What's Hot
- આજ નું પંચાંગ 9 જૂન 2025: આજે ત્રયોદશી પછી ચતુર્દશી તિથિ શરૂ થાય છે, જાણો રાહુકાલનો સમય અને શુભ મુહૂર્ત
- આજે બની રહ્યું છે સર્વાર્થ સિદ્ધિ અને રવિ યોગનું સંયોજન, આ 4 રાશિઓમાં અચાનક થશે નાણાકીય લાભ
- French Open 2025: નોવાક જોકોવિચને કારમી હારનો સામનો કરવો પડ્યો, આ ખેલાડી ફાઇનલમાં પ્રવેશ્યો; ટાઇટલનું સ્વપ્ન તૂટી ગયું
- સત્યેન્દ્ર જૈનની પાંચ કલાક પૂછપરછ કરવામાં આવી, ACB ઓફિસમાંથી બહાર આવતાની સાથે જ તેમણે ભાજપ પર નિશાન સાધ્યું
- ‘અમે કોઈ સંદેશ નહીં આપીએ, સીધા સમાચાર આપીશું’, MNS સાથે ગઠબંધનની શક્યતા પર ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
- દિલ્હી એરપોર્ટથી 114 ફ્લાઇટ રદ થશે, મુસાફરોને ત્રણ મહિના સુધી અસુવિધાનો સામનો કરવો પડશે, જાણો કારણ?
- ભારતમાં કોરોનાના કેસ 5000 ને વટાવી ગયા, 24 કલાકમાં 4 લોકોના મોત, જાણો દિલ્હી અને મહારાષ્ટ્રમાં શું સ્થિતિ છે?
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ બકરી ઇદની શુભેચ્છા પાઠવી, અભિનંદન સંદેશમાં આ વાત કહી
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
સાવરકુંડલા સહિત અમરેલી જિલ્લામાં સિંહોની સુરક્ષા હવે એસઆરપીના જવાનો કરશે. સાવરકુંડલા સહિત અમરેલી જિલ્લાના ગીર વિસ્તાર જ્યાં સિંહોનો હાલ વસવાટ છે અને રેવન્યુ વિસ્તારમાં વસતા અને ગીર જંગલના સિંહ હાલમાં વન વિભાગ દ્વારા વન વિભાગના કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે જે સંદર્ભે હડતાલ લાંબી ખેંચાતા આખરે વંતતંત્રએ એસઆરપી ના જવાનોની મદદ માગી છે અને જંગલ તથા બહારના મહત્વના પોઇન્ટ ઉપર સિંહની રક્ષા કરવા માટે એસઆરપી નો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાવરકુંડલા તેમજ ધારી ખાંભા જાફરાબાદ સહિતના રેવન્યુ વિસ્તાર ની અંદર સિંહનો વસવાટ છે જે સંદર્ભે એસઆરપીના જવાનોને સુરક્ષા માટે તે નાદ કરવામાં આવ્યા છે ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલ જેવા…
અમદાવાદના મેમનગર વિસ્તારના બસ સ્ટોપ પર આજે સવારે એકાએક BRTS બસમાં આગ લાગી હતી. ડ્રાઈવરની સમયસૂચકતાને લીધે બસમાં સવાર તમામ 40 જેટલા મુસાફરોનો જીવ બચી ગયો હતો. તો બીજી તરફ, ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને બસમાં લાગેલી આગને 10 મિનિટમાં કાબૂ લીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે 8.48 કલાકે ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે, મેમનગર વિસ્તારના BRTS બસ સ્ટોપ પર ઉભેલી BRTS બસમાં આગ ફાટી નીકળી છે. કોલ મળતા જ ફાયર વિભાગના 5 વાહનો દોડી ગયા હતા અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. માત્ર 10 મિનિટમાં આગ કાબૂમાં લીધી હતી. ઘટનાને પગલે BRTS સ્ટોપની બહાર મોટી સંખ્યામાં લોકોના…
