Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

દિલ્હી પોલીસે અનિલ ચૌહાણ નામના એક શાતિર કાર ચોરની ધરપકડ કરી છે, જેણે અત્યાર સુધી 5000થી વધુ ગાડીઓની ચોરી કરી છે અને પોતાના નામે એક મંદિર પણ બનાવી રાખ્યું છે. સેન્ટ્રલ દિલ્હીના ડીસીપી શ્વેતા ચૌહાણે જણાવ્યું કે આ શાતિર ચોર 90ના દાયકાથી ગાડીઓની ચોરી કરી રહ્યો છે. તેમણે કહ્યું કે આ માસ્ટર થીફ છે અને 90ના દાયકાથી ગાડીઓ ચોરી રહ્યો છે. તેમણે જણાવ્યું કે જે પણ ઓટો લિફ્ટર છે આ તેનો ગુરૂ છે અને તે દિલ્હી એનસીઆરમાં ગાડીઓ ચોરે છે. તેણે જણાવ્યું કે તે ગાડીઓ ચોરીને તેને અલગ-અલગ રાજ્યમાં વેચી દે છે. તેણે અત્યાર સુધી ચોરેલી ગાડીઓને નેપાળ અને અસમમાં…

Read More

અંબાજી ધામમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાત સહિત દેશભરમાંથી મા અંબાના દર્શનાર્થે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે. યાત્રાળુઓને શ્રેષ્ઠ સુવિધાઓ મળે તે માટે, આ વર્ષે પવિત્ર યાત્રાધામ બોર્ડની સાથે મળીને CRDF (CEPT રિસર્ચ અને ડેવલપમેન્ટ ફાઉન્ડેશન) દ્વારા વિવિધ વિભાગો સાથે સંકલન કરીને અંબાજી ખાતે યાત્રાળુઓ માટેની સુવિધાઓના આયોજનની સમીક્ષા કરવામાં આવી રહી છે. સાથે જ યાત્રાળુઓ માટે બહુવિધ સુવિધાઓના પ્લેસમેન્ટ, પાર્કિંગ ફેસેલિટીની ડિઝાઈન અને એનાઉન્સમેન્ટ સિસ્ટમ પર પણ CRDF દ્વારા કામ કરવામાં આવ્યું છે. ત્યારે પહેલીવાર મેળામાં ખાસ ટેકનોલોજી મૂકાઈ છે. મેળામાં બાળકો ખોવાઈ જવાના અનેક બનાવો બનતા હોય છે. ત્યારે મેળામાં ખોવાઈ જતા બાળકોને હવે QR…

Read More

નિટ યુજીન 2022નું પરિણામ જાહેર થઇ ગયુ છે. દેશના ટોપ 50 વિદ્યાર્થીઓમાંથી ગુજરાતના 5 વિદ્યાર્થીઓનું નામ સામેલ છે. ગુજરાતમાં ઝીલ વ્યાસ નામની વિદ્યાર્થી પ્રથમ ક્રમાંકે આવી છે. ઝીલે 99.99 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. તો દેશમાં રાજસ્થાનની તનિક્ષા પ્રથમ આવી છે. નોંધનીય છે કે, આ પરીક્ષા 12 સામાન્ય વિજ્ઞાન બાદ મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવે છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ NEET નું પરિણામ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓ neet.nta.nic.in લિંક પર જઇને તેમના પરિણામો, સ્કોર્સ અને રેન્ક જોઇ શકે છે. આ વર્ષે NEET UG પરીક્ષા માટે કુલ 18,72,343 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. તેમાંથી 17,64,571 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી…

Read More

ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે. જોકે, અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી પાંચ દિવસ અંગે વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદની શક્યતા નહિવત છે. જોકે, આગામી 10મી સપ્ટેમ્બર પછી ગુજરાતમાં વરસાદનું જોર વધશે. આગામી 10થી 12મી સપ્ટેમ્બર દરમિયાન વરસાદની આગાહી આપવામાં આવી છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદનું જોર વધશે. આગાહી પ્રમાણે ત્રણ દિવસ બાદ રાજ્યમાં અનેક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ અમદાવાદ, ગાંધીનગરમાં 10મી તારીખ બાદ સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદ નહીં રહે…

Read More

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બુધવારે કહ્યું હતું કે દેશની આર્થિક વૃદ્ધિ સરકારની પ્રાથમિકતા છે અને મોંઘવારી એક મર્યાદા પર આવી ગઈ છે જ્યાં તેને નિયંત્રિત કરવું વધુ મુશ્કેલ નહીં હોય. ઈન્ડિયા આઈડિયાઝ સમિટના ઉદ્ઘાટન સત્ર પછી બોલતા, તેમણે કહ્યું કે અમારું ધ્યાન રોજગાર સર્જન અને સંપત્તિના સમાન વિતરણ જેવી મૂળભૂત બાબતો પર વધુ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ભારતની ડિજિટલ ક્રાંતિએ યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા માટે રોકાણની તકો ઊભી કરી છે. ડિજિટલ કોમર્સ માટે ભારતના ખુલ્લા નેટવર્કે રિટેલ અને મેન્યુફેક્ચરિંગમાં ક્રાંતિ લાવી છે. નાણામંત્રીએ કહ્યું કે તેઓ આ સંબંધમાં નવા સૂચનોને જોવાનો, સમસ્યાઓ સમજવા અને શક્ય હોય ત્યાં સુધી તેનો…

