Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

છેલ્લા બે માસથી આંદોલન પર ઉતરેલા કિસાનોના આંદોલનનો સરકાર દ્વારા માંગણીઓને સંતોષવાની બાંહેધરી આપતા આંદોલનનો ઉકેલ આવ્યો છે અને આખરે કિસાનોએ આંદોલન સમેટવાનો નિર્ણય કરી લીધો છે. ત્યારે આ મુદ્દે 4 મંત્રીઓની સાથે લગભગ 3 થી વધુ વખત બેઠક કરવામાં આવી હતી. જે બાદ આજે ગુજરાત સરકારના પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ આ મામલે આજે પત્રકાર પરીષદ યોજી ખેડૂતોની માંગણીઓનો સ્વિકાર કરીને કેટલાક મહત્વના નિર્ણયો જાહેર કરતા આજે ખેડૂતોએ તેમના આંદોલનને સમેટવાનો નિર્ણય કરી લીધો છે. જીતુભાઈ વાધાણી આજે ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ લાવવા પત્રકાર પરિષદ આયોજી હતી જેમાં તેમણે કહ્યુ હતુ કે ,’સરકાર તમામ પ્રશ્નો માટે હકારાત્મક છે. રાજ્ય સરકારે સ્વૈચ્છિક લોડ…

Read More

ઈઝરાયેલમાં એક ભારતીય કિશોરની ઇઝરાયલમાં હત્યા કરવામાં આવી છે. મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે, હત્યા કરાયેલ કિશોર ઉત્તર-પૂર્વીય ભારતીય યહૂદી સમુદાયના બ્નેઈ મેનાશેના રહેવાસી છે. જે એક વર્ષ કરતા પણ ઓછા સમય પહેલા ભારતથી ઇઝરાયેલ આવીને વસ્યો હતો. આ કિશોરની ઉત્તરી ઇઝરાયેલી શહેર કિરયત શમોનામાં એક બર્થ ડે પાર્ટીમાં ઝઘડો થયા બાદ છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, 18 વર્ષીય યોએલ લેહિંગહેલ જે આ વર્ષની શરૂઆતમાં પોતાના પરિવાર સાથે ભારતથી ઇઝરાયલ આવ્યો હતો. તેણે નોફ હાગલિલ સ્થિત તેના ઘરેથી નોર્થ તરફ મુસાફરી કરી હતી અને ભારતથી આવેલા એક મિત્ર અને સાથી ઇમિગ્રન્ટની સાથે મુલાકાત…

Read More

ચંદ્રયાન-2 પરના એક્સ-રે સ્પેક્ટ્રોમીટર વર્ગે પ્રથમ વખત ચંદ્રની સપાટી પર સોડિયમ શોધી કાઢ્યું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ આ જાણકારી આપી છે કે, ચંદ્ર પર વિપુલ પ્રમાણમાં સોડિયમ મળી આવ્યું છે, અને આ પહેલી વખત બન્યું છે જ્યારે ચંદ્ર પર સોડિયમ જોવા મળ્યું છે. ચંદ્રયાન-1 એક્સ-રે ફ્લોરોસેન્સ સ્પેક્ટ્રોમીટર (C1XS) એ એક્સ-રેમાં તેની લાક્ષણિક રેખામાંથી સોડિયમ શોધી કાઢ્યું છે, જે હવે ચંદ્ર પર કેટલું સોડિયમ છે તે શોધવા માટે મેપિંગ કરાઈ રહ્યું છે. નેશનલ સ્પેસ એજન્સી ISROએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘ધ એસ્ટ્રોફિઝિકલ જર્નલ લેટર્સ’માં પ્રકાશિત થયેલા એક લેખમાં ચંદ્રયાન-2 એ પ્રથમ CLASS (ચંદ્રયાન-2 લાર્જ એરિયા સોફ્ટ એક્સ-રે…

Read More

સુરતમાં હજીરા ખાતે ગઈ કાલે રાત્રે એક બોટ ડૂબી ગયાની ઘટના સામે આવી છે. હજીરા ખાતે જહાજોને જેટી પર લાવવા માટે ટગનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હજીરામાં ટગમાં બેઠેલા 10 જેટલા કંપની સ્ટાફના કર્મચારીઓ સાથે દરિયામાં ડૂબ્યા હતા. જેમાથી આઠ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે બે લોકોની હજી પણ શોધખોળ કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ હાલ બે લોકોની શોધખોળ કરી રહી છે. ટગ બોટનો ઉપયોગ મોટા ભાગે મોટા જહાજો સુધી જેટીને લઈ જવા માટે કરવામાં આવતો હોય છે. મળતી વિગતો પ્રમાણે બોટમાં એસ્સાર કંપનીના 10 કર્મચારીઓ સવાર હતા. જેમાંથી બે લોકો હજી પણ લાપતા છે. બોટમાં રસોઈયા…

Read More

3 વર્ષનું પ્લાનિંગ, 4 અભિયાનો, ગાઢ જંગલોમાં 2 અઠવાડીયાની ખતરનાક યાત્રા બાદ આખરે અમેઝોનના જંગલોમાંથી સૌથી ઊંચા ઝાડ સુધી વૈજ્ઞાનિકોની એક ટોળકી પહોંચવામાં સફળ રહી છે. આ ઝાડ એક 25 માળની ઈમારત જેટલું ઊંચું છે, આ વિશાળ ઝાડની નીચે પહોંચ્યા બાદ વૈજ્ઞાનિકોએ તેના પાન, માટી અન અન્ય નમૂના એકઠા કર્યા છે. જેની તપાસ કરવામાં આવશે કે હકીકતમાં આ ઝાડ કેટલા વર્ષ જૂનુ છે. આ ઝાડ આમ તો 400થી 600 વર્ષ જુનૂ હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. વૈજ્ઞાનિકો એ વાતને લઈને હેરાન છે કે, આ વિસ્તારમાં આટલુ મોટુ ઝાડ કેમ છે. સાથે જ એ વાતની પણ શોધ કરી રહ્યા…

