Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

વધતી ગરમી વચ્ચે કેન્દ્રએ તમામ રાજ્યોને કર્યા એલર્ટ બીમારીઓથી બચવા માટે જાહેર કરી એડવાઇઝરી સંવેદનશીલ વિસ્તારોમાં પીવાના પાણીનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરો દેશભરમાં વધતી જતી ગરમી અને લૂના કારણે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્ય સરકારોને પત્ર લખીને એલર્ટ કર્યા છે. તેઓએ અસરકારક વ્યવસ્થાપન માટે તમામ જીલ્લાઓમાં ગરમી સંબંધિત બીમારીઓ પર રાષ્ટ્રીય કાર્ય યોજના માર્ગદર્શિકા દસ્તાવેજને પ્રસારિત કરવા વિનંતી કરી છે.સમગ્ર દેશમાં વધતા જતા તાપમાન અને ગરમ પવનો વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આરોગ્ય કેન્દ્રોમાં આવશ્યક દવાઓની ઉપલબ્ધતાની સમીક્ષા કરવા વિનંતી કરી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પીવાના પાણીનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે તેવું પણ કહેવામાં આવ્યું. કેન્દ્રીય આરોગ્ય…

Read More

તાલાલામાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ વહેલી સવારે આંચકા અનુભવાયા તાલાલાથી 13 કિ.મી. દૂર કેન્દ્રબિંદુ કાળઝાળ ગરમીની વચ્ચે આજે સવારે ગીર સોમનાથના તલાલા ભૂકંપના આંચકાથી ઘરા ઘ્રૂજતાં લોકો ગભરાઇને બહાર આવી ગયા હતા. ઉલ્લેખનિય છે કે, ગીર સોમનાથના તાલાલમાં સવારે 6 વાગ્યે ભૂકંપના આંચકો અનુભવાયો હતો.તાલાલાથી 13 કિલોમીટર દૂર એપી સેન્ટર હોવાનું જાણવા મળ્યું છે.સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ ભૂકંપની જંગલ વિસ્તારમાં વધુ અસર થઇ છે. જો કે નુકસાનના હજું સુધી કોઇ અહેવાલ નથી. આ સાથે જૂનાગઢના દેવળિયામાં પણ આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા કચ્છમાં પણ 2.5ની તીવ્રતાના ભૂંકપના આંચકા અનુવાયા હતાં.તે સમયે તેનું…

Read More

અખાત્રીજના દિવસે ઘરમાં જ ગંગાજળથી સ્નાન કરી  અને દાનનો સંકલ્પ લઇને દાન કરવું  અખાત્રીજ કોઇપણ શુભકામની શરૂઆત માટે સર્વશ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે આ દિવસે કરવામાં આવતા દાનથી અક્ષય પુણ્ય મળે છે અને ખરાબ સમય દૂર થાય છે મંગળવાર 3 મે વૈશાખ મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિ છે. જેને અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ તરીકે ઊજવવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયા પર શોભન અને માતંગ યોગ હોવાથી દાનનું પુણ્યફળ અનેકગણું વધી જશે. આ દિવસે કરવામાં આવતું સ્નાન-દાન અને પૂજા-પાઠનું અક્ષય ફળ મળશે. આ સ્થિતિમાં કરવામાં આવતાં દાનથી રોગનાશ અને લાંબી ઉંમર મળે છે. આ વર્ષે અક્ષય તૃતીયાના દિવસે રોહિણી નક્ષત્રનો…

