What's Hot
- આજ નું પંચાંગ 9 જૂન 2025: આજે ત્રયોદશી પછી ચતુર્દશી તિથિ શરૂ થાય છે, જાણો રાહુકાલનો સમય અને શુભ મુહૂર્ત
- આજે બની રહ્યું છે સર્વાર્થ સિદ્ધિ અને રવિ યોગનું સંયોજન, આ 4 રાશિઓમાં અચાનક થશે નાણાકીય લાભ
- French Open 2025: નોવાક જોકોવિચને કારમી હારનો સામનો કરવો પડ્યો, આ ખેલાડી ફાઇનલમાં પ્રવેશ્યો; ટાઇટલનું સ્વપ્ન તૂટી ગયું
- સત્યેન્દ્ર જૈનની પાંચ કલાક પૂછપરછ કરવામાં આવી, ACB ઓફિસમાંથી બહાર આવતાની સાથે જ તેમણે ભાજપ પર નિશાન સાધ્યું
- ‘અમે કોઈ સંદેશ નહીં આપીએ, સીધા સમાચાર આપીશું’, MNS સાથે ગઠબંધનની શક્યતા પર ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
- દિલ્હી એરપોર્ટથી 114 ફ્લાઇટ રદ થશે, મુસાફરોને ત્રણ મહિના સુધી અસુવિધાનો સામનો કરવો પડશે, જાણો કારણ?
- ભારતમાં કોરોનાના કેસ 5000 ને વટાવી ગયા, 24 કલાકમાં 4 લોકોના મોત, જાણો દિલ્હી અને મહારાષ્ટ્રમાં શું સ્થિતિ છે?
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ બકરી ઇદની શુભેચ્છા પાઠવી, અભિનંદન સંદેશમાં આ વાત કહી
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
ગુજરાતભરમાં કોંગ્રેસ દ્વારા આજે સાંકેતિક બંધનું એલાન આપવામાં આવ્યું છે. રાજ્યમાં વધી રહેલી બેરોજગારી અને મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે લોકોને સવારે 8 થી 12 સુધી બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતભરના અલગ-અલગ જિલ્લાઓમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા વેપારીઓને મળીને બંધના એલાનને સમર્થન આપવા અપીલ કરાઈ હતી. ત્યારે કોંગ્રેસના સાંકેતિક બંધને લઇને લોકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. રાજ્યમાં વધી રહેલી બેરોજગારી અને મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા પ્રતિકાત્મક બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે આ અંગે જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગઈકાલથી આખુ કોંગ્રેસનું વરિષ્ઠ નેતૃત્વ કોંગ્રેસના તાલુકા અને જિલ્લાના આગેવાનો વેપારીઓની સાથે સંપર્કમાં છે. એકેએક દુકાન પર જઈને…
બાળકો સાથે હવાઈ મુસાફરી કરતા મા-બાપ માટે રાહતના સમાચાર છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બાળ મુસાફરો માટે નવું નજરાણું બનાવવામાં આવ્યું છે. બોર્ડિંગ ગેટ પહેલાં સુરક્ષા હોલ્ડ એરિયામાં બાળકો માટે પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે. ટોય જોય ટેલ્સનાં નવાં આઉટલેટમાં 6 મહિનાથી 10 વર્ષની વયના બાળકો સ્વચ્છ, સલામત, મનોરંજક અને નિયંત્રિત વાતાવરણમાં સક્રિય રમતગમતનો આનંદ માણી શકે છે. SVPI એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ પર આ નવીન સુવિધા પ્રવાસીઓની સફરમાં આકર્ષણ ઉમેરશે. બાળકો મુક્ત પણે રમી શકે તે સુનિશ્ચિત કરવા માટે રમતગમતના વિસ્તારને સંપૂર્ણ સલામતી સાથે સંચાલિત કરવામાં આવ્યો છે. એટલું જ નહીં બાળકોની ચિંતા કર્યા વિના માતા-પિતા મુક્તપણે…
