What's Hot
- DIGIPIN શોધવાની આ એક સરળ રીત છે, તમારા સ્માર્ટફોનમાં આ સરળ પગલાં અનુસરો
- iOS 26: સૌથી અદ્યતન ઓપરેટિંગ સિસ્ટમ આવી ગઈ છે, iPhone માં જોવા મળશે આ 10 મોટા ફેરફારો
- ભારત નેધરલેન્ડ સામે સતત બીજી મેચ હારી ગયું, 9 પેનલ્ટી કોર્નરમાં ફક્ત એક જ ગોલ આવ્યો
- અમ્પાયર સાથે દલીલ કરવી આ ખેલાડીને મોંઘી પડી, તેને દંડ ફટકારવામાં આવ્યો
- આ ખેલાડીએ બોલ અને બેટથી ઈંગ્લેન્ડમાં ધૂમ મચાવી, તો પણ ટેસ્ટ શ્રેણી રમી શકશે નહીં
- મોદી સરકારના ૧૧ વર્ષ પૂર્ણ, સીએમ મોહન યાદવે કહ્યું- ‘આ કાર્યકાળ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ માટે સમર્પિત છે’
- માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને કેશલેસ સારવારની સુવિધા મળશે, જાણો મર્યાદા કેટલી હશે.
- દિલ્હી-NCRમાં આગામી બે દિવસ માટે ભારે ગરમીને કારણે ઓરેન્જ એલર્ટ, આ દિવસોમાં ભારે પવન સાથે વરસાદ પડશે
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરીમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. બસ અને ટ્રક વચ્ચે થયેલી અથડામણમાં 6 લોકોના મોત થયા છે જ્યારે 20 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું સામે આવ્યું છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સીએમ યોગી આદિત્યનાથે દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર લખીમપુર ખેરી જિલ્લાના ઈસાનગર પોલીસ સ્ટેશન વિસ્તારના એરા બ્રિજ પર સવારે 7.30 વાગ્યે ધૌરહારાથી લખનૌ જઈ રહેલી બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં છ લોકોના મોત થયા છે. મૃત્યુઆંક વધી શકે છે. 20 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું સામે આવ્યું છે. પોલીસ અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઘાયલોને…
કેન્દ્ર સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઘણા રાજ્યોએ PFI પર પ્રતિબંધ લાવવાની માંગ કરી હતી. તાજેતરમાં જ NIA અને અનેક રાજ્યોની પોલીસ અને એજન્સીઓએ PFIના સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં સેંકડો લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલયે PFI ને 5 વર્ષ માટે પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું છે. PFI ઉપરાંત 8 સંલગ્ન સંસ્થાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. પીએફઆઈ ઉપરાંત રિહેબ ઈન્ડિયા ફાઉન્ડેશન, કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા, ઓલ ઈન્ડિયા ઈમામ કાઉન્સિલ, નેશનલ કોન્ફેડરેશન ઓફ હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન, નેશનલ વુમન ફ્રન્ટ, જુનિયર ફ્રન્ટ, એમ્પાવર ઈન્ડિયા ફાઉન્ડેશન અને રિહેબ ફાઉન્ડેશન, કેરળ જેવા સહયોગી સંગઠનોને ગેરકાયદેસર…
વડોદરાના વિશ્વ વિખ્યાત ગરબામાં જોરદાર હોબાળો થયો છે. છેલ્લા બે દિવસથી ગરબારસિકો હોબાળો મચાવી રોષ વ્યક્ત કરી રહ્યા છે. ગરબાપ્રેમીઓએ પગમાં કાંકરા અને કાંટા વાગતા હોવાની ફરિયાદ કરી હતી. તો ફૂડ કોર્ટ તથા પાણીના સ્ટેન્ડ પર પણ યોગ્ય વ્યવસ્થા નહીં હોવાને કારણે ખૈલાયાઓ રોષે ભરાયા હતા. અવાર નવાર ફરિયાદ કરવા છતાં પાર્ટીપ્લોટના આયોજકે ધ્યાન ના આપતા હોબાળો મચાવ્યો હતો અને રીફંડ આપવાની વાત કરી ગરબા બંધ કરાવી દીધા હતા. પ્રથમ નોરતે પણ ખેલૈયાઓએ પથ્થર -પથ્થરના નારા લગાવીને વિરોધ નોંધાવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો હતો. વડોદરા શહેરમાં યોજાતા યુનાઇટેડ વેના ગરબા વિશ્વ વિખ્યાત છે. અહીં એક…
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દિવાળી વેકેશનની જાહેરાત કરી દેવામાં આવી છે. વેકેશન અંગે શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને શાળાઑમાં દિવાળી વેકેશન 20 ઑક્ટોબરથી 9 નવેમ્બર એટલે કે 21 દિવસનું જાહેર કરવામાં આવ્યું છે. જેમાં તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખો એક સરખી રહે તે માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 21 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે દિવાળી વેકેશન ખુલતાની સાઠે જ દ્વિતિય સેમેસ્ટરનો પ્રારંભ કરવામાં આવશે. આ અંગે મળતી વધુ માહિતી મુજબ આ વખતે દિવાળી 24 ઓકટોબરના દિવસે છે ત્યારે દિવાળી વેકેશન 20 ઑક્ટોબરથી પડતું હોવાના કારણે વેકેશન દરમિયાન વિધાર્થીઓ…
