Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

કોંગ્રેસ આજથી સમગ્ર દેશમાં ‘ભારત જોડો યાત્રા’ની શરૂઆત કરશે. જેમાં 150 દિવસમાં 3500 કિલોમીટર જેટલું અંતર ફરીને મોંઘવારી સહિત વિવિધ મુદ્દાઓની લોકો સાથે ચર્ચા કરશે. તેટલું જ નહીં, લોકોને એક થવા માટે પણ આહ્વાન કરશે. આ ભારત જોડો યાત્રામાં મુખ્ય 3 મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેમાં આર્થિક સમાનતા, સામાજિક ભેદભાવ અને રાજકીય રીતે અતિશય કેન્દ્રિકરણ સામેલ છે. થોડા દિવસ પહેલાં ગુજરાત આવેલા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રવક્તા દેવાશિષ જરારીયાએ જણાવ્યું હતું કે, ‘આજના સમયમાં આ પ્રવાસની ખૂબ જ જરૂર હતી. છેલ્લા 8 વર્ષમાં મોંઘવારી, બેરોજગારી, સામાજિક તણાવ અને ભાંગી પડેલી સંસ્થાઓને ભયાનક અનુભવ થઈ રહ્યો છે. ત્યારે ભારત…

Read More

રવિવારે થયેલા માર્ગ અકસ્માતમાં ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાઇરસ મિસ્ત્રીનું નિધન થઈ ગયું હતું. આ વિશે કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દુખ વ્યક્ત કર્યું છે. તો કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હવે પાછળની સીટ પર બેઠેલી વ્યક્તિઓએ પણ સીટ બેલ્ટ પહેરવો પડશે. દંડની યોજના તૈયાર ગડકરીએ કહ્યુ કે તેમનું મંત્રાલય તેવા લોકો પર દંડ ફટકારવાની યોજના બનાવી રહ્યું છે, જે લોકો કારમાં સીટ બેલ્ટ વગર સફર કરે છે, ભલે તે આગળ કે પાછળ ગમે તે સીટ પર બેઠા હોય. હવે તેના પર જલદી દંડ ફટકારવામાં આવશે. નવી દિલ્હીમાં આયોજીત IAA ગ્લોબલ સમિટમાં પહોંચેલા ગડકરીએ સાઇરસ મિસ્ત્રી વિશે મીડિયાના…

Read More

પાલગરમાં રોડ અકસ્માતમાં જીવ ગુમાવનાર સાઇરસ મિસ્ત્રીના મોતનું રાઝ તેમની કારની ડેટા ચિપથી ખુલશે. પોલીસે આ મર્સિડીઝ બેંઝ એસયૂવી કારની આ ડેટા ચિપને એનાલિસિસ માટે જર્મની મોકલી દીધી છે. ઉલ્લેખનીય છે કે પાલઘરમાં થયેલા અકસ્માતમાં સાઇરસ મિસ્ત્રી અને જહાંગીર પંડોલેનું મોત થયું હતું. તો ડોક્ટર અનાહિતા પંડોલે અને ડેરિયસ પંડોલે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. આ દુર્ઘટના રવિવારે બપોરે સૂર્યા નદીના ઓવરબ્રિજ પર તે સમયે થયું હતું જ્યારે મિસ્ત્રી પોતાની એસયૂવીથી અમદાવાદથી મુંબઈ પરત ફરી રહ્યાં હતા. કંપનીના અધિકારીઓએ કાઢી ચિપ પાલઘર પોલીસ પ્રમાણે કાર નિર્માતા મર્સિડીઝ બેંચના અધિકારી સોમવારે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અધિકારીઓએ અહીં ભુક્કો થઈ ગયેલી કારમાંથી ઇલેક્ટ્રોનિક…

Read More

કોરોના મહામારી સામે ભારતને વધુ એક સફળતા મળી છે. દેશની પ્રથમ નાકની રસી કટોકટીના ઉપયોગ માટે મંજૂર કરવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનાકની રસીના ફાયદાનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ભારત બાયોટેક દ્વારા કોરોના માટે બનાવેલી દેશની પ્રથમ નાકની રસીને ઇમરજન્સી ઉપયોગ માટે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. કોવિડ-19 વાયરસ માટે આ ભારતની પ્રથમ નાકની રસી હશે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ આ અંગે ખુશી વ્યક્ત કરી છે. તેણે તેને કોરોના મહામારી સામે ભારતની લડાઈ માટે એક મોટું પગલું ગણાવ્યું. તેમણે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું અને લખ્યું કે કોવિડ-19 સામે…

Read More

હાલના સમયમાં વીજબીલ વધતું જાય છે અને સામે લોકોના ખિસ્સા પણ આ વીજબિલ ભરવામાં ખાલી થતા જઈ રહ્યા છે. ત્યારે ઘણા લોકો જાગૃત બની રહ્યા છે અને સોલાર સિસ્ટમ લગાવી રહ્યા છે. અનેક ઘરો આજે સોલાર સિસ્ટમથી સજ્જ થઈ ગયા છે. જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ દ્વારા વીજબિલ ના પૈસા વેડફાઈ જાય તે કરતા વીજળી પણ વપરાશ થાય. અને સામે જિલ્લા પંચાયતને પણ આવક થાય તે દિશામાં કાર્ય હાથ ધરવામાં આવ્યું જે અનુસંધાને વીજબિલ સંપૂર્ણપણે ઝીરો કરવા માટે જૂનાગઢ જિલ્લા પંચાયતમાં 68 કિલો વોટ ની સોલાર સિસ્ટમ ફીટ કરવામાં આવી. એક સમયે દર મહિને એક લાખ દસ હજાર સુધીનું…

