What's Hot
- ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કેવી રીતે કામ કરે છે અને તેના ફાયદા શું છે? જો તમે ટ્રિપ પર જઈ રહ્યા છો તો સમાચાર વાંચો
- બેંક ઓફ મહારાષ્ટ્રે પણ લોન સસ્તી કરી, વ્યાજ દરમાં આટલો ઘટાડો કર્યો, જાણો વિગતો
- દૂધમાં પલાળેલા આ ડ્રાયફ્રૂટને રોજ ખાઓ, તેનાથી તમને અદ્ભુત સ્વાસ્થ્ય લાભ થશે
- જો તમે વિટામિન ડીની ઉણપને દૂર કરવા માંગતા હો, તો ઔષધીય ગુણોથી ભરપૂર આ જ્યુસ પીવો
- કબજિયાતની સમસ્યા રાતોરાત દૂર થઈ જશે, સવારે ઉઠતાની સાથે જ પેટ સાફ થઈ જશે, સૂતા પહેલા કરો આ ઉપાયો
- આજનું પંચાંગ 13 જૂન 2025: આજે છે અષાઢ કૃષ્ણ દ્વિતિયા તિથિ, જાણો ક્યારે છે શુભ સમય
- દંડ આપનાર શનિદેવે બનાવ્યો છે ખાસ યોગ, આ રાશિના લોકોને મળશે ભાગ્યનો સાથ, જાણો આજનું રાશિફળ
- અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઈન્ડિયાનું વિમાન આ રીતે ક્રેશ થયું
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
કામરેજ ચલણી નોટ મામલે નવો જ ઘટસ્ફોટ થયો છે. 52 કરોડથી વધુની નકલી નોટનો રેલો ગુજરાત, મુંબઈ બાદ દિલ્હી સુધી પોહ્ચ્યોં છે. પોલીસે મુંબઈથી માસ્ટર માઈન્ડ વિકાસ જૈન સહિત 2 લોકોને મુંબઈથી ઝડપી પાડ્યા હતાં. પોલીસે અલગ અલગ જગ્યા પરથી 300 કરોડ 16 લાખની નકલી નોટ જેમાં 67 લાખ 500 અને 1000ની જૂની નોટો પણ કબ્જે કરી છે. અત્યાર સુધી 6 લોકોની સુરત જિલ્લા પોલીસની ટીમે ધરપકડ કરી છે. ગત 29મીના રોજ કામરેજ પોલીસે કામરેજ નજીકથી જામનગરની એક ચેરીટેબલ ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાંથી કરોડોની ચલણી નોટ ઝડપી પાડી હતી. સમગ્ર પ્રકરણમાં એમ્બ્યુલન્સમાં ચાલાક હિતેશના ઘરના પાછળના ભાગેથી સંતાડેલી 52 કરોડથી વધુની ચલણી…
ગત રોજ ગુજરાતના ખેડામાં નવરાત્રી દરમિયાન પથ્થર મારાની ઘટના સામે આવી હતી. ખેડા બાદ વડોદરામાં પણ ગોરવા ગામ વિસ્તારમાં કોમી છમકલું થયુ છે. નવરાત્રીના નોમના દિવસે ઝંડો લગાવવાની બાબતે બે જૂથ વચ્ચે વિવાદ થયા બાદ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. જેના કારણે આખા વિસ્તારમાં તંગદીલીનો માહોલ છવાયો હતો. જોકે, પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો. સ્થાનિક પોલીસે અસામાજીક તત્વોની અટકાયત કરી છે. વડોદરામાં ફરીથી કોમી એકતાની ઘટના બની છે. ત્યારે ગોરવા વિસ્તારમાં પથ્થરમારાનો બનાવ બન્યો છે. જોકે, આ ઘટનામાં હજી કોઇ લોકો ઇજાગ્રસ્ત થયા હોય તેવા સમાચાર સામે આવ્યા નથી. હાલ પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો…
ઉત્તરાખંડના પૌડીમાં મંગળવારે રાતે મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ. ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે, ધૂમાકોટના બિરોખલ વિસ્તારમાં ગત રાતે પૌડી ગઢવાલ બસ દુર્ઘટનામાં 25 લોકોના મોત થઈ ચુક્યા છે. તો વળી સવારે 6 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. પોલીસ અને એસડીઆરએફે આખી રાત દરમિયાન 21 લોકોને બચાવ્યા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે હરિદ્વારના અંતર્ગત લાલઢાંગથી કાડા તલ્લા જઈ રહેલી 50 જાનૈયાઓ ભરેલી બસ સિમડી ગામ નજીક બેકાબૂ થઈને 500 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. હાલમાં ઘટના પર પોલીસ અને એસડીઆરએફની ટીમ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે.સીએમ પુષ્કર સિંહ ધામીએ પણ કંટ્રોલ રૂમમાં…
