છે. યુવતીએ ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો છે. શહેરના હનુમાન પુરી વિસ્તારના મકાનમાં યુવતીએ આપઘાત કર્યો છે. જોકે, આપઘાતનું કારણ હજી અકબંધ છે. યુવતીનો મૃતદેહ પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. યુવતીએ હનુમાન પુરી વિસ્તારમાં જે ઘરમાં આપઘાત કર્યો છે ત્યાંની સઘન તપાસ હાથ ધરી છે. યુવતીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી પણ અનેક ખુલાસાઓ થઇ શકે છે. યુવતીના આપઘાતને કારણે પરિવારમાં પણ માતમ છવાયો છે.
ગુજરાતમાં હવે છાસવારે કૌભાંડો બહાર આવવા લાગ્યા છે. લોકો પૈસા માટે શિક્ષણને પણ વેચવા લાગ્યા છે. ગુજરાતના ખેડાનાં પણ થોડા સમય પહેલા CCC અને CCC+ પ્રમાણપત્રોનું કૌભાંડ થયું હતુ. જેમાં શિક્ષકો દ્વારા વધારે પગાર મેળવા માટે ડમી પ્રમાણપત્રો મેળવીને રજુ કર્યા હતા. ત્યારે આ મામલે ખેડાના શિક્ષકો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી પ્રમાણે થોડા સમય પહેલા જ ખેડામાં CCCના બોગસ પ્રમાણપત્રનું મસમોટું કૌભાંડ પકડાયું હતું. જેના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, બોગસ CCC અને CCC+ના પ્રમાણપત્ર મામલે મહેમદાબાદના કુલ 111 પ્રાથમિક શિક્ષકોને નોટિસ ફટકારવામાં આવી છે. આ મામલે શિક્ષકોને સાત દિવસમાં ખુલાસો કરવાનો પણ…
અયોધ્યામાં દીપોત્સવની શરૂઆત થઈ ત્યારે આખી રામનગરી દુલ્હન જેવી લાગી રહી હતી. સર્વત્ર ભગવાન શ્રી રામની સ્તુતિ અને સ્તુતિથી રામનગરી રામમય બની ગઈ છે. પીએમ મોદીના આગમનથી આ વખતે દીપોત્સવમાં રામ મંદિરનું નિર્માણ શરૂ થયાનો આનંદ અનેકગણો વધી ગયો છે. આ દીપોત્સવમાં રામનગરી નવો ઈતિહાસ રચવા આતુર છે. પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોડાઈ રહ્યા છે અને શ્રી રામ લલ્લાની રાજ્યાભિષેક કરશે. તેની સાથે કરવામાં આવેલી સજાવટથી શ્રી રામ જન્મભૂમિ, રામ કી પાઈડી, સરયૂ ઘાટથી લઈને રામકથા પાર્ક સુધીની આભા પ્રજ્વલિત થઈ છે.શાસન અને વહીવટીતંત્ર રામનગરીમાં દીપોત્સવને અવિસ્મરણીય બનાવવામાં વ્યસ્ત છે. રામના ચરણોમાં 15 લાખ દીવા પ્રગટાવીને નવો વર્લ્ડ રેકોર્ડ…
સોનાની ખરીદીનું વિશેષ મહત્વ ધરાવતો દિવસ એટલે દિવાળી પહેલા આવતો દિવસ ધનતેરસ! ધનતેરસનું વિશેષ મહત્વ છે, ત્યારે શહેરમાં કરોડો રૂપિયાના સોના-ચાંદીનું વેચાણ થશે. આજે આસો વદ-12 શનિવારના ધનતેરસ નિમિતે ખાસ લક્ષ્મી પૂજન કરવામાં આવે છે તથા મહાલક્ષ્મી માતા, ધન્વંતરિ દેવ અને કુબેર દેવની ઉપાસના કરવાથી વર્ષપર્યંત ધન સમૃદ્ધિ એશ્વર્ય પ્રાપ્ત થાય છે. આજે અમદાવાદ શહેર-જિલ્લામાં અંદાજે રૂ. 50થી 60 કરોડનું સોનુ-ચાંદી ખરીદાશે એવું અનુમાન છે. ધનતેરસ નિમિતે શહેર-જિલ્લાના જ્વેલર્સોના શો-રૂમ ગ્રાહકોથી ભરેલા જોવા મળી રહ્યા છે. દિવાળી નિમિતે સુવર્ણ – ચાંદી લક્ષ્મીજી સ્વરૂપ ગણાતા હોઇ શ્રધ્ધાળુઓ ધૂમ ખરીદી કરે છે. હાલમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ રૂ. 50,720 છે.…
રાજ્યના નાના માછીમારોના આર્થિક ઉત્થાન માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે નાના માછીમારોને સહાયરૂપ થવા માટે વિવિધ મહત્વના નિર્ણયો કરીને દિવાળીની ભેટ આપી છે. જેમાં આઉટ બોર્ડ મશીન બોટધારક માછીમારોને કેરોસીન સહાય યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ લીટર રૂ.25/- લેખે પ્રતિ માસ મહત્તમ 150 લીટર તથા વાર્ષિક 1472 લીટર કેરોસીનના જથ્થાની મર્યાદામાં કેરોસીન સહાય આપવામાં આવતી હતી. તેમાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય કરાયો છે. તદ્અનુસાર કેરોસીન સહાયની રકમ રૂ.25/- થી વધારી રૂ.50/-કરવામાં આવી છે. તથા વાર્ષિક મળવાપાત્ર કેરોસીનનો મહત્તમ જથ્થો 1472 લીટરથી વધારી 1500 લીટર કરવામાં આવ્યો છે. આ સુધારાથી આશરે 4000 જેટલા નાના-ગરીબ આઉટ બોર્ડ મશીન…
