What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
આજે રાજ્યની કેબિનેટ યોજાશે બેઠક CMની અધ્યક્ષતામાં યોજાશે બેઠક જનતાના વિવિધ મુદ્દે થશે ચર્ચા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યમાં પાણી સ્થિતી સહિત વિવિધ વિષયો પર ચર્ચા કરાશે. આ બેઠકમાં રાજ્યમાં પાણીની સ્થિતિ અંગે કરાશે સમીક્ષા તેમજ રાજ્યમાં જળાશયમાં પાણીની સ્થિતિ તેમજ ચણાના ટેકાના ભાવે થયેલી ખરીદી બાબતે ચર્ચા કરવામાં આવી શકે છે. આ સાથે આગામી સમયમાં સરકારના વિવિધ જનતાલક્ષી કાર્યક્રમ બાબતે પણ ચર્ચા થશે.મહત્વનું છે કે, રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતા જ ડેમ તળિયા ઝાટક થયા છે. પરિણામે રાજ્યમાં આગામી સમયમાં પીવાના પાણીની અછત સર્જાય તેવી શક્યતાઓ વર્તાઇ છે. રાજ્યના જળાશયોમાં માત્ર…
BTPને લઇ કોંગ્રેસને હજુ પણ આશાવાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહે આપ્યું મોટું નિવેદન ભાજપ સામે તમામ પાર્ટી એક થઇ લડશે- ભરતસિંહ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. જેને લઈને તમામ રાજકીય પાર્ટીઓ પોતાનું એડીચોટીનું જોર લગાવી રહી છે. બીજી તરફ ગત રવિવારે એટલે કે 1લી મે ગુજરાત સ્થાપના દિને આમ આદમી પાર્ટી અને બીટીપીએ ભરૂચ ખાતે ગઠબંધન કર્યું હતું. આ વર્ષના અંતે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ થશે તે નિશ્ચિત થઈ ગયું છે. જેની વચ્ચે હજી પણ કોંગ્રેસ BTPને લઈને આશા સેવી રહ્યું છે.AAP અને BTPના ગઠબંધન વચ્ચે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું…
વૈશ્વિક સ્તરે ઇક્વિટી માર્કેટમાં નિરાશાનો માહોલ આ વર્ષે S&P 500 ઇન્ડેક્સ 13 ટકાથી વધુ ઘટ્યો સેન્સેક્સ 53000, નિફ્ટી 15500 સુધી ઘટી શકે કોરોના મહામારીમાંથી માંડ માંડ અર્થતંત્ર રિકવર થઇ રહ્યું હતું ત્યારે રશિયા અને યુક્રેન યુધ્ધની અસરે વિશ્વના તમામ દેશોના અર્થતંત્રને બ્રેક લગાવી છે. વૈશ્વિક સ્તરે મોંઘવારી સતત વધી રહી છે જેના કારણે સેન્ટ્રલ બેન્કો વ્યાજદર વધારાની તરફેણમાં છે તેના પગલે વૈશ્વિક સ્તરે ઇક્વિટી માર્કેટમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે.ભારતીય શેરબજારમાં પણ હજુ કરેક્શનની સંભાવનાઓ વધી છે. આગામી સમયમાં શેરમાર્કેટમાં 10 ટકાથી વધુ કરેક્શન આવે તો નવાઇ નહિં. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકામાં કંઈ સારું નથી ચાલી રહ્યું. ફુગાવો…
