What's Hot
- આજ નું પંચાંગ 9 જૂન 2025: આજે ત્રયોદશી પછી ચતુર્દશી તિથિ શરૂ થાય છે, જાણો રાહુકાલનો સમય અને શુભ મુહૂર્ત
- આજે બની રહ્યું છે સર્વાર્થ સિદ્ધિ અને રવિ યોગનું સંયોજન, આ 4 રાશિઓમાં અચાનક થશે નાણાકીય લાભ
- French Open 2025: નોવાક જોકોવિચને કારમી હારનો સામનો કરવો પડ્યો, આ ખેલાડી ફાઇનલમાં પ્રવેશ્યો; ટાઇટલનું સ્વપ્ન તૂટી ગયું
- સત્યેન્દ્ર જૈનની પાંચ કલાક પૂછપરછ કરવામાં આવી, ACB ઓફિસમાંથી બહાર આવતાની સાથે જ તેમણે ભાજપ પર નિશાન સાધ્યું
- ‘અમે કોઈ સંદેશ નહીં આપીએ, સીધા સમાચાર આપીશું’, MNS સાથે ગઠબંધનની શક્યતા પર ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
- દિલ્હી એરપોર્ટથી 114 ફ્લાઇટ રદ થશે, મુસાફરોને ત્રણ મહિના સુધી અસુવિધાનો સામનો કરવો પડશે, જાણો કારણ?
- ભારતમાં કોરોનાના કેસ 5000 ને વટાવી ગયા, 24 કલાકમાં 4 લોકોના મોત, જાણો દિલ્હી અને મહારાષ્ટ્રમાં શું સ્થિતિ છે?
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ બકરી ઇદની શુભેચ્છા પાઠવી, અભિનંદન સંદેશમાં આ વાત કહી
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
દિલ્હીના આઝાદ માર્કેટમાં મોટી દુર્ઘટના ઘટી છે. આઝાદ માર્કેટમાં એક નિર્માણધીન ઈમારત ધરાશાયી થઈ છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. અનેક મજૂરો કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે. અનેક ઘાયલ પણ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. એવી આશંકા છે કે 6થી 7 મજૂરો દટાયેલા હોઈ શકે છે. કેટલાક બાળકો પણ કાટમાળમાં દટાયેલા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. નિર્માણધીન ઈમારત ધરાશાયી થવાના સમાચાર ફાયર વિભાગને સવારે લગભગ સાડા આઠ વાગે મળ્યા હતા. ત્યારબાદ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રાહત તથા બચાવ કાર્ય શરૂ કર્યું. સ્થાનિક લોકો પણ ઘટનાસ્થળે હાજર છે અને રેસ્ક્યૂ ઓપરેશનમાં…
બ્રોકન રાઈસ એટલે ટુકડા ચોખાને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. ભારતે આજ થી બ્રોકન રાઈસ એટલે ટુકડા ચોખાની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. વિદેશ વેપારના મહાનિર્દેશક સંતોષ કુમાર સારંગી દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિફિકેશનમાં આ વાતની જાણકારી આપવામાં આવી છે. નોટિફિકેશનામાં બતાવવામાં આવ્યુ છે કે, 9 સપ્ટેમ્બર 2022થી બ્રોકન રાઈસ એટલે ટુકડા ચોખા પર પ્રતિબંધ લાગૂ થઈ ગયો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, દેશનાં કેટલાય વિસ્તારોમાં ઓછા વરસાદના કારણે આ વર્ષે ચોખાનું ઉત્પાદન પ્રભાવિત થઈ શકે છે. આ સ્થિતિને અનુસરીને ભારતમાં હવે ખાદ્ય સુરક્ષાની રક્ષા માટે ઘઉં અને ખાંડ પછી બ્રોકન રાઈસ એટલે ટુકડા ચોખાની નિકાસ પ્રતિબંધ લગાવવામાં આવ્યો…
