Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

વીજળીમાં યુનિટદીઠ 20 પૈસાનો વધારો કરાયો ફ્યુઅલ સરચાર્જમાં યુનિટ દીઠ 20 પૈસાનો વધારો રાજ્યના 1.30 કરોડ ગ્રાહકોને થશે અસર છેલ્લાં પાંચ મહિનામાં રાજ્ય સરકારે ચોથી વખત ઇંધણ સરચાર્જમાં 20 પૈસાનો વધારો કરીને રૂ. 2.50 કર્યો છે, જે વીજ વપરાશના દરેક યુનિટ માટે લાગુ પડે છે. આ વધારાની અસર કૃષિ ઉપભોક્તા સિવાયના તમામ વર્ગના ગ્રાહકોના વીજ બિલ પર પડશે. ભૂતપૂર્વ મુખ્ય સચિવ અનિલ મુકિમની આગેવાની હેઠળ ગુજરાત ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (GERC) એ તેની માટે જ મંજૂરી આપ્યા બાદ FPPPA વધારવામાં આવ્યો છે. એક સપ્તાહ પહેલાં એક ખાનગી ન્યુઝપેપરે એવો અહેવાલ આપ્યો હતો કે, GUVNL એ GERC પાસેથી FPPPAમાં 32 પૈસાના વધારાની…

Read More

જો બીપી હોય તો હવે તમારે દવા લેવાની જરૂર નથી માત્ર આ નાની-નાની વસ્તુઓને કરો ફૉલો તમારું બ્લડ પ્રેશર રહેશે કંટ્રોલમાં શરીરમાં બ્લડ પ્રેસર વધવુ અને ઘટવુ આરોગ્ય માટે સારું નથી. બદલાતી જીવનશૈલી અને ખરાબ ખાન-પાનના પગલે મોટાભાગના લોકોને આ પ્રકારની પરેશાની થાય છે. ઘણી વખત તો સ્થિતિ એવી થાય છે કે કેટલાંક લોકોએ આખુ જીવન બીપીની ગોળીઓ ખાવી પડે છે. અમે એવી ટિપ્સ લઇને આવ્યાં છીએ, જેમાં તમારે દવા ખાવાની જરૂર નથી. પરંતુ નાની-નાની વસ્તુઓને ફૉલો કરીને તમે સરળતાથી તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખી શકો છો. દરરોજ કસરત કરો કેટલાંક લોકો કસરત કરતા નથી. જેને પગલે તમારું શરીર અનેક…

Read More

મોંઘવારીના મોરચે આમ આદમીને લાગ્યો મોટો ઝટકો મોંઘવારીના મોરચે તૂટ્યો 8 વર્ષનો રેકોર્ડ એપ્રિલ 2022માં છૂટક મોંઘવારી દર વધીને 7.79 ટકા થયો માર્ચ 2022ની તુલનાએ એપ્રિલ 2022માં છૂટક મોંઘવારી વધીને 7.79 ટકાએ પહોંચતા આમ આદમીને તગડો ઝટકો લાગ્યો છે. ગુરુવારે જારી કરવામાં આવેલા સરકારી આંકડા અનુસાર, રિટેલ મોંઘવારી દર એપ્રિલમાં વધીને 7.79 ટકા થયો છે જે માર્ચ 2022માં 6.95 ટકા હતો, આ રીતે એક મહિનામાં રિટેલ મોંઘવારીમાં લગભગ 1 ટકાનો વધારો થયો છે. ગુરુવારે જાહેર કરવામાં આવેલા સરકારી આંકડા મુજબ એપ્રિલમાં રીટેલ ફુગાવાનો દર વધીને 7.79 ટકા થયો છે. ઇંધણના ભાવ અને ખાદ્ય પદાર્થો મોંઘા થવાને કારણે ફુગાવાના દરમાં તીવ્ર…

