What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
દિશા પટની વર્ષ 2015માં એક કેડબરીની જાહેરાતથી પ્રખ્યાત થઇ હતી દિશાનો ચાઇલ્ડહુડ ક્રશ રણબીર કપૂર હતો રણબીર કપૂરની ખૂબ જ મોટી ફેન રહી છે દિશા પટની બોલીવૂડની હોટ અને ફિટ અભિનેત્રીઓમાની એક છે. દિશા પટની વર્ષ 2015માં એક કેડબરીની જાહેરાતથી પ્રખ્યાત થઇ હતી. શું પણ તમે જાણો છો દિશાનો પણ ચાઇલ્ડહુડ ક્રશ બોલીવૂડનો ચોકલેટી બોય તરીકે ઓળખાતો રણબીર કપૂર હતો. આલિયા ભટ્ટ જ નહી પણ દિશા પાટનીનો પણ ચાઇલ્ડહુડ ક્રશ રણબીર કપૂર રહી ચૂક્યો છે. જી હા,દિશા પાટનીએ ખુલાસો કર્યો છે,કે તે રણબીર કપૂરની ખૂબ જ મોટી ફેન રહી છે. જેના કારણે તેનો અકસ્માત થતા બચી ગયો છે. એક ઇન્ટરવ્યૂહમાં…
સાડી વગર ભારતીય નારીના સૌંદર્યની કલ્પના જ ન થાય સાડી પહેરવાનો ટ્રેન્ડ ક્યારેય આઉટડેટેડ થવાનો નથી સાડીશેપર તમારા સ્લિમ લુક માટે ડિઝાઇન કરવામાં આવેલું સ્ટ્રેચેબલ વસ્ત્ર છે હિપ્સ અને કમર પર શેપમાં બૉડીને ટચ થાય એ રીતે ફિટિંગમાં પહેરેલી સાડીમાં મહિલાના ગ્લૅમરસ લુકને જોઈને તમને પણ ઈર્ષ્યા થતી હોય તો તમારા માટે ટ્રેડિશનલ પેટીકોટની જગ્યાએ સાડીશેપર બેસ્ટ ચૉઇસ છે સાડી એવો અદ્ભુત ટ્રેડિશનલ પોશાક છે જેના વગર ભારતીય નારીના સૌંદર્યની કલ્પના જ ન થાય. આપણા દેશની સ્ત્રીઓ સાડીમાં શોભે છે એટલે જ મૉડર્ન કલ્ચરમાં પણ આ પરિધાને પોતાનું સ્થાન ગૌરવભેર જાળવી રાખ્યું છે. શુભ પ્રસંગો અને તહેવારોમાં સાડી પહેરવાનો ટ્રેન્ડ…
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઇને મોટી આગાહી કરી મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના રાજ્યના અમુક વિસ્તારમાં 6 ઈંચથી વધુ વરસાદ પડશે હવામાનની આગાહી અનુસાર રાજ્યમાં આજથી વરસાદનું જોર વધવાની સંભાવના છે. હવામાનની આગાહી અનુસાર, તારીખ 7 અને 8 ઓગસ્ટના રોજ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 10 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની શક્યતા એ સિવાય વધુમાં તમને જણાવી દઇએ કે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઇને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ‘મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. તારીખ 6 ઓગસ્ટ સુધી મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.’ વધુમાં…
અંતરીક્ષમાં પણ ‘ઝંડા ઊંચા રહે હમારા’ એટલે કે ભારતનો ત્રિરંગો ફરકાવશે (ISRO) અત્યાર સુધીના સૌથી નાના કોમર્શિયલ રોકેટ સાથે ‘આઝાદીસેટ’ (AzaadiSAT) ઉપગ્રહ લોન્ચ કરવા જઈ રહી છે 750 ગ્રામીણ વિદ્યાર્થિનીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે હાલમાં દેશમાં હર ઘર તીરંગા અંતર્ગત અનેક કાર્યકમો યોજાઇ રહ્યા છે. જોકે હવે અંતરીક્ષમાં પણ ‘ઝંડા ઊંચા રહે હમારા’ એટલે કે ભારતનો ત્રિરંગો ફરકાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર વર્ષ પહેલા સ્વતંત્રતા દિવસના અવસર પર કહ્યું હતું કે, ભારત આઝાદીની 75મી વર્ષગાંઠ પર અવકાશમાં ત્રિરંગો ફરકાવશે. હવે ઈસરો આ વચન પૂરું કરવા જઈ રહ્યું છે. 7 ઓગસ્ટના રોજ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) અત્યાર સુધીના સૌથી નાના…
રેસ્ટોરન્ટનું નામ સોમ બાબુલનાથ ભગવાનના દિવસ સોમવાર પર જ રાખ્યું છે શ્રાવણ મેનુમાં ૨૩ ડિશિસ છે ટ્રેડિશનલ ડિશિસની સાથે-સાથે આજના સમયને ધ્યાનમાં રાખીને વીગન ઑપ્શન્સ પણ તૈયાર કર્યા છે મુંબઈમાં શ્રાવણ મહિનામાં બાબુલનાથમાં જેટલી ભીડ રહે છે એટલી જ ભીડ એની સામે આવેલી સોમ રેસ્ટોરાંમાં રહે છે, કારણ કે સોમ ૨૦૦૫માં શરૂ થયું અને એના એક જ વર્ષમાં એટલે કે ૨૦૦૬માં એમણે ફરાળી મેનુ શરૂ કર્યું. એ વિશે વાત કરતાં એનાં માલિક પિન્કી ચંદન દીક્ષિત કહે છે, ‘અમારી રેસ્ટોરન્ટનું નામ સોમ બાબુલનાથ ભગવાનના દિવસ સોમવાર પર જ અમે રાખ્યું છે. એટલે સોમવાર અને શ્રાવણ બન્ને અમારા માટે ખૂબ મહત્ત્વના છે.…