ભારત સહિત વિશ્વભરમાં મોંઘવારીએ માજા મુકી છે. તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે હવે ભારતના લોકો પર વધુ એક મોંઘવારીનો માર પડવા જઈ રહ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ત્રણ દિવસીય નાણાકીય નીતિ સમિતિની બેઠક બુધવાર 28 સપ્ટેમ્બર 2022 થી શરૂ થઈ રહી છે, જે 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. 30 સપ્ટેમ્બરે RBI ગવર્નર શક્તિકાંત દાસ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરશે. અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટ એટલે કે અડધા ટકાનો વધારો કરવાનો નિર્ણય લઈ શકે છે. રેપો રેટ 5.40 ટકાથી વધારીને 5.90 ટકા કરી શકાય છે. જો આવું થાય…
મહારાષ્ટ્રની રાજનીતિમાં બદલાવ આવ્યા બાદ ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો મળ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. જેના આવેદનમાં ચૂંટણી પંચની કાર્યવાહી પર સ્ટે મુકવાની માંગ કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં ચૂંટણી પંચે નક્કી કરવાનું હતું કે અસલી ‘શિવસેના’ કોણ છે ? ઉદ્ધવ ઠાકરેની આ લડાઈ ત્યારે શરુ થઇ હતી જયારે શિવસેનાના એકનાથ શિંદેએ બી.જે.પી સાથે મળીને નવી સરકાર બનાવી દીધી હતી. જેમાં એકનાથ શિંદેની મહારાષ્ટ્ર્ના મુખ્યમંત્રી અને દેવેન્દ્ર ફડણવીસની નાયબ મુખ્યમંત્રી તરીકેની ઘોષણા કરી હતી. ત્યારથી જ શિવસેના પાર્ટીને લઈને ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્રના નવા સીએમ એકનાથ શિંદે સામસામે આવી ગયા હતા. આ…
નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન અંતર્ગત સુરત પોલીસ દ્વારા સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતની લાલગેટ પોલીસને એક હુક્કાબાર પકડવામાં મોટી સફળતા મળી છે. પોલીસ દ્વારા 8 નસેળીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને 5 લાખ કરતાં વધારે હુક્કા સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં નશાકારક પદાર્થોનું વેચાણ કરતા ઇસમો સામે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતની લાલગેટ પોલીસે બાતમીના આધારે મોટાપાયે ચાલતા હુક્કાબાર પર રેડ કરી હતી. લાલગેટ પોલીસ દ્વારા રાણી તળાવ વિસ્તારમાં આવેલ સોની સ્ટ્રીટના નાલબંધ કોમ્પલેક્ષની દુકાન નંબર 8, 9 અને 10માં રેડ કરવામાં આવી હતી અને…
જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંઝો આબેના રાજકીય અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે પ્રધાનમંત્રી મોદી હાલમાં ટોક્યોમાં છે અને તેઓ હાલમાં તેમના અંતિમ સંસ્કારના કાર્યક્રમમાં સામેલ થઈ રહ્યા છે . આ સમારંભમાં પીએમ મોદી સહિત 20 દેશોના રાષ્ટ્રાધ્યક્ષ પણ હાજર છે. આ અગાઉ આજે સવારે રાજધાની ટોક્યો પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ જાપાની પીએમ ફુમિયો કિશિદા સાથે પણ મુલાકાત કરી હતી અને કહ્યું કે મને વિશ્વાસ છે કે, આપના નેતૃત્વમાં ભારત-જાપાનના સંબંધ વધારે મજબૂત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે જાપાનની રાજધાની ટોક્યો પહોંચ્યા અને ત્યાં જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાની સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન બંને પક્ષથી સંબંધિત લોકો હાજર…
ઉત્તર-પૂર્વ દિલ્હીના ન્યુ સીલમપુર વિસ્તારમાં ત્રણ મિત્રો દ્વારા 12 વર્ષના છોકરા પર ગેંગરેપ કરવામાં આવ્યો. જે બાદ પીડિતની હાલત બગડી છે જેને પગલે તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ સગીર છોકરાએ ઘટનાના ચાર દિવસ પછી ગુરુવારે તેના માતા-પિતાને હુમલા વિશે જણાવ્યું હતું. આ પછી તેના માતા-પિતાએ DCW ને જાણ કરી અને છોકરાને ‘ખૂબ જ નાજુક સ્થિતિમાં’ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. DCW ચીફ સ્વાતિ માલીવાલે કહ્યું કે હાલમાં છોકરાની LNJP હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને ICUમાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. 22 સપ્ટેમ્બરના રોજ પોલીસને લોક…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે અને આ દરમિયાન તેઓ અમદાવાદ, ભાવનગર, સુરત અને બનાસકાંઠામાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વિવિધ યોજનાઓ અંતર્ગત નાગરિકોની સુખાકારી માટે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, છેલ્લા એક વર્ષમાં વિવિધ વિકાસકાર્યોને વેગ આપવામાં આવ્યો છે. 30 સપ્ટેમ્બરના વડાપ્રધાન બનાસકાંઠામાં હાજર રહેશે અને અહીં આવાસ, રોડ નિર્માણ તેમજ રેલવેના કુલ ₹ 7908 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી, પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના (વિકસતી જાતિ કલ્યાણ), ડૉ. આંબેડકર આવાસ યોજના, આદિજાતિ વિભાગ અને ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના કુલ ₹ 1967 કરોડના ખર્ચે બનેલા 8633 આવાસોનું ખાતમુહૂર્ત…