Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે રાજકીય રણનીતિઓ ઘડાઇ રહી છે, ત્યારે ગઇકાલે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દિલ્હી પહોંચ્યા હતા. કૈલાશનાથન પણ સીએમ, સીઆર પાટીલ અને રત્નાકર સાથે દિલ્હીમાં છે. અહીં હાઇકમાન્ડ સાથે તેમની બેઠક મળી હતી. પ્રધાનમંત્રી આવાસ ખાતે યોજાયેલી આ બેઠકમાં PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યાં હતા. PM નિવાસસ્થાને મોડી રાત સુધી મેરેથોન બેઠક ચાલી હતી. બેઠકમાં ચૂંટણી વ્યવસ્થા, રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. દિલ્હીમાં મળેલી આ બેઠકમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રણનીતિ તૈયાર કરવાની કવાયત હાથ ધરાઇ હોય તે સ્વભાવિક છે, પરંતુ તેની સાથે જ આચારસંહિતા પહેલા મહત્વના પ્રોજેક્ટ પૂર્ણ કરવા…

Read More

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ થયો છે. સુરક્ષા દળોને બાંદીપોરા રોડ નજીક અહસ્ટિંગો વિસ્તારમાંથી એક IED મળી આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આતંકવાદીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવવા માટે આ IED વિસ્ફોટકને પ્લાન્ટ કર્યો હતો,. જેથી જ્યારે ભારતીય જવાનો આ માર્ગ પરથી પસાર થાય ત્યારે વિસ્ફોટ કરી શકાય. જો કે, સુરક્ષા દળોએ આતંકવાદીઓના ષડયંત્રને નિષ્ફળ બનાવી દીધું અને IED શોધી કાઢ્યો. હાલમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ(bomb disposal squad) IEDને ડિફ્યુઝ કરવા અને તેને સંપૂર્ણ રીતે નષ્ટ કરવા માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. વાસ્તવમાં, આ પહેલીવાર નથી જ્યારે આતંકવાદીઓએ IED પ્લાન્ટ કર્યો હોય, પરંતુ આ પહેલા પણ આતંકવાદીઓ સુરક્ષા…

Read More

મધ્ય પ્રદેશમાં પંચાયતોની આવક વધારવા પર ભાર આપી રહેલી શિવરાજ સરકાર હવે ગ્રામ સભાોને ટેક્સનો વિકલ્પ પસંદ કરીને આવક વધારવાના પ્રસ્તાવ આપ્યા છે. તેમાં કહેવાયુ છે કે, પંચાયત હવે પોતાના વિસ્તારમાં રહેતા લોકો પર પ્રોફેશનલ ટેક્સ પણ વસૂલી શકશે. તેમાં એ ધ્યાનમાં રાખવાનું રહેશે કે, જો કોઈ વ્યક્તિ પહેલાથી ટેક્સ આપી રહ્યો છે, તો તેને વર્ષ દરમિયાન વસૂલવામાં આવતો કુલ ટેક્સ 2500 રૂપિયાથી વધારે ન હોય. પંચાયત અને ગ્રામિણ વિકાસ વિભાગ દ્વારા ટેક્સની જે જોગવાઈ ગ્રામ સભામાં ફરિયાદ કર નિયમ 2001માં કરવા કહેવાયુ છે. તે મુજબ 15 હજાર સુધી વાર્ષિક આવકવાળા પાસેથી રૂપિયા 100થી 200, 20 હજારની આવકવાળા પાસે 300…

Read More

ગતરાતે વેરાવળમાં રહેણાંક વિસ્તારમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. શિક્ષક કોલોનીમાં જૈન દેરાસર નજીક ભંગારના ડેલામાં અચાનક જ આગ ભભૂકી હતી. એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નગરપાલિકાના ફાયર ફાઇટર સ્ટાફે એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આગથી કોઈ જાનહાની થઈ નથી. રહેણાંક વિસ્તારમાં આગને પગલે લોકો દોડતા થયા હતા. ભીષણ આગને પગલે સ્થાનિક લોકોએ આગ બુજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ વધુ ભીષણ બનતાં તેમણે નગરપાલિકાની ફાયર ફાયર ટીમને જાણ કરી હતી. આ દરમિયાન આજુબાજુમાં રહેતાં લોકો દોડતા થયા હતા. ફાયરફાયર ઘટના સ્થળે પહોંચે ત્યાં સુધી તો આગ વધુ ભીષણ બની…

Read More

દેશમાં ઓમિક્રોનનો વધુ એક નવો સબ વેરિએન્ટ મળ્યો છે. વૈજ્ઞાનિકોએ તેને એક્સબીબીનું નામ આપ્યું છે, જે ઓમિક્રોનથી જોડાયેલ સબ વેરિએન્ટમાંથી સૌથી વધારે ગંભીર માનવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં આ વેરિએન્ટ બાંગ્લાદેશ, યૂરોપ અને ઉત્તરી અમેરિકાના અમુક ભાગોમાં હતો, પણ છેલ્લા કેટલાક મહિનામાં તે ભારતના કેટલાય રાજ્ય સુધી પહોંચી ગયો છે. તેમાં પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, તમિલનાડૂ, ગુજરાત અને રાજસ્થાન સામેલ છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ભારત અત્યાર સુધીમાં 59 જીનોમ સીક્વેસિંગમાં એક્સબીબી વેરિએન્ટની પુષ્ટિ થઈ છે. તો વળી દર્દીઓની સંખ્યાના આધાર પર જોઈએ તો, લગભગ 82 કોરોના દર્દીઓમાં આ સબ વેરિએન્ટ મળ્યા છે. નવી દિલ્હી સ્થિત સીએસઆઈઆર-આઈજીઆઈબીના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.…

