Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

સંસદનું શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી શરુ થઈને 29 ડિસેમ્બર સુધી ચાલશે. ન્યૂઝ એજન્સી એએનઆઈના સૂત્રોના હવાલેથી આ રિપોર્ટ આપવામાં આવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, આ વખતે વિંટર સેશન જૂની સંસદ ભવનમાં જ થાય તેવા સંકેતો છે. તારીખો વિશે અંતિમ નિર્ણય સંસદીય બાબતોની કેબિનેટ સમિત કરશે. શિયાળુ સત્ર ખાસ કરીને નવેમ્બરના ત્રીજા અઠવાડીયામાં શરુ થાય છે. આ સત્ર દરમિયાન લગભગ 20 બેઠકો થાય છે. જો કે 2017 અને 2018માં વિંટર સેશનનું આયોજન ડિસેમ્બરમાં થયું હતું. લગભગ 1200 કરોડ રૂપિયાની અનુમાનિત ખર્ચથી તૈયાર થઈ રહેલા નવા સંસદ ભવનનું આ મહિનાના અંત અથવા ડિસેમ્બરની શરુઆતમાં પ્રતિકાત્મક ઉદ્ધાટન શક્ય છે. હાલમાં જ કેન્દ્રીય આવાસ…

Read More

આજે શનિવારે સવારે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભાજપ દ્વારા બીજી યાદીમાં કુલ છ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ધોરાજીથી મહેન્દ્ર પાડલિયા, ખંભાળિયાથી મુળુબાઈ બેરા, કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરા, ભાવનગર પૂર્વથી સેજલ પંડ્યા, ડેડિયાપાડાથી હિતેશ વસાવા, ચોર્યાસીથી સંદીપ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે. આમ, અત્યાર સુધી ભાજપ દ્વારા કુલ 166 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. વિભાવરીબેન દવેની ટિકિટ કપાઇ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી બીજી યાદીમાં ભાવનગર પૂર્વમાં વિભાવરીબેન દવેની ટિકિટ કપાઇ છે. વિભાવરીબેનના સ્થાને શહેર ભાજપ પ્રમુખના પત્ની સેજલ પંડ્યાને ટિકિટ મળી છે. ચોર્યાસી બેઠક પર ઝંખનાબેન પટેલની ટિકિટ કપાઇ છે. વર્ષ 2017માં ધોરાજી બેઠક પરથી…

Read More

ગુજરાત વિધાનસભાની ચૂટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. એવામાં રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની બુલેટ ટ્રેનની સ્પીડે જાહેરાત કરવામાં આવી છે. ભાજપે 160 ઉમેદવારો જાહેર કરી દીધા છે અને કોંગ્રેસે પણ મોડી રાત્રે વધુ 46 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીએ પણ લગભગ મોટાભાગની બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધાં છે. ભારતીય જનતા પાર્ટીએ હાર્દિક પટેલને વિરમગામ બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાના એક દિવસ પહેલાં જ હાઈકોર્ટે હાર્દિક પટેલને મોટી રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટમાંથી ભાજપના વિરમગામના ઉમેદવાર હાર્દિક પટેલને રાહત મળી છે. તેમને મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરવાની…

Read More

રાજ્યમાં ઉત્તર ઉત્તરપૂર્વના પવન ફૂંકાય રહ્યા છે અને રાજ્યમાં બેવડી ઋતુઓનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે, પરંતુ બપોર થતાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આવામાં હવામાન વિભાગનું અનુમાન છે કે, આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે અને આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે. ત્યાર બાદ તાપમાનમાં 2થી 3 ડીગ્રીનો વધારો નોંધાશે. ભારતના હવામાન વિભાગ દ્વારા કોઈપણ ઋતુ શરૂ થાય તેના પહેલા લાંબાગાળા નું અનુમાન જાહેર કરે છે. આવામાં નવેમ્બર મહિનામાં તાપમાન કેવું રહેશે, તેને લઈ અનુમાન જાહેર કર્યું છે. ગુજરાતમાં નવેમ્બર મહિનામાં લઘુતમ અને મહત્તમ તાપમાન સામાન્ય રહેવાનું પૂર્વાનુમાન લગાવ્યું છે. તાપમાન સામાન્ય રહેવાના…

Read More

પ્રધાનમંત્રી મોદી અત્યંત નજીકથી લોકોની સાથે હળવા મળવા માટે જાણીતા છે. તાજેતરના સમયમાં આ વાતના ઘણા ઉદાહરણ સામે આવ્યાં હતા અને હવે વધુ એક વાર પીએમ મોદીએ રસ્તા કિનારે ઊભેલા સમર્થકોને મળવા માટે અચાનક પોતાની કાર થોભાવી દીધી હતી. આ ઘટના કર્ણાટકના બેંગ્લુરુ શહેરમાં બની હતી. પ્રધાનમંત્રી મોદી  દક્ષિણના ચાર રાજ્યો કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણાની બે દિવસની યાત્રા પર છે. પીએમે આ પ્રવાસની શરૂઆત બેંગલુરુથી કરી હતી અને ત્યાં પહોંચ્યા બાદ તેમણે સૌ પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ અને ભારત ગૌરવ કાશી દર્શન ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. આ દરમિયાન જ્યારે પીએમ ક્રાંતિવીર સાંગોલી બે ટ્રેનોને લીલી ઝંડી બતાવવા…