મહામારી પછીના સૌથી મોટા ટ્રાવેલ ટ્રેડ શો ટીટીએફ અમદાવાદનું આજે ભવ્ય સમાપાન થયું હતું, જેમાં ગુજરાત અને પશ્ચિમ ભારતમાંથી મોટી સંખ્યામાં ટ્રાવેલ ટ્રેડ જોવા મળ્યો હતો. ત્રણ દેશ અને 22 રાજ્યોના 700થી વધુ વિક્રમી પ્રદર્શકો સાથે ટીટીએફ અમદાવાદ અત્યાર સુધીનો સૌથી મોટી ઈવેન્ટ બની હતી. આ શોએ મહામારી પછી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ટ્રાવેલમાં નોંધપાત્ર પુનરુત્થાન થયાનો સ્પષ્ટ પુરાવો પૂરો પાડ્યો હતો. દાયકાઓથી ટીટીએફ, ટ્રાવેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે એકબીજાને મળવા, નેટવર્કિંગ અને વ્યવસાય કરવા માટેનું સર્વોત્તમ પ્લેટફોર્મ રહ્યું છે. મહામારી પછી ભારતમાં ટ્રાવેલ અને ટુરિઝમના મજબૂત પુનરાગમન માટે આ શોનું મહત્વ, શો ફ્લોર પર થયેલા ટર્ન-આઉટ દ્વારા સ્પષ્ટ થઈ…
આગામી 2024 વિધાનસભાની ચૂંટણી તૈયારીઓ ભાજપ હાઇકમાન્ડે શરૂ કરી દીધી છે. વિવિધ રાજ્યોના ભાજપ પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને હાઇકમાન્ડે મોટી જવાબદારી આપી છે. રૂપાણીને પંજાબ અને ચંડીગઢના પ્રભારી બનાવવામાં આવ્યા છે. વિજય રૂપાણીને સંગઠનનો બહોળો અનુભવ છે, ત્યારે પાર્ટી તેમના અનુભવનો ઉપયોગ પંજાબમાં કરવામાં માગે છે. ભાજપ દ્વારા રાજ્યોના નવા પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે. જે અનુસાર, પશ્ચિમ બંગાળના મંગલ પાંડે, હરિયાણાના પ્રભારી વિપ્લવ દેવ, બિહાર પ્રભારી વિનોદ તાવડેને પ્રભારી, ઓમ માથુર છત્તીસગઢના પ્રભારી, ઝારખંડના લક્ષ્મીકાંત બાજપેઈ, કેરલના પ્રકાશ જાવડેકર, મધ્યપ્રદેશના મુરલીધર રાવ, પંજાબના વિજય રુપાણી, તેલંગણાના તરુણ ચુગ, રાજસ્થાનના અરુણ સિંહ, ત્રિપુરાના…
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલનો ભાવ ગગડ્યો છે. ત્યારે ક્રૂડ ઓઇલનો ભાવ છેલ્લા સાત મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. આજે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 92 ડોલર પ્રતિ બેરલની આસપાસ ટ્રેન્ડ કરે છે. પરંતુ દેશમાં આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર છે. 21મી મેએ કેન્દ્ર સરકારે છેલ્લી વાર પેટ્રોલ-ડીઝલન એક્સાઇડ ડ્યૂટી ઓછી કરી હતી. આ પછી સમગ્ર દેશમાં પેટ્રોલ 9.50 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા પ્રતિ લિટર સસ્તું થયું હતું. એક્સપર્ટનું કહેવું છે કે, આવનારા દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 2થી 3 રૂપિયા ઓછા થઈ શકે છે. આ પહેલાં ફેબ્રુઆરીમાં ક્રૂડ ઓઇલ 90 ડોલર પ્રતિ બેરલની આસપાસ હતું, જે જૂનમાં 125 ડોલર પ્રતિ બેરલે…
બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન પર ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 11 સપ્ટેમ્બરે ભારતમાં રાષ્ટ્રીય શોક મનાશે. આ દિવસે રાણી એલિઝાબેથના સન્માનમાં ભારતમાં રાષ્ટ્રધ્વજ અડધી ઝુકાવવામાં આવશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે તેમને આપણા સમયના દિગ્ગજ તરીકે યાદ કરવામાં આવશે. તેમણે તેમના દેશ અને લોકોને પ્રેરણાદાયી નેતૃત્વ પૂરું પાડ્યું. તેમણે જાહેર જીવનમાં ગૌરવ અને શાલીનતા દર્શાવી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, “મહારાણી મહારાણી એલિઝાબેથ દ્વિતીયને આપણા સમયની પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવશે.તેમણે જાહેર…