ઓછા ફાઇબરવાળા ખોરાકને ડાયટ માં સામેલ કરો બ્લેન્ડ ડાયટ પેટ માટે ઉત્તમ ઔષધી બ્લેન્ડ ડાયટથી ગેસ્ટ્રિક એસિડિટીથી આરામ મળે છે જો તમારી પાચનશક્તિ સારી નથી તો તમે આ ડાયટ કરી શકો છો. તેમાં વધુ તેલ કે મસાલાવાળા ખોરાકને સામેલ કરવામાં આવતું નથી. તો ચાલો જાણીએ શું છે બ્લેન્ડ ડાયટ અને આ ડાયટમાં શું શું સામેલ કરી શકાય છે.આપણે રોજીંદા જીવનમાં અલગ-અલગ ડાયટ ફોલો કરીએ છીએ. આવું જ એક ડાયેટ છે બ્લેન્ડ ડાયટ. ઓછા ફાઇબરવાળા ખોરાકને આ ડાયટમાં સામેલ કરવામાં આવે છે, જે ઓછા તેલ અને મસાલામાં તૈયાર કરવામાં આવે છે. જો તમારી પાચનશક્તિ સારી નથી તો તમે આ ડાયટ કરી…
દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 3,205 કેસ ગઇ કાલ કરતા કોરોનાના કેસમાં 25 ટકાનો ઉછાળો આજ રોજ 31 લોકોના મોત તો 2802 લોકો સાજા થયા દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના આજે નવા 3,205 કેસ નોંધાયા છે. એટલે કે COVID-19 ના કેસોમાં લગભગ 25 ટકાનો ઉછાળો આવ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં 4,79,208 રસીકરણ કરવામાં આવ્યું. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,89,48,01,203 વેક્સિનેશન થયું છે. જ્યારે 2802 લોકો સાજા થયા છે. આ સાથે સાજા થનારા લોકોની સંખ્યા વધીને 42,544, 689 થઈ ગઈ છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાના કારણે 31 લોકોના મોત થયા છે. આ સાથે જ કોરોનાથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા…
મોસમને લઈને હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ આગામી 5 દિવસ સુધી ગરમીનું પ્રમાણ હવે ઓછું થશે 7 મે સુધી લોકોને આકરી ગરમીમાંથી રાહત મળશે હવામાન વિભાગે આગાહી કરી કે, ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં આગામી 5 દિવસ દરમિયાન ગરમીની લહેર ચાલવાની કોઈ જ શક્યતા નથી. જો કે, મહારાષ્ટ્રમાં બુધવારથી મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. જ્યારે દેશના બાકીના ભાગોમાં કોઈ નોંધપાત્ર ફેરફારની અપેક્ષા નથી. IMD અનુસાર, 5 દિવસ બાદ હવામાન ફરી 2થી3 ડિગ્રી સેલ્સિયસ વધશે.કાળઝાળ ગરમીના કારણે ધકધકતા તાપ વચ્ચે ઉત્તર-પશ્ચિમ ભારતમાં મંગળવારે રાહત જોવા મળી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો…
વૈશાખ પૂનમના દિવસે પુણ્ય કર્મ કરશો. ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં. ગ્રહણનું સૂતક પણ લાગશે નહીં 16 મે 2022ના રોજ ચંદ્રગ્રહણ થશે. આ દિવસે વૈશાખ મહિનાની પૂનમ છે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, જેના કારણે ગ્રહણનું સૂતક પણ લાગશે નહીં. વૈશાખ પૂનમને લગતા સામાન્ય પૂજન-કર્મ અને અન્ય સામાન્ય પૂજા-પાઠ માટે કોઈ વિઘ્ન રહેશે નહીં.ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ભારતીય સમયાનુસાર ગ્રહણની શરૂઆત સવારે 7.58 કલાકે થશે અને ગ્રહણ 11.25 કલાકે પૂર્ણ થશે. આ ગ્રહણ કેનેડા, ન્યૂઝીલેન્ડના થોડા વિસ્તારમાં, જર્મનીમાં દેખાશે. 30 એપ્રિલના રોજ વૈશાખ અમાસના દિવસે સૂર્યગ્રહણ થયું હતું, આ ગ્રહણ પણ ભારતમાં દેખાયું ન હતું.આચાર્ય વરાહમિહિરની બૃહત્સંહિતામાં લખવામાં…