Read More

પંજાબમાં બે જૂથો વચ્ચે ઘર્ષણ ખાલિસ્તાન અને શિવસેના વચ્ચે અથડામણ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો પંજાબના પટિયાલામાં ગુરૂવારે કાલી દેવી મંદિર પાસે ખાલિસ્તાન સમર્થકો અને શિવસેના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ વિવાદ ખાલિસ્તાની મુર્દાબાદ માર્ચ કાઢવાને લઈને થયો હતો. પોલીસે આ મામલામાં સમાધાન કરવાની કોશિશ કરી હતી, પણ ઉગ્ર ભીડે પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરવાનો શરૂ કરી દીધો હતો. આ ઘટનામાં એક SHO સહિત કુલ છ લોકો ઘાયલ થઈ ગયા હતા. પોલીસે હાલત જોતા હળવો બળ પ્રયોગ પણ કરવો પડ્યો હતો. હાલમાં સમગ્ર વિસ્તારમાં તણાવની સ્થિતિ છે. પોલીસનું કહેવુ છે કે, શિવસેના પ્રમુખ હરીશ સિંગલા સાથે વાત કરી રહ્યા…

Read More

શાહરુખ ખાનની જેમ જ યશ યુનિવર્સલ સ્ટાર બનશે એસ્ટ્રોલોજરે કરી મોટી ભવિષ્યવાણી રાજકારણ જોઇન કરી શકે છે સાઉથ સુપરસ્ટાર  યશ હાલમાં ‘KGF 2’ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અનેક નવા કીર્તિમાન બનાવ્યા છે. તાજેતરમાં જ યશના ભવિષ્ય અંગે એક એસ્ટ્રોલોજરે મીડિયા સાથે વાત કરી હતી. બેંગલુરુના એસ્ટ્રોલોજર પંડિત જગન્નાથ ગુરુજીએ યશના જીવન અંગે ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું હતું કે યશ ઘણો જ મહેનતી, ઈમાનદાર તથા પોઝિટિવ વ્યક્તિ છે. આગામી સમયમાં તે બોલિવૂડ કિંગ શાહરુખ ખાનની જેમ યુનિવર્સલ સ્ટાર બની કે છે.પંડિત જગન્નાથે કહ્યું હતું કે આગામી દિવસોમાં યશ પોતાનું પ્રોડક્શન હાઉસ લૉન્ચ કરશે. આ ઉપરાંત 10…

Read More

ઉમરાનના 91% બોલની ગતિ 140/kmphથી વધુ ગાવસ્કરે ઇંગ્લેન્ડના પ્રવાસ પર મોકલવાની માગ કરી હૈદરાબાદના ફાસ્ટ બોલર ઉમરાન મલિકે બધાનાં દિલ જીતી લીધા હતા 22 વર્ષીય ઉમરાન મલિક, જે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમે છે તે નવા સ્પીડ સ્ટાર તરીકે ઊભરી આવ્યો છે. તેણે બુધવારે રાત્રે ગુજરાત ટાઇટન્સના રિદ્ધિમાન સાહાને 152.8ની સ્પીડ સાથેના બોલ પર બોલ્ડ કર્યો હતો. ગુજરાત તરફથી ઉમરાને પાંચ વિકેટ ઝડપી હતી, આમાંથી ચાર બોલ્ડ થયા હતા. આ વિકેટો માટે ફેંકવામાં આવેલા તમામ બોલની ગતિ 140+ હતી ઉમરાને ગુજરાત સામે તેની બોલિંગમાં વિવિધતા લાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કહ્યું હતું કે તે માત્ર યોગ્ય લાઇન-લેન્થ સાથે બોલિંગ કરવા અને…

Read More

Realme સ્માર્ટફોન પર ધમાકેદાર ડિસ્કાઉન્ટ Realme Narzo 50Aમાં 266 રુપિયામાં ખરીદી શકાય ફ્લિપકાર્ટ પર શાનદાર ઓફર રોજબરોજ સ્માર્ટ ફોનના નવા મોડલ બજારમાં આવી રહ્યા છે. વિવિધ કંપનીઓ નવા મોબાઇલ લૉન્ચ કરી રહી છે. તેમાં પણ હવે શૉ રુમ કરતા ઓનલાઇન સસ્તા ભાવમાં મોબાઇલ મળી રહ્યા છે. ત્યારે એક નવી ઓફર સામે આવી છે. જેમાં તમને નજીવી કિંમતમાં જ મોબાઇલ પડશે. જો કે તે માટે કેટલીક શરત પણ છે. ફ્લિપકાર્ટ પર કંઇક ને કંઇક ઓફર આવતી રહે છે. ગ્રાહકો માટે આકર્ષક ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યા છે.ત્યારે આજે ફ્લિપકાર્ટ પરથી શોપિંગ કરવામાં ફાયદામાં રહેશો. કારણ કે ઘણી મોંઘી પ્રોડક્ટ સસ્તાં ભાવમાં…