ગુજરાતમાં રખડતાં ઢોરનો મુદ્દો વિકટ બની રહ્યો છે, ત્યારે રખડતાં ઢોર મામલે દરેક સુનાવણી દરમિયાન કોર્ટ સરકારની ઝાટકણી કાઢી રહ્યું છે. આજની કાર્યવાહીમાં કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. આજે રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રાજ્ય સરકારે મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં રખડતા ઢોર ફરતા હોય તેવા હોટસ્પોટ્સ પર સીસીટીવી ઇન્સ્ટોલ કરાશે. રખડતા ઢોરના ત્રાસની ફરિયાદ 100 નંબર પર કરી શકાશે. રખડતા ઢોરના ત્રાસની ફરિયાદ માટે રાજ્ય સરકાર અલાયદો ટોલ ફ્રી નંબર જાહેર કરશે. અરજદારે કોર્ટમાં રજુઆત કરતા જણાવ્યું હતું કે, માત્ર અમદાવાદમાં જ છેલ્લા એક વર્ષમાં રખડતા ઢોરની 5000 જેટલી ફરિયાદો…
એસટી નિગમના માન્ય સંગઠનોની સંકલન સમિતિ દ્વારા એસટી નિગમના કર્મચારીઓની પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આંદોલનની નોટિસ આપવામાં આવી છે. વાહનવ્યવહાર મંત્રીની અધ્યક્ષતામાં 20 ઓક્ટોબર 2021ના રોજ બેઠક મળી હતી. જેમાં લેખિત સમાધાન કરવામાં આવ્યું હતું. આર્થિક મુદાને લઈ ચુકવણી અમલવારીના આદેશ આપ્યો હતો પરંતુ તેની પુરેપુરી અમલવારી ન થતાં ફરી કર્મચારીઓ સરકારને ઘેરવાના મૂડમાં છે. 23 ઓગસ્ટના પણ રજુઆત કરવામાં આવી હતી.પરંતુ કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઈ નજર અંદાજ કરવામાં આવતા કર્મચારીઓ રોષ જોવા મળ્યો. સંકલન સમિતિએ નોટિસ આપી આંદોલનનો કાર્યક્રમ પણ જાહેર કરી દીધો છે. 16 સપ્ટેમ્બરના ટેક્ષ મેસેજ , ટ્વિટર ઉપર તેમજ સ્ટેટસ રાખી પોતાની માંગણીઓ રજુ કરશે. 17થી…
ગુજરાત સરકાર લાભ પાંચમથી વર્ષ ૨૦૨૨-૨૩માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરશે. તા.29 ઓકટોબર-2022થી 90 દિવસ સુધી કરવાનો રાજ્ય સરકારે ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય કર્યો છે. આ અંગે વધુ વિગતો આપતાં મંત્રીએ કહ્યું કે, ખેડૂતોના હિતને ધ્યાને રાખી ખરીફ ઋતુમાં પાકનું ટેકાના ભાવે ખરીદીનું રાજ્ય સરકારનું સઘન આયોજન છે. વર્ષ 2022-23માં ટેકાના ભાવે ખરીદી માટે સેન્ટ્રલ નોડલ એજન્સીને મદદરૂપ થવા રાજ્ય નોડલ એજન્સી તરીકે ગુજકોમાસોલની નિમણૂંક કરવામાં આવી છે. ખેડૂતોએ તા.25 સપ્ટેમ્બર થી તા.24 ઓકટોબર, 2022 દરમિયાન નોંધણી કરાવવાની રહેશે. ખેડૂતોની નોંધણી ગ્રામ્ય કક્ષાએથી ઇ-ગ્રામ કેન્દ્રો પરથી VCE મારફતે કરવામાં આવશે. નોંધણી…
આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે અમદાવાદ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મણિનગર ખાતે આવેલી મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત (મેટ) એલ. જી મેડિકલ કોલજનું નામ બદલીને નરેન્દ્ર મોદી મેટ કોલજ રાખવાનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટી દ્વારા લેવામાં આવ્યો છે. તાજેતરમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની મળેલી સામાન્ય સભામાં નિર્ણય લેવામાં આવ્યો છે. . આ અંગેની સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મુકવામાં આવી હતી. જેથી દરખાસ્તને કોર્પોરેશનમાં સર્વાનુમતે મંજુરી મળી જતા હવે મેડિકલ કોલેજનું નામ બદલીને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ કરવામાં આવશે. જો કે નોંધનીય છેકે અમદાવાદમાં કોઇ સ્થાપત્યનું નામ બદલવામાં આવી રહ્યું હોય. અગાઉ સરદાર વલ્લભભાઇ…