વિધાનસભાની ચૂંટણીના હવે ગણતરીના મહિના બાકી રહ્યાં છે સતત 40 વર્ષ કોંગ્રેસની સાથે રહેલા નેતાઓ પક્ષ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યાં છે કોંગ્રેસએ રાજ્યની 10 બેઠકો પર ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના હવે ગણતરીના મહિના બાકી રહ્યાં છે. ત્યારે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક તરફ ભાજપ દ્વારા મતદારોને રિઝવવા સરકાર એક પછી એક નિર્ણયો લઈ રહી છે. બીજી બાજુ આમ આદમી પાર્ટી દ્વારા જોરજોરથી પ્રચાર શરૂ કરી દેવાયો છે અને રાજ્યની 10 બેઠકો પર ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. ત્યારે કોંગ્રેસમાં કકળાટ વધી રહ્યો છે. સતત 40 વર્ષ કોંગ્રેસની સાથે રહેલા નેતાઓ પક્ષ…
LICને ફોર્ચ્યુન મેગેઝિનના ગ્લોબલ 500 લિસ્ટમાં 98મા ક્રમે સ્થાન મળ્યું 31 માર્ચ 2022 કે તે પહેલાં સમાપ્ત થયેલા નાણાકીય વર્ષની કુલ આવકના આધારે કંપનીઓને ક્રમ અપાય છે ખાનગી કંપનીઓની વાત કરીએ તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સૌથી ઉપર છે. આ વર્ષે શેરમાર્કેટમાં લિસ્ટેડ લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનને ફોર્ચ્યુન મેગેઝિનના ગ્લોબલ 500 લિસ્ટમાં 98મા ક્રમે સ્થાન મળ્યું છે, જ્યારે આ યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 51 સ્થાનની છલાંગ મારીને 104મો ક્રમ હાંસલ કર્યો છે. એલઆઈસી 97.26 અબજ ડૉલર (રૂ. 7.71 લાખ કરોડ)ની આવક અને 55.38 કરોડ ડૉલર (રૂ. 4.38 લાખ કરોડ)ના નફા સાથે દેશની સૌથી મોટી વીમા કંપની છે. આ યાદીમાં ટોચ પર અમેરિકાની રિટેલ કંપની…
આયુર્વેદમાં લસણને ઔષધી ગણવામાં આવે છે લસણની બે કળીને નિયમિત રીતે પાણી સાથે ગળવાથી પણ સિઝનલ રોગોમાં રાહત મળે છે સ્વાસ્થ્યને ચમત્કારિક લાભ મળે છે અને શરીર તમામ રોગોથી સુરક્ષિત રહે છે આયુર્વેદમાં લસણને ઔષધી ગણવામાં આવે છે. વિટામીન B1, B6 અને C ઉપરાંત મેંગેનીઝ, કેલ્શિયમ, કોપર, સેલેનિયમ જેવા પોષક તત્વો લસણમાં મળી આવે છે. આ ઉપરાંત, તેમાં એલિસિન નામનું એક વિશેષ ઔષધીય તત્વ હોય છે, જે એન્ટીબેક્ટેરિયલ, એન્ટિવાયરલ, એન્ટિફંગલ અને એન્ટિઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોય છે. આ રીતે લસણ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. એવું કહેવાય છે કે જો રોજ ખાલી પેટે લસણની બે કળીઓ ગળી લેવામાં આવે તો…
દેવની પૂજાનુ પૂર્ણ ફળ ત્યારે જ પ્રાપ્ત થાય છે જયારે પૂજા નિયમ અનુસાર થાય શાલીગ્રામ ભગવાનની પૂજા કરી રહ્યાં છો તો કેટલાંક નિયમોનુ પાલન કરવુ અત્યંત જરૂરી શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શાલીગ્રામ સ્વયંભૂ છે હિન્દુ ધર્મમાં પૂજા-પાઠને લઇને અમુક નિયમ જણાવવામાં આવ્યાં છે. કોઈ પણ દેવની પૂજાનુ પૂર્ણ ફળ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે તેમની નિયમ અનુસાર પૂજા થાય છે. એવામાં જો તમે ઘરમાં શાલીગ્રામ ભગવાનની પૂજા કરી રહ્યાં છો તો કેટલાંક નિયમોનુ પાલન કરવુ અત્યંત જરૂરી છે. તેમને વાસણમાં માં તુલસીની સાથે રાખવામાં આવે છે. શાલીગ્રામની પૂજા કરતી વખતે રાખો આટલું ધ્યાન શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે…
ખેડૂતો હવે ખેતરમાં દવાનો છંટકાવ ડ્રોનની મદદથી કરી શકશે આ યોજનાનો લાભ લેવા માટે 28 જુલાઇ 2022થી એકમાસ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે ઇફ્કો સંસ્થા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે રાજ્યના ખેડૂતો હવે ખેતરમાં દવાનો છંટકાવ ડ્રોનની મદદથી કરી શકશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજીમાં નવતર પ્રયોગ હાથ ધરાશે. રસાયણો, નેનો યુરીયા, પ્રવાહી-જૈવિક ખાતરના છંટકાવ માટે બે પદ્ધતિનો અમલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં એક છે ડ્રોન ટેક્નોલોજી અને બીજી છે કૃષિ વિમાનના ઉપયોગ.નેનો યુરીયાના છંટકાવ માટે ખાસ 2 થી 3 ગામોના 1500 એકરના ક્લસ્ટર બનાવી ડ્રોન દ્વારા છંટકાવ કરી શકાશે. આ યોજનાનો લાભ લેવા…

