Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ડીઆરઆઈએ મુંબઈ એરપોર્ટ પરથી 100 કરોડ રૂપિયાથી વધુની કિંમતનું 16 કિલોગ્રામ હેરોઈન જપ્ત કરી લીધું છે. આ મામલામાં એક યાત્રી અને ધાનાની એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું કે મામલામાં ડીઆરઆઈની કાર્યવાહી અંતર્ગત ધાનાની મહિલાની દિલ્હીની એક હોટલમાંથી ધરપકડ કરવામાં આવી છે. ડીઆરઆઈના મુંબઈ યુનિટે મંગળવારે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટ્રેપ ગોઠવી હતી. ટીમને માહિતી મળી હતી કે આફ્રિકાનો દેશ માલાવીથી કતર થઈને મુંબઈ જઈ રહેલો એક મુસાફર દેશમાં ડ્રગ્સની તસ્કરી કરવાની કશિશ કરી રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે ડીઆરઆઈના અધિકારીઓની વોચ અને શંકાસ્પદ હલચલ પર નજર રાખનારી ટીમેને મુંબઈ એરપોર્ટ…

Read More

દિલ્હીના શરાબ કૌભાંડ મામલે દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આજે EDએ દિલ્હી સહિત હૈદરાબાદ અને પંજાબમાં 35 ઠેકાણાંએ દરોડા પાડ્યા છે. આ પહેલા સપ્ટેમ્બરમાં EDની કાર્યવાહી દરમિયાન શરાબ કૌભાંડમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. EDની રેડ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સવાલ ઉઠાવ્યા છે. તેમને કહ્યું કે માત્ર ગંદી રાજનીતિ માટે અધિકારીઓનો સમય બગાડવામાં આવી રહ્યો છે. કેજરીવાલે ટ્વીટ કર્યું કે, “500થી વધુ રેડ, 3 મહિનાથી CBI/EDના 300થી વધુ અધિકારી 24 કલાક લાગેલા છે. એક મનીષ સિસોદિયા વિરૂદ્ધ પુરાવા શોધ છે. કંઈ ન મળ્યું કેમકે કંઈ કર્યું જ નથી. પોતાની ગંદી રાજનીતિ માટે આટલા અધિકારીઓનો સમય બરબાદ કરવામાં આવી…

Read More

કર્ણાટકના બીદર જિલ્લામાં દશેરાના દિવસે એક સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ સરઘસ કાઢી રહેલા લોકોની ભીડ એક ઐતિહાસિક મદરેસાના પરિશરમાં ઘૂસી ગઈ હતી. આ દરમિયાન ભીડે એક ખૂણામાં પૂજા-અર્ચના પણ કર્યા હતા. આરોપ છે કે ભીડે મદરેસા પરિસરના ગેટનું તાળું તોડીને મંદિરની અંદર ઘૂસી હતી. ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાંક લોકો મદરેસાની સિડીઓ પર જોવા મળે છે. આ મામલાને લઈને પોલીસે ફરિયાદ દાખલ કરી છે. મળતી માહિતી મુજબ પોલીસે 9 લોકો વિરૂદ્ધ કેસ નોંધાવ્યો છે, અને ચાર લોકોની ધરપકડ કરી છે. મુસ્લિમ સંગઠનોએ મામલાને લઈને વિરોધ વ્યક્ત કર્યો છે અને કહ્યું કે જો કોઈ ધરપકડ ન…

Read More

ચોમાસાની વિદાય વેળાએ ફરી એકવાર અનેક શહેરોમાં વરસાદનું જોર વધ્યું છે. ત્યારે ગતરોજને અમદાવાદ, વડોદરા, અરવલ્લી, આંણદ સહીતના શહેરોમાં વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગ દ્વારા પણ 15 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરાઇ છે. આથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ રહેશે. 15 ઓક્ટોબર સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ રહેવાની શક્યતા રહેલી છે. હાલમાં બપોરે ગરમી અને રાત્રે ઠંડક એમ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. આંધ્રપ્રદેશ પર સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે.’ હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 15 ઓક્ટોબર સુધી કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા રહેલી છે. અગાઉ હવામાન વિભાગના જાણકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું…

Read More

બજાર 6 ઓક્ટોબરે સતત બીજા ટ્રેડિંગ સેશનમાં તેજી સાથે બંધ થયું હતું. આ સમયગાળા દરમિયાન ટેકનોલોજી, મેટલ્સ, પસંદગીની બેંકો અને ઓટો શેરોએ સારી શરૂઆત કરી હતી. સકારાત્મક વૈશ્વિક સેન્ટિમેન્ટને કારણે ભારતીય શેરબજાર પણ તેજી સાથે બંધ થયું હતું. જોકે, બજારનું બંધ ઓપનિંગ લેવલ કરતાં નીચું હતું. BSE સેન્સેક્સ 157 પોઈન્ટ વધીને 58,222 પર જ્યારે નિફ્ટી 58 પોઈન્ટ વધીને 17,332 પર બંધ થયો હતો. આર્થિક મંદીના ભય વચ્ચે વૈશ્વિક બજારમાં ઘટાડો જોવા મળ્યો છે. આ કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ નેગેટિવ જોવા મળી રહ્યું છે. વૈશ્વિક દબાણ હેઠળ શેરબજાર આજે ઘટાડા સાથે શરૂ થઈ શકે છે અને બે દિવસની તેજી બાદ આજે પ્રોફિટ…

