What's Hot
- આજ નું પંચાંગ 9 જૂન 2025: આજે ત્રયોદશી પછી ચતુર્દશી તિથિ શરૂ થાય છે, જાણો રાહુકાલનો સમય અને શુભ મુહૂર્ત
- આજે બની રહ્યું છે સર્વાર્થ સિદ્ધિ અને રવિ યોગનું સંયોજન, આ 4 રાશિઓમાં અચાનક થશે નાણાકીય લાભ
- French Open 2025: નોવાક જોકોવિચને કારમી હારનો સામનો કરવો પડ્યો, આ ખેલાડી ફાઇનલમાં પ્રવેશ્યો; ટાઇટલનું સ્વપ્ન તૂટી ગયું
- સત્યેન્દ્ર જૈનની પાંચ કલાક પૂછપરછ કરવામાં આવી, ACB ઓફિસમાંથી બહાર આવતાની સાથે જ તેમણે ભાજપ પર નિશાન સાધ્યું
- ‘અમે કોઈ સંદેશ નહીં આપીએ, સીધા સમાચાર આપીશું’, MNS સાથે ગઠબંધનની શક્યતા પર ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
- દિલ્હી એરપોર્ટથી 114 ફ્લાઇટ રદ થશે, મુસાફરોને ત્રણ મહિના સુધી અસુવિધાનો સામનો કરવો પડશે, જાણો કારણ?
- ભારતમાં કોરોનાના કેસ 5000 ને વટાવી ગયા, 24 કલાકમાં 4 લોકોના મોત, જાણો દિલ્હી અને મહારાષ્ટ્રમાં શું સ્થિતિ છે?
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ બકરી ઇદની શુભેચ્છા પાઠવી, અભિનંદન સંદેશમાં આ વાત કહી
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અમદાવાદના એક રીક્ષા ડ્રાઈવેર તેના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું હતું. જે બાદ અરવિંદ કેજરીવાલને લઇ રીક્ષા ડ્રાઈવર ઘાટલોડિયાના દંતાણી નગરમાં તેના ઘરે પહોંચ્યો હતો. જ્યાં અરવિંદ કેજરીવાલ રીક્ષા ડ્રાઈવર સાથે જમ્યાં હતા. અરવિંદ કેજરીવાલે રીક્ષા ડ્રાઈવરના ઘરે જમ્યા બાદ જણાવ્યું હતું કે વિક્રમભાઈ અને તેમના પરિવારે મને જમાડ્યો અને ખૂબ જ સારું જમવાનું બનાવ્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે રીક્ષા ડ્રાઈવર્સ, ટ્રેડર્સ અને વકીલો સાથે સંવાદ કર્યો હતો. રીક્ષા ડ્રાઈવરો સાથે સંવાદ દરમિયાન એક રીક્ષા ડ્રાઈવર વિક્રમભાઈ દંતાણીએ અરવિંદ કેજરીવાલને તેના ઘરે જમાવા માટે આમંત્રણ આપ્યું હતું. અરવિંદ કેજરીવાલે રીક્ષા ડ્રાઈવર વિક્રમભાઈનું આમંત્રણ સહજ…
મંકીપોક્સ વાયરસના દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. આ વાયરસ હવે દુનિયાના અનેક દેશોમાં પગપેસારો કરી ચૂક્યો છે. જેમ જેમ તેના દર્દીઓ વધી રહ્યા છે તેમ તેમ તેના નવા લક્ષણો પણ સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં તેના પ્રમુખ લક્ષણોમાં શરીરમાં ફોલ્લા પડવા અને અન્ય લક્ષણ ફ્લૂ જેવા જોવા મળ્યા છે. પરંતુ હાલમાં જ ઈ-ક્લીનિકલ મેડિસિન જર્નલમાં પ્રકાશિત એક રિસર્ચમાં તેના કેટલાક નવા લક્ષણો વિશે પણ જણાવવામાં આવ્યું છે. આ લક્ષણો એવા છે કે જેના વિશે સાંભળીને તમે પરેશાન થઈ શકો છો. ન્યૂરોલોજિકલ કોમ્પ્લિકેશન્સ જોખમી રિસર્ચર્સનું માનીએ તો થોડા સમય પહેલા રિસર્ચ દરમિયાન મગજ પર સ્મોલ પોક્સની અસર ચેક…
