What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે આજે પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપે કુલ 160 ઉમેદવારના નામોની જાહેરાત કરી છે. ઉમેદવારોની યાદી જાહેર કરતાની સાથે જ કેટલીક જગ્યાએ નારાજગી જોવા મળી. ભાવનગરના મહુવામાં ભાજપમાં ભડકો ભાવનગરના મહુવામાં ભાજપને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યકક્ષાના મંત્રી રાઘવ મકવાણાની ટિકિત કપાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપે મહુવા બેઠક પરથી શિવાભાઈ ગોહિલને ટિકિટ આપતા ભાજપ તાલુકા સંગઠન, શહેર સંગઠનના તમામ ચૂંટાયેલા સભ્યોએ રાજીનામા આપી દીધા છે. સાથે જ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યોએ પણ રાજીનામા આપી દીધા છે. રાજ્યકક્ષાના મંત્રી રાઘવ મકવાણાની ટિકિટ કપાતા ગરમાવો ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી…
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ આજે 14 મી યાદી જાહેર કરી છે. ગઈકાલે 13 મી યાદી જાહેર કર્યા બાદ મોટા નેતાઓ કઇ જગ્યાએથી ચુંટણી લડશે તે અંગેનુ સસ્પેન્સ ખોલ્યુ હતું. જેમાં આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ બેઠક પરથી ચુંટણી લડશે તેની જાહેરાત કરાઇ હતી. આમ આદમી પાર્ટીએ આજે પોતાની 14 મી યાદી જાહેર કરી છે. જેમાં થરાદ વિરચંદભાઈ ચાવડા, જામનગર દક્ષિણ વિશાલ ત્યાગી, જામજોધપુર હેમંત ખાવા, તાલાલા દેવેન્દ્ર સોલંકી, ઉના સેજલબેન ખૂંટ, ભાવનગર રૂરલ ખુમાનસિંહ ગોહિલ, ખંભાત અરુણ ગોહિલ, કરજણ પરેશ પટેલ, જલાલપોર પ્રદીપકુમાર મિશ્રા અને ઉમરગામ અશોક પટેલ ને ઉમેદવાર જાહેર કર્યા છે. આપે પોતાના…
BJPએ ગીતાબા-રિવાબા સહિત 14 મહિલા ઉમેદવારોના નામ કર્યા જાહેર! આ સીટ પર પહેલી વાર જ મહિલાને અપાયો મોકો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે મતદાનની તારીખોનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયો છે. જેના કારણે તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. તમામ રાજકીય પક્ષોએ વિધાનસભાની ચૂંટણીને લઇ પ્રચાર અભિયાનને તેજ બનાવ્યું છે. રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી એક વાર ફરી સત્તા વાપસી માટે તનતોડ મહેનત કરી રહી છે. વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ વચ્ચે ભાજપે 160 બેઠક પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ ભાજપ દ્વારા તેમના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી 14 મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં…
માલદીવની રાજધાની માલેથી એક ખરાબ સમાચાર આવ્યા છે. માલેમાં આજે એટલે કે ગુરુવારે વિદેશી કામદારો માટે બનાવેલા મકાનોમાં આગ લાગી હતી, જેમાં 10 લોકો બળીને ખાખ થઈ ગયા હતા. આ આગમાં મૃત્યુ પામેલા 10 લોકોમાં 9 ભારતીય કામદારોનો સમાવેશ થાય છે. આગની આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ એટલી ભીષણ હતી કે તેને બુઝાવવામાં 4 કલાકનો સમય લાગ્યો હતો. માલેમાં ભારતીય હાઈ કમિશને આ આગ પર દુઃખ વ્યક્ત કર્યું છે અને કોઈપણ પ્રકારની મદદ માટે 2 નંબર પણ જારી કર્યા છે. ગુરુવારે રાજધાની માલેમાં વિદેશી કામદારોના તંગીવાળા ઘરોમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 10…
મોરબી પુલ દુર્ઘટના સાથે જોડાયેલ એક સવાલનો જવાબ આપતા કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, તેઓ એક એવી સિસ્ટમ લગાવશે, જે નબળા થઈ રહેલા બ્રિજ વિશે પહેલાથી જાણ કરી દેશે. તેમણે કહ્યું કે, પુલ ક્યાંય પણ ખરાબ હોય, તેના વિશે દિલ્હીમાં બેઠા બેઠા ખબર પડી જશે. સરકારી આંકડા અનુસાર, 30 ઓક્ટોબરે મોરબીમાં થયેલા કેબલ પુલ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. ચૂંટણી રાજ્યમાં આ ભયંકર અકસ્માત બાદ રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર વિપક્ષના ટાર્ગેટ પર આવી ગઈ હતી. વિપક્ષ મોરબી પુલ દુર્ઘટનાને લઈને સરકારને સવાલ પુછી રહ્યા છે. દુર્ઘટનાને લઈને વિપક્ષ તરફથી કરવામાં આવેલી ટિકા અને…