Read More

કોરોના વાયરસ વિરુદ્ધ ઉપયોગમાં લેવાતી મેસેન્જર રાઈબોઝ ન્યૂક્લિક એસિડ એટલે કે, mRNA વેક્સિનને લઈને ચોંકાવનારા સમાચારો આવ્યા છે. ફ્લોરિડાના સર્જન જનરલ ડો. જોસેફ એ લાડાપોએ શનિવારે ચેતેવણી આપતા કહ્યું કે, mRNA કોવિડ વેક્સિન ન લગાવવાની ભલામણ કરી છે. તેમણે કહ્યું કે, આ કોરોના વેક્સિન લગાવવાથી હાર્ટ અટેકનો ખતરો વધી જાય છે. ખાસ કરીને 18થી 39 વર્ષની ઉંમરવાળા પુરુષોમાં હ્દય સંબંધી મોતનો ખતરો વધી જાય છે. સમાચાર એજન્સી એનએનઆઈના જણાવ્યા અનુસાર, સર્જન જોસેફ લાડાપોએ ટ્વિટ કરીને જણાવ્યુ છે કે, આજે અમે કોવિડ mRNA વેક્સિન પર વિશ્લેષણ જાહેર કર્યુ છે, જેને લઈને જનતાને જાગૃત કરવાની જરુર છે. આ વિશ્લેષણથી જાણવા મળે છે…

Read More

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે શુક્રવારે રેલમંત્રી ચરોતરનગરી આણંદની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે મધ્ય ગુજરાતના લોકોને મોટી ભેટ આપી છે. આણંદ રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન તરીકે વિકસિત કરવા માટેની મંજૂરી આપી છે. દેશમાં 199 રેલવે સ્ટેશનોને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે માસ્ટર પ્લાન ચાલી રહ્યો છે. આ અંતર્ગત અમદાવાદ બાદ હવે આણંદ રેલવે સ્ટેશનને પણ વર્લ્ડ ક્લાસ બનાવવામાં આવશે. આણંદ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોડૅ દ્વારા કેન્દ્રીય‌ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવની વિશેષ ઉપસ્થિતિમાં જી.એચ પટેલ કોલેજ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજી ખાતે ‘ડ્રાઇવિંગ ડબલ એન્જિન યુવા સંવાદ’ યોજાયો હતો. રેલવે મંત્રી સાથેની મુલાકાત દરમિયાન…

Read More

આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. બીજી તરફ તેમની વિરુદ્ધ રાજ્યના વિવિધ શહેરોમાં પોસ્ટર્સ લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે પાંચમી ઓક્ટોબરે દિલ્હીના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ બૌદ્ધ ધર્મના એક કાર્યક્રમમાં ગયા હતા. જ્યાંનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, મંત્રીની હાજરીમાં લોકોને શપથ લેવડાવવામાં આવી હતી કે તેઓ હિન્દુ દેવી દેવતાઓની પૂજા નહીં કરે અને ન તો ઈશ્વરને માનશે, બોદ્ધ ધર્મનો આ કાર્યક્રમ વિજયાદશમી પર કરોલબાગના રાની ઝાંસી રોડ પર આવેલા આંબેડકર ભવનમાં થયો હતો. જેમાં તેઓ સામૂહિક રીતે લોકોનું ધર્મ પરિવર્તન કરાવતા જોવા મળ્યા હતા. જેના…

Read More

રાજકોટ બ્રહ્મ સમાજના અગ્રણી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. બ્રહ્મ સમાજના અગ્રણી હર્ષિત જાની પર છરી વડે હુમલો કરાયો છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ તેમની પર હુમલો કરવામાં આવ્યો છે. જ્યારે ઇજાગ્રસ્ત હર્ષિત જાનીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે પોલીસ કાફલો દોડી આવ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. નોંધનીય છે કે, હર્ષિત જાની ગૃહમંત્રીના નજીકના વ્યક્તિ છે. બ્રહ્મ સમાજના યુવા અગ્રણી હર્ષિત જાની પર છરી વડે હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. તેમની પર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ઇમરજન્સી વોર્ડ નજીક છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, રાજકોટના નાણાવટી…

Read More

કેન્દ્ર સરકારે વાયુસેના દિવસ પર ઈંડિયન એરફોર્સમાં ઓફિસર માટે હથિયાર વેપન સિસ્ટમ બ્રાન્ચની સ્થાપનાને મંજૂરી આપી દીધી છે. વાયુસેના પ્રમુખ વીઆર ચૌધરીએ તેના વિશે જાણકારી આપતા કહ્યું કે, આઝાદી બાદ પહેલી વાર IAF એક નવી અભિયાનગત શાખા બનાવવા જઈ રહી છે. આ શાખા બનવાથી સરકારને ઉડાન પ્રશિક્ષણના ખર્ચામાં કાપ કરીને 3400 કરોડ રૂપિયાથી વધઆરેની બચત કરવામાં મદદ મળશે. એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરીએ ચંડીગઢમાં IndianAirForceDay સમારંભના અવસર પર પોતાના સંબોધનમાં કહ્યું કે, ગત વર્ષે, ભારતીય વાયુસેનાએ પોતાના પડકારોનો સામનો કર્યો અને તમામ મોર્ચા પર ખરી ઉતર્યા. આ નોન કાઈનેટિક અને નોન લીથલ વોરફેરનો જમાનો છે અને તેને યુદ્ધની સમગ્રપણે…

Read More