What's Hot
- કરોડો સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી યુઝર્સ માટે ખરાબ સમાચાર, સરકારે મોટી ચેતવણી જાહેર કરી
- WhatsApp યુઝર્સના અનુભવમાં થશે ફેરફાર, ચેટિંગ-કોલિંગ ફીચરમાં થયો મોટો ફેરફાર
- ઈંગ્લેન્ડની ધરતી પર ભારતીય ટીમનો રેકોર્ડ આટલો જ છે, તેણે અત્યાર સુધીમાં ફક્ત આટલી જ ટેસ્ટ મેચ જીતી છે
- જીતેશ શર્માએ જોરદાર ઇનિંગ રમીને પોતાની ટીમને ફાઇનલમાં પહોંચાડી, જાણો ટાઇટલ માટે કોનો સામનો કરશે
- ‘WTC ફાઇનલ હજુ પૂરી થઈ નથી’ – ઓસ્ટ્રેલિયાના સહાયક કોચે મોટું નિવેદન આપ્યું
- દિલ્હી સરકાર ટૂંક સમયમાં નવી એક્સાઇઝ પોલિસી લાવશે, જાણો આ વખતે શું છે ફોકસ
- યુપી પોલીસે પ્રયાગરાજમાં ‘ઓપરેશન મિટ્ટી’ શરૂ કર્યું, પહેલા દિવસે 11 લોકોની ધરપકડ, ઘણા ટ્રેક્ટર-જેસીબી જપ્ત
- આસામમાં બાંગ્લાદેશ સરહદને અડીને આવેલા વિસ્તારોમાં કોમી તણાવ, ઉપદ્રવીઓને જોતાં જ ગોળી મારવાના આદેશ જારી
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
ગુજરાતથી કૈસાલ માન સરોવરના દર્શને ગયેલા 12 જેટલા ગુજરાતીઓ ઉત્તરાખંડના પિથૌરાગઢમાં ફસાયા છે. ઉત્તરાખંડના પિથૌરાગઢના ગુંજીમાં ખરાબ હવામાનના કારણે ગુજરાતીઓ ફસાયા છે. ખરાબ હવામાનને કારણે ગુંજીમાં છ દિવસથી ફસાયેલા ગુજરાતીઓના જીવ તાળવે ચોંટી ગયા છે તેઓએ કપરી પરિસ્થિતીમાં રાજ્ય સરકાર પાસે મદદ પણ માગી છે. 12 જેટલા ગુજરાતીઓ ખરાબ હવામાનના કારણે છ દિવસ જેટલા સમયથી ગુંજીમાં ફસાયેલા છે તેમણે વહીવટી તંત્ર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટલ પાસે મદદ પણ માગી છે. ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓ સરકાર પાસ મદદ માગી હતી જે બાબતે ગુજરાત સરકારે ઉત્તરાખંડ સરકારનો સંપર્ક સાધ્યો છે. ફસાયેલા નાગરિકોને સુવિધાઓ બાબતે પણ વહીવટી તંત્ર સાથે સરકારે ચર્ચા કરી છે. ખરાબ…
છેલ્લા આ એક મહિનામાં પાકિસ્તાનની ઘૂષણખોરીના સમાચાર સાંભળવા મળી રહ્યા છે. ત્યારે આજે ફરી એકવાર કચ્છમાં હરામીનાળા પાસેથી બે પાકિસ્તાની બોટ પકડી પડાઈ છે. તેમજ બન્ને પાકિસ્તાની ઘૂષણખોરોને પણ BSFના જવાનોએ સકંજામાં લઈ લીધા છે. BSFના જવાનોનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. 5 દિવસ પહેલા પણ પાકિસ્તાની મરીન્સ દ્વારા ગુજરાતની દરિયાઈ સીમમાં માછીમારો પર ફાયરીંગ કરવામાં આવ્યું હતું. તેમજ ઘૂષણખોરીનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લામાં ફરી એકવાર પાકિસ્તાની બોટ ઝડપાઇ ગઇ છે. હરામીનાળા બોર્ડર પરથી બે પાકિસ્તાની બોટ ઝડપાઇ છે. BSFના પેટ્રોલિંગ દરમ્યાન બે બોટ ઝડપી પાડવામાં આવી હતી. બે પાકિસ્તાની ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતા હોવાનું પ્રાથમિક…
દેશમાં મોબાઈલ અને ટેક્નોલોજી ક્ષેત્રે ક્રાંતિ આવી રહી છે ત્યારે તાજેતરમાં જ સિલિકોન ચિપ્સ બનાવવા માટેની શરૂઆત વેદાન્તા દ્વારા ગુજરાત થઈ રહી છે. આ પછી એપલ મોબાઈલમાં ઉપયોગ થતાં સ્પેરપાટર્સનું પ્રોડક્શન પણ ગુજરાતમાં સુરત ખાતે થશે. જેના માટે સુરતની એક જાણીતી કંપનીએ એપલ કોર્પોરેશન સાથે રૂ. 1 હજાર કરોડનો એમઓયુ સાઈન કર્યો છે. અત્યાર સુધી મોબાઈલ અને ડિજીટલ ગેજેટ્સ માટે ચીનનું નામ સૌથી પહેલાં આવતું હતું ત્યારે હવે સુરતની કંપની દ્વારા એન્જિયરિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એપલ કંપનીના મોબાઇલ ફોનના સ્પેરપાર્ટ્સ તૈયાર કરવામાં આવશે. ચાઈનામાં સ્પેરપાર્ટસ બનાવતી કંપની સાથેનો કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ ચાઈનાના ઓપ્શનમાં એપલ કંપની દ્વારા સુરતની એન્જિનિયરિંગ કંપનીને…
