Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

રાજ્ય સરકાર સામે એક પછી એક વિરોધ વધી રહ્યા છે. જ્યાં હજી જૂની પેન્શન સ્કીમ કે નિવૃત સેના જવાનોના પ્રશ્ન પર સરકાર નિરાકરણ લાવવા માટે તૈયારીઓ કરી રહી છે ત્યાં આજે જંગલના રખેવાળો એવા વનરક્ષકો અને વનપાલો ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. છેલ્લા ઘણાં સમયથી ગુજરાત રાજ્ય વન રક્ષક અને વનપાલ કર્મચારી મંડળ સરકાર સામે પોતાના ગ્રેડપે વધારાને લઈને માંગણીઓ કરી રહ્યું છે. તેમજ તેમના એલાઉન્સ અંગે પણ લાંબા સમયથી તેમણે માંગણી કરી હતી પણ જેનું નિરાકરણ હજી સુધી આવી શક્યું નથી. જેથી આજે મોટી સંખ્યામાં વનરક્ષકો અને વનપાલ આખરે પોતાની માંગણીઓ સાથે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી પર…

Read More

સંઘપ્રદેશ દમણના દરિયામાં રવિવારે દારૂનો નશો કરી નાહવા પડેલા પાંચ પર્યટકો દરિયામાં ડૂબ્યા હતા. જોકે, સ્થાનિક લોકોએ પાંચમાંથી બે લોકોને બચાવી લીધા હતા. જ્યારે ત્રણ દરિયામાં દૂર સુધી તણાઈ ગયા હતા. બનાવને લઈ સમગ્ર પ્રદેશમાં ચકચાર મચી ગઈ હતી. જેના કારણે દરિયાકિનારે દોડધામ મચી ગઈ. હતી. બનાવની જાણ થતાં દમણ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. દરિયામાં ડૂબેલા ત્રણ પર્યટકોને શોધવા પોલીસ, ફાયર બ્રિગેડ અને કોસ્ટ ગાર્ડની ટીમોએ પણ પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે, રાતનો સમય હોવાથી ફાયર બ્રિગેડની ટીમ અને તરવૈયાઓએ દરિયામાં શોધખોળ માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આથી સર્ચલાઈટની મદદથી કલાકો સુધી રાત્રે…

Read More

રાજયમાં છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. ત્યારે રવિવારે ડાંગ જિલ્લામાં અનરાધાર વરસાદ પડ્યો હતો. રવિવારે ડાંગ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા હતા જેમાં ગિરિમથક સાપુતારા સહિત આહવા, વઘઈ, સુબીર પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. ભારે વરસાદને કારણે ગામમાં નદીઓ વહેતી થઈ છે. તે ઉપરાંત વઘઈના રેસ્ટોરન્ટમાં પણ પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયેલા રહેલા ખેડૂતોનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. ખેડૂતોએ લીલો દુષ્કાળ જાહેર કરી સહાય ચૂકવવા માગ કરી છે. ડાંગ જિલ્લામાં બપોર બાદ વરસેલા અનરાધાર વરસાદને કારણે નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઇ છે. અંબિકા, ગીરા, પૂર્ણા અને ખાપરી નદી બે કાંઠે વહેતી થઈ. લો લેવવ…

Read More

નવરાત્રી આવી રહી છે ત્યારે ખેલૈયાઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાંથી હજુ સુધી વરસાદની વિદાય થઈ નથી. એટલે રેઈનકોટ અને છત્રી હાથવગા રાખજો. કારણ કે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં છેલ્લા સપ્તાહથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બંગાળની ખાડીમાં આવતીકાલે રવિવારે સરક્યુલેશન સિસ્ટમ અને એના કારણે લો પ્રેસર સિસ્ટમ સર્જાય એવી શક્યતાઓ છે. જેના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે, દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લાના પારડી, ચીખલી અને વાપી સહિતના કેટલાંક વિસ્તારોમાં ચારથી છ ઈંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારોમાં…

Read More

ઇન્ડિયન એરફોર્સે પહેલી વાર બે મહિલા કોમ્બેટ પાયલટને ચીનૂક હેલીકોપ્ટર યૂનિટને ઓપરેટ કરવાની જવાબદારી સોંપી છે. ચીનૂક હેલીકોપ્ટર સીમા પર તૈનાત જવાનોને મદદ પહોંચાડવામાં ખૂબ જ મહવની ભૂમિકા ભજવે છે. ચીનૂકનાં માધ્યમથી સીમા સુધી લાઈટ હોવિત્ઝર સુધી ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે. આ ઉત્તરી અને પૂર્વી સીમા સુધી સરળતાથી જઈ શકે છે, જ્યાં ભારત – ચીન સીમા પર તણાવની સ્થિતિ બનેલી છે. સેનાના એક અધિકારીએ જણાવ્યું કે સ્કોડન લીડર્સ પારુલ ભારદ્વાજ અને સ્વાતી રાઠોરને ચીનૂક હેલીકોપ્ટર ઓપરેટ કરવાની જવાબદારો સોંપવામાં આવી છે. તે રશિયન મૂળનાં Mi-17V5ને પહેલા ઓપરેટ કરી રહી હતી. હવે તેમને CH-47F ચિનૂક યુનિટ ચંદીગઢ અને મોહનપુરી આસામમાં ટ્રાન્સફર…

