Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

લખઉના પોશ વિસ્તાર હઝરતગંજ સ્થિત પ્રિન્સ માર્કેટના ચોથા માળે ગુરુવારે સવારે 11 વાગ્યે આગ લાગી હતી. જે સમયે આગ લાગી તે સમયે ત્યાં કાર્યરત કોચિંગ સેન્ટરમાં ઘણા વિદ્યાર્થીઓ હાજર હતા. આગની જાણ થતાં જ અડધો ડઝનથી વધુ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો, પરંતુ ધુમાડાના કારણે ફાયર ફાઈટરોને સર્ચ ઓપરેશનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ જણાવવામાં આવી રહ્યું છે. આગની માહિતી મળતાની સાથે જ તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે એમ્બ્યુલન્સની…

Read More

કેન્દ્ર સરકાર દ્વારા દેશના તમામ લોકો સુધી નળ દ્વારા ઘરોમાં સ્વચ્છ પાણી પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 1 નવેમ્બરથી 5 નવેમ્બર દરમિયાન ઈન્ડિયન વોટર વીકની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ આ દરમિયાન એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં માત્ર 2 ટકા લોકોને જ નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી મળી રહ્યું છે . આ સિવાય રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે લગભગ 65 ટકા લોકો પોતાના ઘરોમાં પાણી સાફ કરવા માટે ફિલ્ટર ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. કોમ્યુનિટી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોકલ સર્કલ્સે બુધવારે સ્વચ્છ પાણીની અંગે સર્વે રિપોર્ટ…

Read More

ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી જેની રાહ જોવાઇ રહી હતી તેનો આજે અંત આવી ગયો છે. આજે ચૂંટણીપંચે પત્રકાર પરિષદ યોજી 1 અને 5 ડિસેમ્બરે તારીખ જાહેર કરી દીધી છે. મહત્વનું છે કે, ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. આ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરીની 8 ડિસેમ્બરે થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે  છે. જેને લઈ 5 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર છે તો 17 નવેમ્બર સુધી  ઉમેદવારી પરત ખેંચી શકાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે…

Read More

સુપ્રીમ કોર્ટે ગુરુવારે લશ્કર-એ-તૈયબાના 22 ડિસેમ્બર 2000ની રાત્રે આર્મી બેરેક પર આતંકવાદી હુમલા માટે દોષિત અને માસ્ટરમાઈન્ડ આતંકવાદી મોહમ્મદ અશફાક ઉર્ફે આરીફની આતંકવાદી લાંબી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે 10 ઓગસ્ટ 2011ના રોજ આતંકી આરિફને મોતની સજા સંભળાવી હતી. અશફાક વતી રિવ્યુ પિટિશન પર ફરીથી ઓપન કોર્ટમાં સુનાવણી કરવાની માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં 5 જજની બંધારણીય બેન્ચે જુલાઈ 2019ના રોજ પાકિસ્તાની નાગરિક આરિફ ઉર્ફે અશફાકની તે અરજી સ્વીકારી હતી, જેમાં ઓપન કોર્ટમાં ફરીથી સમીક્ષા અરજીની સુનાવણી કરવાની માંગ કરવામાં આવી હતી, જેના પર કોર્ટે તેની મંજૂરી આપી હતી. આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ, લશ્કર-એ-તૈયબાના આતંકવાદી આરિફને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.…

Read More

છેલ્લા ઘણા સમયથી રાહ જોવાઈ રહેલ એવા લોકશાહીના પર્વની ઉજવણીની તારીખો જાહેર કરવામાં આવી છે. આજરોજ દિલ્હી ખાતેથી ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા પત્રકાર પરિષદ યોજી આજે 12 વાગ્યે સમગ્ર માહિતી આપવામાં આવી હતી. ઇલેકશન કમિશ્નરના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સમાં વધુમાં જણાવ્યુ કે, 50 ટકા મતદાન મથકો પર વેબ કાસ્ટિંગની વ્યવસ્થા રાખવામાં આવશે. આ સાથે તેમણે જણાવ્યુ કે, 27 હજારથી વધુ સર્વિસ મતદાતા, 1274…

Read More

દિલ્હી-એનસીઆરમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઠંડીની સિઝનમાં વધારો થઇ રહ્યો છે, આ સાથે સાથે હવે ત્યાં પ્રદુષણનુ લેવલ પણ સતત વધવા લાગ્યા છે. દિવસે સામાન્ય તડકો મળી રહ્યો છે, અને સવાર-સાંજ અને રાત્રે ઠંડીમાં લોકો ઠુઠવાવવા લાગ્યા છે. આ બધાની વચ્ચે હવે પ્રદુષણને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) અનુસાર, ગુરુવારે દિલ્હીમાં સવારે તડકો રહેશે અને દિવસમાં હવામાન સાફ થઇ શકે છે. અત્યારે દિલ્હીમાં હવામાન બગડી રહ્યું છે, તાપમાન અને પ્રદુષણ બન્નેમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. પ્રદુષણનુ લેવલ સતત વધી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે અહીં એક્યૂઆઇનો આંકડો 400ને પાર પહોંચી ગયો છે, જે લોકો…