સુરતના લાલગેટ વિસ્તારમાં મોડી રાત્રે એક યુવકની લાકડાના ફટકા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કર્યાની ઘટના સામે આવી છે. આ ક્રૂર હત્યાના દ્રશ્યો નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગયા છે. પોલીસે CCTV ના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરતના લાલગેટ ખાતે એક ભિક્ષુકની લાકડાના ફટકા મારી હત્યા કરી દેવાઈ છે. ગત મોડી રાત્રે લગભગ બેથી ચાર વાગ્યાના સમયની આસપાસ ફૂટપાથ પર રહેતા ભિક્ષુકને અન્ય કોઈ ફૂટપાથ પર રહેતા યુવકે લાકડાના ફટકા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે. શહેરના લાલગેટ વિસ્તારમાં ફૂટપાટ પર રહેતા ભિક્ષુકની જાહેરમાં ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવાની ઘટના નજીકમાં લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ હતી. હત્યાના આ દૃશ્યો…
એન્ટરટેઈનમેન્ટ વર્લ્ડ માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ના ચાઈલ્ડ સ્ટાર રાહુલ કોલીનું નિધન થઈ ગયું છે. રાહુલ માત્ર 15 વર્ષનો જ હતો. રાહુલના મોતનું કારણ કેન્સર જણાવવામાં આવી રહ્યું છે.15 વર્ષનો રાહુલ કોલી ભારત તરફથી આ વર્ષે ઓસ્કારમાં એન્ટ્રી કરનારી ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ના ચાઈલ્ડ એક્ટર હતા. રાહુલે ‘છેલ્લો શો’ ફિલ્મમાં શાનદાર કામ કરી નાની ઉંમરથી ખાસ ઓળખ બનાવી લીધી હતી. રાહુલે હજુ પોતાના સપનાંની ઉડાન ભરવાનું શરુ કર્યું હતું પરંતુ તે પહેલાં જ તેને કેન્સરના કારણે દુનિયાને અલવિદા કહેવું પડ્યું. એક રિપોર્ટ મુજબ રાહુલના પિતા એક ઓટો રિક્ષા ડ્રાઈવર છે. રાહુલના પરિવારે…
જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડ હવે દેશના ચીફ જસ્ટીસ બનશે. સીજેઆઈ ઉદય ઉમેશ લલિતે આજે એટલે કે મંગળવારે સવારે 10:15 વાગ્યે પોતાના ઉત્તરાધિકારીનું નામ પત્ર સરકારને મોકલ્યું. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ યૂયૂ લલિતે ૫૦માં ચીફ જસ્ટીસ તરીકે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનું નામ મોકલ્યું છે. જણાવી દઈએ કે ગત દિવસો કાયદા તથા ન્યાય મંત્રાલયે ચીફ જસ્ટીસ ઉદય ઉમેશ લલિતને પત્ર લખીને તેમને નવા સીજેઆઈના નામની ભલામણ કરતા નિમણૂક સંબંધિત મેમોરેન્ડમ પ્રક્રિયા શરૂ કરવા વિનંતી કરવામાં આવી હતી. CJI ઉદય ઉમેશ લલિત 8 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે અને તેમનો કાર્યકાળ માત્ર 74 દિવસનો છે. CGI લલિત પછી જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ સૌથી વરિષ્ઠ જજ હોવાથી…