પીએમ નરેન્દ્ર મોદી હમણાં છેલ્લે જ્યારે ગુજરાત મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે એરપોર્ટ પર અંદાજે બે કલાક વિવિધ અધિકારીઓ સાથે મુલાકાત કરીને વિવિધ પ્રોજેક્ટ્સના અપડેટ્સ લીધા હતા. આ દરમિયાન તેમણે સૌથી વધુ ભાર ટુરિઝમ પર મૂક્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ નવી ટૂરિઝમ પટ્ટી ડેવલપ કરવાથી લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મ્યુઝિયમ બનાવાને લઇને સૂચનો આપ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતને ટૂરિઝમ હબ બનાવાની દિશામા પ્રયત્નશીલ છે, જેને લઇને રાજ્ય સરકાર આવતીકાલે ટૂરિઝમ માટે એક પ્રોત્સાહન પોલિસી જાહેર કરશે. આવતીકાલે શનિવારે અમદાવાદમાં ગુજરાત સિને ટૂરિઝમ પોલિસીનું લોન્ચિંગ કરવામાં આવશે. આ પોલિસી અંતર્ગત આવનારા દિવસોમાં ગુજરાતમાં ફિલ્મ સીટી ફિલ્મ પ્રોડક્શન, ટીવી પ્રોડક્શન…
દેશની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડશે. ત્યારે આજે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ પહોંચી હતી અને ટ્રાયલ લેવાયું હતું. સંભવાના વ્યક્ત કરવામાં આવી રહી છે કે દિવાળી પહેલાં આ ટ્રેન શરૂ થઇ જશે. ગુજરાતમાં આ પ્રકારની પ્રથમ ટ્રેન હશે. અમદાવાદ-દિલ્હીની વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેનના ટ્રેકનું નિર્માણ કાર્ય પુરૂ થતાં પહેલાં કવચ ટેક્નોલોજીવાળી વંદે ભારત ટ્રેન અમદાવાદ-મુંબઇ વચ્ચે અઠવાડિયામાં 6 દિવસ દોડશે. આ ટ્રેનમાં કમ્ફર્ટ સીટ્સ સાથે વિશાળ વિન્ડો, CCTV, વેક્યુમ આધારિત ટોયલેટ, સ્લાઈડિંગ ડોર જેવી આધુનિક સુવિધાઓનો લાભ મળશે. સેમી હાઈ સ્પીડ ટ્રેનની 180 km પ્રતિ કલાકે દોડવાની ક્ષમતા ધરાવે છે. હાલ જ્યાં અમદાવાદથી મુંબઈ 8-9…
ભારત અને ચીન એશિયાની બે સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. વિશ્વના અન્ય દેશો ચીન-ભારતમાં રોકાણ કરે તે માટે બંને સરકારોએ તેના પર ઘણો ભાર મૂક્યો છે. તેઓએ દરેક રીતે વ્યવસાય માટે અનુકૂળ વાતાવરણ બનાવીને મૂડીવાદીઓને તેમના દેશમાં રોકાણ કરવા આકર્ષ્યા છે. જ્યારે ચીને બુલેટ ટ્રેન દ્વારા દરેકના દિલ જીતી લીધા છે, ત્યારે ભારતે અનેક સેટેલાઇટ લોન્ચ કરીને આખી દુનિયામાં પોતાનો ઝંડો ઊંચો કર્યો છે. ચાલો જાણીએ એવા કયા ક્ષેત્રો છે જેમાં ભારત ચીન કરતા આગળ છે. નાણાકીય ક્ષેત્ર ભારત અને ચીન બંને બજાર તરફી અર્થતંત્ર છે. ચીને 1978માં પ્રો માર્કેટ તરફ પહેલું પગલું ભર્યું હતું. બીજી તરફ, ભારતે સૌ પ્રથમ…
આજે વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં ગણેશ વિસર્જન થનાર છે, ત્યારે શહેર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુત્રિમ વિસર્જન કુંડ બનાવી ગણેશ વિસર્જન માટેનું આગોતરું આયોજન કર્યું છે. ત્યારે ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પોલીસ પુરતી તકેદારી રાખવામાં આવી છે. ત્યારે વડોદરાના માણેજામાં રાત્રે નિકળેલી ગણેશ વિસર્જનની સવારીમાં છુટ્ટા હાથની મારામારીની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના માણેજા ગામમાં રાત્રે ગણેશ વિસર્જનની સવારી નિકાળવામાં આવી હતી. જેમાં ડીજેમાં ડાન્સર કરવા બાબતે છુટ્ટા હાથની મારામારીનો બનાવ બન્યો હતો. વિસર્જનની સવારી દરમિયાન ત્રણ માથાભારે શખ્સો ડીજેમાં ડાન્સ કરવા ઘૂસી ગયા હતા અને ડીજે ડાન્સ કરતી વખતે મંડળના…