What's Hot
- 7200mAh બેટરી, પારદર્શક બેક પેનલ ડિઝાઇન સાથે Realme Neo7 Turbo લોન્ચ, કિંમત જાણો
- WhatsAppમાં આવી રહ્યું છે લોગ આઉટ ફીચર, મોટી ટેન્શનનો અંત આવશે, ડેટા પણ રહેશે સુરક્ષિત
- IPLમાંથી બહાર થતાં જ શુભમન ગિલે વ્યક્ત કર્યું પોતાનું દુઃખ, કહ્યું ક્યાં ભૂલ થઈ
- જીત બાદ ખુશ થયો મુંબઈનો કેપ્ટન હાર્દિક પંડ્યા, રોહિત અને બુમરાહના વખાણમાં કહી આ વાત
- મુંબઈ ઈન્ડિયન્સે ટાઇટલ તરફ વધુ એક પગલું ભર્યું, હવે તેઓ આ ટીમનો સામનો કરશે, ગુજરાતનો ખેલ પૂરો થયો
- પાકિસ્તાની જાસૂસ કાસિમ પછી, તેનો ભાઈ આસીમ પણ પોલીસના હાથે ઝડપાયો, ISI સાથે કનેક્શનનો ખુલાસો
- દિલ્હીમાં ઉદ્યોગ ભવનને IED બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી, મંત્રાલયના અધિકારીઓને શંકાસ્પદ મેઇલ મળ્યો
- તાજમહેલમાં ‘ડ્રોન વિરોધી સિસ્ટમ’ તૈનાત, જાણો તેની પાછળનું કારણ શું છે?
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
રીટાયરમેન્ટ પછી ફરી એક વખત મેદાનમાં નજર આવશે લિજેન્ડ્સ ક્રિકેટ લીગમાં ભાગ લેતા જોવા મળશે ભારત તરફથી ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી યુવા વિકેટકીપર હતા ભારતના સ્ટાર વિકેટકીપર પાર્થિવ પટેલે તેના રિટાયરમેન્ટ પછી ફરી એક વખત મેદાનમાં આવવા માટે મન બનાવી લીધું છે. તેઓ લિજેન્ડ્સ ક્રિકેટ લીગમાં ભાગ લેતા જોવા મળશે. પાર્થિવ પટેલ સિવાય સ્પિનર પ્રજ્ઞાન ઓઝા, ઓલરાઉન્ડર રીતીંદર સોઢી અને બંગાળના પૂર્વ બોલર અશોક ડીંડા પણ આ ખેલમાં ભાગ લેતા નજર આવશે. પાર્થિવ પટેલે વર્ષ 2020માં ક્રિકેટ માંથી રીટાયરમેન્ટ લીધું હતું. પાર્થિવની વિકેટ કીપીંગ સ્કિલ ખૂબ જ કમાલ છે. એમને ભારતીય ટીમમાં તેનું ડેબ્યૂ 2002માં ઈંગ્લેન્ડ સામે કર્યું હતું. એ…
કરિયાણા પર 5% GST લાદતા રાજકોટમાં દાણાપીઠમાં દુકાનો બંધ કરિયાણાના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો ગોંડલમાં અનાજ કરીયાણાના વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ દર્શાવ્યો કેન્દ્ર સરકાર દ્વારા અનાજ કરીયાણા તથા આવશ્યક ચીજ વસ્તુઓ પર 5% GST લાદવામાં આવ્યો છે. જેને પગલે રાજકોટમાં આજે દાણાપીઠમાં વેપારીઓએ દુકાન બંધ રાખીને વિરોધ નોંધાયો હતો. સરકારે અનાજ કઠોળમાં જે 5% GST લગાડ્યો છે તે ખોટું છે. આના કારણે વેપારીઓને ઘણું નુકસાન થઈ રહ્યું છે. એક તો અત્યારે ઓલરેડી ચીજો પર GST હતો. તેમાં 5% વધે એટલે અમારે ઘણી નુકસાનીનો સામનો કરવો પડે. હવે જો સરકાર તેનો નિર્ણય પાછો નહીં લે તો આગામી સમયમાં અમારા દ્વારા…
ડિસેમ્બર મહિનામાં આયોજીત થશે CTETની પરીક્ષા સમગ્ર દેશમાં 20 ભાષામાં યોજાશે આ પરીક્ષા CBSEએ કરી મોટી જાહેરાત કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) CTET 2022 ની પરીક્ષા ડિસેમ્બર મહિનામાં આયોજીત થશે. દેશભરમાં સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર CBT મોડમાં આયોજીત થશે. બોર્ડ ઉમેદવાર માટે એડમિટ કાર્ડ અને પરીક્ષા તારીખની ઘોષણા કરશે. સત્તાવાર નોટિસ અનુસાર પરીક્ષા સમગ્ર દેશમાં 20 ભાષામાં આયોજીત થશે. આ ઉપરાંત ઉમેદવાર ડાયરેક્ટ લિંક પર ક્લિક કરીને પણ સત્તાવાર નોટિસ જોઈ શકશે. સત્તાવાર નોટિસ અનુસાર કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ ડિસેમ્બર 2022માં સીબીટી મો઼ડમાં કેન્દ્રીય શિક્ષક પાત્રતા પરીક્ષાનું આયોજન કરશે. પરીક્ષા સમગ્ર દેશમાં 20 ભાષાઓમાં આયોજીત…