કોલકાતા મેટ્રો ઐતિહાસિક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જે અંતર્ગત દેશમાં પહેલીવાર ગંગા નદીની નીચે મેટ્રો દોડશે. એટલું જ નહીં, જો બધું બરાબર રહ્યું તો આવતા વર્ષે જાન્યુઆરી સુધીમાં દેશને એશિયાનું બીજું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન પણ મળી જશે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હવે અંતિમ તબક્કામાં છે. ઇસ્ટ-વેસ્ટ મેટ્રો પ્રોજેક્ટ હેઠળ, કોલકાતાના સોલ્ટ લેક સેક્ટર-5ને હાવડા મેદાન સાથે જોડતા મહત્વાકાંક્ષી મેટ્રો પ્રોજેક્ટ હેઠળ મેટ્રો ગંગા (હુગલી) નદીની નીચેથી દોડશે. દેશમાં આ પ્રકારનો આ પ્રથમ મેટ્રો પ્રોજેક્ટ છે. આ સાથે હાવડા શહેરને આવતા વર્ષે જાન્યુઆરી સુધીમાં એશિયાનું બીજું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન મળશે. હાવડા સ્ટેશનની નીચે બની રહેલું મેટ્રો સ્ટેશન ઘણી…
આજે ગાંધીનગર ખાતે ભારતીય કિસાન સંઘ અને આરોગ્યકર્મીઓ આંદોલનના માર્ગે ઉતર્યા છે. ભારતીય કિસાન સંઘ દ્વારા ગાંધીનગરમાં કૂચ કરવામાં આવી. છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતો માટે કિસાન સંઘ આંદોલન કરી રહ્યું છે. ત્યારે ખેડૂતોની બલરામ ભવનથી વિધાનસભા તરફ કૂચ કરવામાં આવી. તમને જણાવી દઇએ કે, છેલ્લા કેટલાય દિવસથી ખેડૂતો ગાંધીનગર ખાતે ધરણા પર બેઠા છે. ભારતીય કિસાન સંઘ દ્વારા ગાંધીનગરમાં કૂચ દરમ્યાન સરકાર દ્વારા રચાયેલી સમિતિ પર કિસાન સંઘે પ્રહાર કરતા કહ્યું કે, “સરકારે રચેલી સમિતિ CM સુધી યોગ્ય વાત પહોંચાડતી નથી. સરકાર દ્વારા રચાયેલી સમિતિને ખેડૂતો માટે સમય નથી. સરકાર દ્વારા રચાયેલી સમિતિના 5 સભ્યો એક સાથે બેસતા નથી. ખેડૂતોના…
ahગુજરાત સરકાર સંચાલિત ગોત્રી હોસ્પિટલમાં લિફ્ટ ખોટકાતા 15 જેટલા દર્દીના સગા ફસાયા હતા. ત્યારે ફાયરબ્રિગેડને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે અમદાવાદમાં લિફ્ટ પડતા 7 શ્રમિકોના મોત નીપજ્યા હતા. ત્યારે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં પણ મોટી દુર્ઘટના ટળી છે. મળતી માહિતી પ્રમાણે, જ્યારે દર્દીના સગા હોસ્પિટલમાં તેમને મળવા આવ્યા હતા. ત્યારે લિફ્ટમાં બેઠાં હતા અને અચાનક જ લિફ્ટ ખોટકાતા બંધ પડી ગઈ હતી અને 15 દર્દીના સગા લિફ્ટમાં અટવાઈ ગયા હતા. ત્યારે ફાયરબ્રિગેડને તાત્કાલિક આ ઘટનાની જાણ કરવામાં આવી હતી અને તમામનું રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે ભારે જહેમત…
રાજ્યમાં આગામી ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે દૂધસાગર ડેરીના નાણાંકીય ગોટાળા સંદર્ભે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે દ્રારા ધરપકડ કરવામાં આવતાં રાજકીય હડકંપ મચી જવા પામ્યો છે. ગત મોડીરાત્રે રાત્રે ધરપકડ કરવામાં આવી છે. દૂધ સાગર ડેરીના 320 કરોડના નાણાકીય ગોટાળા સંદર્ભે આ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 17 બેનામી કંપનીઓ ઊભી કરીને ઉક્ત રકમ બારોબાર ટ્રાન્સફર લેવાઈ હોવાના ગંભીર આક્ષેપો કરાયા હતા. જેને લઇને મહેસાણા એસીબીમાં ફરિયાદ પણ નોંધાઇ હતી. જેને લઇને વિપુલ ચૌધરી અને તેમના CAની અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેમને ACBને સોંપવામાં આવશે. મહેસાણા એસીબી પોલીસ…