What's Hot
- ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કેવી રીતે કામ કરે છે અને તેના ફાયદા શું છે? જો તમે ટ્રિપ પર જઈ રહ્યા છો તો સમાચાર વાંચો
- બેંક ઓફ મહારાષ્ટ્રે પણ લોન સસ્તી કરી, વ્યાજ દરમાં આટલો ઘટાડો કર્યો, જાણો વિગતો
- દૂધમાં પલાળેલા આ ડ્રાયફ્રૂટને રોજ ખાઓ, તેનાથી તમને અદ્ભુત સ્વાસ્થ્ય લાભ થશે
- જો તમે વિટામિન ડીની ઉણપને દૂર કરવા માંગતા હો, તો ઔષધીય ગુણોથી ભરપૂર આ જ્યુસ પીવો
- કબજિયાતની સમસ્યા રાતોરાત દૂર થઈ જશે, સવારે ઉઠતાની સાથે જ પેટ સાફ થઈ જશે, સૂતા પહેલા કરો આ ઉપાયો
- આજનું પંચાંગ 13 જૂન 2025: આજે છે અષાઢ કૃષ્ણ દ્વિતિયા તિથિ, જાણો ક્યારે છે શુભ સમય
- દંડ આપનાર શનિદેવે બનાવ્યો છે ખાસ યોગ, આ રાશિના લોકોને મળશે ભાગ્યનો સાથ, જાણો આજનું રાશિફળ
- અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઈન્ડિયાનું વિમાન આ રીતે ક્રેશ થયું
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
હાલમાં સૌથી મોટા સમાચાર અરુણાચલ પ્રદેશમાંથી આવી રહ્યા છે. ભારતીય સેનાનું ચીતા હેલીકોપ્ટર ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં 1 પાયલટનું મોત થઈ ગયું છે. જ્યારે બીજો ઘાયલ છે. કહેવાય છે કે, આ દુર્ઘટનામા ઘાયલ બીજા પાયલટની સ્થિતિ અત્યંત ગંભીર છે. સેનાના અધિકારીઓએ જણાવ્યુ છે કે, હેલીકોપ્ટર દુર્ઘટના અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં થઈ છે. આ અગાઉ આ વર્ષે એપ્રિલમાં હિમાચલ પ્રદેશમાં ચીતા હેલીકોપ્ટરને સુરક્ષાની દ્રષ્ટિએ લેન્ડ કરવું પડ્યું હતું. આ હેલીકોપ્ટરે ટ્રેનિંગ દરમિયાન ઉડાન ભરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ભારતીય સેનાના ચીતા હેલીકોપ્ટરે અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં બુધવારે સવારે 10 કલાકે ઉડાન ભરી હતી. આ રુટીન ઉડાન હતી. આ…
મુંબઈમાં આવેલી સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં 12.57 કલાકે એક અજાણ્યા નંબર પર ધમકી ભર્યો ફોન કોલ આવ્યો હતો. આપને જણાવી દઈએ કે, આ ફોન કોલ્સમાં અંબાણી પરિવારના મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ અંબાણી અન અનંત અંબાણી સહિતના લોકોને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં રિલાયંસ હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. રિલાયંસની હોસ્પિટલ ઉપરાંત અંબાણી પરિવારને ફોન પર ધમકી આપવામાં આવી છે. બપોરના સમયે આ ધમકી ભર્યો ફોન કોલ આવ્યો હતો. મુંબઈ પોલીસ હાલમાં આ નંબરની ઓળખાણ કરી રહી છે, જ્યાંથી આ કોલ આવ્યો હતો. સૂત્રોનું માનીએ તો, આ ફોન નંબર મહારાષ્ટ્ર બહારનો છે. મુંબઈ…
દશેરાના પાવન પર્વ પર સુરતમાંથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. જી હાં સુરતમાં લિફ્ટ તૂટી પડવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ દુર્ઘટનામાં 9 જેટલા મજૂરો નીચે પટકાયા છે. જેમાંથી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય મજૂરો ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્ત થયેલા તમામ મજૂરોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના સુરત શહેરના ભટારમાં