હવામાન વિભાગની આગાહી: રાજ્યમાં વરસાદનું જોર ઘટશે દરિયાકાંઠે એક નંબર સિગ્નલ, માછીમારોએ 48 કલાકમાં દરિયો ન ખેડવા સૂચના 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં અને વલસાડમાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે. હવામાનની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે. એક સિસ્ટમ સક્રિય હતી તે ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ છે. જોકે હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે, આ ડિપ્રેશનની અસર ગુજરાત પર નહી જોવા મળે. આ સાથે 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈ 48 કલાક માટે માછીમારોએ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ તરફ દરિયાકાંઠે એક નંબર સિગ્નલ…
ફોન ભૂત ફિલ્મનું મોશન પોસ્ટર મેકર્સે રિલિઝ કરી દીધું છે સિધ્ધાંત ચતુર્વેદી અને ઇશાન ખટ્ટર નર કંકાલ સાથે મસ્તી કરતાં નજર આવે છે બર્થ ડે નાં એક જ દિવસ પહેલા કેટરીનાની નવી ફિલ્મનું પોસ્ટર રીલીઝ કેટરીના કૈફે તેના જન્મદિવસના ઠીક એક દિવસ પહેલા તેની આવનારી ફિલ્મ “ફોન ભૂત” નું મોશન પોસ્ટર શેર કર્યું છે. આ ભૂતિયા હોરર કોમેડીમાં કેટરીના સાથે સિધ્ધાંત ચતુર્વેદી અને ઇશાન ખટ્ટર પણ જોવા મળશે. આ મોશન પોસ્ટર લોકોને ઘણું પસંદ આવી રહ્યું છે અને લોકો તેને શેર પણ કરી રહ્યા છે. ફોન ભૂત ફિલ્મનું મોશન પોસ્ટર મેકર્સે રિલિઝ કરી દીધું છે. આ રિલિઝ કરેલ મોશન પોસ્ટરમાં…
શું ગુજરાતમાં નવા જુનીના છે એંધાણ વાયુસેનાનું ગ્લોબ માસ્ટર પ્લેન સાથે NDRFની ટીમો ઉતરી ગુજરાતની સ્થિતિને લઈ તંત્ર એક્સન મોડમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેણા કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પ્રવર્તી છે. નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પુરની વિકટ સ્થિતિ તેમજ આગામી સમયમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લેતા ઓડિસાના ભુવનેશ્વરથી ભારતીય વાયુદળના સૌથી મોટા અને વિશેષ ગ્લોબ માસ્ટર પ્લેન સાથે પાંચ જેટલી એન.ડી.આર.એફની ટીમો સુરત એરપોર્ટ ખાતે આવી પહોચી હતી. એક ટીમ કમાન્ડર તથા પાંચ ઓફિસર અને 105 જવાનો સાથે રેસ્કયુ માટેના સાધન સરંજામ સાથે સુરત ખાતે બપોરે 1 વાગે આવી પહોચી…
