Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. શહેરના કોટ વિસ્તારમાંથી એક વ્યક્તિની ધરપરડ કરવામાં આવી છે. આ શખ્સ પાક ઇન્ટેલીજન્સ સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે સાથે જ તેસિમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હોવાનું પણ ખુલ્યું છે. પ્રાથમિક તપાસ બાદ ક્રાઇમ બ્રાંચે વધુ કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ગઇકાલે જ આ ઓપરેશન પૂર્ણ કર્યુ છે. જેમાં આ શખ્સની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ આ વ્યક્તિ અહીંથી સિમકાર્ડ પાકિસ્તાનના ઇન્ટેલિજન્સ એજન્સીને કેમ મોકલતો હતો સાથે જ તેના શું ઈરાદા છે તે વિશે તપાસ હાથ ધરવામાં આવી છે.

Read More

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે મંગળવારે કહ્યું કે પીઢ અભિનેત્રી આશા પારેખને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ‘આન મિલો સજના’ અને ‘કટી પતંગ’ જેવી ફિલ્મોમાં જોવા મળેલી બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી આશા પારેખને ‘દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2022’થી સન્માનિત કરવામાં આવી રહી છે. 60-70ના દાયકામાં પોતાની સુંદરતા અને અભિનયથી ચાહકોના દિલો પર રાજ કરનાર આશા પારેખને બોલિવૂડમાં તેમના અજોડ યોગદાન માટે આ સન્માન આપવામાં આવી રહ્યું છે. અભિનેત્રી આશા પારેખનો જન્મ 2 ઓક્ટોબર 1942ના રોજ ગુજરાતમાં થયો હતો. ગુજરાતી પરિવાર સાથે જોડાયેલા, આશા પારેખની માતા મુસ્લિમ અને પિતા ગુજરાતી હતા. 60-70ના દાયકામાં આશા પારેખ તેમની ફિલ્મો માટે જ…

Read More

અમદાવાદીઓ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં પ્રથમ વખત ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ પીએમ મોદીના હસ્તે નેશનલ ગેમ્સની શરૂઆત થાય તેના એક દિવસ પહેલા સાબરમતી નદીના કિનારે ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં પ્રથમ વખત ડ્રોન શો યોજાવા જઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ આ ડ્રોન શોમાં 600 ડ્રોન ઉડાડવામાં આવશે. જે એજન્સી દ્વારા દિલ્હી IIT માં ડ્રોન ઉડાડવામાં આવ્યા હતા તે જ એજન્સી દ્વારા ડ્રોનનો ખાસ કાર્યક્રમ યોજાશે. ખાસ વાત એ છે કે આ ડ્રોન શોમાં ઉપયોગમાં લેવામાં આવનાર તમામ ડ્રોન સ્વદેશી બનાવટના છે. અમદાવાદમાં સાબરમતીના કાંઠે સાંજે 6 કલાકે…

Read More

કેરળ હાઇકોર્ટે સોમવારે ઘરેલું હિંસાની પીડિતાને લઈને એક મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, એક સ્ત્રીને ગર્ભપાત કરવવા માટે તેના પતિની મંજૂરી લેવાની જરૂર નથી. કોર્ટે મેડિકલ ટર્મિનેશનલ પ્રેગ્નેન્સી એક્ટને ટાંકતા કહ્યુ હતુ કે, આ એક્ટ અંતર્ગત કોઈપણ સ્ત્રીને ગર્ભપાત કરાવવા માટે તેના પતિની મંજૂરી લેવી જ પડે તેવી કોઈ જોગવાઈ નથી. તેનું કારણ એ છે કે, તે સ્ત્રી જ ગર્ભાવસ્થાના તણાવ અને તાણ સહન કરતી હોય છે, જાણતી હોય છે. આ ઉપરાંત કોર્ટે જણાવ્યું હતું કે, ‘સ્ત્રીના વૈવાહિક જીવનમાં લગ્ન કર્યા પછી મેરિટલ સ્ટેટ્સમાં બદલાવનો મોટો ફેરફાર થતો હોય છે. ‘છૂટાછેડા’ નામનો શબ્દ તેને કોઈપણ રીતે…

Read More

રાજ્યના 12 હજારથી વધુ મહેસુલી કર્મચારીઓ કાલથી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર જવાના હતા જે હવે મોકૂફ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓની જુદી-જુદી માંગણીઓ તેમજ લાંબા સમયથી પડતર પ્રશ્ર્નોનું કોઇ નિરાકરણ ન આવતાં આખરે રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા તા. 27 સપ્ટેમ્બરના રોજથી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર જવાની ચિમકી ઉચ્ચરવામાં આવી હતી. જેમાં તમામ તાલુકા, શહેરના જનસેવા કેન્દ્ર, ઇ-ધરા, ઝોનલ કચેરીમાં રાશનકાર્ડની તમામ કામગીરી ઠપ્પ થઇ જવાની હતી. વધુમાં આ અંગે જાણવા મળ્યા મુજબ આવતીકાલથી શરૂ થનાર હડતાલની છેલ્લી ઘડી સુધી કર્મચારીઓને મનાવવા સરકારે પ્રયત્નો હાથ ધર્યા હતા. જેમાં તેઓને સફળતા મળી છે. મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ સાથે…