Read More

સુરતના ગણેશ ઉત્સવના આયોજકો સામાજિક કાર્યો માટે પંડાલ બનાવે છે, રક્તદાન, અંગદાન, ભારતના પ્રવાસન, દેશના વિવિધ મંદિરોની મુલાકાત લે છે અને લોકોને જાગૃતિના સંદેશા આપે છે. તેના દ્વારા ભક્તોને વિવિધ પ્રકારના સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ વર્ષે રાંદેરના યુવા મંડળે બાળકો અને યુવાનોને શહીદ સ્વાતંત્ર્ય સેનાનીઓથી માહિતગાર કર્યા હતા, જ્યારે કૈલાશ નગરના યુવા મંડળે દેશના નિર્માણમાં યોગદાન આપનાર તમામ રાષ્ટ્રપતિઓ અને વડાપ્રધાનોનો ભક્તોને પરિચય કરાવવા માટે પંડાલ બનાવ્યો છે. બંને પંડાલ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પંડાલ શહીદ સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનની સ્મૃતિને જીવંત રાખે છે: રાંદેરના ટીમલા મોહલ્લાના ખલાસી બાલ યુવક મંડળે શહીદ સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદને જીવંત…

Read More

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ કેન્દ્ર અને દિલ્હી સરકારની સત્તાના અવકાશના વિવાદાસ્પદ મુદ્દાની સુનાવણી માટે 27 સપ્ટેમ્બરની અંતિમ તારીખ નક્કી કરશે. બંધારણીય બેંચ હાર્ડ કોપીને બદલે અરજીઓ અને દસ્તાવેજોની સોફ્ટ કોપીનો ઉપયોગ કરીને મામલાની યાદી બનાવશે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે આ મામલાની સુનાવણી ગ્રીન બેન્ચની જેમ કરવામાં આવશે. કોઈપણ ફાઈલો કે કાગળોની હાર્ડ કોપી સાથે લાવશો નહીં. આ સંદર્ભે રજીસ્ટ્રી વકીલોને બે દિવસની તાલીમ પણ આપશે. જણાવી દઈએ કે, કોર્ટના કામકાજને પેપરલેસ બનાવવાની દિશામાં આ પગલું પર્યાવરણ સુરક્ષાના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, આ પ્રક્રિયા દ્વારા સંપૂર્ણ પારદર્શિતા પણ જાળવવામાં આવશે. આ ઉપરાંત કુદરતી સંસાધનોની પણ…

Read More

આવકવેરા વિભાગે નોંધાયેલ અમાન્ય રાજકીય પક્ષો સામે કરચોરીના સંદર્ભમાં ઘણા રાજ્યોમાં દરોડા પાડ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોના હવાલાથી આ માહિતી આપી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ તમામ રાજકીય પક્ષો પર શંકાસ્પદ ભંડોળ એકત્ર કર્યા બાદ કરચોરીનો આરોપ છે. કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પંચની ભલામણ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. જો કે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સૂત્રોએ જણાવ્યું કે ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા અને કેટલાક અન્ય રાજ્યોમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આવકવેરા વિભાગ દ્વારા રજિસ્ટર્ડ અનરિક્ગ્નાઇઝ્ડ પોલિટિકલ પાર્ટીઝ (RUPP) અને તેમની સંલગ્ન સંસ્થાઓ, ઓપરેટરો અને અન્યો સામે સંકલિત કાર્યવાહી શરૂ…

Read More

આ વખતે દિલ્હીમાં પણ દિવાળી ફટાકડા વગરની રહેશે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે બુધવારે કહ્યું કે રાષ્ટ્રીય રાજધાનીમાં 1 જાન્યુઆરી સુધી તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. તેમણે કહ્યું કે આ પ્રતિબંધ ફટાકડાના ઓનલાઈન વેચાણ પર પણ લાગુ છે. તેમણે ટ્વિટર પર કહ્યું કે દિલ્હીના લોકોને પ્રદૂષણના ભયથી બચાવવા માટે ગત વર્ષની જેમ આ વખતે પણ તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે, જેથી લોકોનો જીવ બચી શકે. જાઓ દિલ્હીના લોકોને પ્રદૂષણના ભયથી બચાવવા માટે ગત વર્ષની જેમ આ વખતે પણ તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને…

Read More

અમદાવાદમાં હચમચાવી દે તેવો સામૂહિક આત્મહત્યાનો કિસ્સો બન્યો છે. એક પોલીસ કર્મીએ પોતાના નાનકડા પરિવાર સાથે સામુહિક આપઘાત કર્યો છે. પોલીસ કોન્સ્ટેબલે તેમની પત્ની અને ત્રણ વર્ષની માસુમ દીકરી સાથે મોડી રાત્રે બે વાગ્યે એપાર્ટમેન્ટના બારમા માળેથી નીચે કૂદી મોત વ્હાલુ કર્યું છે. પોલીસ પરિવારે ગોતાના દીવા હાઇટ્સના બારમા માળેથી નીચે પડતું મૂકી સામૂહિક આત્મહત્યા કરી છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ શાખામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ભરતસિંહ યાદવે પોતાના પરિવાર સાથે આત્મહત્યાનુ પગલુ લેતા પોલીસ બેડામાં શોકની લાગણી ફરી વળી છે. કુલદીપ યાદવે પત્ની રિદ્ધિબેન તથા 3 વર્ષની દીકરી આકાંક્ષા સાથે મોડી રાત્રે બે વાગ્યે આપઘાત કર્યો છે. આપઘાત…

Read More