What's Hot
- May Travel Destinations: ભારતના આ સુંદર સ્થળોની મુલાકાત લો, મે મહિનાની ગરમીથી રાહત મેળવો
- Flipkart Sale : આ દિવસે શરૂ થઈ રહી છે Flipkart Big Saving Days સેલ, 80% સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે
- Vasuki Nag : સમુદ્ર મંથન કરનાર વાસુકી નાગના અવશેષો મળ્યા, જાણો વૈજ્ઞાનિકોએ શું કહ્યું
- Mangalsutra Designs: શું તમે મંગળસૂત્ર રોજ પહેરવા માંગો છો? તો જુઓ આ નવી ડિઝાઈન
- Heatwave Update: 123 વર્ષમાં સૌથી ગરમ રહ્યો એપ્રિલ મહિનો, તૂટ્યો સરેરાશ લઘુત્તમ તાપમાનનો રેકોર્ડ
- Supreme Court: ‘CBI ભારત સરકારના નિયંત્રણ હેઠળ નથી’, કેન્દ્રએ પશ્ચિમ બંગાળ સરકારના કેસ પર સુપ્રીમ કોર્ટમાં કરી દલીલ
- Maharashtra News : ચોરોએ પોલીસકર્મી સાથે કર્યું એવું કે 3 દિવસ તડપી આવ્યું મોત
- Panchayat 3 : ઉઠ્યો સસ્પેન્સ પરથી પડદો, આ દિવસે રિલીઝ થશે ‘પંચાયત 3’, ફુલેરા ગામની પલટન ધમાકો કરવા તૈયાર
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
અણ્ણા હજારેએ અનશન કર્યું રદ્દ ગ્રામ સભાનો આદેશ માથે ચડાવી અનસન કર્યું રદ્દ મને હવે આ રાજ્યમાં જીવવા જેવું લાગતું નથી: અણ્ણા હજારે સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ રાળેગણસિદ્ધિ ગ્રામ સભાનો આદેશ માથે ચડાવતાં સોમવારથી શરૂ થનારા પોતાના અનશનને રદ કરી નાખ્યા છે અને હવે અણ્ણા અનશન પર નહીં બેસે, પરંતુ આ પહેલાં તેમણે એક વાક્ય એવું કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં લોકશાહી નહીં, હુકમશાહી ચાલે છે અને અહીં હવે જીવવાની કોઈ ઈચ્છા જ રહી નથી એવો સંદેશો તમારા મુખ્ય પ્રધાન સુધી પહોંચાડી દેજો. જેને કારણે રાજ્યની સરકારને નીચાજોણું થાય એવી શક્યતા છે. રવિવારે રાળેગણસિદ્ધિમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ…
એબીજી શિપયાર્ડના ડિરેક્ટરો પર સીબીઆઇમાં ફરિયાદ એબીજી શિપયાર્ડના ડિરેક્ટરો પર 28 બેંકો સાથે ઠગાઈની ફરિયાદ 28 બેંકો સાથે 22,842 કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપ સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટીગેશનએ એબીજી શિપયાર્ડ અને તેના ડિરેક્ટરો પર 28 બેંકો સાથે 22,842 કરોડ રૂપિયાની ઠગાઈના કેસમાં ફરિયાદ નોંધી છે. CBIએ ABG શિપયાર્ડ અને તેના તત્કાલિન અધ્યક્ષ તથા નિર્દેશક ઋષિ કમલેશ અગ્રવાલ સહિત અન્ય વિરુદ્ધ 28 બેંકો સાથે 22,842 કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપમાં FIR નોંધવામાં આવી છે. જણાવી દઇએ કે, આ કંપની જહાજ નિર્માણ અને જહાજ રિપેરીંગનું કામ કરે છે. તેનું શિપયાર્ડ ગુજરાતના દહેજ અને સૂરતમાં આવેલા છે. આ કંપનીની કુલ 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં…
