Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ગુજરાત રાજ્યમાં ફરી એકવાર બરોબરનો વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના ભાગરૂપે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને આગામી સમયમાં રાજ્યમાં તોફાની પવન અને કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે અને સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વધુ વરસાદ ખાબકી શકે છે. ગત 24 કલાકમાં રાજ્યમાં 33 જિલ્લા અને 205 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 155 મીમી વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી રાજ્યમાં 113 ટકા વરસાદ…

Read More

યુપીના લખીમપુરમાં બુધવારે બે બહેનોના મૃતદેહ ઝાડ પર લટકેલા મળી આવતા હડકંપ મચી ગયો છે. જેમના મૃતદેહ મળ્યા છે તે બંને સગી બહેનો છે. આ મામલો લખીમપુર ખેરીના નિગાસન કોતવાલીનો છે. આ મામલે ADG કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારનું નિવેદન આવ્યું છે. લખનૌ રેન્જના આઈજીએ પણ આ ઘટનાની તપાસ શરૂ કરી છે. જ્યારે આ કેસમાં પીડિતાની માતાએ ગંભીર આરોપ લગાવ્યા છે. આ ઘટનામાં પોલીસે ચાર લોકોને કસ્ટડીમાં લીધા છે. ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લાના નિગાસન કોતવાલી વિસ્તારના તમોલિનપુરવા ગામમાં ગઈકાલે રાત્રે દલિત સમુદાયની બે બહેનો ઝાડ પર લટકતી હાલતમાં મળી આવતા હોબાળો મચી ગયો હતો. આ મામલામાં પરિવારે છોકરીઓને બળજબરીથી…

Read More

કેનેડાના ટોરન્ટો સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભારત વિરોધી નારેબાજી અને તોડફોડ પર ભારતે વિરોધ જતાવ્યો છે. ભારતે કેનેડાની સરકારને કાર્યવાહી કરવાની અપીલ કરી છે. ટ્વીટમાં ભારતીય હાઈ કમિશને અપરાધીઓ વિરુદધ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર ખાલિસ્તાન સમર્થક વાતો લખવામાં આવી છે. ભારતીય હાઈ કમિશનની ટ્વીટ પહેલા અનેક કેનેડિયન સાંસદો અને હિન્દુઓએ સ્વામિનારાયણ મંદિરમાં ભારત વિરોધી નારાઓની ટીકા કરી છે. હાઈ કમિશને પોતાની ટ્વીટમાં લખ્યું છે કે ‘અમે ટોરન્ટો સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભારત વિરોધી ગતિવિધિઓની નિંદા કરીએ છીએ. કેનેડિયન પ્રશાસન આ મામલે ગંભીરતાથી તપાસ કરે અને અપરાધીઓ વિરુદ્ધ કડક પગલાં ભરે.’ કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ…

Read More

ગુજરાતની જિવાદોરી નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળસપાટી પૂર્ણ કક્ષાએ એટલે કે ૧૩૮.૬૮ મીટરે પહોંચી છે. આના પરિણામે જળાશયમાં ૪.૭૩ મિલીયન એકર ફૂટ એટલે કે પ.૭૬ લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચવાની ગૌરવ ઘટનામાં સહભાગી થઇ મા નર્મદાના નીરના વધામણા ગુરૂવારે સવારે એકતાનગર પહોંચીને કર્યા હતા. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે સરદાર સરોવર નર્મદા ડેમ ર૦૧૯ અને ર૦ર૦ પછી આ વર્ષે ત્રીજીવાર પૂર્ણ જળાશય સપાટીએ છલકાયો છે. એકતાનગર ખાતે નમામી દેવી નર્મદે ના મંત્રોચ્ચાર સાથે આયોજિત નર્મદા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા હતા અને મા નર્મદાના…

Read More

ગિરનારમાં પડેલા ભારે વરસાદને પગલે એક સિંહણ પાણીના પ્રવાહમાં તણાઈ હતી. ગિરનાર પર્વત પર બે દિવસ પહેલા સાત ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. થોડા જ સમયમાં એક સાથે ધોધમાર વરસાદ ખાબકી જતા નદીઓમાં પૂર આવ્યા હતા. આ દરમિયાન ડેરવાણ નજીક રેવન્યુ વિસ્તારમાં પાણીના પ્રવાહમાં એક સિંહણનો મૃતદેહ તરતી હાલતમાં મળી આવ્યો હતો. જે બાદમાં સિંહણનો મૃતદેહ કાઢીને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સિંહણનું મોત પાણીમાં ડૂબી જવાથી થયું હોવાનું સામે આવ્યું છે. વન વિભાગનું અનુમાન છે કે 24 કલાક પહેલા સિંહણનું મોત થયું હોઈ શકે છે. મૃતક સિંહણની ઉંમર પાંચથી નવ વર્ષ હોઈ શકે છે.…