Read More

દેશમાં થઈ રહેલી ચૂંટણી પ્રક્રિયામાં ફેરફારને લઈને કેટલીય અટકળો લગાવામાં આવી રહી છે. આ તમામની વચ્ચે ચૂંટણી પંચે કાયદા મંત્રાલયને પહેલાથી જ અમુક પ્રસ્તાવ મોકલી દીધા છે. તો વળી કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજૂએ ગુરુવારે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર ચૂંટણી પંચ દ્વારા મોકલવામાં આવેલા પ્રસ્તાવ અને સલાહને લઈને એક યોગ્ય નિર્ણય લેશે. આપને જણાવી દઈએ કે, પોલ પેનલ અને હાલના મોડલ કોડ ઓફ કન્ડક્ટ દિશા નિર્દેશોના પૂરક પ્રસ્તાવ આપ્યા છે અને આયોગે ચૂંટણી પંચને ચૂંટણી વાયદાની નાણાકીય વ્યવહાર્યતા વિશે મતદારોને પ્રમાણિકતાથી જાણકારી આપવાને લઈને રાજકીય પાર્ટીઓનો મત માગ્યો છે. સાથે જ રાજકીય પાર્ટીઓ ચૂંટણી વચનોનું વિવરણ પણ આપશે. કાયદા…

Read More

ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. ચૂંટણી પ્રચારમાં આમ આદમી પાર્ટીએ પુરી તાકાત લગાવીને મેદાનમાં ઉતરી છે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી અને આ ચૂંટણીમાં પહેલી વાર નસીબ અજમાવી રહેલી આમ આદમી પાર્ટી એક બીજા પર પ્રહાર કરવાનો એકેય મોકો છોડતા નથી.આ તમામની વચ્ચે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાને ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે ગુજરાતનો પ્રવાસ કરવા અને અહીંની સરકારી સ્કૂલો જોવાનું નિમંત્રણ આપ્યુ હતું. જેનો સ્વિકાર સિસોદીયાએ કર્યો છે અને આશા રાખી છે કે, ભાજપના નેતાઓ તેનાથી પલ્ટી નહીં મારે. ડેપ્યુટી સીએમ સિસોદીયાએ કહ્યું કે, તેમને ખુશી છે કે, વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં રાજકીય ચર્ચામાં શિક્ષણ એક એજન્ડા…

Read More

ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અંગે ભલે સત્તાવાર કોઈ વાત ન હોય, પરંતુ ભાજપે ચૂંટણીની રણનીતિને અમલમાં મૂકવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે કેન્દ્રીય મંત્રીઓ અને તેના દિગ્ગજ નેતાઓની ગુજરાત મુલાકાત નક્કી કરી છે. 6 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર વચ્ચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીથી લઇને મીનાક્ષી લેખી સુધીના કુલ એક ડઝન કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભેગા થશે. વિદેશ અને સંસ્કૃતિ મંત્રી મીનાક્ષી લેખી અને બી એલ વર્મા 6 ઓક્ટોબરના રોજ ગુજરાતના પ્રવાસે છે. મીનાક્ષી લેખી વ્યારા અને નિઝર વિધાનસભા બેઠકની મુલાકાત લેશે, જ્યારે બી.એલ.વર્મા મહામદાવાદ અને મહુધાની મુલાકાત લેશે. 7 ઓક્ટોબરે કેન્દ્રીય મંત્રી વિરેન્દ્ર…

Read More

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ કેન્દ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા વધી ગયા છે. રાજ્યમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સહિત દિગ્ગજો ગુજરાતમાં અવરજવર કરી રહ્યાં છે. ત્યારે વધુ એક વખત PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. આગામી તારીખ 9, 10 અને 11 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી ગુજરાત આવશે. મહત્વનું છે કે, તેઓ ચૂંટણી પૂર્વે ગુજરાતને અનેક વિકાસકાર્યોની ભેટ આપી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં એકવાર ફરી PM મોદી અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. PM મોદી આગામી તારીખ 9મી ઓક્ટોબરના રોજ બપોરે ગુજરાત આવશે. ત્યાર બાદ તેઓ 9મી ઓક્ટોબરે મહેસાણાના મોઢેરા પાસે જાહેર…

Read More

અમદાવાદ શહેર હાલ ટ્રાફિક, ખખડધજ માર્ગ, ગેરકાયદે બાંધકામ, ગટર, વરસાદી પાણીના ભરાવા સહીતની અનેક સમસ્યાઑથી ઘેરાયેલુ છે. જેમાં હાલ સૌથી મોટી ઉપાધી અને સળગતી સમસ્યા હોય તો તે છે રાખડતા ઢોરનો ત્રાસ. રેઢીયાળ ઢોરની અડફેટે અનેક લોકના મોત નિપજ્યાં છે અને અસંખ્ય અકસ્માત થયા છે. છતાં તંત્રની આંખ ઉઘડતી નથી. ત્યારે રખડતા પશુ મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટ દ્વારા 17 ઓક્ટોબર સુધી શહેરમાં રખડતાં પશુ પકડવા મનપાને આદેશ જારી કરવામાં આવ્યા છે. વધુમાં 24 કલાકમાં જ રખડતા પશુ પકડવાની કામગીરી કરવા સબંધીત વિભાગને સૂચના જારી કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં રસ્તે રખડતાં ઢોરના…

Read More