કિંમત ઘટાડા મામલે આ સૌથી મોટો ઘટાડો. કિંમતમાં ઘટાડો કરવાનું મુખ્ય કારણ તેની વધારે કિંમત. કંપનીનું હજુ સુધી નવી કિંમતને લઈને ઓફિશિયલ નિવેદન નહી. જો તમે Hondaની CBR1000RR-R બાઈક ખરીદવાનો પ્લાન કરી રહ્યા હોય તો આ તમારા માટે ખૂબ જ સારા સમાચાર છે. હાલમાં જ હોન્ડાએ તેમની બાઈકની કિંમતમાં 10 લાખ રૂપિયા ઘટાડી દીધા છે. હવે આ બાઈક રૂ. 23.56 લાખ (એક્સ-શોરૂમ, મુંબઈ)માં ખરીદવા માટે ઉપલબ્ધ છે. કિંમત ઘટાડા મામલે આ સૌથી મોટો ઘટાડો છે.હોન્ડાની આ બાઈકને ભારતમાં ગયા વર્ષે જ લગભગ 33 લાખ રૂ. ની કિંમત પર લોન્ચ કરવામાં આવી હતી. કંપનીએ હજુ સુધી નવી કિંમતને લઈને ઓફિશિયલ નિવેદન…
MITના એન્જિનિયરોએ કાગળથી પાતળું લાઉડસ્પીકર વિકસાવ્યું છે ન્યૂનતમ ડિસ્ટોર્શન સાથે અવાજ ઉત્પન્ન કરે છે. લાઉડસ્પીકરને ચલાવવા માટે ઓછી વીજળીની જરૂર પડે છે મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (MIT)ના એન્જિનિયરોએ કાગળથી પાતળું લાઉડસ્પીકર વિકસાવ્યું છે જે કોઈપણ સપાટીને સક્રિય ઓડિયો સ્ત્રોતમાં ફેરવી શકે છે. આ સંશોધન IEEE ટ્રાન્ઝેક્શન્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ ઈલેક્ટ્રોનિક્સમાં પ્રકાશિત થયું છે.પરંપરાગત લાઉડસ્પીકરની જેટલી ઉર્જા હોવી જોઈએ તેની સરખામણીમાં આ નાજૂક લાઉડસ્પીકર એક અંશનો ઉપયોગ કરે છે. ન્યૂનતમ ડિસ્ટોર્શન સાથે અવાજ ઉત્પન્ન કરે છે. આ લાઉડસ્પીકર એટલું નાનું છે કે, હાથમાં જ પણ સમાઈ શકે છે. સાથે તે વજનમાં ખૂબ જ હલકું પણ છે. જો તે કોઈપણ સપાટી સાથે જોડાયેલ…
લોકોમાં ફરવા માટે સૌથી પોપ્યુલર ડેસ્ટિનેશન્સનો મોહ ધરતી પરના સ્વર્ગ કાશ્મીરના નાનકડા ગામ હેમિસ પર્યટન માટેનું પોપ્યુલર સ્થળ ગુજરાતથી લઈ કાશ્મીર અને કેરળ સુધીના સૌથી પોપ્યુલર ફરવા લાયક સ્થળો જો તમે પણ એવું કોઈ સ્થળ શોધતા હો જ્યાં ભીડ ઓછી હોય અને જોવા માટે કંઈક નવું હોય તો અહીં તમને ભારતના એવા સ્થળો વિશે જણાવીશું જ્યાં ખૂબ ઓછી સંખ્યામાં લોકો ફરવા માટે જાય છે. ગુજરાતથી લઈ કાશ્મીર અને કેરળ સુધી એવા કેટલાય સ્થળો છે જ્યાં જતાં પ્રવાસીઓની સંખ્યા ઓછી છે.મોટાભાગના લોકો ફરવા જવાનું હોય તો સૌથી પોપ્યુલર ડેસ્ટિનેશન્સને પસંદ કરે છે પછી ભલે એ સ્થળો આપણાં દેશના હોય કે વિદેશના.…

