What's Hot
- આજ નું પંચાંગ 9 જૂન 2025: આજે ત્રયોદશી પછી ચતુર્દશી તિથિ શરૂ થાય છે, જાણો રાહુકાલનો સમય અને શુભ મુહૂર્ત
- આજે બની રહ્યું છે સર્વાર્થ સિદ્ધિ અને રવિ યોગનું સંયોજન, આ 4 રાશિઓમાં અચાનક થશે નાણાકીય લાભ
- French Open 2025: નોવાક જોકોવિચને કારમી હારનો સામનો કરવો પડ્યો, આ ખેલાડી ફાઇનલમાં પ્રવેશ્યો; ટાઇટલનું સ્વપ્ન તૂટી ગયું
- સત્યેન્દ્ર જૈનની પાંચ કલાક પૂછપરછ કરવામાં આવી, ACB ઓફિસમાંથી બહાર આવતાની સાથે જ તેમણે ભાજપ પર નિશાન સાધ્યું
- ‘અમે કોઈ સંદેશ નહીં આપીએ, સીધા સમાચાર આપીશું’, MNS સાથે ગઠબંધનની શક્યતા પર ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
- દિલ્હી એરપોર્ટથી 114 ફ્લાઇટ રદ થશે, મુસાફરોને ત્રણ મહિના સુધી અસુવિધાનો સામનો કરવો પડશે, જાણો કારણ?
- ભારતમાં કોરોનાના કેસ 5000 ને વટાવી ગયા, 24 કલાકમાં 4 લોકોના મોત, જાણો દિલ્હી અને મહારાષ્ટ્રમાં શું સ્થિતિ છે?
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ બકરી ઇદની શુભેચ્છા પાઠવી, અભિનંદન સંદેશમાં આ વાત કહી
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
યૂપીના પ્રતાપગઢમાં 10 દિવસમાં જ પોક્સો કોર્ટે આરોપીને ઉંમરકેદની સજા સંભળાવી છે. પ્રતાપગઢની પોક્સો કોર્ટના આ ઐતિહાસિક નિર્ણય છે. પોક્સો કોર્ટના સ્પેશિયલ જજ પંકજ કુમારે કહ્યુ હતુ કે, 10 દિવસમાં જ રેપ કેસના આરોપીને ઉંમરકેદની સજા સંભળાવી છે. દોષી ભૂપેન્દ્ર સિંહ પર કોર્ટે 20 હજાર જેટલો દંડ પણ ફટકાર્યો છે. દોષી ભૂપેન્દ્ર સિંહે 12 ઓગસ્ટ 2022ના દિવસે નગર કોતવાલી વિસ્તારમાં 6 વર્ષની માસૂમ છોકરી સાથે રેપ કર્યો હતો. ત્યારે ગ્રામવાસીઓ ઘટનાસ્થળે પહોંચી જતા આરોપી ભૂપેન્દ્ર સિંહને પકડી પાડ્યો હતો. ત્યારબાદ ગ્રામીણોએ તેને ફટકાર્યો હતો અને પોલીસને સોંપ્યો હતો. નગર કોતવાલીમાં 13મી ઓગસ્ટ 2022ના દિવસે બળાત્કારનો કેસ ફાઇલ કરવામાં આવ્યો હતો.…
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા દેશના તમામ રાજ્યોને ઔદ્યોગિક સમૂહની આસપાસના વિસ્તારમાં આરોગ્ય પર થતી અસરનું આંકલન કરવા માર્ચ 2011માં આદેશ કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે વર્ષ 2012-13થી 2016 -17 સુધીમાં દરેક ગંભીર રીતે પ્રદૂષિત વિસ્તારની 3થી 5 હોસ્પિટલની માહિતી એકત્ર કરાઇ હતી. જેના આધારે દમ, શ્વાસ નળીમાં સોજો, સ્વસનતંત્રમાં ચેપી રોગવાળા 80443 દર્દીઓ નોંધાયાનું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલા કેગના અહેવાલમાં બહાર આવ્યું છે. આ દર્દીઓની વધતી જતી સંખ્યા આરોગ્ય પર હવા પ્રદુષણની અસરની ગંભીરતા દર્શાવે છે. દર્દીઓની વધતી જતી સંખ્યાને લઈને ઔદ્યોગિક મંડળોએ તજજ્ઞો દ્વારા પ્રદૂષિત વિસ્તારમાં આરોગ્ય પર અસરનું આંકલન હાથ ધર્યું હતું…
