What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ કેન્દ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા વધી ગયા છે. રાજ્યમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સહિત દિગ્ગજો ગુજરાતમાં અવરજવર કરી રહ્યાં છે. ત્યારે વધુ એક વખત PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. આગામી તારીખ 9, 10 અને 11 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી ગુજરાત આવશે. મહત્વનું છે કે, તેઓ ચૂંટણી પૂર્વે ગુજરાતને અનેક વિકાસકાર્યોની ભેટ આપી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં એકવાર ફરી PM મોદી અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. PM મોદી આગામી તારીખ 9મી ઓક્ટોબરના રોજ બપોરે ગુજરાત આવશે. ત્યાર બાદ તેઓ 9મી ઓક્ટોબરે મહેસાણાના મોઢેરા પાસે જાહેર…
અમદાવાદ શહેર હાલ ટ્રાફિક, ખખડધજ માર્ગ, ગેરકાયદે બાંધકામ, ગટર, વરસાદી પાણીના ભરાવા સહીતની અનેક સમસ્યાઑથી ઘેરાયેલુ છે. જેમાં હાલ સૌથી મોટી ઉપાધી અને સળગતી સમસ્યા હોય તો તે છે રાખડતા ઢોરનો ત્રાસ. રેઢીયાળ ઢોરની અડફેટે અનેક લોકના મોત નિપજ્યાં છે અને અસંખ્ય અકસ્માત થયા છે. છતાં તંત્રની આંખ ઉઘડતી નથી. ત્યારે રખડતા પશુ મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટ દ્વારા 17 ઓક્ટોબર સુધી શહેરમાં રખડતાં પશુ પકડવા મનપાને આદેશ જારી કરવામાં આવ્યા છે. વધુમાં 24 કલાકમાં જ રખડતા પશુ પકડવાની કામગીરી કરવા સબંધીત વિભાગને સૂચના જારી કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં રસ્તે રખડતાં ઢોરના…
ગુજરાત ચૂંટણી નજીક આવી છે ત્યારે રાજ્યમાં તમામ પક્ષો પોતાની રીતે તૈયારીઓ કરી રહી છે. આજે આમ આદમી પાર્ટીએ ચૂંટણી માટે ઉમેદવારોનું ચોથું લિસ્ટ જાહેર કર્યું છે. આમ આદમી પાર્ટીએ 12 ઉમેદવારનું લીસ્ટ જાહેર કર્યુ છે. જે નીચે પ્રમાણે છે. નોંધનીય છે કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ 8 અને 9 ઓક્ટોબરના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસ દરમિયાન અરવિંદ કેજરીવાલ ઘણી જનસભાને સંબોધિત કરશે. તાજેતરમાં જ આપના સંયોજક તથા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 2 ઓકટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તે સમયે તેમણે પાંજરાપોળ અને ગૌશાળા માટે સહાયની જાહેરાત…
થાઈલેન્ડમાં ગુરુવારે એક ભયાનક ઘટના બની હતી જેના કારણે ભારે ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં એક ચાઈલ્ડ કેર સેન્ટર પર અંધાંધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં 30 થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ અંધાધૂંધ ગોળીબારના કારણે ભારે ચીસાચીસ મચી ગઈ હતી. થાઈલેન્ડનાં પૂર્વોત્તર વિસ્તારમાં માસ શૂટિંગની ઘટનામાં 30 થી વધારે મૃતકોમાં મોટા ભાગનાં બાળકો હતા. આ વાતની જાણકારી સમાચાર એજન્સી રોયટર્સ દ્વારા પોલીસના હવાલે આપવામાં આવી છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ચાઈલ્ડ કેર સેન્ટર પર ભીષણ ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં બાળકો અને વયસ્કોનાં મોત થયા હતા. કુલ 30 થી વધારે લોકોએ લોકોએ જીવ ગુમાવ્યા…
હજી નવી જ શરૂ થયેલી ટ્રેન વંદેભારતને અકસ્માત નડ્યો છે. મુંબઈથી અમદાવાદ આવી રહેલી વંદેભારત ટ્રેનને અમદાવાદથી નજીક વટવા મણીનગર વચ્ચે ચાર ભેંસ ટ્રેનની વચ્ચે આવી જતા અકસ્માત થયો હતો. જોકે ટ્રેનના મુસાફરોને કે અન્ય કોઈને પણ કોઈ નુકસાન થયું નથી પરંતુ ટ્રેનના આગળના ભાગ પર નુકસાન થયું છે. હાલમાં જ વડાપ્રધાન મોદી દ્વારા ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે 16 કોચવાળી વંદે ભારત ટ્રેનને શરૂ કરવામાં આવી છે. જેમાં પહેલાં જ અઠવાડિયે આ પ્રકારની ઘટના બનવાના કારણે ભારતીય રેલવેની સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે. આ ટ્રેનની ઝડપ 160 કિમી પ્રતિકલાકની છે, ત્યારે આ પ્રકારની ઘટના રેલવે વિભાગ માટે પણ આંખ…