Read More

હાલ રાજ્યમાં વરસાદી માહોલ નથી. પરંતુ બફારા અને તાપથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે વરસાદ અંગે આગાહી કરી છે. જેમાં 3 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી છે. રાજ્યમાં 9 અને 10 સપ્ટેમ્બરના રોજ વરસાદનું જોર વધવાની સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 15 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ નવસારીના જલાલપોરમાં 3.76 ઇંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના ડાયટેક્ટર, ડો. મનોરમાં મોહંતીના જણાવ્યા પ્રમાણે, વેસ્ટ બંગાળમાં લો પ્રેસર સિસ્ટમ બની રહી હોવાને લઈને વરસાદનું જોર વધશે. આગામી 3 દિવસ રાજયમાં સામાન્ય વરસાદ રહેશે. જ્યારે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ વરસાદનું જોર વધવાની શકયતા છે. 9…

Read More

ઉત્તર ગુજરાતમાં આવેલ શક્તિપીઠ બહુચરાજી મંદિરના વિકાસ માટે મોટો નિર્ણય લેવાયો છે. શક્તિપીઠ બહુચરાજી ટ્રસ્ટની ડેવલોપમેન્ટ ઓફ બેચરાજી ટેમ્પલ માટેની મીટીંગ મહેસાણા કલેક્ટર ઓફિસ ખાતે મળી હતી. જેમાં મુખ્ય મંદિરના શિખરની ઊંચાઈનો વિવાદ દૂર કરાયો છે. સાથે જ મંદિરને નવેસરથી રિડેવલપ કરી શિખરને 56 ફૂટની ઊંચાઈએ લઈ જવામાં આવશે તેવુ નક્કી કરાયું છે. તેમજ બહુચરાજી શક્તિપીઠના મંદિર પરિસરને ‘બી’ કેટેગરીમાંથી ‘એ’ કેટેગરી એટલે કે અંબાજી અને સોમનાથ મંદિરની કેટેગરીમાં રૂપાંતર કરવામાં આવશે. શક્તિપીઠ બહુચરાજી ટ્રસ્ટની ડેવલોપમેન્ટ ઓફ બેચરાજી ટેમ્પલ માટેની મીટીંગ મહેસાણા કલેક્ટર ઓફિસ ખાતે મળી હતી. જેમાં મંદિરની ઉંચાઈ વધારવા અંગે અંતિમ નિર્ણય લેવાયો છે. મંદિરને નવેસરથી રિડેવલપ કરી…

Read More

જમ્મુના અરનિયા સેક્ટરમાં લગભગ આઠ મહિના પછી પાકિસ્તાને મંગળવારે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાની રેન્જર્સે અરનિયામાં ઈન્ટરનેશનલ બોર્ડર પર ચિનાઝ પોસ્ટ પર બીએસએફના જવાનો પર ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગ ત્યારે કરવામાં આવ્યું જ્યારે ભારતીય સૈનિકો ફેન્સીંગનું કામ કરી રહ્યા હતા. બીએસએફે પણ પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ આપ્યો છે. આમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. અગાઉ જાન્યુઆરી 2022માં અરનિયા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. ત્યારે સરહદી જવાનોએ એક પચાસ વર્ષના પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો હતો. ઘૂસણખોર ભારતીય સરહદમાં પ્રવેશવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યો હતો. તે જ સમયે, 5 સપ્ટેમ્બર, સોમવારે, પૂંચમાં આતંકવાદીનો મૃતદેહ પાકિસ્તાનને સોંપવામાં આવ્યો હતો. જમ્મુ અને…

Read More

કેન્દ્રીય તપાસ એજન્સી EDએ 30થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. દિલ્હીની એક્સાઈઝ પોલિસી એટલે કે મનીષ સિસોદિયા સાથે સંબંધિત આ છેતરપિંડીના કેસમાં 30થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ઈડી હેડક્વાર્ટરના આધારભૂત સૂત્રોએ આ સમાચારની ઔપચારિક પુષ્ટિ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડા હાલ મનીષ સિસોદિયાના ઘરે નથી થઈ રહ્યા. ઇડીના સૂત્રો પ્રમાણે દિલ્હી સહિત ઉત્તરપ્રદેશના લખનઉ, હરિયાણાના ગુરુગ્રામ, ચંદીગઢ, મુંબઇ, હૈદરાબાદ, બેંગ્લોરમાં હજુ પણ દરોડા ચાલી રહ્યા છે. આ અંગેની વાત કરીએ તો, કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ દ્વારા 17 ઓગસ્ટના રોજ આ કેસ નોંધવામાં આવ્યો હતો. જે બાદ આ મામલામાં સીબીઆઈએ 30થી વધારે લોકેશન પર…

Read More

આજે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ફરી વધારો થયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 137.8 મીટર થઇ ગઇ છે. નર્મદા ડેમમાં 96,866 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. નર્મદા નદીમાંથી 65,314 ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે. આ સાથે નર્મદા ડેમના બે દરવાજા 0.35 સેમી ખોલીને 10,000 ક્યુસેક છોડવામાં આવી રહ્યુ છે. નોંધનીય છે કે, નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી  138.68 મીટર  છે.  તેમજ 1200 મેગાવોટનું રીવરબેડ પાવરહાઉસ સતત 24 કલાક ચાલી રહ્યું છે. જેમાંથી રોજનું વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. નોંધનીય છે કે, બે વર્ષે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 137 મીટર પાર કરી ગઇ છે. જેના કારણે…

Read More