આજે 23 સપ્ટેમ્બરના દિવસે દેશભરમાં નેશનલ સિનેમા ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા તેની વિશેષ ઉજવણી કરવા જઈ રહ્યું છે જેમાં દર્શકો માત્ર 75 રૂપિયામાં મૂવી ટિકિટ્સ ખરીદી શકશે અને મલ્ટિપ્લેક્સમાં ચાલી રહેલી ફિલ્મને નિહાળી શકશે. નોંધનીય છે કે, આ ઉજવણી અગાઉ 16 સપ્ટેમ્બરે કરવામાં આવવાની હતી, પરંતુ ઘણા કારણો સર MIA દ્વારા આની તારીખ લંબાવી દેવામાં આવી છે. હવે 23 સપ્ટેમ્બરના દિવસે આ દિવસ ઉજવવામાં આવસે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. આજે ફિલ્મોને માત્ર 75 રૂપિયામાં જ દર્શકો જોવા જઈ શકશે. આની સાથે કુલ 4 હજાર સ્ક્રિન દ્વારા ઓફર કરાઈ છે. કેવી રીતે ટિકિટ…
આગામી તા. 26 સપ્ટેમ્બરથી માતાજીની આરાધનાના પર્વ નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. બે વર્ષ બાદ કોરોનાએ કેડો છોડતા ચાલુ સાલ રાજકોટમાં ઠેકઠેકાણે નવરાત્રીના આયોજનનો હાથ ધરવામાં આવ્યા છે. તેવામાં ગરબા સંચાલકોમાં ગરબાના સમયને લઇ અસમંજસમાં મુકાયા હતા. તે મુંઝવણનો હવે અંત આવી ગયો છે. નવરાત્રીને લઇ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી માહિતી આપી છે કે નવરાત્રીમાં 9 દિવસ સુધી રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે. ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા માં દુર્ગાના મહોત્સવ, નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ ,ઉત્સાહ આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને ૯ દિવસ રાત્રીના ૧૨:૦૦ સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની…
ગુજરાતમાં હવે ચોમાસાનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. બે દિવસ બાદ કચ્છમાંથી ચોમાસું વિદાય લેવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ખેલૈયાઓ માટે ફરી એક વાર માઠા સમાચાર મળી રહ્યાં છે. પહેલાંની હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રિમાં વરસાદનું જોખમ ઘટ્યું હતું. જેના કારણે ખેલૈયા ખુશખુશાલ હતા પરંતુ હવે હવામાન વિભાગ દ્વારા આગાહી બદલાઈ છે. હાલની આગાહી મુજબ નવરાત્રિમાં સામાન્ય વરસાદ તો રહેશે જ પણ જતાં જતાં વરસાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસી જશે. નવરાત્રિના દિવસો દરમ્યાન જ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના…
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા ગ્રાહકોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે. આ વખતે ફરી RBIએ બેંક લોકર સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. જો તમે કોઈપણ બેંકમાં લોકર લીધું છે અને તેમાં તમારું સોનું-ચાંદી કે અન્ય કિંમતી વસ્તુઓ રાખી છે તો આ સમાચાર ચોક્કસ વાંચો. રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, બેંકમાં લોકર લેતા ગ્રાહકોની ફરિયાદ પર રિઝર્વ બેંક (RBI)એ નિયમોમાં ફેરફાર કર્યા છે. અવારનવાર ગ્રાહકો તરફથી બેંક લોકરમાં ચોરીની ફરિયાદો આવતી હોય છે. પરંતુ હવે જો લોકરમાંથી કોઈ વસ્તુની ચોરી થશે તો ગ્રાહકને સંબંધિત બેંક તરફથી લોકરના ભાડાના 100 ગણા સુધી વળતર…