Read More

મધ્ય પ્રદેશના કરહલમાં એક સ્વસહાય જૂથના કાર્યક્રમને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે હું મારી માતાને મળવા જઈ શક્યો નહીં. પણ દેશની માતાઓના આશીર્વાદ આજે મને મળ્યા છે. પીએમે કહ્યું કે, શ્યોપુર અને કરહલના લોકોને આજથી હું 8 ચિત્તાની જવાબદારી સોંપીને આવ્યો છું. કાર્યક્રમમાં હાજર રહેલી મહિલાઓને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, કોઈ કાર્યક્રમ ન હોય તો હું વિચારુ છું કે, માતા પાસે જઈ આવું અને ચરણસ્પર્શ કરી લઉં અને આ વખતે હું મારી માતા પાસે તો નથી જઈ શક્યો, પણ આજે લાખો માતા-બહેનોએ મને આશીર્વાદ આપ્યા છે. મારા માટે ખુશીની વાત છે. પીએમ મોદીએ કહ્યું કે, કૂનો નેશનલ પાર્કમાં…

Read More

મહારાષ્ટ્રના FDAએ રાજ્યમાં જોન્સન એન્ડ જોન્સન બેબી પાઉડરના લાઈસન્સને રદ કરી દીધું છે અને રાજ્યમાં પાઉડરના નિર્માણ અને વેચાણને રોકી દેવામાં આવ્યું છે. રિસર્ચમાં એવું બહાર આવ્યું છે કે પાઉડરનું પીએચ અનિવાર્ય સીમાથી ઉપર છે. મહારાષ્ટ્ર એફડીએના સૂત્રોએ સીએનબીસી-ટીવી 18ને જણાવ્યું કે અમે કંપનીને કારણ દર્શક નોટિસ ઈસ્યુ કરીને તેને એ વાત કહેવા માટે કહ્યું છે કે તેમનું લાઈસન્સ શાં માટે રદ ન કરી શકાય. FDAએ જોન્સન એન્ડ જોન્સન બેબી પાઉડરના બે નમૂના એકત્રિત કર્યા હતા. તેમાંથી એક પુના અને બીજો નાસિકમાંથી લેવામાં આવ્યો હતો. રિસર્ચમાં એ વાત કહેવામાં આવી છે કે તે શિશુઓની ત્વચાના પાઉડર માટે નક્કી પીએચ માપદંડ…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ અમદાવાદ દ્વારા આયોજિત વિશ્વનું સૌથી મોટું રક્તદાન અભિયાન – મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનો પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ પણ ઉપસ્થિતિ રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે તેરાપંથ યુવક પરિષદ દ્વારા આ રક્તદાન અભિયાન આયોજિત કરવા બદલ સમાજના સૌ આગેવાનો અને યુવાનોને અભિનંદન પાઠવતા કહ્યું કે, આટલું મોટું આયોજન રક્તદાન માટે સૌપ્રથમવાર થઈ રહ્યું છે. નરેન્દ્ર ભાઈ મોદી હરહંમેશ સેવાના કાર્યોને જ પ્રાથમિકતા આપતા આવ્યા છે. સામાન્યમાં સામાન્ય અને છેવાડાના માનવી સુધી સરકારી યોજના પહોંચાડવા માટે નરેન્દ્રભાઈના સતત પ્રયાસો રહ્યા છે એમ તેમણે વધુમાં…

Read More

રિસર્ચ અને ઈનોવેશન ક્ષેત્રે ગુજરાત હરણફાળ ભરે અને આત્મનિર્ભર ભારત માટે યુવાનોનું સશક્તિકરણ કરવા આગામી 17 સપ્ટેમ્બર થી 15 ઓકટોબર 2022 એક મહિના સુધી સ્ટુડન્ટ રિસર્ચ ઍન્ડ ઈનોવેશન ફેસ્ટિવલની ગુજરાતમાં શરૂઆત કરવામાં આવશે. રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ ફેસ્ટીવલને ખુલ્લો મુકશે. સ્ટુડન્ટ રિસર્ચ ઍન્ડ ઈનોવેશન ફેસ્ટિવલના લોન્ચીંગ કાર્યક્રમ દરમિયાન સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઈનોવેશન પોલિસી અંતર્ગત યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને ગ્રાન્ટનું વિતરણ કરવામાં આવશે. ગુજરાત એક્રેડિટેશન એન્ડ રેકિંગ ઇન્સ્ટિટ્યુટ મિકેનીઝમ એન્ડ એરેન્જમેન્ટ – ગરીમાના લોગોનું પણ અનાવરણ કરાશે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) ના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાશે. તેમજ સ્કીમ ઓફ ડેવલપીંગ હાઈ ક્વોલીટી રીસર્ચ (SHODH) અંતર્ગત સંશોધન કર્તાઓને સહાય વિતરણ કરવામાં…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ભેટની ઈ-ઓક્શન આજથી શરૂ થઈ ગઈ છે. આજે પીએમ મોદીનો પણ જન્મદિવસ છે. આ પ્રસંગે સ્મૃતિચિહ્નો અને ભેટ વગેરેની ઈ-ઓક્શન વેબસાઈટ દ્વારા કરવામાં આવી રહી છે. પીએમ મોદીને મળેલા 1200 થી વધુ આઇકોનિક અને યાદગાર સ્મૃતિઓની આ ઇ-ઓક્શન 2 ઓક્ટોબર સુધી ચાલશે. સંસ્કૃતિ મંત્રાલયની ભેટોની ચોથી ઈ-ઓક્શનનું આયોજન કરી રહ્યું છે. 2019 માં, આ વસ્તુઓને ખુલ્લી હરાજી દ્વારા લોકો માટે મૂકવામાં આવી હતી. તે સમયે હરાજીના પ્રથમ રાઉન્ડમાં 1805 ભેટો રજૂ કરવામાં આવી હતી અને બીજા રાઉન્ડમાં 2772 ભેટો મૂકવામાં આવી હતી. 2021માં પણ પીએમ મોદીને મળેલી ભેટોની ઈ-ઓક્શન સપ્ટેમ્બરમાં કરવામાં આવી હતી. ત્યારે વેબસાઇટ દ્વારા…

Read More