રાજસ્થાનના કરૌલીના સપોત્રામાં સોમવારે સાંજે એક મોટો અકસ્માત થયો હતો. અહીંના સિમીર ગ્રામ પંચાયતના મેદપુરા ગામમાં માટીના ઢગલા ધસી પડતાં 3 બાળકીઓ અને 3 મહિલાઓનાં મોત થયાં છે. આ અકસ્માતમાં ચાર મહિલાઓ અને બાળકીઓને ઈજા થઈ છે. ઘાયલોને સારવાર માટે સપોત્રા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યારે અન્ય લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા છે. હાલ તેમને બચાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. દિવાળી પર ઘરના પેઇન્ટિંગ માટે માટી ખોદતી વખતે આ અકસ્માત થયો હતો. ગામના લોકો દ્વારા ભારે જહેમત બાદ કાટમાળ હટાવીને તમામને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં 3 યુવતીઓ સહિત 6ના મોત થયા હતા, જ્યારે ચાર બાળકીઓ અને…
છત્તીસગઢના અનેક શહેરોમાં EDએ આજે સવાર સવારમાં ફરી એકવખત દરોડા પાડ્યા છે. આ વખતે EDએ રાજ્યના કેટલાંક વરિષ્ઠ અધિકારીઓની સાથે સાથે વેપારીઓના ઘરે પણ દરોડા પાડ્યા છે. જેમાં કેટલાંક એવા લોકો પણ સામેલ છે જેના પર પહેલા ITની રેડ પડી હતી. છત્તીસગઢમાં આ વખતે EDએ દુર્ગ, રાયપુર, રાયગઢ અને મહાસમુંદ સહિત અનેક જગ્યાએ દરોડા પાડ્યા છે. છત્તીસગઢના દુર્ગમાં મુખ્યમંત્રી બઘેલના ઓએસડી સૌમ્યા ચૌરસિયા, રાયગઢમાં કલેક્ટર રાનૂ સાહૂના નિવાસસ્થાને, મહાસમુંદમાં અગ્નિ ચંદ્રાકર, સૂર્યકાંત તિવારી, માઈનિંગ હેડ આઈએએસ જેપી મોર્યના રાયપુરના ઘરે, રાયગઢના ગાંજા ચોક નિવાસી નવનીત તિવારી, પ્રિન્સ ભાટિયા, સીએ સુનીલ અગ્રવાલના ઠેકાણાં પર EDની કાર્યવાહી ચાલી રહી છે. મળતી માહિતી…
રાજ્યમાં દિવાળી પહેલા જ ખાદ્યતેલના ભાવમાં તોતિંગ વધારો થયો છે. સિંગતેલના ડબ્બાના ભાવમાં 50 રૂપિયાનો અને કપાસિયા તેલના ડબ્બામાં રૂપિયા 30નો વધારો થયો છે. જે બાદ હવે સિંગતેલનો ભાવ 3 હજાર રૂપિયાને વટાવી ગયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2500એ પહોંચી ગયો છે. તહેવારોની સિઝનમાં ખાદ્યતેલની માંગમાં વધારો થતાં ભાવમાં ધરખમ વધારો થયો છે. ફરી એકવાર સિંગતેલનો ડબ્બો 3000ને પાર પહોંચી ગયો છે. સિંગતેલનો નવો ભાવ રૂપિયા 3050 થયો છે. તો 30 રૂપિયાના વધારા બાદ કપાસિયા તેલનો નવો ભાવ 2500 થયો છે. જોકે, તેલ બનાવતી મિલોમાં સ્ટોકની અછતને કારણે ભાવ વધારો થઇ રહ્યો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. દિવાળી…
સમાજવાદી પાર્ટીના સંસ્થાપક અને ઉત્તર પ્રદેશના ત્રણ વખત મુખ્યમંત્રી રહેલા મુલાયમ સિંહ યાદવનું લાંબી બીમારી બાદ સોમવારે નિધન થયું હતું. તેમણે 82 વર્ષની ઉંમરે ગુરુગ્રામના મેદાંતા હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. આજે રાજકીય સન્માન સાથે તેમનું પેતૃક ગામ સેફઇમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના પાર્થિવ શરીરને સવારે 10 વાગ્યે અંતિમ દર્શન માટે સેફઇ મેલા ગ્રાઉન્ડના પંડાલમાં રાખવામાં આવશે. લગભગ 3 વાગ્યે રાજકીય સન્માન સાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મુલાયમ સિંહ યાદવના અંતિમ સંસ્કારમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ સામેલ થશે. ઉપરાંત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સેફઇ જશે. હેમંત સોરેન, ઓમ બિડલા, કેસીઆર, કમલનાથ સહિત કેન્દ્રીય મંત્રી પણ શ્રદ્ધાંજલિ અર્પિત કરવા જશે.…