આવેલા શાંતિવન મિલમાં બની છે. જેમાં અચાનક લિફ્ટ તુટી પડતા દુર્ઘટના સર્જાઈ છે. બીજા માળેથી એકાએક લિફ્ટ ખોટકાતા તમામ લોકો નીચે પટકાયા હતા. જેમાં એક મજૂરનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય મજૂરો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં કેટલાકને ફ્રેક્ચર થયા છે તો કેટલાકને કમરમાં…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં અખિલ ભારતીય તબીબી વિજ્ઞાન સંસ્થાન (AIIMS)નું ઉદ્ઘાટન કર્યું. અત્યાધુનિક હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યા બાદ તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિલાસપુર એઈમ્સનું નિરીક્ષણ કર્યું. વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટન કરાયેલ AIIMSનું નિર્માણ રૂ. 1,470 કરોડથી વધુના ખર્ચે કરવામાં આવ્યું છે. આ દરમિયાન સીએમ જયરામ ઠાકુર, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા. અગાઉ, વડા પ્રધાને હિમાચલ પ્રદેશમાં પ્રોજેક્ટ અંગે નાગરિકોના સૂચનોનો જવાબ આપ્યો હતો. વડા પ્રધાને એઈમ્સ બિલાસપુરના ઉદ્ઘાટન પર, જેનો શિલાન્યાસ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો, કહ્યું – આખા ભારતમાં આ સ્થિતિ છે. ટિયર-2 અને ટિયર-3 શહેરો, નગરો, મહત્વાકાંક્ષી જિલ્લાઓ…
રાજ્ય સરકાર દ્વારા ગરીબોના કલ્યાણ માટે દરવર્ષે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વખતે ચૂંટણીનું વર્ષ હોય અને ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાં ગરીબોને તેમના લાભો મળી જાય, તેઓ હક્કથી વંચિત ન રહે તે માટે આગામી તા.૧૪ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ગરીબ કલ્યાણ મેળાનાં ૧૩માં તબક્કાનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તા.૧૪મી ઓક્ટોબરે તાપીથી અને તા.૧૫મી ઓક્ટોબરે ગીર સોમનાથથી રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો શુભારંભ કરાવશે. તેમાં રાજ્ય સરકારના પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી છે. પ્રવક્તા મંત્રી વાઘાણીએ કહ્યુ છે કે, રાજ્ય સરકારની વિવિધ વ્યકિતલક્ષી સહાયના લાભો ગરીબ કલ્યાણ મેળાના માધ્યમ દ્વારા…
ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને હાલના વડાપ્રધાને ગુજરાતમાં વિજયાદશમીના પર્વ પર શસ્ત્ર પૂજનની પરંપરાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પરપરા પ્રમાણે આગામી મુખ્યમંત્રીઓએ પણ વિજયાદશમીના તહેવાર પર આ પંરપરા યથાવત રાખી છે. જે પ્રમાણે હાલના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આજના શુભ દિવસે પોતાના નિવાસસ્થાને શસ્ત્ર પૂજન કર્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે શસ્ત્રોનું પુજન કરીને સુરક્ષા કર્મીઓને દશેરાની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ મુખ્યમંત્રીએ રાષ્ટ્ર, રાજ્યના લોકોની રક્ષા,સમાજ સુરક્ષા માટે પોલીસ દળની કર્તવ્યપરાયણતાને બિરદાવી હતી. મુખ્યમંત્રીની સુરક્ષા સલામતી વ્યવસ્થામાં ફરજ બજાવતા સુરક્ષા કર્મીઓના શસ્ત્રોના પ્રતિ વર્ષ વિજયાદશમીએ શાસ્ત્રોકત પૂજનવિધિ કરવામાં આવે છે. ત્યારે આજે આ પણ આ પરંપરા નિભાવતા CM…