Read More

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે હત્યા કેસમાં નલિની શ્રીહરન અને આરપી રવિચંદ્રન સહિત તમામ છ દોષિતોને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે, નલિની શ્રીહરન અને રવિચંદ્રને તેમની અકાળે મુક્તિની માંગ સાથે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ બીવી નાગરથનાએ કહ્યું કે, દોષિત પેરાનિવલનને મુક્ત કરવાનો આદેશ આ કેસમાં અન્ય દોષિતોને પણ લાગુ પડે છે. હકીકતમાં, 18 મેના રોજ સુપ્રીમ કોર્ટે પેરારીવલનને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. તેણે 30 વર્ષથી વધુ જેલમાં સેવા આપી હતી. કોર્ટે કહ્યું છે કે હજુ સુધી રાજ્યપાલ દ્વારા આ મામલે…

Read More

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. વિધાનસભા ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે રાજકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે. જેમાં કોંગ્રેસે ગતરોજ 46 ઉમેદવારોની બીજી યાદી પણ જાહેર કરી દીધી છે. એવામાં ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન થયું છે. જગદીશ ઠાકોર અને જયંત બોસ્કી વચ્ચેની બેઠક સફળ સાબિત થઈ છે. આ અંગે જણાવતા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ સીટો પર અમે એનસીપી સાથે…

Read More

ભારતની મુલાકાતે આવેલા અમેરિકી નાણામંત્રી જેનેટ યેલેને કહ્યું છે કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. ઉત્તર પ્રદેશના નોઈડામાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે આ વાત કહી. યેલેને કહ્યું કે યુએસ ટ્રેઝરી સેક્રેટરી તરીકે આ મારી પ્રથમ ભારત મુલાકાત છે. હું અહીં આવીને ખુશ છું, કારણ કે ભારત તેની આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરી રહ્યું છે અને G20 ના પ્રમુખ બનવાની તૈયારી કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ બિડેને કહ્યું છે તેમ, ભારત અમેરિકાના અડગ ભાગીદારોમાંનું એક છે. યુએસ નાણામંત્રીએ સ્વીકાર્યું કે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. અમે રોગચાળાની અસરનો સામનો કરી રહ્યા છીએ અને યુક્રેનમાં રશિયન…

Read More

ગુજરાત વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી કોંગ્રેસે ઉમેદવારોની બે યાદી જાહેર કરી દીધી છે. જેમાં પ્રથમ યાદીમાં કોંગ્રેસે કુલ 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જ્યારે બીજી યાદીમાં કોંગ્રેસે 46 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં રાજકોટની 2 બેઠકોને લઇને કોંગ્રેસનો પેચ ફસાયો હતો. કારણ કે કોંગ્રેસની આ યાદીમાં પશ્ચિમ અને પૂર્વ બેઠકના ઉમેદવાર જાહેર કરવાના બાકી હતા. ત્યારે હવે રાજકોટની પૂર્વ બેઠક પર કોંગ્રેસનું ચિત્ર ક્લિયર થઇ ગયું છે. કારણ કે રાજકોટની પૂર્વ બેઠક પરથી ઇન્દ્રનિલ રાજ્યગુરૂ ચૂંટણી લડશે. ઇન્દ્રનિલ રાજ્યગુરૂ કે જેઓ રાજકોટ પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડશે. થોડા સમય પહેલા જ તેઓએ AAPમાંથી કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે. 2012થી 2017 દરમ્યાન તેઓ…

Read More

યુજીસીએ પીએચડી કરતી યુવતીઓ અને મહિલાઓને મોટી રાહત આપી છે. તેમને હવે અન્યત્ર જઈને પીએચડી પૂર્ણ કરવાની સ્વતંત્રતા મળશે. આ માટે, તેઓએ પીએચડી પૂર્ણ કરવા માટે વારંવાર તેમના શહેરમાં આવવું પડશે નહીં. હવે તેમનું તમામ કામ બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવશે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) એ પીએચડીના નવા નિયમોમાં ફેરફાર કરીને આ નવા નિયમનો સમાવેશ કર્યો છે. અગાઉ 2016માં પીએચડી કરવા માટે નવા નિયમો અને સુધારા જારી કરવામાં આવ્યા હતા, પરંતુ હવે નવી શિક્ષણ નીતિ અનુસાર યુજીસીએ સુધારાઓ કરતું નોટિફિકેશન બહાર પાડ્યું છે. પીએચડી ટ્રાન્સફર કરી શકાય છે યુજીસીના નવા નિયમો અનુસાર, જે મહિલા વિદ્વાનો લગ્ન અથવા અન્ય કારણોસર બીજી…

Read More