Read More

સુપ્રીમ કોર્ટે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને જય શાહનો કાર્યકાળ વધારવાની મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈને તેના બંધારણમાં સુધારો કરવાની મંજૂરી આપી દીધી છે. બીસીસીઆઈના પ્રેસિડન્ટ, સેક્રેટરી અને બીજા હોદ્દેદારોના કાર્યકાળ માટે નિયમોમાં ફેરફાર કરવા સંબંધિત એક અરજી પર સુનાવણી કરી રહી હતી. સુનાવણી બાદ સુપ્રીમે એવો ચુકાદો આપ્યો કે અમારુ માનવું છે કે બીસીસીઆઈના બંધારણમાં ફેરફાર કરતી વખતે મૂળ હેતુમાં કોઈ ફેરફાર ન થવો જોઈએ. સુપ્રીમના ચુકાદા બાદ હવે અધ્યક્ષ પદે ગાંગુલી અને સેક્રેટરી પદ જય શાહનો કાર્યકાળ 3 વર્ષ સુધી વધી શકે છે. બીસીસીઆઇ તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને હિમા…

Read More

ઓમાનની રાજધાની મસ્કતમાં એર ઈન્ડીયાની એક ફ્લાઈટ સાથે મોટી દુર્ઘટના ટળી ગઈ છે. મસ્કત એરપોર્ટ પરથી કેરળના કોચી તરફ આવી રહેલી એર ઈન્ડીયાના વિમાનના એન્જિનમાં આગ લાગી હતી જેને કારણે ફ્લાઈટમાં ધૂમાડો ફેલાયો હતો. આ સમયે ફ્લાઈટમાં 145 પ્રવાસીઓ બેઠા હતા જેઓ કોચી આવી રહ્યાં હતા. 145 પ્રવાસીઓમાં 4 નવજાત પણ હતા જેમને તમામને વિમાનમાંથી સહિસલામત બહાર કાઢી લેવાયા હતા અને ટર્મિનલની બિલ્ડિંગમાં શિફ્ટ કરી દેવાયા હતા. તમામ પ્રવાસીઓ સહિ સલામત છે અને કોઈ પણ પ્રકારની નુકશાનની ખબર નથી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 145 ભારતીય પ્રવાસીઓ માટે બીજી ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે.…

Read More

પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશના પાંચ રાજ્યોની જાતિઓને અનુસૂચિત જનજાતિમાં સામેલ કરવામાં આવી છે. તેમાં ઉત્તર પ્રદેશના 13 જિલ્લામાં ગોંડ જાતિના લોકોને અનુસૂચિત જાતિમાંથી હટાવીને અનુસૂચિત જનજાતિમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગોંડ જાતિની પાંચ પેટા જાતિઓ – ધુરિયા, નાયક, ઓઝા, પાથરી અને રાજગોંડને પણ અનુસૂચિત જનજાતિની યાદીમાં સામેલ કરવામાં આવી છે. બાકીના રાજ્યોની એસટી સમુદાયની વિગતો પછીથી જાહેર કરવામાં આવશે. આ વર્ષે માર્ચમાં, સરકારે લોકસભામાં બંધારણ (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ) આદેશ (બીજો સુધારો) બિલ, 2022 રજૂ કર્યું હતું. ઉત્તર પ્રદેશની ગોંડ, ધુનિયા, નાઈક, ઓઝા પાથરી અને રાજગોંડ જાતિઓને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની જોગવાઈ કરતું…

Read More

મહારાણી એલિઝાબેથ દ્વિતીયના રાજકીય અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ યુનાઇટેડ કિંગડમ જશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 17-19 સપ્ટેમ્બર 2022ના ભારત સરકાર તરફથી સંવેદના વ્યક્ત કરવા માટે લંડન, યુનાઇટેડ કિંગડમ જશે. મહારાણીના અંતિમ સંસ્કાર 19 સપ્ટેમ્બરે વેસ્ટમિંસ્ટર એબ્બેમાં 2000 વીઆઈપી મહેમાનોની હાજરીમાં થશે. મહારાણી એલિઝાબેથ દ્વિતીયના રાજકીય અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં રાષ્ટ્રાધ્યક્ષોને સામેલ થવાની આશા છે. બ્રિટનમાં આ દિવસે રજા જાહેર કરવામાં આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન પણ મહારાણીના અંતિમ સંસ્કારમાં સામેલ થશે. આ સિવાય ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મેક્રોન અને કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો પણ લંડન જશે. બ્રિટનના દિવંગત મહારાણી એલિઝાબેથનું પાર્થિવ શરીર મંગળવારે સાંજે સ્કોટલેન્ડથી લંડન પહોંચ્યું…

Read More

અમદાવાદ શહેરમાં મોટી દુર્ઘટના ઘટી છે. ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી એસ્પાયર 2 નામની બિલ્ડિંગનું બાંધકામ ચાલુ હતુ. આ દરમિયાન બાંધકામમાં વપરાતી લિફ્ટ સાતમા માળેથી અચાનક તૂટીને નીચે પડી હતી. જેના કારણે 6 શ્રમિકોના મોત નીપજ્યા છે. આ સાથે બે લોકો ગંભીર રીતે ઘાયલ હોવાની માહિતી મળી રહી છે. હાલ પોલીસના મોટા અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચીને ત્યાં વધુ તપાસ કરી રહ્યા છે. પોલીસ અધિકારીઓ આ નિર્માણાધીન બિલ્ડિંગ સાથે સંકળાયેલા લોકોની પણ તપાસ કરી રહ્યા છે. આ અંગે આસપાસના સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, તેઓ આ દુર્ઘટના જ્યાં ઘટી ત્યાં પાસેની બિલ્ડિંગમાં જ કામ કરે છે. તેઓ જ્યારે સવારે 10 વાગ્યાની આસપાસ અહીં આવ્યા…

Read More