શાળામાં માતૃભાષા ભણવવા અંગે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા વારંવાર રજુઆત થઈ રહી છે ત્યારે રાજ્યની સરકારી શાળા ઉપરાંત વિવિધ બોર્ડ સાથે સંકળાયેલી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાતપણે તબક્કાવાર વિવિધ ધોરણોમાં ભણાવવા માટે સરકારે 2018માં ઠરાવ કર્યો છે, પણ તેના મુદ્દે આખરે હવે જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટે રાજ્ય સરકાર સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે. હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે, રાજ્ય સરકાર જણાવે કે તેમનો ઠરાવ હોવા છતા તેનો અમલ કેમ કરાતો નથી ? સરકારનો નીતિ વિષયક નિર્ણય છે, ત્યારે શા માટે આ તમામ બોર્ડને પક્ષકાર બનાવવા જોઈએ ? હાઈકોર્ટે સરકારને આકરો સવાલ કરેલો કે, મહારાષ્ટ્ર, તેલંગાણા, પંજાબ, હરિયાણામાં પ્રાથમિક શાળાઓમાં ફરજીયાત પ્રાદેશિક…
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને પત્ર લખ્યો છે. આ પત્રમાં પંચે રાજકીય પક્ષોને ચૂંટણી વચનો અંગે ચેતવણી આપી છે. જેમાં રાજકીય પક્ષોને કોઈ પોકળ ચૂંટણી વચનો ન આપવા માટે કહેવામાં આવ્યું છે. જે પણ ચૂંટણી વચનો આપવામાં આવે છે, તે નાણાકીય રીતે પૂરા કરવા યોગ્ય છે કે કેમ તેની કાળજી લેવી જોઈએ. કેન્દ્રીય ચૂંટણી પંચે કહ્યું છે કે, તે ચૂંટણી વચનો અને તેની નાણાકીય સ્થિરતા અંગે સંપૂર્ણ માહિતી ન આપવાના અનિચ્છનીય અસરને અવગણી શકે નહીં. પોકળ ચૂંટણી વચનો દૂરગામી અસરો ધરાવે છે. રાજકીય પક્ષો દ્વારા…
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મંગળવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં દ્રૌપદીના દંડા-2 પર્વત શિખર પર ટ્રેકિંગ માટે ગયેલા નહેરુ ઈન્સ્ટીટ્યુટના 29 પર્વતારોહી હિમસ્ખલનમાં ફસાયા હતા જેમાં અત્યાર સુધી 10 લોકોના મોત થયા છે. બે દિવસ પહેલા ઉત્તરકાશીના દ્રૌપદીના દંડા-2 પર ટ્રેકિંગ માટે ગયેલા નહેરુ ઈન્સ્ટીટ્યુટના 29 પર્વતારોહી બરફના ભારે તોફાનમાં ફસાયા હતા જે પછી તેમને બચાવી લેવા માટે પ્રશાસન દ્વારા તાબડતોબ રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. જેમાં અત્યાર સુધી 8 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે સાથે 10 લોકોની લાશ પણ બહાર કાઢવામાં આવી છે. હાલમાં સેનાનું રેસ્ક્યૂ અભિયાન ચાલી રહયું છે. સેનાએ આઈટીબીપી સાથે મળીને ફસાયેલા પર્વતારાહીનું રેસ્ક્યૂ ઓપરેશન શરુ…
ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પારિતોષિકની જાહેરાત થઈ ગઈ છે. આ વર્ષે આ દુનિયાનો સૌથી મહત્વનો માનવમાં આવતો પુરસ્કાર સંયુક્ત રીતે એલેન એસ્પેક્ટ, જ્હોન એફ. ક્લોઝર અને એન્ટોન ઝીલિંગર દ્વારા જીતવામાં આવ્યો હતો. “એન્ટેન્ગ્લ્ડ ફોટોન સાથેના પ્રયોગો માટે, બેલ ઇનઇક્વાલિટીઝ અને અગ્રણી ક્વોન્ટમ માહિતી વિજ્ઞાનની સ્થાપના માટે તેઓને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ વર્ષે મેડિસિનનું નોબલ પ્રાઇઝની જાહેરાત પણ અગાઉ થઈ ગઈ છે. આ વખતે સ્વીડનનાં વૈજ્ઞાનિક સ્વાંતે પાબોને ફિઝિયોલોજી/મેડિસિન માટે નોબલ પ્રાઇઝથી સન્માનીત કરવામાં આવ્યા છે. તેમણે હોમોનીન અને માનવ વિકાસનાં જીન સાથે સંબંધિત શોધોનાં કારણે આ સન્માન પ્રાપ્ત કર્યું છે. પાબો અને તેમના પરિવાર પુરસ્કારની જાહેરાત બાદ ખુશી વ્યક્ત કરી…
ગુજરાતમાં નશાનો કારોબાર દરરોજ વધી રહ્યો છે. યુવાધનને ગેર માર્ગે દોરવા માટે રાજ્યમાં નશીલા પદાર્થ ઘુસાડીને ખોટા રસ્તે લઈ જવામાં આવી રહ્યા છે. ગુજરાતમાંથી છેલ્લા કેટલાક દિવસોમાં હજારો કરોડ રૂપીયાનું ડ્રગ્સ ઝડપાયું છે. જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે નશાનો કારોબાર કેટલી હદે વધી ગયો છે. હાલમાં જ જામનગરમાંથી 10 કિલો ડ્રગ્સ ઝડપાયું છે. મળતી માહિતી મુજબ જામનગર નેવનલ ઈન્ટેલિજન્સની ટીમે ચોક્કસ બાતમીના આધારે શરૂ સેકશન રોડ પર વોચ ગોઠવી હતી. જેમાં એક શંકાસ્પદ શખ્સને રોકી તલાશી લેતા તેના કબજામાંથી 10 કિલો MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેની અંદાજિત કિંમત 6 કરોડ રૂપિયા ગણવામાં આવી રહી છે. જામનગર…
ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ઇલાબેન ભટ્ટનું રાજીનામું આખરે સ્વીકારી લેવાયું છે. ઇલાબેન ભટ્ટે અગાઉ બીમારીના કારણે રાજીનામું આપ્યું હતું. જો કે અગાઉ આપેલા રાજીનામાંને સ્વીકારાયું ન હતું. પરંતુ આ વખતે ઇલાબેન ભટ્ટનું રાજીનામું સ્વીકારી લેવાયું છે. ત્યારે હવે ગૂજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રતની વરણી કરવામાં આવશે તેવી શક્યતા પ્રબળ રહેલી છે. એટલે કે ગૂજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ તરીકેનો કાર્યભાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સંભાળશે. ગૂજરાત વિદ્યાપીઠના બંધારણ મુજબ કુલનાયકની ઉપર કુલપતિ હોય છે પરંતુ કુલપતિ એ રાજ્યપાલ નથી હોતા. પરંતુ વિદ્યાપીઠના જ ટ્રસ્ટી મંડળ દ્વારા સામાજીક ક્ષેત્રના અગ્રણી અને ગાંધીવાદી હોય તેવા વ્યક્તિને કુલપતિ બનાવવામાં આવે છે. વિદ્યાપીઠના 100 વર્ષના…
વડોદરા શહેરમાં દરજીપુરા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. છકડાને કચડી કન્ટેનર એરફોર્સની દીવાલમાં ઘુસી ગયુ હતુ. આ ગોઝારા અકસ્માતમાં બે બાળકો સહિત દસ લોકોના મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં પહેલા પાંચ લોકોના મોત નીપજ્યાના સમાચાર મળ્યાં હતા. જે બાદ આંકડો વધીને દસ થયો છે. એરફોર્સ જવાનો ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલ લઇ ગયા છે. સાત લોકો ઇજાગ્રસ્ત હોવાની જાણકારી મળી રહી છે. ઘાયલો પૈકી ઘણાની હાલત ગંભીર છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, છકડામાં સવાર થોડા લોકો પાવાગઢ દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. જ્યારે થોડા પોતાના ગામથી પાછા આવી રહ્યા હતા. હાલ આ લોકો કોણ છે તે અંગે તપાસ ચાલી રહી…