ટૂંક સમયમાં હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવા જઇ રહી છે. ત્યારે એ પહેલા ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સહિત ખોડલધામ ટ્રસ્ટના અન્ય 2 સભ્યોએ પણ PM મોદી સાથે મુલાકાત કરી છે. જોકે, આ મુલાકાત ખોડલધામના એક કાર્યક્રમના આમંત્રણ અંગે કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. નરેશ પટેલ, રમેશ ટીલાળા અને દિનેશ કુંભાણી PM મોદીને મળ્યા હતા. તેઓએ 45 મિનિટ સુધી PM મોદી સાથે મુલાકાત કરી હતી. મહત્વનું છે કે, સૌરાષ્ટ્રની 22 બેઠકો પર લેઉવા પાટીદારોનું વધારે પ્રભુત્વ રહેલું છે. નોંધનીય છે કે, જ્યારે પણ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવે છે ત્યારે પાટીદાર અને કોળી મતદારોની ચર્ચા થવા લાગે. જ્યારથી ગુજરાતની કમાન…
ઉત્તરાખંડમાં ફરી એકવાર ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. આજે એટલે કે શનિવારે ચમોલીમાં મોટી દુર્ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ ચમોલી જિલ્લાના થરાલી ખાતે ત્રણ મકાનો ભૂસ્ખલનની ઝપેટમાં આવતા હતા. જેમાં ચાર લોકોના મોત થયા હતા અને એક વ્યક્તિ ઘાયલ થયાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે થરાલીના સબ-કલેક્ટર રવિન્દ્ર સિંહ જુવાંથાએ જણાવ્યું કે, અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. હાલમાં વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. નોંધનીય છે કે, ગયા મહિને હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં ભૂસ્ખલનની ઘટના સામે આવી હતી. ભૂસ્ખલનને પગલે મકાન ધરાશાયી થતાં ત્રણ સગીર સહિત એક…
દિવાળીના તહેવારોની શરુઆત થઈ ચૂકી છે, ત્યારે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશનમાં પ્રવાસીઓનો ઘસોરો જોવા મળી રહ્યો છે. આજે ધનતેરસના દિવસે લોકો પોતાના ઘરે જવાની તૈયારી કરી રહ્યા છે. ખાસ કરીને બહારગામના લોકોએ અગાઉથી જ ટિકિટ બૂક કરાવી લીધી હોય છે, પરંતુ છેલ્લી ઘડીએ રજાનું સેટ થતાં લોકો ઉંચા ભાવે ટિકિટ ખરીદીને પણ પોતાના ગામડે કે ઘરે જોવાનો પ્રયાસ કરતાં હોય છે. આ દરમિયાન શહેરના ગીતા મંદિર બેસ સ્ટેશન, રેલવે સ્ટેશન સહિતની ટ્રાન્સપોર્ટેશન જગ્ચાએ ભારે ભીડ જોવા મળી રહી છે. ચાલુ વર્ષે દિવાળીના તહેવારને પહોંચી વળવા ST વિભાગ સજ્જ થઈ ગયું છે. ST વિભાગે વધારાની 2300 બસોને લોકોની સેવા માટે…
મધ્યપ્રદેશના રીવામાં બસ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે. અકસ્માત શુક્રવારે રાત્રે 11.30 આસપાસ થયો હતો. જ્યારે 40 લોકો ઘાયલ થયા છે. રાહદારીઓની સૂચના પર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા. યુપી પાસિંગની બસ હૈદરાબાદથી ગોરખપુર જઈ રહી હતી. દુર્ઘટના સમયે ઘણા મુસાફરો ઊંઘમાં હતા, જેઓ હંમેશ માટે સૂઈ ગયા. બસ પાછળથી આવતી ટ્રોલી સાથે અથડાઈ જતાં કેબિનમાં બેઠેલા લોકો તેમાં ખરાબ રીતે ફસાઈ ગયા હતા. તેમને બહાર કાઢવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. મળતી માહિતી મુજબ શુક્રવારે યુપી પાસિંગની બસ હૈદરાબાદથી ગોરખપુર જઈ રહી હતી. ત્યાર બાદ લગભગ 11.30 કલાકે બસ ટ્રોલી સાથે અથડાઈ હતી.…