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે. આજે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આ વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. ભાજપે વિધાનસભા ચૂંટણીમાં 25થી વધારે દિગ્ગજ નેતાઓની ટિકિટ કાપી નાખી છે. આપને જણાવી દઈએ કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 150થી વધુ બેઠકનો લક્ષ્યાંક પાર પાડવા તમામ મોરચે તાકાત લગાવી દીધી છે. છેલ્લા ઘણા સમયથી ભાજપના ઉમેદવારોને લઈને ચાલી રહેલી અટકળોનો આજે અંત આવી ગયો છે. ભાજપે 160 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આપને જણાવી દઈએ કે, ગઈકાલે દિલ્હીમાં પીએમ મોદીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં ઉમેદવારોના નામ પર…
જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના થઈ છે. સાંબા જિલ્લામાં જમ્મુ-પઠાણકોટ નેશનલ હાઈવ પર બસની ટક્કરમાં ત્રણ લોકોના કરુણ મોત થયા છે. આ ઘટનામાં એક 13 વર્ષની બાળકીનો પણ જીવ ગયો છે અને 17 લોકો ગંભીર રીતે ઈજા થઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. આ ટક્કર બાદ ચારે તરફ ચિસો પડવા લાગી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, સાંબા જિલ્લા હોસ્પિટલના ચિકિત્સા અધિકારી ડો. ભારત ભૂષણે જાણકારી આપી છે કે આ દુર્ઘટનામાં મરનારા લોકોમાં 13 વર્ષની બાળકી પણ સામેલ છે. સાથે જ 17 ઘાયલ લોકો છે અને 7ન અન્ય હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા છે.…
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આજે સાંજે 5:00 કલાકે ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે. તેમજ ભાજપ, કોંગ્રેસ, AAP સહિત તમામ પક્ષોની બહારના સ્ટાર પ્રચારકોએ તેમના સ્ટેશન છોડવા પડશે. હિમાચલમાં સાંજે 5:00 વાગ્યા પછી સાયલન્ટ ઝોન જાહેર કરવામાં આવશે. આ પછી, અહીં કોઈ જાહેર સભા થશે નહીં અને કોઈ રેલીનું આયોજન કરવામાં આવશે નહીં. ચૂંટણી પ્રચાર સંબંધિત પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ચૂંટણીમાં ઊભેલા કોઈપણ ઉમેદવાર ટેલિવિઝન કે ડિજિટલ મીડિયા પર ઈન્ટરવ્યુ આપી શકશે નહીં. ચૂંટણી વિભાગે આ અંગે જરૂરી માર્ગદર્શિકા બહાર પાડી છે. વિભાગે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને આ આદેશોનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું છે.…
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે. આજે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. ગઈકાલે રાત્રે દિલ્હીમાં પીએમ મોદીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. ભાજપે આ ઉમેદવારોને આપી ટિકિટ જેતપુર – જયેશ રાદડીયા લિંબાયત – સંગીતા પાટીલ વરાછા – કુમાર કાનાણી વલસાડ – ભરત પટેલ ઓલપાડ – મુકેશ પટેલ બારડોલી – ઈશ્વર પરમાર ગાંધીધામ – માલતીબેન મહેશ્વરી જલાલપોર – આર.સી.પટેલ રાપર – વિરેન્દ્ર સિંહ જાડેજા દસાડા – પી કે પરમાર વઢવાણ – જીગાબેન પંડ્યા ચોટીલા – શ્યામજીભાઈ ગઢડા – શંભુનાથ ટૂંડિયા ગીર સોમનાથ – માનસિંહભાઈ અમરેલી – કૌશિક…
દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત છેતરપિંડી સંબંધિત કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે વધુ એક કાર્યવાહી કરી છે. દિલ્હી શરાબ નીતિ કેસમાં કાર્યવાહી કરતા EDએ બે ફાર્મા કંપનીઓના વડા શરદ રેડ્ડી અને વિનોય બાબુની ધરપકડ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે ED હવે આ બંને આરોપીઓની પૂછપરછ કરશે. જણાવી દઈએ કે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને પણ આ જ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા છે અને ભૂતકાળમાં તેમના પીએની પૂછપરછ કરવામાં આવી હતી. હકીકતમાં, મની લોન્ડરિંગ હેઠળ દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડની તપાસ કરી રહેલી EDએ દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા આંધ્રપ્રદેશ-તેલંગાણા મૂળના રહેવાસીઓ શરદ રેડ્ડી અને વિનોય બાબુની ધરપકડ…