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તડજોડની રાજનીતિ સક્રિય થઈ છે. કોઈ ભાજપ સાથે છેડો ફાડી રહ્યું છે તો કોઈ કોંગ્રેસનો હાથ છોડવા તૈયાર બેઠું છે. નવી નવેલી આપ પાર્ટીમાં પણ ઝાડુ ફરી રહ્યું છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા મહત્વના સમાચાર મળી રહ્યા છે. ચૂંટણી પહેલા ફરી એક વાર કોંગ્રેસ તૂટી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના મોટા નેતા હર્ષદ રિબડીયાએ રાજીનામું આપ્યું છે. વિસાવદર બેઠક પરથી હર્ષદ રિબડીયા કોંગ્રેસની ટિકિટથી લડ્યા હતા.જે બાદ ઘણા સમયથી હર્ષદ રીબડીયા સહિત 6 ધારાસભ્યો કોંગ્રેસ છોડશે તેવી ચર્ચાએ જોર પકડયું હતું. જેમાંથી આજે કોંગ્રેસની એક વિકેટ હર્ષદ રિબડીયા નામની…
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે વિજયાદશમી પર રેલીમાં કહ્યું કે, શક્તિ દરેક વાતનો આધાર છે. શક્તિ શાંતિ અને શુભનો પણ આધાર છે. શુભ કામને કરવા માટે પણ શક્તિની જરુર હોય છે. વિજયાદશમી પર આજે આરએસએસે નાગપુર રેશન બાગમાં રેલીનું આયોજન કર્યું છે. આરએસએસ પ્રમુખ મોહન ભાગવત વિજયાદશમી પર રેલીને સંબોધન કરી રહ્યા છે. મોહન ભાગવતે કહ્યુ કે, માતૃશક્તિની ઉપેક્ષા સંભવ નથી. મહિલાઓને આપણે જગત જનની માનીએ છીએ. પણ તેમને પૂજા ઘર અથવા ઘરોમાં બંધ કરી દીધી છે. વિદેશી હુમલાના કારણે એક માન્યતા મળી હતી. પણ વિદેશી હુમલા ખતમ થયા બાદ તેમને પણ પ્રતિબંધોમાંથી આઝાદી નથી મળી. જે કામ પુરુષ કરી શકે…
દેશભરમાં કેન્દ્રીય તપાસ એજન્સી CBIની મોટી કાર્યવાહી સામે આવી છે. ‘ઓપરેશન ચક્ર’ હેઠળ, રાજ્ય પોલીસની સાથે સીબીઆઈની ડઝનબંધ ટીમો હાલમાં દેશભરમાં દરોડા પાડી રહી છે. એજન્સીના નિશાના પર સાયબર ક્રાઈમ સંબંધિત સ્થળો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈનું સાયબર ક્રાઈમ ડિવિઝન આ સમગ્ર ‘ઓપરેશન ચક્ર’નું સંકલન કરી રહ્યું છે. CBIની ટીમો રાજ્ય પોલીસની સાથે દેશભરમાં 105 સ્થળોએ હાજર છે. સીબીઆઈ સૂત્રોના જણાવ્યા અનુસાર ઈન્ટરપોલ, FBI, રોયલ કેનેડિયન માઉન્ટેન પોલીસ દ્વારા આ સાયબર ક્રાઈમ અંગે સતત ઈનપુટ મળી રહ્યા હતા. આ પછી, ઓપરેશન ચક્ર હેઠળ પહેલા આ સ્થળોની માહિતી એકત્ર કરવામાં આવી હતી અને પછી સીબીઆઈએ રાજ્ય પોલીસ સાથે મળીને 105 સ્થાનો…
દક્ષિણ કોરિયા અને અમેરિકન સૈન્યએ ઉત્તર કોરિયા દ્વારા જાપાન ઉપર બેલિસ્ટિક મિસાઇલના પ્રક્ષેપણના જવાબમાં મિસાઇલ કવાયત હાથ ધરી હતી, યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ દ્વારા પ્યોંગયાંગનું સૌથી લાંબી રેન્જનું પરીક્ષણ અંગેની માહિતી મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઉત્તર કોરિયા દ્વારા ઇન્ટરમીડિયેટ રેન્જ બેલીસ્ટિક મિસાઇલ એટલે કે IRBM નું અત્યાર સુધીનું સૌથી મોટંી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. છેલ્લા પાંચ વર્ષમાં પહેલી જ વખત જાપાન પર આવું પગલું લેવામાં આવ્યું છે. જવાબમાં દક્ષિણ કોરિયા અને અમેરિકન સૈન્ય દ્વારા વોલી મિસાઇલ સમુદ્રમાં છોડવામાં આવી હતી. મંગળવારે ઉત્તર કોરિયાએ આક્રમક વલણ અપનાવ્યું હતું અને જાપાન ઉપર બેલેસ્ટિક મિસાઈલ છોડી હતી. 2017 પછી પહેલીવાર ઉત્તર…