Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ભારતના ચૂંટણી પંચની તરફથી 6 રાજ્યોમાં ખાલી વિધાનસભા સીટો પર પેટાચૂંટણી કરવા માટેનું શિડ્યૂલ જાહેર કરી દીધુ છે. ઈસીઆઈના સેક્રેટરી સંજીવ કુમાર પ્રસાદ તરફથી બુધવારે જાહેર કરવામાં આવેલા શિડ્યૂલ મુજબ મહારાષ્ટ્ર, બિહાર, હરિયાણા, તેલંગણા, ઉત્તર પ્રદેશ અને ઓડિશા રાજ્યોની સાત સીટો પર પેટાચૂંટણી પ્રક્રિયા 14 ઓક્ટોબરથી શરુ થશે. . આ તમામ સીટો પર પેટાચૂંટણી 3 નવેમ્બરે થશે અને ચૂંટણી પરિણામ 6 નવેમ્બરે આવશે. ઈસીઆઈના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રની 166-અંધેરી ઈસ્ટ, બિહારની 101-ગોપાલગંજ અને 178 મોકામા, હરિયાણાની 47 આદમપુર, તેલંગણાની 93-મુનુગોડે, ઉત્તર પ્રદેશની 139 ગોલા ગોકરનાથ અને ઓડિશાની 46-ધામનગર વિધાનસભા સીટો પર પેટાચૂંટણી 3 નવેમ્બર 2022 ના રોજ એક જ દિવસે પુરી…

Read More

વડોદરા ગેસ અને CNG ગેસના ભાવમાં વધારો થયો છે. જેમાં ગેસ અને CNG ગેસના ભાવમાં રૂ.3 વધારો ઝીંક્યો છે. કેન્દ્ર સરકારે કરેલા નેચરલ ગેસમાં ભાવ વધારાની અસર જોવા મળી છે. તેમાં અદાણી ગેસનો ભાવ રૂ.81.15થી વધીને રૂ.84.15 થયો છે. જેમાં VGLનો ભાવ રૂ.82થી વધીને રૂ.85એ પહોંચ્યો છે. અદાણી ગેસ કરતા પણ વડોદરા ગેસના ભાવ વધારે થયા છે. તેમજ સપ્ટેમ્બર મહિનામાં દેશમાં પેટ્રોલ અને ડીઝલનાં વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. તહેવારોની મોસમ નજીક આવી રહી છે ત્યારે સારા ચોમાસા પછી ઉપયોગી ચીજોની માંગમાં ધરખમ વધારો થયો છે. આર્થિક પ્રવૃત્તિમાં તેમજ વેપાર ઉદ્યોગ ધંધામાં તેજીનો સળવળાટ થયો છે આને કારણે દેશમાં બંને…

Read More

દશેરાના તહેવાર પહેલા ફાફડા-જલેબીના રસિયાઓ માટે માઠા સમાચાર છે. ફાફડા-જલેબીના ભાવમાં તોતિંગ ભાવ વધારો થયો છે. અત્યારે આ વાનગીઓના ભાવમાં 20થી 30 ટકાનો વધારો થઈ ગયો છે. જેનો તાજેતરનો ભાવ જોવા જઈએ તો એક કિલો જલેબીનો ભાવ 800થી 1300 રૂપિયા વચ્ચે છે, જ્યારે 1 કિલો ફાફડાનો ભાવ 500થી 1000 રૂપિયા સુધી છે. અમદાવાદમાં ફાફડા-જલેબીના ભાવમાં વધારો થયો છે. આ વર્ષે ફાફડા જલેબીના ભાવમાં 20 થી 30 ટકાનો ભાવ વધારો થયો છે. માર્કેટમાં હાલ 1 કિલો ફાફડાનો ભાવ 600 થી લઈને 1000 રૂપિયા સુધી ચાલી રહ્યો છે. તો પ્રતિ કિલો જલેબીનો ભાવ 800થી 1300 રૂપિયા સુધી થયો છે. આ ભાવ વધારા…