કોંગ્રેસમાં અધ્યક્ષની ચૂંટણીને લઈને ધમધમાટ શરુ થયો છે. સિનિયર નેતાઓ અશોક ગેહલોત, દિગ્વીજય, મનીષ તિવારી કે શશી થરુરના ચૂંટણી લડવાના અભરખાં જાગ્યાં છે ત્યારે હવે રાહુલ ગાંધીએ ફરી વાર અધ્યક્ષની ચૂંટણી લડવાનો ઈન્કાર કરીને સિનયિર નેતાઓનો ચૂંટણી લડવાનો માર્ગ મોકળો કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે જે કોઈ પણ કોંગ્રેસ અધ્યક્ષ બને, તેમણે ધ્યાનમાં રાખવું જોઈએ કે તે એક વિચારધારા, એક વિશ્વાસ પ્રણાલી અને ભારતની દ્રષ્ટિનું પ્રતિનિધિત્વ કરશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ એક વિચારધારા છે અને વિચારધારાનું વહન નવા અધ્યક્ષે કરવું પડશે. રાહુલ ગાંધીએ કહ્યું કે ઉદયપુરની ચિંતન શિબિરમાં અમે જે ઠરાવ કર્યો હતો કે કોંગ્રેસની પ્રતિબદ્ધતા છે અને મને…
કેરલ, તમિલનાડુ અને યુપી સહિત દેશના 10 રાજ્યોમાં NIA અને EDની ટીમોએ PFIના રાજ્યથી લઈને જિલ્લા સ્તરના નેતાઓના ઘરો પર દરોડા પાડ્યા છે અને તેમના 100થી વધુ કેડરોની ધરપકડ કરી છે. આ સંદર્ભે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના નિવાસ સ્થાને એક મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં એનએસએ, એનઆઈએના મહાનિર્દેશક, ગૃહ સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર છે. દેશભરમાં ટેરર ફંડિંગ અને કેમ્પ ચલાવવાના મામલે પીએફઆઈ એટલે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા વિરુદ્ધ મોટું અભિયાન ચલાવવામાં આવ્યું છે. કેરળ, તમિલનાડુ અને યુપી સહિત દેશના 10 રાજ્યોમાં NIA અને EDની ટીમોએ PFIના રાજ્યથી લઈને જિલ્લા સ્તરના નેતાઓના ઘરો પર દરોડા પાડ્યા…
ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે દિવાલ ધરાશાયી થવાની ઘટનાઓ વધી છે. તાજેતરની ઘટનાઓમાં કાચા મકાન અને પેટ્રોલ પંપની દિવાલ ધરાશાયી થતાં દંપતી સહિત છ લોકોના મોત થયા હતા. મૃતકોમાં ચાર સગા ભાઈ-બહેનોનો પણ સમાવેશ થાય છે. ઈટાવા જિલ્લા મેજિસ્ટ્રેટ અવનીશ રાયે 6 લોકોના મોતની પુષ્ટિ કરતા જણાવ્યું કે ઈટાવાના સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ચંદ્રપુરા ગામમાં બપોરે 1 વાગ્યાની આસપાસ એક કાચા મકાનની દિવાલ ધરાશાયી થવાને કારણે 6 લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ગામલોકોએ તેમને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો ત્યાં સુધીમાં 4 નિર્દોષ ભાઈ-બહેનોના મોત થઈ ચૂક્યા હતા. આ અકસ્માતમાં તેની દાદી અને અન્ય એક માસૂમ…
ગુજરાતમાં એક દિવસમાં 4 આંદોલનોનો અંત લાવવામાં ભૂપેન્દ્ર પટેલ સરકારને સફળતા મળી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા પૂર્વ સૈનિકો, એસ.ટી વિભાગ, વનરક્ષક બાદ આશા વર્કર મહિલાઓનું વધુ આંદોલન સમેટાયું છે. ઉપરાંત વિધાનસભાના ટૂંકા સત્રના પ્રથમ દિવસે જ ઢોર નિયંત્રણ બિલ સર્વાનુમતે પરત ખેંચવામાં આવ્યું છે. જેના કારણે માલધારી સમાજમાં ખુશીનો માહોલ સર્જાયો છે. આ વચ્ચે હવે ટીમ OPSએ સરકાર સામે બાંયો ચઢાવી છે. જૂની પેન્શન યોજના અને ગ્રેડ-પે મુદ્દે આંદોલન યથાવત છે. ત્યારે ટીમ ઓપીએસ દ્વારા પેન ડાઉનનું એલાન કરવામાં આવ્યું છે. તમામ કર્મચારીઓ પેનડાઉન કરીને આજે કામ નહીં કરે. આ ઉપરાત ટીમ ઓપીએસ દ્વારા 27 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી…