What's Hot
- સેટેલાઇટ સેવા શરૂ કરતા પહેલા સરકારે કરી તૈયારીઓ, રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લીધો મોટો નિર્ણય
- ગૂગલે સેમસંગને બાજુ પર રાખ્યું, હવે આ કંપની પિક્સેલ ફોન માટે ચિપ્સ બનાવશે
- વિશ્વ ચેમ્પિયન ગુકેશ વિશ્વના નંબર-1 ખેલાડી સામે હારી ગયો, કોનેરુ હમ્પીએ જીત નોંધાવી
- પ્લેઓફ પહેલા પંજાબ કિંગ્સને સારા સમાચાર મળ્યા, સ્ટાર બોલરની ઈજા પર આવ્યું મોટું અપડેટ
- પ્લેઓફમાં કઈ ટીમ કોની સામે ટકરાશે? બધાની નજર RCB vs LSG મેચ પર
- રાહુલ ગાંધીની મુલાકાત બાદ ABVPનો વિરોધ, DUSU પ્રમુખ રૌનક ખત્રીના કાર્યાલય પર ગાયનું છાણ છાંટવામાં આવ્યું
- મુંબઈમાં ભારે વરસાદના કારણે થયેલા વિનાશ વચ્ચે રાહત, હવામાન વિભાગની ચેતવણી મુલતવી!
- દિલ્હીમાં ચાર બાંગ્લાદેશી ઘુસણખોરો પકડાયા, 12 વર્ષથી ભારતમાં રહેતા હતા
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
ગુજરાતમાં મેઘરાજા મહેરબાન સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદી માહોલ પોરબંદર-ગીર સોમનાથમાં દરિયો બન્યો તોફાની ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો આ વખતે વારો સૌરાષ્ટ્રનો આવ્યો છે. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. હજી પણ આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે.. તેમાં પણ સૌરાષ્ટ્રમાં તો અતિભારે વરસાદની વકીને પગલે તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. તેમાં પણ નીચાણ વાળા વિસ્તારોમાં ખાસ તંત્ર નજર રાખી રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં ધોધમાર વરસાદની આગાહીને પગલે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. પોરબંદરમાં 8થી 10જુલાઇના રોજ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.…
શિન્ઝો આબે પર આ હુમલો નારા શહેરમાં થયો હતો હાલ એક શંકાસ્પદની અટકાયત કરવામાં આવી છે શિંજો આબેને છાતીમાં ગોળી વાગી જપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર હુમલો થયો છે. તેમને ગોળી મારવામાં આવી છે. ગોળી શિંજો આબેને છાતીમાં વાગી હતી અને તેને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આબેનું લોહી ખૂબ જ હોવાથી તેમની હાલત ગંભીર છે. શિન્ઝો આબે પર આ હુમલો નારા શહેરમાં થયો હતો. ત્યારે તેઓ ભાષણ આપી રહ્યા હતા. અચાનક આબે નીચે પડી ગયા તેના શરીરમાંથી લોહી પણ નીકળી રહ્યું હતું. શિન્ઝો આબેના અચાનક પડી જવાથી ત્યાં હાજર લોકોને કોઈ મતલબ ન હતો. પરંતુ આ…
રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંન્હા ગુજરાત પહોંચ્યા જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસના નેતાઓ સાથે કરી મુલાકાત વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે યશવંત સિંન્હા અટલ સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા યશવંત સિન્હા કે જેઓને વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેઓ આજે ગુજરાત આવી પહોંચ્યા છે. તેઓએ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી. તમને જણાવી દઇએ કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. વિપક્ષ દ્વારા તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરાયા છે. 84…
વધેલી ખિચડી કે સબ્જીથી બનાવો વાનગી વાધેલા ફૂડથી બનાવો આ શુપ શુપ ચાખી ઘરવાળા થઈ જશે ખુશ ઘણીવાર ઘરોમાં રાત્રિભોજન કે લંચ ખાધા પછી શાકભાજી બચી જાય છે જેને ફરીથી કોઈ ખાવા માંગતું નથી. ન તો તમે આ શાકભાજી ફેંકી શકો છો અને ન તો ઘરના સભ્યોને પીરસી શકો છો. આવી સ્થિતિમાં, જો તમે આ શાકભાજી સાથે કંઈપણ કરી શકો છો, તો તે તેને નવો સ્વાદ આપવા માટેની યુક્તિ છે. અહીં અમે તમને જણાવીશું કે રાત કે દિવસના બચેલા શાકભાજીમાંથી સૂપ કેવી રીતે બનાવવો, જે તમે ગમે ત્યારે બનાવી શકો છો અને તે પણ ખૂબ ફ્રિલ વગર. આ ખાદ્યપદાર્થો સ્વાદિષ્ટ…
ગુજરાતમાં મેઘરાજા મહેરબાન સૌરાષ્ટ્રના ડેમોમાં નવા નીરની આવત જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પણ પાણીની આવક ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. તેમાં પણ ખાસ સૌરાષ્ટ્રમાં આ વખતે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. ભારે વરસાદને પગલે ડેમો, નદી તથા તળાવોમાં નવા નીરની આવક થવા પામી છે. ત્યારે અત્યાર સુધી વરસેલા વરસાદને કારણે ક્યા ડેમોમાં નવા નીરની આવક થઇ છે તે જાણીએ. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાં સારા વરસાદેન કારણે ડેમમાં 8 હજાર 558 કયુસેક પાણીની આવક થવા પામી છે. જેને કારણે ડેમની સપાટી 114.38 મીટરે પહોંચતા CHPHના 2 પાવર હાઉસ ચાલુ કરાયા છે. ટોટલ આઉટફ્લો 8…
છેલ્લા 24 કલાકમાં 18,815 કોરોના કેસ નોંધાયા 15,899 દર્દીઓ થયા રિકવર, 38 દર્દીઓનાં મોત દેશમાં કુલ સક્રિય કેસનો આંકડો 1,22,335એ પહોંચ્યો ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોમાં ફરી એકવાર ચોંકાવનારો વધારો નોંધાયો છે. આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 18,815 કોરોના કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાથી ચેપગ્રસ્ત 15,899 દર્દીઓ રિકવર થયા છે. આ તરફ કોરોના કહેરના કારણે 38 દર્દીઓનાં મોત થયાનું પણ સામે આવ્યું છે. ભારતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું હોઇ ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે. ગઇકાલે દેશમાં 18,930 કેસ નોંધાયા બાદ આજે ફરી એકવાર તેમાં વધારો થતાં 18,815 કેસ સામે આવ્યા છે. આ…
ગુજરાતમાં પ્રથમ વાર નેશનલ ગેમ્સ યોજાશે: CM દેશના 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે: CM હર્ષ સંઘવીએ પણ ટ્વિટ કરીને માહિતી આપી ગુજરાતમાં પ્રથમ વાર 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર વચ્ચે રાજ્યમાં નેશનલ ગેમ્સ યોજાશે. જેમાં દેશના 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે. CMએ ટ્વિટ કરતા જણાવ્યું કે, ‘મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ગુજરાત આગામી 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમ્યાન નેશનલ ગેમ્સનું આયોજન કરશે. ગુજરાતના પ્રસ્તાવનો ત્વરિત સ્વીકાર કરવા બદલ હું IOA નો આભારી છું.’ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ‘આવતીકાલે સવારે 9 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યુવા અને સ્પોર્ટ્સ અંગે…
એન્ટી બેક્ટેરિયા એમ જ એન્ટી-સ્પેટીક ગુણ હોય સ્કીન સંબંધિત ઘણી સમસ્યાથી છુટકારો મળે જેટલું ધાર્મિક મહત્વ છે એટલું જ તેનું વૈજ્ઞાનિક રીતે પણ મહત્વ દરેક લોકોના ઘરની બહાર તુલસીનો છોડ લગાવે છે. જૂજ માત્ર ઘરને છોડીને દરેક ઘરના આંગણામાં અથવા બાલ્કનીમાં તુલસીનો છોડ જોવા મળે જ છે. કહેવાય છે કે તુલસીના છોડનું ઘણું ધાર્મિક મહત્વ છે. દરરોજ સવારે તેની પૂજા કરવામાં આવે છે અને જળ અર્પણ કરવામાં આવે છે. તુલસીના છોડનું જેટલું ધાર્મિક મહત્વ છે એટલું જ તેનું વૈજ્ઞાનિક રીતે પણ મહત્વ છે. તુલસીમાં એન્ટી બેક્ટેરિયા એમ જ એન્ટી-સ્પેટીક ગુણ હોય છે. એટલા માટે જ તુલસીનો ઔષધિ રીતે પણ ઉપયોગ…
મંગળ અને રાહુની યુતિથી રચાશે અંગારક યોગ અંગારક યોગ દુઃખ આપતો યોગ પરંતુ અમુક રાશિના જાતકોને થશે ફાયદો જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા એવા યોગનું નિર્માણ થતુ રહે છે. જેમાંથી ઘણા યોગ શુભ ફળ આપે છે જ્યારે ઘણા યોગને કારણે વ્યક્તિએ હેરાન પરેશાન થવાનો વારો આવે છે. તેમાં પણ જો રાહુ અને મંગળની વાત કરીએ તો આ બંને ગ્રહો નકરાત્મક છાપ ધરાવે છે. કારણ કે જેને મંગળ હોય કે રાહુ તેઓની કુંડળીમાં કયા સ્થાને છે તે જાણવુ જરૂરી છે. પરંતુ આ વખતે આ બંને ગ્રહોનો સંયોગ થઇ રહ્યો છે જેને કારણે અંગારક યોગ નિર્માણ પામી રહ્યો છે. ત્યારે આવો જાણીએ આ યોગથી કઇ રાશિના જાતકોને થશે લાભ અને નુકસાન.. રાહુ અને મંગળના…
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો પ્રારંભ CM ભૂપેન્દ્ર પટેલે જ્ઞાન ગુરૂ ક્વિઝનો કરાવ્યો પ્રારંભ 25 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લે એવું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ સાયન્સ સિટી ખાતેથી દેશની સૌથી મોટી એવી ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ’નો શુભારંભ કરાવ્યો હતો. આગામી 75 દિવસ દરમ્યાન તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ આ ક્વિઝ યોજાશે. જેમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય નાગરિકો સહિત 25 લાખથી વધુ સ્પર્ધકો ભાગ લેવાના છે. વેબસાઇટ, ઇ-પુસ્તિકા અને ઓનલાઇન કોમ્પિટિશનના માધ્યમથી આ રાજ્યવ્યાપી સ્પર્ધાને ડિજીટલ ઓપ આપવામાં આવ્યો છે. ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ’નો શુભારંભ અવસરે મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકારની વિવિધ યોજનાઓ અને નીતિ-નિયમો સહિત સામાન્ય જ્ઞાનથી વિદ્યાર્થીઓ-નાગરિકો અવગત થાય તે આ…