બ્રિટનના મહારાણી એલિઝાબેથનું નિધન થયું છે. તેઓ 96 વર્ષના હતા. બ્રિટનના મહારાણીની તબિયત થોડાક દિવસોથી ખરાબ ચાલી રહી હતી. જાણકારી મહારાણી એલિઝાબેથને ડોક્ટરોની દેખરેખમાં રાખવામાં આવ્યા હતા. આ જાણકારી બકિંઘમ પેલેસ દ્વારા આપવામાં આવી છે. બર્કિંઘમ પેલેસ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે ક્વિન એલિઝાબેથ હવે આ દુનિયામાં રહ્યા નથી. સ્થાનીય સમય પ્રમાણે બપોરે તેમનું નિધન થયું છે. આ પછી તરત તેમના પુત્ર અને પ્રિન્સ ચાર્લ્સને બ્રિટનના રાજા જાહેર કરવામાં આવ્યા છે. દુખના સમયમાં આખો શાહી પરિવાર એક સાથે સ્કોટલેન્ડમાં છે. 96 વર્ષીય મહારાણીની ગત વર્ષે ઓક્ટોબરમાં ઘણી વખત તબિયત ખરાબ થયા પછી સાજા થયા હતા. જોકે આ કારણે તેમને…
પંજાબના અમૃતસરમાં શહેરની પોશ કોલોની લોરેન્સ રોડ સ્થિત ડીએવી પબ્લિક સ્કૂલમાં 8 સપ્ટેમ્બરે ફાયરિંગ કરવાનો મેસેજ વાયરલ થયો હતો. આ મેસેજ સોશિયલ મીડિયામાં ફરતો થતા જ લોકોમાં ફફળાટ ફેલાઈ ગયો હતો. આ મેસેજ પોલીસ પાસે પહોંચતા જ મોડી રાતે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું અને આ વિસ્તારમાંથી નીકળતા દરેક વાહનોની સઘન તપાસ કરવામાં આવતી હતી. મળતી માહિતી પ્રમાણે, બુધવારની રાતે ઇન્ટરનેટ મીડિયામાં વાયરલ થયેલા મેસેજે પોલીસની ઊંઘ ઉડાવી દીધી હતી. આ મેસેજ અંગ્રેજી અને એક વિદેશી મુસ્લિમ ભાષામાં લખવામાં આવ્યો હતો. તેમાં લખવામાં આવ્યું હતું કે, અમારા કેટલાક લોકો 8 સપ્ટેમ્બરે…
રાજ્યમાં ફરીથી વરસાદ આવવાની આગાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. આગામી બે થી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે. ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ આવી શકે છે. ખાસ કરીને 10 થી 12 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રના દરિયાઈ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. 12 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયેલું હોવાથી બે દિવસ બાદ રાજ્યમાં વરસાદી માહોલ બનશે. સાથે દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારના માછીમારો માટે પણ ચેતવણી આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 102…
અમેરિકાએ આ વર્ષે વિશ્વમાં સૌથી વધુ ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપ્યા છે. અમેરિકામાં ભણવા માટે યુએસ સ્ટુડન્ટ વિઝા મેળવનારાઓમાં ભારતીય વિદ્યાર્થીઓએ ચીનને પણ પાછળ છોડી દીધું છે, જે અત્યાર સુધી આ મામલે નંબર 1 હતું. જો સંખ્યાની વાત કરીએ તો વર્ષ 2022માં યુએસએ ભારતીય વિદ્યાર્થીઓને 82 હજાર યુએસ વિઝા આપ્યા છે. આ સંખ્યા ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી વધુ છે. ભારતમાં યુએસ એમ્બેસી દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નવી દિલ્હી, ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા અને મુંબઈમાં યુએસ એમ્બેસીની પ્રાથમિકતા ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપવાની હતી. આ દર્શાવે છે કે આજે પણ મોટાભાગના ભારતીય પરિવારો માટે ઉચ્ચ શિક્ષણની દ્રષ્ટિએ અમેરિકા નંબર…
ભારતીય સેના અને ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ આજે 8 સપ્ટેમ્બરે ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઈલ (QRSAM) નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. ઓડિશાના ચાંદીપુર ખાતે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટિંગ રેન્જ પરથી છ મિસાઇલો છોડવામાં આવી હતી. મિસાઇલોને ફાયરિંગ કરતી વખતે તે જોવામાં આવ્યું હતું કે, તે ઝડપથી નજીક આવતા લક્ષ્યો પર ચોકસાઈ સાથે હુમલો કરવામાં સક્ષમ છે કે નહીં ? જોકે ટેસ્ટ દરમ્યાન વિવિધ પરિસ્થિતિઓનું નિર્માણ થયું હતું. જેમાં દુશ્મનના હવાઈ નિશાને તેજ ઝડપે આવે છે. તેને દૂર કરવા માટે QRSAM શરૂ કરવામાં આવ્યું છે. આ સમીક્ષા દરમ્યાન લોન્ગ રેન્જ મીડિયમ એલ્ટિટ્યુડ, શોર્ટ રેન્જ, હાઈ એલ્ટિટ્યુડ મેન્યુવરિંગ ટાર્ગેટ,…
જે રીતે ગુજરાત સહિત દેશમાં અને દુનિયાભરમાં ગરમીનો પ્રકોપ વધી ગયો છે તે જોતા એવું લાગે છે આવનારા સમયમાં હાલત ખરાબ થવાની છે. સતત વધી રહેલા પ્રદૂષણથી જળવાયું પરિવર્તન થઈ રહ્યું છે અને તેનાથી વધી રહી છે વૈશ્વિક ગરમી. એવા પણ રિપોર્ટ છે કે આવનારા સમયમાં એટલે કે 2050 સુધી પહોંચતા સુધીમાં તો હાલત ખરાબ થઈ જશે. તેમાં પણ યુપી, રાજસ્થાન અને ગુજરાતની હાલત તો વધુ ખરાબ થવાની હોવાના એંધાણ છે. પાણી સૂકાઈ જશે પરંતુ પરસેવો નહીં સૂકાય. આ ત્રણ રાજ્યોમાં તો વધુ તાપમાનનો માર જાણે સામાન્ય પરિસ્થિતિ જેવું બની જશે. લોકોને પણ કદાચ 51 ડિગ્રી સેલ્સિયસમાં રહેવાની આદત પડવા…
દેશમાં આગામી લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર બેરોજગારીના મુદ્દાને નબળો પાડવા માંગે છે. બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આગામી વર્ષના અંત સુધીમાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં 10 લાખ ખાલી જગ્યાઓ ભરવા માટે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. PMએ ખાલી જગ્યાઓ ભરવા માટે પ્રમોશન, બેકલોગ સહિતના તમામ વિકલ્પોનો ઉપયોગ કરવાની સૂચના આપી હતી. મહત્વનું છે કે, ગયા જૂનમાં ખુદ વડાપ્રધાને સરકારના વિવિધ વિભાગોમાં 10 લાખ ખાલી જગ્યાઓ ભરવાની જાહેરાત કરી હતી. જે બાદમાં મંત્રાલયો અને વિભાગોને ખાલી જગ્યાઓ ભરવા અને ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (DoPT) ને ઉપલબ્ધ કરાવવા માટે એક એક્શન પ્લાન તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.…
હજીરા-ઘોઘાને જોડતી રોપેક્સ ફેરી સર્વિસિસનો પુનઃપ્રારંભ આજે થવા જઇ રહ્યો છે. ભારતની સૌથી મોટી અને ભારતની પ્રથમ સોલર સંચાલિત રોપેક્સ ફેરીની સેવાઓનો ઉપયોગ કરાશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને દરિયાઇ માર્ગે જોડતી રોપેક્સ ફેરી સર્વિસ ટેકનો-ઇકોનોમિક કારણોસર થોડા સમય માટે બંધ થયા બાદ હવે આ સર્વિસ ફરીથી હજીરા ટર્મિનલ ખાતેથી શરૂ રહી છે. દરિયાઇ માર્ગે માત્ર 3 કલાકમાં હજીરા અને ઘોઘાને જોડતી આ સુવિધાને પ્રવાસીઓ અને માલસામાનના પરિવહન માટે વધુ અનુકૂળ બનાવતાં વોએજ એક્સપ્રેસ ઇન્ડિયા દ્વારા ભારતની પ્રથમ સોલર દ્વારા સંચાલિત રોપેક્સ ફેરીની સેવાઓનો ઉપયોગ શરૂ કરાશે. રિન્યૂએબર એનર્જીના ઉપયોગને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસોમાં નોંધપાત્ર યોગદાન આપતાં આ સોલર દ્વારા સંચાલિત…