Read More

ઈરાનની રાજધાની તેહરાનથી ચીન જતી એક ફ્લાઈટમાં બોમ્બ હોવાનો કોલ પોલીસને મળ્યો હતો. આ ફોન 9.20 કલાકે આવ્યો હતો. હાલમાં ફલાઈટને ડાયવર્ટ કરવામાં આવી રહી છે. કહેવાય છે કે, જયપુરમાં ઈમરજન્સી લેન્ડીંગ માટે ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી છે. એર ટ્રાફિક કંટ્રોલને આ સૂચના ફ્લાઈટમાંથી મળી હતી. જે બાદ તમામ એજન્સીઓને આ જાણકારી આપવામાં આવી હતી. હાલમાં આ ફ્લાઈટ ક્યાં છે, તેની કોઈ જાણકારી નથી, તેના વિશે દિલ્હી ફાયર વિભાગને સૂચના આપી દેવામાં આવી છે. દિલ્હી પોલીસ અને બાકીની એજન્સીઓ પણ તપાસમાં લાગી ગઈ છે. આ જાણકારી મળ્યા બાદ તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. જ્યારે જયપુરથી મળી રહેલી વિગતો…

Read More

‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગીતથી જાણીતી બનેલી ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેને અમદાવાદની સિટી સિવિલ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. હકીકતમાં મ્યુઝિક મેનેજમેન્ટ કંપની સાથે કોપીરાઇટનો વિવાદ ચાલી રહ્યો હોવાથી સિટી સિવિલ કોર્ટે કિંજલ દવે પર આ પ્રખ્યાત ગીત ગાવાનો પ્રતિબંધ મુક્યો છે. એટલે કે હવે કિંજલ દવે તેનું આ જાણીતું ગીત નહીં ગાઇ શકે. કંપનીએ કોપી રાઇટનો ભંગ થયો હોવાનો પણ આરોપ લગાવ્યો છે. ચેમ્બર જજ આનંદલીપ તિવારીએ કિંજલ દવે અને બે ફર્મ-આરડીસી મીડિયા તથા સરસ્વતી સ્ટુડિયોને કોપીરાઇટ હેઠળ રહેલા આ ગીતને સીડી અને કેસેટના રૂપે ના વેચવાનો આદેશ કર્યો છે. રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરાયેલા કોપીરાઇટ…

Read More

ભારતમાં દવાઓના બજારમાં કેન્દ્ર સરકાર એક નવો અને જરૂરી નિયમ લાવવાની તૈયારીમાં છે. ટૂંક સમયમાં દવા બનાવટી કંપનીઓને દવાઓના પેકેટ્સ પીઆર બાર કોડ અને QR કોડ ફરજીયાત લગાવવાની ફરજ પાડવામાં આવે તેવી શક્યતા છે. ન્યૂઝ 18 ને મળેલી માહિતી અનુસાર આ પગલું લીધા બાદ દવાઓમાં સારી જેન્યુઇન પ્રોડક્ટ શોધવાની ક્વાયત આસાન બની જશે. આ પગલું એટલા માટે સુસંગત છે કારણ કે તે ભારતમાં વેચવામાં આવતી નકલી દવાઓનાં ઉત્પાદનો અથવા નકલી દવાઓના પડકારને દૂર કરવામાં આ ખુબ મહત્વનો ભાગ ભજવશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના અગાઉના અંદાજ મુજબ, વિશ્વભરમાં વેચાતી લગભગ 35 ટકા નકલી દવાઓ ભારતમાંથી આવે છે. આ ઘટનાક્રમથી માહિતગાર…

Read More

ભારતીય સેનામાં સતત હવે સ્વદેશી હથિયારો અને સામાન વાપરવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. હાલમાં જ ભારતીય નૌ સેનામાં પહેલા સ્વદેશી વિમાન વાહક આઈએનએસ વિક્રાંતને સામેલ કરવામાં આવ્યું હતું. મેડ ઈન ઈંડિયાને પ્રોત્સાહન આપતા હવે ભારતીય વાયુ સેનાને ( Indian Air Force) એડવાંસ તથા શક્તિશાળી બનાવવા માટે સ્વદેશી રીતે વિકસિત હળવા લડાકૂ હેલીકોપ્ટરની પ્રથમ બૈચને સોમવારે રાજસ્થાનના જોધપુરમાં એક સમારંભમાં આઈએએફ ઈન્વેટ્રીમાં સામેલ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહની હાજરીમાં મેડ ઈન ઈંડિયા લાઈટ કોમ્બૈટ હેલીકોપ્ટરને ભારતીય વાયુ સેનાને સોંપવામાં આવશે. અહીં ઉલ્લેખનિય છે કે, રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ ટ્વિટ કરીને તેના વિશે જાણકારી આપી છે કે,…