Read More

મોરબીની પૂલ દુર્ઘટના બાદ હવે વડોદરા તંત્ર હરકતમાં આવ્યું છે. મહત્વનું છે કે, હવે મોરબીની ઘટના બાદ વડોદરા શહેરમાં 16 પુલની તપાસ કરવામાં આવી છે. જેમાં આ સર્વેમાં તમામ પુલ સલામત હોવાનો રિપોર્ટ સામે આવ્યો હતો. જોકે રેલવેના ફૂટ બ્રિજની તળિયાની પ્લેટો કટાઈ ગઈ હોવાનું સામે આવતા રેલવેનો ફૂટ બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોરબીમાં ઝૂલતા પુલની જે દુઃખદ ઘટના ઘટી જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દરમ્યાન કચ્છના ભુજ હમીરસર તળાવ પરના જર્જરિત પુલ અને આણંદ-વડોદરા બ્રિજના અહેવાલને લઈ હવે તંત્ર સફળું જાગ્યું છે. જેના તંત્ર દ્વારા ભુજ હમીરસર તળાવ પરના કૃષ્ણાજી બ્રિજ અવરજવર માટે બંધ કર્યો છે. તો આણંદ…

Read More

ગિરનાર ક્ષેત્રમાં યોજાતી લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ ઘણું માનવામાં આવે છે. કોરોનાને કારણે બે વર્ષથી લીલી પરિક્રમમા સામાન્ય લોકો માટે બંધ રાખવામાં આવી હતી. જોકે, આ વખતે પહેલાની જેમ જ લીલી પરિક્રમા શરૂ કરવામાં આવી છે. આ પરિક્રમા માટે મોટી સંખ્યામાં લોકો ઉમેટ્યા હોવાને કારણે તેનો પ્રારંભ એક દિવસ પહેલા જ કરી દેવામાં આવ્યો છે. આજે વહેલી સવારે પાંચ કલાકે ઇટવા ઘોડી ગેટ ખોલીને આશરે બે લાખ લોકોએ પરિક્રમા શરૂ કરી છે. સામાન્ય રીતે ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી શરૂ થતી હોય છે. બે લાખથી વધુ શ્રદ્ધાળુઓએ આજે સવારે પાંચ કલાકે લીલી પરિક્રમાનો પ્રારંભ કર્યો છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ…

Read More

મહારાષ્ટ્ર, તેલંગણા, બિહાર, હરિયાણા, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં 3 નવેમ્બરે સાત વિધાનસભા ક્ષેત્રોમાં પેટાચૂંટણી થવાની છે. આ પેટાચૂંટણી રાજકીય રીતે અતિ મહત્વની છે. હકીકતમાં મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન થયા બાદ આ પ્રથમ ચૂંટણી છે. તો વળી તેલંગણામાં આ વખત ભાજપે પુરી તાકાત સાથે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે, તેથી અહીં ભાજપના ઉમેદવારો માટે આશાનું કિરણ બની શકે છે. તો વળી બિહારમાં પણ સત્તા પરિવર્તન થયા બાદ પ્રથમ ચૂંટણી છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ અને ઓડિશામાં પેટાચૂંટણી થવાની છે. ધારાસભ્યનું આકસ્મિક નિધાન, બીજા રાજકીય પક્ષોમાં જોડાઈ જવું અને ગુનામાં કોર્ટ દ્વારા દોષિત ઠરતા ખાલી પડેલી સીટો પર અહીં પેટાચૂંટણી થવાની છે. મુનુગોડે વિધાનસભા…

Read More

વિધાનસભા ચૂંટણી પહેલા હોમગાર્ડ અને જીઆરડીના જવાનો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હોમગાર્ડ અને જીઆરડીના જવાનો માટે સરકારે આજે મોટી જાહેરાત કરી છે. જેથી હવે હોમગાર્ડ જવાનોને 300ના બદલે પ્રતિદિન 450 રૂ વેતન મળશે તો જીઆરડી જવાનોને પ્રતિદિન 200 ના બદલે 300 રૂ વેતન મળશે. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આજે બરાબર ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા જ એક મોટી જાહેરાત કરવામાં આવી છે. CM દ્વારા હોમગાર્ડ અને જીઆરડીના જવાનોના વેતનને લઈ જાહેરાત કરાઇ છે. જે મુજબ હવે હોમગાર્ડ જવાનોને 300ના બદલે પ્રતિદિન 450 રૂ. વેતન મળશે. આ સાથે જીઆરડી જવાનોને પ્રતિદિન 200ના બદલે 300 રૂ. વેતન મળશે.  જોકે મહત્વનું છે કે, આ વધારો 1 નવેમ્બર 2022થી ગણાશે. છેલ્લા કેટલાય દિવસોથી…

Read More