Read More

બનાવો સ્વાદિષ્ટ મેંગો  શ્રીખંડ ઉનાળામાં ઠંડી વસ્તુઓ ખાવાથી પાચનક્રિયા સુધરે છે. આ સ્વીટ ડીશ તમે જમ્યા પછી ખાઈ શકો છો ઉનાળામાં ઠંડી વસ્તુઓ ખાવાથી ન માત્ર તમને ગરમી ઓછી લાગે છે, પરંતુ તેનાથી તમારી પાચનક્રિયા પણ સુધરે છે. આજે અમે તમને મેંગો શ્રીખંડની રેસિપી જણાવી રહ્યા છીએ. આ સ્વીટ ડીશ તમે જમ્યા પછી ખાઈ શકો છો અથવા તો તમને જમવામાં કંઈ ખાવાનું મન ન થાય તો પણ તમે મેંગો શ્રીખંડ ખાઈ શકો છો. આવો, જાણીએ મેંગો શ્રીખંડ બનાવવાની રીત- મેંગો શ્રીખંડ બનાવવા માટેની સામગ્રી- 1 કેરી 1/2 લિટર દૂધ એક ચપટી કેસર 500 ગ્રામ હંગ કર્ડ 1 1/2 ટીસ્પૂન…

Read More

આંખમાંથી આંસુ નીકળવા એ  સારી બાબત ગણાય  છે  પરંતુ સતત આંખમાંથી પાણી વહે તો ચિંતાજનક બને છે  આંખમાંથી સતત પાણી વહેવા પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે   આંસુ શરીરમાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ તમારી આંખોમાં જરૂરી ભેજ જાળવી રાખે છે અને કણો-ધૂળને ધોવામાં મદદ કરે છે. આંસુ પણ રોગપ્રતિકારક શક્તિનો એક ભાગ છે જે તમને ચેપથી બચાવે છે. આંસુ પોપચાની ચામડીની નીચેની ગ્રંથીઓમાં બને છે, જેમાં પાણી અને મીઠું હોય છે. જ્યારે આંખ પલકારો મારે છે ત્યારે આંસુ આંખમાં ફેલાઇ જાય છે. જેનાં કારણે આંખોમાં ભેજ જળવાઇ રહે છે. અન્ય ગ્રંથિઓ તેલ ઉત્પન્ન કરે છે જે આંસુને જલ્દીથી…

Read More

મોદીએ સરદારને યાદ કર્યા નવી દિશામાં આગળ વધવા સૂચનો આપ્યા  પ્રગતિ-પ્રવૃત્તિ અને પરિવર્તનની થીમ રાખવામાં આવી છે  સુરતમાં સરદારધામ દ્વારા આયોજીત ત્રિ-દિવસીય SRK ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022 અને એક્ઝિબિશનનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદઘાટન થયુ છે. વડાપ્રધાને સમિટને ખુલ્લી મૂકતા કહ્યું હતું કે, ‘વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા શહેરમાં સુરતનો સમાવેશ, આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની જરૂર છે. અન્નદાતાને ઉર્જાદાતા બનાવવા પણ વડાપ્રધાને અપીલ કરી હતી. સાથે જ ખેતીને આધુનિક બનાવવા માટે ઉદ્યોગકારોને આગળ વધવા હાંકલ કરી છે.સાથે જ ગુજરાતના વિકાસને ફેલાવવા માટે નાના શહેરોને પણ વિકસીત કરવા પર મોદીએ ભાર મૂક્યો હતો.સાથે જ કટાક્ષ કરતાં વડાપ્રધાને પાટીદારોને કહ્યું કે,…

Read More