કેરળના પલક્કડ જિલ્લામાં બે બસો સામસામે ટકરાઈ. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે જ્યારે 40 લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના પલક્કડ જિલ્લાના વદક્કેનચેરીમાં થઈ હતી. રાજ્ય મંત્રી એમબી બ્રજેશે જણાવ્યું કે કેરળ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC)ની બસ પલક્કડ જિલ્લાના વદક્કનચેરી ખાતે પ્રવાસી બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 40 લોકો ઘાયલ થયા છે. બુધવારે રાત્રે અહીં વડક્કંચેરી નજીક મંગલમ ખાતે શાળાના વિદ્યાર્થીઓને લઈ જતી પ્રવાસી બસ પાછળથી KSRTC બસ સાથે અથડાઈ હતી. ટક્કર બાદ બસ દલદલમાં ખાબકી હતી. આમાં 9 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. લગભગ…
રાજકોટ શહેરના પોશ વિસ્તાર એવા રોયલ પાર્કમાં મોતીશ્રી બંગલોમાં રહેતા પ્રભાત ડી સિંધવના બંગલામાં આજે વહેલી સવારે ઘરઘાટી તરીકે રહેતા નેપાળી શખ્સે અન્ય બે મિત્રો સાથે મળીને લૂંટ કરી છે. પ્રભાત સિંધવ કોઇ કામથી અમદાવાદ ગયા હતા અને તેમનો પુત્ર જશ અને પિતા ઘરે એકલા હતા, એ સમયે ઘરઘાટી અનિલ બે મિત્રો સાથે આવ્યો હતો અને જશને બંધક બનાવી, છરી બતાવી સોના, ચાંદી અને રોકડ સહિત લાખોની લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ લૂંટના બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે, પ્રભાતભાઈ સિંધવનો પુત્ર જશ સિંધવ તેના દાદા…
ગુજરાતભરમાં ચકચાર મચાવનાર ક્રિષ્ના વેકરીયા હત્યાકાંડ જેવી ઘટના બનતા બનતા રહી જવા પામી હતી. સુરતના પાંડેસરા વિસ્તારમાં 14 વર્ષની કિશોરીને પ્રેમમાં પાગલ કાળુ નામનો યુવક હથિયારથી ગળું કાપવા પહોંચ્યો હતો. જોકે, યુવતી પડી જતા ગળાને બદલે તેના ગાલ ઉપર ચપ્પું વાગ્યું હતું. જેથી તેને 17 જેટલા ટાંકા આવ્યા હતા. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થઈ જતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાતનો સૌથી ચકચારી એટલે કે ગ્રીસમાં વેકરીયા હત્યા કાંડ કે જેમાં, એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીના ઘરે પહોંચી ચપ્પુ વડે જાહેરમાં ગળું કાપી નાખ્યું હતું. આ ઘટનાનો વીડિયો વાયરલ થાય થયા…
દેવી દુર્ગાની મૂર્તિ વિસર્જન દરમિયાન ડૂબવાથી બુધવારે બે અલગ અલગ રાજ્યોમાં કુલ 13 લોકોના મોત થયા છે. કહેવાય છે કે, પશ્ચિમ બંગાળમાં 7 અને રાજસ્થાનમાં 6 લોકોના મૂર્તિ વિસર્જન દરમિયાન મોત થયા છે. પશ્ચિમ બંગાળના જલપાઈગુડ્ડી જિલ્લાની માલ નદીમાં લોકો મૂર્તિ વિસર્જન કરવા માટે ઉતર્યા હતા. ત્યારે અચાનક જ જળ સ્તર વધવા લાગ્યું. મોટી મોજામાં સાત લોકો તણાઈ ગયા હતા. જલપાઈગુડ્ડીના એસપી દેવર્ષિ દત્તાએ જણાવ્યું હતું કે, ભારે વહેણના કરાણે કેટલાય લોકો તણાઈ ગયા છે, જે હાલમાં પણ ગુમ છે. સૂચના પર પહોંચેલી બચાવ ટીમ શોધખોળ કરી રહી છે. રેસ્ક્યૂ ઓપરેશન હાલમાં પણ ચાલું છે. તો વળી રાજસ્થાનના અજમેર જિલ્લાના…
કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ હાલમાં કર્ણાટકમાં ચાલી રહી છે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી ગુરુવારે માંડ્યા જિલ્લામાંથી રાહુલ ગાંધી અને પાર્ટીના અન્ય નેતાઓ તથા કાર્યકર્તાઓ સાથે ભારત જોડો યાત્રામાં સામેલ થયા હતા. ભારત જોડો યાત્રા આજે પાંડવપુરાથી નાગમંગલા તાલુકા સુધી જશે. સોનિયા ગાંધી 3 ઓક્ટોબરે કર્ણાટક પહોંચ્યા હતા. તેમણે રાહુલ ગાંધી સાથે બુધવારે વિજયાદશમીના અવસર પર એચડી કોટ વિધાનસભાના બેગુર ગામમાં ભીમનાકોલી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.તેઓ મૈસૂર જિલ્લાના એચજી કોટે તાલુકમાં કાબિની બાંધના બૈકવોટર પાસે એક રિસોર્ટમાં રોકાયા હતા. અહીં રાહુલ ગાંધી તેમને મળવા પહોંચ્યા હતા. ત્યાર બાદ બંને કાબિની ફોરેસ્ટ સફારી પણ ગયા હતા. દશેરાના કારણે 3થી 4…