Read More

રાજ્ય સરકાર સામે એક પછી આંદોલનોના અંત આવી રહ્યા છે ત્યારે છેલ્લા ઘણાં સમયથી ગાંધીનગર ખાતે જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓની હડતાળ ચાલી રહી હતી જેનો આખરે અંત આવ્યો હોવાનું સામે આવી રહ્યો છે. જેમાં મહત્વનો નિર્ણય એવો કરવામાં આવ્યો છે કે, આરોગ્ય કર્મીઓને ટેક્નિકલમાં ગણવા સંદર્ભે હવે એક કમિટીની રચના થશે. આ કમિટીની રચનામાં આરોગ્ય કર્મચારીઓ પણ સામેલ હશે. નોંધનીય છે કે, આરોગ્યકર્મીઓની જે માંગ છે તેની પર સરકારે સહમતી દર્શાવી છે. જેમ કે કોરોના રજા પગાર, કોરોના ભથ્થું, ટ્રાવેલ અલાઉન્સ અને સરકાર તરફથી થયેલા કેસો પરત કરવાની માંગ પર સહમતી દર્શાવવામાં આવી છે. એટલે કે આરોગ્ય મંત્રી સાથેની બેઠકમાં…

Read More

રિલાયન્સ જિયોએ ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસમાં 5G કનેક્ટેડ એમ્બ્યુલન્સ રજૂ કરી છે. આ એક એવી એમ્બ્યુલન્સ છે જે ડિજિટલ રીતે દર્દીની તમામ મહત્વપૂર્ણ માહિતીને વાસ્તવિક સમયમાં હોસ્પિટલ સુધી પહોંચાડશે અને તે પણ દર્દીના આગમન પહેલા. તબીબી કટોકટીના કિસ્સામાં, હોસ્પિટલમાં હાજર ડોકટરો દર્દીના આગમન પહેલા જ તમામ જરૂરી વ્યવસ્થા કરી શકે છે. આ એમ્બ્યુલન્સ જોઈને ભવિષ્યમાં મેડિકલ ઈન્ડસ્ટ્રીનો ચહેરો કેટલો બદલાઈ જશે તેનો અંદાજ તમે લગાવી શકો છો. જિયોના પેવેલિયનમાં એક રોબોટિક આર્મ પણ જોવા મળશે, જે એક્સ-રે અને અલ્ટ્રાસાઉન્ડ કરવામાં નિષ્ણાત છે. ખરેખર, Jio True 5G દ્વારા સેંકડો માઇલ દૂર બેઠેલા રેડિયોલોજિસ્ટ અથવા સોનોગ્રાફર તેને સરળતાથી ચલાવી શકે છે. આ રોબોટિક…

Read More

ભારતના ‘વિંડ મેન’ના નામે જાણીતા સુજલૉન એનર્જીના સ્થાપક તુલસી તંતીનું શનિવારે 64 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થયું છે. 1958માં ગુજરાતના રાજકોટમાં જન્મેલા, તંતી સુજલૉન એનર્જીના પ્રમોટરોમાંથી એક હતા, જેની સ્થાપના તેમણે 1995માં કરી હતી. તંતી અમદાવાદથી પુણે જઇ રહ્યાં હતા. ત્યારે જ તેમને હ્રદય રોગનો હુમલો આવ્યો. જેના કારણે તેમનું અવસાન થયું છે. તેમના પરિવારમાં દિકરી નિધિ અને દિકરો પ્રણવ છે. તંતી ઇન્ડિયન વિંડ ટર્બાઇન મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના અધ્યક્ષ પણ હતા. તેમને 1995માં સુજલૉન એનર્જીની સ્થાપના સાથે ભારતમાં પવન ક્રાંતિનું નેતૃત્વ કરવાનો શ્રેય આપવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઉર્જા ક્ષેત્રની કંપની સુઝલૉન એનર્જીના સ્થાપક , ચેરમેન અને…

Read More