IPL–2022ની હરાજીમાં દીપક ચહરની લાગી સૌથી મોટી બોલી ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે ચહરને ખરીદ્યો હરાજીમાં તે અત્યાર સુધીનો સૌથી મોંઘો ભારતીય બોલર IPL–2022ની હરાજીમાં ફાસ્ટ બોલર દીપક ચહરને ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો. IPL ની હરાજીમાં તે અત્યાર સુધીનો સૌથી મોંઘો ભારતીય બોલર બની ગયો છે. આ સાથે જ તે CSK ટીમનો સૌથી મોંઘો ખેલાડી પણ બની ગયો છે. IPL-2022 માટે તેને CSK માં મહેન્દ્ર સિંહ ધોની કરતા વધારે પૈસા મળશે. ધોનીને CSK એ 12 કરોડમાં રિટેન કર્યો હતો. આ પહેલા દીપક ચહરને આઈપીએલ 2018માં CSK એ 80 લાખ રૂપિયામાં લીધો હતો. દીપક ચહરને આઈપીએલ 2022 મેગા…
દેશના અગ્રણી ઉદ્યોગપતિનું 83 વર્ષની ઉંમરે નિધન રાહુલ બજાજને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યાં હતાં છેલ્લાં ઘણાં સમયથી કેન્સરથી પીડાતા હતા દેશના ટોચના ઉદ્યોગપતિ અને બજાજ સમૂહના મોભી રાહુલ બજાજનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ કેન્સર સામે લડી રહ્યાં હતાં. 50 વર્ષથી વધુ સમય સુધી તેઓ બજાજ સમૂહના ચેરપર્સન રહી ચૂક્યાં છે. ઉદ્યોગજગતની સાથે તેઓ રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યાં છે. 2001માં તેમને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યાં હતાં. ભારતના અગ્રણી ઉદ્યોગપતિ રાહુલ બજાજનું આજે નિધન થયું હતું. તેઓ 83 વર્ષના હતા. બજાજ મોટરસાઈકલના કારણે ઘરોઘરમાં તેમનું નામ જાણીતું છે. એ ઉપરાંત તેઓ પોતાના બેખોફ નિવેદનો અને સરકાર વિરોધી…
ઉત્તરાખંડમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 નોંધવામાં આવી દિલ્હી નોઇડામાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા ઉત્તરાખંડમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.એક ન્યૂઝ એજન્સી ના જણાવ્યા અનુસાર, ઉત્તરકાશીમાં 39 કિમી પૂર્વમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 નોંધવામાં આવી હતી. ભૂકંપના ઝટકા અનુભવાયા બાદ કેટલીય જગ્યા પર લોકો ઘરમાંથી બહાર નિકળી ગયા હતા. દિલ્હી એનસીઆરના નોઈડામાં લોકોએ ભૂકંપના ઝટકા અનુભવ્યા હતા. જમ્મુના કેટલાય જિલ્લામાં પણ લોકોએ ધરતી કંપન અનુભવ્યું હતું. ભૂકંપના ઝટકા અનુભવાય ત્યારે એકદમ ગભરાવવું નહીં, સૌથી પહેલ આપ કોઈ પણ બિલ્ડીંગમાં હોવ તો, ત્યાંથી બહાર નિકળી ખુલ્લામાં આવી જાવ. બિલ્ડીંગની નીચે…
સૌરાષ્ટ્રના મધદરિયેથી ફરી ઝડપાયું ડ્રગ્સ દરિયામાંથી 800 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો 529 કિલો હેસિસ, 234 કિલો મેથામ્ફેટામાઈન અને ડ્રગ્સ ઝડપાયું ગુજરાત અને સૌરાષ્ટ્ર જાણે કે ડ્રગ્સ અને નાસાનું એપી સેન્ટર બની ગયું હોય તેમ છાસવારે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ડ્રગ્સ ઝડપાયું છે. જામનગર, કચ્છ સહિતના વિસ્તારમાં થોડા સમય પહેલા ડ્રગ્સ ઝડપાયું છે. ત્યારે ફરી એકવાર મધ દરિયેથી ડ્રગ્સ ઝડપાયું છે. સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. જેને કારણે ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. સૌરાષ્ટ્રના મધદરિયેથી ફરી એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. એનસીબી અને નેવીની ટીમે 2 હજાર કરોડનો જથ્થો પકડી પાડ્યો છે. સુરક્ષા એજન્સીઓએ મોટું ઓપરેશન પાર પાડતા દરિયામાંથી…