Read More

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગઇકાલે BBA અને BComની પરીક્ષાના પેપર લીક થયાની ઘટના સામે આવતા જ યુનિ. તંત્ર એક્શનમાં આવી ગયું છે. ત્યારે તાજેતરમાં જ યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો છે. એટલે કે હવે પહેલાની માફક પરીક્ષાના લાઈવ CCTV કોઈ પણ જોઈ શકશે. જોકે પરીક્ષાના લાઇવ CCTV યુનિવર્સિટીની સિસ્ટમમાં જ જોઈ શકાશે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે પણ યુનિવર્સિટીએ પેપર લીક થતા મહત્વનો નિર્ણય લીધો હતો. BBA અને BComની પરીક્ષાના પેપર લીક થતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ હવેથી તમામ પરીક્ષાઓમાં પેપર QR કોડ સાથે કાઢવાનો નિર્ણય લીધો છે. આ સાથે પરીક્ષાઓમાં પ્રશ્નપત્રો હાર્ડકોપીમાં નહીં મોકલવાનો નિર્ણય લીધો છે એટલે કે હવેથી તમામ કોલેજોને પ્રશ્નપત્રો સોફટકોપીમાં મોકલવામાં…

Read More

જ્ઞાનવાપી કેસમાં એક મોટા ચુકાદામાં વારાણસી જિલ્લા કોર્ટે શુક્રવારે હિંદુ પક્ષની અરજી ફગાવી દીધી છે અને કહ્યું છે કે કથિત શિવલિંગનો કાર્બન ડેટિંગ નહીં થાય. વારાણસીના જિલ્લા ન્યાયાધીશ ડો.એ.કે.વિશ્વેશે મસ્જિદ પરિસરમાં ‘શિવલિંગ’ની કાર્બન ડેટિંગ અને વૈજ્ઞાનિક તપાસની માંગ કરતી હિન્દુ પક્ષની માંગને નકારી કાઢી હતી. વારાણસી જિલ્લા ન્યાયાધીશે ગયા અઠવાડિયે આ કેસની સુનાવણી કર્યા બાદ જ્ઞાનવાપી સંકુલમાં મળી આવેલા કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ તપાસ અને સમગ્ર પરિસરના એએસઆઈ સર્વેની માંગ પર ચુકાદો અનામત રાખ્યો હતો. ખરેખર, કાર્બન ડેટિંગ પરથી પદાર્થની ઉંમરનો અંદાજ લગાવી શકાય છે. જેનાથી શિવલિંગની તપાસમાં ઉંમર નક્કી કરી શકાશે. આ એ પણ બતાવશે કે શિવલિંગનું નિર્માણ ક્યારે…

Read More

ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી મોટી ઇવેન્ટ યોજવવા જઈ રહી છે. Def-Expo 2022નું આયોજન ગાંધીનગરમાં કરવામાં આવ્યું છે. 18થી 22 ઓક્ટોબર 2022 દરમિયાન ડિફેન્સ એક્સપો યોજાશે. જેમાં ભૂમિ, વાયુ, સમુદ્રી અને આંતરિક ગૃહભૂમિ સુરક્ષા તેમજ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સને કેન્દ્ર સ્થાને રાખીને આ મેગા સંરક્ષણ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન યોજવામાં આવશે. ડિફેન્સ એક્સપોની થીમ ‘ભારત ઉભરતું સંરક્ષણ વિનિર્માણ હબ’ રાખવામાં આવી છે. આ પ્રદર્શનમાં 70 કરતાં વધારે દેશો સહભાગી બનશે. Def-Expo 2022નું આયોજન કરવામાં આવ્યું છે. એક્સપોને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ડિફેન્સ એક્સપોમાં દેશ વિદેશથી મહાનુભાવો અને ડિફેન્સના અધિકારીઓ આવશે. મહેમાનોને અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર લઈ જવા માટે 6000થી વધુ મોંઘી કાર બૂક…

Read More

હેન્ડસેટ બનાવતી કંપનીઓએ માર્કેટમાં એક નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે કે મોબાઈલ ફોન સાથે ચાર્જર ન આપવું. અમુક કંપનીઓ ચાર્જિંગ કેબલ આપે છે, પરંતુ એડેપ્ટર આપતી નથી. આ પ્રકારની નવી નીતિ સૌપ્રથમ Appleએ શરૂ કરી હતી. એપલે સ્માર્ટફોન સાથે ચાર્જર ન આપવાનું શરૂ કર્યું . અને પછી તરત જ જોતજોતા સેમસંગ સહિત અન્ય કંપનીઓએ પણ તેમના કેટલાક મોડલ સાથે ચાર્જર આપવાનું બંધ કરી દીધું. જોકે હવે એપલને આઈફોન સાથે ચાર્જર ન આપવાનો નિર્ણય ભારે પડ્યો છે. તમને જણાવી દઈએ કે બ્રાઝિલમાં એપલને ચાર્જર વિના આઈફોન વેચવા બદલ 20 મિલિયન અથવા લગભગ 164 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બ્રાઝિલના એક…

Read More

ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખોની જાહેરાતોની ચર્ચાની વચ્ચે આજે માત્ર હિમાચલ પ્રદેશની તારીખો ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવાઈ છે. જેમાં 12 નવેમ્બરના રોજ મતદાન યોજાશે અને મતગણતરી 08 ડિસેમ્બર, 2022ના રોજ હાથ ધરાશે.હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી એક તબક્કામાં યોજાશે. હિમાચલ પ્રદેશમાં 68 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે, જ્યારે ગુજરાતમાં 182 બેઠકો પર ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થશે. આ બંને રાજ્યોમાં ભાજપનું શાસન છે. હિમાચલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર થશે, જ્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી આ વખતે તનતોડ મહેનત કરી રહી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત પર ફોકસ…

Read More