Read More

હંમેશા ધનની તિજોરીઓ રહેશે ભરેલી ઘરમાં આ 4 વસ્તુઓ રાખો થશે ફાયદો કેટલીક વસ્તુઓ ઘરમાં રાખવાથી હંમેશા સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે લોકો પૈસા કમાવવા માટે અનેક કોશિશ કરે છે, પરંતુ કેટલાક લોકો સરળતાથી પૈસા કમાઈ લે છે અને કેટલાક મહેનત કરીને ઘરની મૂળભૂત જરૂરિયાતો પણ પૂરી નથી કરી શકતા. વાસ્તુશાસ્ત્રમાં તેની પાછળ કેટલાક કારણો જણાવવામાં આવ્યા છે. ઘરના વાસ્તુ દોષોને કારણે નકારાત્મકતા ઉર્જા ઘરમાં પૈસા નથી રહેવા દેતી. આવી સ્થિતિમાં કેટલીક વસ્તુઓ ઘરમાં રાખવાથી હંમેશા સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી વિન્ડ ચાઇમ જ્યારે પવન ફૂંકાય છે ત્યારે વિન્ડ ચાઈમમાંથી આવતો સુંદર મધુર…

Read More

પાટણના ભાટસણમાં અનુસુચિત જાતિના વરઘોડા પર પથ્થરમારો પોલીસ બંદોબસ્ત સાથે ફરી વરઘોડો નીકળ્યો વરઘોડા પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો   ગુજરાતમાં ફરી એક્વાર વર્ગ વિગ્રહ સામે આવ્યો છે. પાટણના ભાટસણ ગામમાં કેટલાક શખ્સોએ અનુસુચિત જાતિના યુવકના લગ્નના વરઘોડા પર પથ્થરમારો કર્યો હતો. જેમાં ચાર લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જોકે, ત્યારબાદ પોલીસ બંદોબસ્ત સાથે ફરીથી વાજતે ગાજતે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભાટસણ ગામે ગુરુવારે સવારે 9 વાગ્યા આસપાસ અનુસૂચિત જાતિના વિજય રામજી પરમાર લગ્ન પ્રસંગે ગામમાં ડીજે સાથે વાજતે ગાજતે વરઘોડો નીકળ્યો હતો. ત્યારે કેટલાક શખ્સોએ વરઘોડા ઉપર પથ્થરમારો કરતા નાસભાગ મચી જવા…

Read More

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની ભારે માગ છે હોન્ડા એક્ટિવા હાલમાં ભારતનું સૌથી વધુ વેચાતું સ્કૂટર છે હોન્ડા પોતાનું એક્ટિવા ઇલેક્ટ્રિક વર્ઝનમાં લોન્ચ કરી શકે છે ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની ભારે માગ છે, જે મુખ્યત્વે ઇલેક્ટ્રિક સ્કૂટર્સની માગમાં વધારો કરી રહી છે. બજારમાં ઘણા ઇલેક્ટ્રિક સ્કૂટરનું રેકોર્ડબ્રેક વેચાણ શરૂ થઈ ગયું છે ત્યારે ભારતનું આ ફેવરિટ સ્કૂટર હવે ઇલેક્ટ્રિક બેટરી સાથે લોન્ચ કરવામાં આવશે. ગયા મહિને હોન્ડા ટુ-વ્હીલરે જાહેરાત કરી હતી કે, તે ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવાની યોજના પર કામ કરી રહી છે. હવે ચર્ચા એ છે કે, હોન્ડા પોતાનું એક્ટિવા ઇલેક્ટ્રિક વર્ઝનમાં લોન્ચ કરી શકે છે. હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા…

Read More

ભારતના ઘણા રાજ્યો એવા છે જે આંતરરાષ્ટ્રીય સરહદો સાથે જોડાયેલા છે. અહીં કેટલાક વિસ્તારો સંવેદનશીલ હોવાને લીધે પર્યટકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અરુણાચલ પ્રદેશ ભૂટાન, પૂર્વમાં મ્યાંમાર અને ઉત્તરમાં ચીન સાથે સરહદે જોડાયેલુ છે લક્ષદ્વીપ ભારતની મુખ્ય ભૂમિથી 300 કિમી દૂર અરબ સાગરમાં સ્થિત છે લદાખની સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી હોવાથી પ્રદેશ ખૂબ જ સંવેદનશીલ છે કોઇપણ દેશના નાગરિકે વિદેશ જવા માટે વિઝા મેળવા જરુરી છે, પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે ભારતના કેટલાક રાજ્યો એવા છે જ્યાં પ્રવેશ કરવા માટે ભારતીયોએ પણ ‘વિઝા’ લેવા પડે છે. આ એવા રાજ્યો છે જ્યાં દેશના અન્ય રાજ્યોના લોકોએ ઇનર લાઈન પરમિટ…

Read More

સ્માર્ટફોન વગર આજના જીવનમાં ઘણા કામ અધૂરા થઇ શકે છે. ખરેખર આજના સમયમાં ફોનથી લગભગ બધા કામ કનેક્ટેડ થાય છે. ખાસ કરીને લોકડાઉન દરમ્યાન અને ત્યારબાદ ફોનનુ મહત્વ અને જરૂરીયાત વધી ગયુ છે. આ જ કારણ છે કે ફોનની સાથે તમારા ખર્ચમાં પણ વધારો થઇ રહ્યો છે. આ ટ્રીક અપનાવશો તો જલ્દી પૂર્ણ નહીં થાય મોબાઈલ ડેટા લિમિટ પૂર્ણ થયા બાદ યુઝર્સને સ્લો સ્પીડનું ઈન્ટરનેટ મળે છે સ્માર્ટફોન યુઝર્સ અનેક પ્રકારની કપરી પરિસ્થિતિનો કરે છે સામનો આ રીતે તમે તમારા નેટની લિમિટ વધારી શકો છો આજે ફોનના વધુ પડતા ઉપયોગનો અર્થ છે ઈન્ટરનેટનો વધારે વપરાશ. એવામાં જો તમારું ઈન્ટરનેટનું…

Read More

IPL 2022થી બહાર થયા રવીન્દ્ર જાડેજા  ઈજાગ્રસ્ત થવાને કારણે ઘરે પરત ફર્યા જાડેજા  ચેન્નાઈ ફ્રેન્ચાઈઝી અને જાડેજા વચ્ચે બધું બરાબર ન હોવાની અટકળો IPL 2022થી બહાર થયા રવીન્દ્ર જાડેજા  ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને IPL 2022 વચ્ચે એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમનાં સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થઈને ટૂર્નામેન્ટથી બહાર થઇ ગયા છે. જાડેજાએ સીઝનની શરૂઆત ચેન્નાઈની ટીમના કેપ્ટન તરીકે કરી હતી. વચ્ચે ખરાબ પ્રદર્શનને કારણે કેપ્ટન્સી છોડી દીધી. આવામાં સોશિયલ મીડિયા અને અન્ય અમુક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જાડેજા અને ચેન્નાઈ ફ્રેન્ચાઈઝી વચ્ચે કંઈપણ ઠીક ચાલી રહ્યું નથી. જોકે હવે ચેન્નાઈ ટીમનાં સીઈઓ કાશી વિશ્વનાથે સામે આવીને…

Read More

રણવીર સિંહનો ફરી એક નવો અતરંગી લુક થયો વાયરલ રણવીરના કપડાં જોઇ ફેન્સ પણ ચોંક્યા તસવીરો શેર કરતાં તેણે કહ્યું કે તે જીવનનો આનંદ માણી રહ્યો છે રણવીર સિંહે ઈન્સ્ટાગ્રામ પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની ઝલક બતાવી છે. આ ફોટોશૂટમાં રણવીર સિંહ ખૂબ જ શાનદાર લાગી રહ્યો છે. તેણે કાળા ચશ્મા અને સફેદ મોતીની માળા સાથે તેનો દેખાવ પૂર્ણ કર્યો. આ તસવીરો શેર કરતાં તેણે કહ્યું કે તે જીવનનો આનંદ માણી રહ્યો છે. રણવીર સિંહ તેની આગામી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ને લઈને સતત ચર્ચામાં છે. જયેશભાઈ જોરદાર મોટા પડદા પર રિલીઝ થવાની તૈયારીમાં છે. ફિલ્મનું ટ્રેલર પહેલેથી જ દર્શકોને પ્રભાવિત કરી રહ્યું…

Read More