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ અલગ-અલગ સરકારી વિભાગના કર્મચારીઓએ સરકાર સામે મોરચો માંડ્યો છે. રાજ્યના અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓના 150 સંગઠનના હોદ્દેદારોએ આજે સૂત્રોચાર સાથે પોતાની માંગણીઓને લઈને આવેદન પાઠવ્યું છે. રાજ્યમાં ચૂંટણીનો માહોલ ગરમાઇ રહ્યો છે અને તેની સાથે-સાથે રાજ્ય સરકારોને અન્ય સહકારી વિભાગના કર્મચારીઓ છે એ પોતાની જૂની માંગણીઓને લઈને ઉગ્ર બની રહ્યા છે. રાજકોટમાં સતત બીજો દિવસ છે જ્યારે રાજ્ય સરકારના વિવિધ ઘટકના કર્મચારીઓ આજે પોતાની માગણીઓને લઈને રેલી કાઢી સાથે કલેક્ટર કચેરીઓ ઉમટ્યા હતા. જેમાં એસટી પરિવહન વિભાગના લોકોએ મોંઘવારી ભથ્થામાં વધારો થાય તેવી માગ કરી હતી. જીઇબીના કર્મચારીઓએ 7 માં પગાર પંચ ભાથાની માગ કરી હતી.…
રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ફરી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ગુજરાતના 127 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં ભાવનગરના મહુવામાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જોકે, હજુ પણ ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ વરસાદની આગાહી ગુજરાતભરમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે. તો ત્રણ દિવસ ભારે વરસાદ રહેશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ કે, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ રહેશે. તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. ગુજરાતમાં ત્રણ દિવસ…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ગ્રીન શિપ રિસાયક્લિંગનું હબ બનવા માટે ગુજરાત પાસે પૂરતું પોટેન્શ્યલ છે. ગ્રીન શિપ રિસાયક્લિંગ ક્ષેત્રે નવા સ્ટાર્ન્ડડ સેટ કરવાની ગુજરાતની નેમ છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં શિપ રિસાયક્લિંગ એન્ડ વ્હીકલ સ્ક્રેપ પોલિસી અંગેના ઇન્ટરનેશનલ સેમિનારમાં મુખ્ય અતિથિ તરીકે સંબોધન કર્યું હતું. ભારત સરકારના શિપીંગ, પોર્ટસ-વોટર વેઝ મંત્રાલય તેમજ ગુજરાત મેરિટાઇમ બોર્ડ અને ફેડરેશન ઓફ ઇન્ડીયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આ દ્વિદિવસીય ઇન્ટરનેશનલ સેમિનાર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાઇ રહ્યો છે. ભારત સરકારના શીપીંગ, પોર્ટસ, વોટરવેઝ મંત્રી સર્બાનંદ સોનોવાલ તથા રાજ્યના શિક્ષણ સાયન્સ ટેક્નોલોજી મંત્રી જીતુભાઇ વાઘાણી તથા નોર્વે અને ડેન્માર્ક રાષ્ટ્રો સહિત ભારતના…
ભરૂચના નબીપુર નજીક રેલવેની અપલાઈનનો પાટો તૂટ્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે સદનસીબે કોઇ પણ પ્રકારની દુર્ઘટના નથી ઘટી. ગેંગમેનની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી ગઇ. ગેંગમેનને ચેકિંગ દરમ્યાન તૂટેલી હાલતમાં પાટો મળી આવતા તાત્કાલિક ધોરણે વડોદરાથી ભરૂચ તરફ જતી 3 ટ્રેનોને નબીપુર-પાલેજ પાસે ઉભી રાખી દેવાઇ. નબીપુર નજીક રેલવેની અપલાઈનનો પાટો તૂટવાના કારણે અમદાવાદ-દિલ્હી-મુંબઈનો ટ્રેન વ્યવહાર પણ 30 મિનિટ સુધી ઠપ રહ્યો હતો. મહત્વનું છે કે, ઠંડી અને ગરમીના કારણે રેલવેના પાટા સંકોચાવાની વિસ્તરણની ઘટના દરમ્યાન હજારો ટન વજનની ટ્રેન પુરપાટ ઝડપે ટ્રેક ઉપરથી પસાર થાય ત્યારે આ પ્રકારની ટ્રેક ફેક્ચરની ઘટના ઘટતી હોય છે. તમને જણાવી દઇએ કે,…
રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આ વચ્ચે સુરત સહિત રાજ્યના ઘણા શહેરોમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ ભરડો લીધો છે. એક તરફ કોરોના તો બીજી તરફ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. જે રીતે રોગચાળો વકરી રહ્યો છે તેને જોતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. શહેરમાં કોરોનાના કેસ કરતા પણ બમણી ગતીથી મચ્છજન્ય રોગચાળાના કેસ વધી રહ્યા છે. વરસાદી સિઝનમાં મચ્છરજન્ય અને પાણીજન્ય બીમારી ધરાવતા દર્દીઓની સંખ્યા વધી છે, ત્યારે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ દવા છંટકાવ અને ફોગિંગ જેવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, ગણેશ ઉત્સવ બાદ કોરોનાના…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે ગ્રેટર નોઈડામાં આવેલા ઈંડિયા એક્સ્પો માર્ટ એન્ડ સેન્ટરમાં વર્લ્ડ ડેરી સમિટનું ઉદ્ધાટન કર્યું છે. તેમના નોઈડા આગમને લઈને સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. સુરક્ષાને ધ્યાને રાખતા 6 હજાર પોલીસ જવાનોની ડ્યૂટી લગાવામાં આવી હતી. આ દરમિયાન મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી પુરુષોત્તમ રુપાલા અને સીએમ યોગી આદિત્યનાથ પણ પીએમ મોદી સાથે હાજર રહ્યા હતા. આપને જણાવી દઈએ કે, સાંજ સુધીમાં આ સંમેલનમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. તો વળી પીએમ મોદીના કાર્યક્રમને લઈને જિલ્લા પ્રશાસન હાઈ એલર્ટ પર છે. તો વળી સુરક્ષાને ધ્યાને રાખતા ઠેકઠેકાણે સીસીટીવી કેમેરા લગાવ્યા છે. 5 જિલ્લામાં લગભગ 6000…
વારાણસીની જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો છે. જ્ઞાનવાપી મામલામાં હિન્દુ પક્ષની અરજીનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આ અરજીની વધુ સુનાવણી 22 સપ્ટેમ્બરે હાથ ધરાશે. કોર્ટે અરજી અંગે કહ્યું હતું કે આ કેસ સાંભળવા લાયક છે. વિશ્વ વૈદિક સનાતન સંઘના પ્રમુખ જીતેન્દ્ર સિંહ બિસેને જણાવ્યું કે કોર્ટે હિન્દુ પક્ષની દલીલનો સ્વીકાર કર્યો છે અને મુસ્લિમ પક્ષના આ અંગેના તમામ વાંધાઓને ફગાવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ મામલામાં મુસ્લિમ પક્ષે વર્ષ 1991ના વર્શિપ એક્ટને ટાંકીને દલીલ કરતા પરિસરમાં દર્શન-પૂજાની પરવાનગી બાબતે વાંધો વ્યક્ત કર્યો હતો. હિન્દુ પક્ષના વકીલ સોહનલાલ આર્યએ કોર્ટની બહાર કહ્યું કે પ્રત્યેક કાશીવાસીને નિવેદન છે કે શાંતી જાળવી…
જામનગર નજીક વિજરખી ફાયરિંગ રેન્જમાં અજીબ કિસ્સો બન્યો હતો. ફાયરિંગની પ્રેક્ટિસ દરમિયાન ત્યાંથી પસાર થતા પરપ્રાંતીય ખેત મજૂરને ગોળી વાગી હતી. જેથી મજૂર યુવકને તાત્કાલિક જીજી હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની પ્રાથમિક વિગતો મુજબ, જામનગર નજીક વિજરખી ફાયરિંગ રેન્જ આવેલી છે. જ્યાં રોજ ફાયરિંગની પ્રેક્ટિસ કરવામાં આવે છે. રોજના મુજબ આજે પણ ફાયરિંગની પ્રેક્ટિસ કરવામા આવી રહી હતી એ સમયે મધ્યપ્રદેશનો મૂળ રહેવાસી અને જામનગરના વિજરખી ગામમાં ખેતીમાં મજૂરી કામ કરતો 35 વર્ષીય યુવક દરિયાભાઈ ત્યાંખી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન તેને ગોળી વાગી હતી. દરિયાભાઈને ગોળી વાગતા તે ગંભીરી રીતે ઈજાગ્રસ્ત થયો હતો. યુવાનને તાત્કાલિક જીજી…