ઘરે જ ટ્રાય કરી શકો છો આ હેર સ્ટાઈલ સાડી, સલવાર સહિતના ડ્રેસ પર ટ્રાય કરો આ હેર સ્ટાઈલ આ હેર સ્ટાઈલ આપશે તમને અલગ જ લૂક લગ્નની સિઝન હોય કે તહેવારનો પ્રસંગ હોય, સ્ત્રીઓ મોટે ભાગે હેરસ્ટાઇલ કરાવવા માટે પાર્લરમાં જાય છે. પરંતુ કેટલીકવાર સમયની અછતને કારણે પાર્લરમાં જવું શક્ય નથી. આવી સ્થિતિમાં ઘરે કેવા પ્રકારની હેરસ્ટાઈલ બનાવવી જોઈએ. એ સમજાતું નથી અને પૂરો મેક-અપ કર્યા પછી પણ જોઈતો દેખાવ આવતો નથી. જો તમે પણ ઘણી વખત આ પ્રકારની સમસ્યાનો સામનો કર્યો હોય. તો આ હેરસ્ટાઇલ ટ્રાય કરો. સૂટ હોય કે સાડી, આ હેરસ્ટાઇલ દરેક ભારતીય ડ્રેસ સાથે મેચ…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુંદેલખંડ એક્સપ્રેસ વેનું લોકાર્પણ કરી દીધું છે આ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા કોરોનાકાળના 28 મહિનામાં બનીને તૈયાર થયો આ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુંદેલખંડ એક્સપ્રેસ વેનું લોકાર્પણ કરી દીધું છે. આ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. તેમણે અહીં કહ્યું હતું કે, કોરોના છતાં પણ 28 મહિનામાં એક્સપ્રેસ વે બનીને તૈયાર થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 296 કિમી લાંબા બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્ધાટન કરી દીધું છે. આ અત્યાધુનિક એક્સપ્રેસ વે ઉત્તર પ્રદેશના બુંદેલખંડથી 7 જિલ્લામાંથી પસાર થશે. તેનાથી સ્થાનિક લોકોને રાજધાની દિલ્હી સુધી પહોંચવામાં સરળતા રહેશે. સાથે જ આ વિસ્તારની…
ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ નર્મદા ડેમની જળસપાટીમાં થયો વધારો હાલ નર્મદા ડેમની જળસપાટી 119.10 મીટરે પહોંચી ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. તેમાં પણ ખાસ સૌરાષ્ટ્રમાં આ વખતે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. ભારે વરસાદને પગલે ડેમો, નદી તથા તળાવોમાં નવા નીરની આવક થવા પામી છે. ત્યારે અત્યાર સુધી વરસેલા વરસાદને કારણે ગુજરાતની જીવાદોરી સમા નર્મદાડેમની જળસપાટીમાં વધારો થવા પામ્યો છે. ગુજરાતની જનતાની તરસ છીપાવનાર સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો છે. આ વખતે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા નર્મદા ડેમની જળ સપાટી એક જ દિવસમાં 50 સેન્ટિમીટર વધી છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 119.10 મીટરે પહોંચી છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં…
18 જૂલાઈથી શરૂ થઈ રહ્યું છે સંસદનું ચોમાસુ સત્ર સંસદના સત્રમાં અસંસદીય શબ્દો પર પ્રતિબંધ સંસદ પરિસરમાં ધરણા પ્રદર્શન પર રોક બાદ હવે સદનમાં પણ આ કામ પર રોક લગાવી 18 જૂલાઈથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્રમાં હોબાળા થવાના પુરા એંધાણ મળી રહ્યા છે. પહેલા અસંસદીય શબ્દોની નવી યાદી, બાદમાં સંસદ પરિસરમાં ધરણા પ્રદર્શન પર રોક અને હવે લોકસભામાં પોસ્ટર, પ્લેકાર્ડ તથા ચબરખીઓ પર પ્રતિબંધ લગાવાનું ફરમાન જાહેર થયું છે. તેને લઈને વિપક્ષમાં ભયંકર આક્રોશ વ્યાપ્યો છે. લોકસભા સચિવાલયે શુક્રવારે ચોમાસુ સત્ર દરમિયાન સદનમાં કોઈ પણ પ્રકારના ચબરખીઓ, પોસ્ટરો લાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. માનવામાં આવી રહ્યું છે…