Read More

યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA) ના 77માં સત્રમાં ભારત નો ડંકો વાગી રહ્યો છે. ભારતની આર્થિક અને વિદેશ નીતિની વિશ્વના ઘણા વિકાસશીલ અને વિકસિત દેશોએ પ્રશંસા કરી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી, રશિયન વિદેશ મંત્રી સેરગેઈ લવરોવ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સહિત અન્ય નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની નીતિઓની પ્રશંસા કરી છે. યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે પણ સ્વીકાર્યું છે કે ભારત ટકાઉ વિકાસ લક્ષ્યો (SDGs) ની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આ સિવાય ફ્રાન્સ, જમૈકા અને પોર્ટુગલ જેવા દેશોએ પણ ભારતના વખાણ કર્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર પીએમ મોદીની ટિપ્પણીનો ઉલ્લેખ કરીને ફ્રાંસના રાષ્ટ્રપતિએ ભારતની પ્રશંસા કરવા માટે સૌ પ્રથમ વ્યક્તિ હતા.…

Read More

આજથી નવલા નોરતાનો પ્રારંભ થયો છે. ત્યારે યુવાધનમાં જોરદાર થનગનાટ જોવા મળી રહ્યો છે. નવરાત્રિને લઈને ગરબાપ્રેમીઓ પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. કોરોના મહામારીને પગલે બે વર્ષ સુધી લોકોને ગરબાથી દુર રહેવું પડ્યું હતું. જેના લીધે ગરબાપ્રેમીઓમાં રોષ પણ જોવા મળ્યો હતો જો કે બે વર્ષ બાદ આખરે એ અવસર આવી ગયો જયારે ગરબાપ્રેમીઓ દિલ ખોલી ગરબે ઘૂમશે. બે વર્ષ બાદ આ વખતે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ વાઈબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વાઈબ્રન્ટ નવરાત્રીને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગુજરાત ટુરીઝમ દ્વારા પહેલા દિવસે આદ્યશકિત આરાધના થીમ પર ગરબાનું આયોજન કરાયું છે. બે…

Read More

આજથી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે રાજ્યમાં ઠેરઠેર ગરબાની તૈયારીઓ થઈ રહી છે. આ સાથે નવરાત્રીમાં શક્તિપીઠનો મહિમા વિશેષ હોય છે. રાજ્યમાં વિવિધ શક્તિપીઠોમાં લોકો મોટી સંખ્યામાં દર્શન માટે આવી રહ્યા છે. નવરાત્રીમાં લોકોના ઉત્સાહની વાત કરીએ તો પાવગઢની પાવન ધરી પર પ્રથમ નોરતે શક્તિપીઠ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવી રહ્યા છે. વહેલી સવારે 5 વાગે નિજ મંદિરના દ્વાર ખુલતાની સાથે જ માતાજીના જયઘોષથી પરિસર ગુંજી ઉઠ્યું છે. લોકો મહાકાળીમાતાના દર્શન કરવા માટે દૂર દૂરથી આવી રહ્યા છે. માતાજીના દર્શન કરવા માટે મધ્યપ્રદેશ અને રાજ્યભરમાંથી પ્રથમ નોરતે પદયાત્રીઓ અને ભક્તો રાત્રે જ આવી પહોંચે…

Read More

જમ્મુ કાશ્મીરમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. સુરક્ષાદળોને અહીં મોટી સફળતા મળી છે. ભારતીય સેના અને સ્થાનિક પોલીસે કંટ્રોલ લાઈનની નજીક બે ખૂંખાર આતંકીઓને પતાવી દીધા છે. તેમની પાસે 2 AK-47 રાઈફલ, બે પિસ્તોલ અને 4 હેંડ ગ્રેનેડ જપ્ત કર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, આ અથડામણની ઘટના કુપવાડામાં કંટ્રોલ લાઈન નજીક માછિલ વિસ્તારના ટેકરી નાર ક્ષેત્રમાં થઈ છે. જમ્મુ કાશ્મીરમાં માર્યા ગયેલા આતંકીઓની પાસેથી બે એક 47 રાઈફલ, બે પિસ્તોલ અને 4 હેંડ ગ્રેનેડ જપ્ત કરાઈ છે. પોલીસ હવાલેથી કહેવાય છે કે, આતંકીઓની ઓળખાણ હાલમાં થઈ શકી નથી. કંટ્રોલ લાઈન નજીક સરહદ પારના આતંકી પોતાની કરતૂતને અંજામ આપવાની…

Read More

રાજ્યમાં ચૂંટણી નજીક આવતા દરેક પક્ષો લોકોને વચનોની લ્હાણી કરાવી રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ફૂટી રહેલા પેપર મામલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને વચન આપ્યું છે. ગુજરાતમાં આપની સરકાર બનશે તો વર્ષ 2015 પછી પરિક્ષાઓના જેટલા પેપર ફૂટ્યા છે તે મામલે તપાસ કરાવશે અને પેપર ફોડનારને 10 વર્ષની જેલ સજા થાય તેવો કાયદો લાવશે. ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટી પણ મેદાને છે અને અમદાવાદ આવેલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ અમદાવાદમાં સફાઈ કામદારો સાથે સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં સંબોધન કરતા પંજાબના સીએમ ભગવંત માન શાયરના અંદાજમાં…

Read More