યમનથી આવેલ ઈસમ અમદાવાદમાં AK 47ના પાર્ટ બનાવતો પાર્ટ વિદેશ મોકલતો અને હાઇરેન્જની રાઇફલ પણ બનાવતો આરોપીને રાજકોટનો ટ્રાન્સલેટર મળ્યો હતો અમદાવાદને મેડિકલ ટૂરિઝમનું હબ માનવામાં આવે છે. અહીં વિદેશથી લોકો સારવાર માટે આવતાં હોય છે. કિડની, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે અનેક વિદેશીઓ અમદાવાદ આવતાં હોય છે. ત્યારે વિદેશથી પિતાની સારવાર માટે આવેલો શખ્સ AK 47 ગનના પાર્ટ બનાવતો હોવાની જાણકારી મળતાં જ ક્રાઈમ બ્રાંચે તેને ઝડપી લીધો છે. જેના કેટલોગ અને ફોટો પણ ક્રાઈમ બ્રાન્ચને મળ્યાં છે. આરોપી આખી ગન બનાવવાની જગ્યાએ અલગ અલગ પાર્ટ બનાવીને વિદેશમાં મોકલતો હોવાનું ક્રાઇમ બ્રાન્ચ માની રહી છે. ક્રાઈમ બ્રાન્ચ તરફથી મળેલી વિગતો પ્રમાણે…
કોંગ્રેસ પાર્ટીએ 3 પ્રોપર્ટીનું ભાડું જ ચૂકવ્યું નથી કુલ 3 પ્રોપર્ટીનું 19 કરોડ રૂપિયાનું દેવું સમગ્ર મામલાનો એક RTIમાં ઘટસ્ફોટ થયો કોંગ્રેસ પાર્ટીનું લગભગ 19 કરોડ રૂપિયાનું દેવું છે. આ દેવું કોંગ્રેસને ફાળવવામાં આવેલી 3 પ્રોપર્ટીઝનાં ભાડાંની છે. એક RTIમાં ઘટસ્ફોટ થયો છે કે સોનિયા ગાંધી અને કોંગ્રેસ પાર્ટીએ 26 અકબર રોડ (સેવા દળ)બંગલાનું ભાડું ડિસેમ્બર 2012થી, 10 જનપથનું સપ્ટેમ્બર 2020થી અને સી-II/109 ચાણક્યપુરીનું ભાડું ઓગસ્ટ 2013થી ચૂકવ્યું નથી. આ RTI ગુજરાતના મીઠાપુરના સુજિત પટેલે કરી હતી, જે વિભાગની પાસે 3 જાન્યુઆરી 2022ના રોજ પહોંચી હતી. ચાણક્યપુરીના બંગલા નંબર 2-II/109 ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીને 23 ફેબ્રુઆરી 1985ના રોજ અલોટ કરાયો…
પંજાબ આપના સીએમ ઉમેદવાર પર પથ્થરમારો ભગવંત માનના કાફલા પર રોડ-શો દરમિયાન પથ્થરમારો ર્દુઘટનામાં ભગવંત માનના માથામાં ઈજા પહોંચી પંજાબના અમૃતસરમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માનના કાફલા પર રોડ-શો દરમિયાન પથ્થરમારો કરાયો છે. આ ર્દુઘટનામાં ભગવંત માનના માથામાં ઈજા થઈ હતી. તેમને હોસ્પિટલ લઈ જઈને સારવાર કરવામાં આવી હતી. કાફલા પર પથ્થરમારો અમૃતસરના અટારી વિસ્તારમાં કરાયો હતો. અહીં ભગવંત માન તેમની પાર્ટીના સ્થાનીક ઉમેદવાર સાથે રોડ-શો કરતા હતા. સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે ભગવંત માન ગાડીનું સનરુફ ખોલીને ઉભા હતા અને લોકોનું અભિવાદન કરતા હતા. આ દરમિયાન જ કોઈએ તેમના પર પથ્થર માર્યો હતો. પથ્થર સીધો તેમના માથામાં વાગ્યો…
વેપાર- ધંધા 11 વાગ્યા સુધી રહેશે ચાલુ 19 શહેરોમાંથી કર્ફ્યૂ હટાવાયો 8 મહાનગરોમાં હવે 12થી 5 વાગ્યા સુધી કર્ફ્યૂ ગુજરાતમાં છેલ્લા 18 દિવસમાં કોરોનાના નવા કેસમાં 800%નો તથા એક્ટિવ કેસમાં 375%નો ઘટાડો થયો છે, ત્યારે રાજ્ય સરકારે નિયંત્રણોમાં છૂટછાટ આપી છે. કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર હવે 11 ફેબ્રુઆરીથી રાજ્યના માત્ર 8 મહાનગરોમાં આગામી 18 ફેબ્રુઆરી 2022 સુધી દરરોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ અમલમાં રહેશે. હાલ આઠ મહાનગર- અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કર્ફયૂ અમલમાં છે. આ 19 નગરમાંથી નાઇટ કર્ફ્યૂ હટાવ્યો નવી ગાઇડલાઇનમાં 19 નગરોને નાઇટ કર્ફ્યૂમાંથી મુક્તિ…