What's Hot
- આજ નું પંચાંગ 9 જૂન 2025: આજે ત્રયોદશી પછી ચતુર્દશી તિથિ શરૂ થાય છે, જાણો રાહુકાલનો સમય અને શુભ મુહૂર્ત
- આજે બની રહ્યું છે સર્વાર્થ સિદ્ધિ અને રવિ યોગનું સંયોજન, આ 4 રાશિઓમાં અચાનક થશે નાણાકીય લાભ
- French Open 2025: નોવાક જોકોવિચને કારમી હારનો સામનો કરવો પડ્યો, આ ખેલાડી ફાઇનલમાં પ્રવેશ્યો; ટાઇટલનું સ્વપ્ન તૂટી ગયું
- સત્યેન્દ્ર જૈનની પાંચ કલાક પૂછપરછ કરવામાં આવી, ACB ઓફિસમાંથી બહાર આવતાની સાથે જ તેમણે ભાજપ પર નિશાન સાધ્યું
- ‘અમે કોઈ સંદેશ નહીં આપીએ, સીધા સમાચાર આપીશું’, MNS સાથે ગઠબંધનની શક્યતા પર ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
- દિલ્હી એરપોર્ટથી 114 ફ્લાઇટ રદ થશે, મુસાફરોને ત્રણ મહિના સુધી અસુવિધાનો સામનો કરવો પડશે, જાણો કારણ?
- ભારતમાં કોરોનાના કેસ 5000 ને વટાવી ગયા, 24 કલાકમાં 4 લોકોના મોત, જાણો દિલ્હી અને મહારાષ્ટ્રમાં શું સ્થિતિ છે?
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ બકરી ઇદની શુભેચ્છા પાઠવી, અભિનંદન સંદેશમાં આ વાત કહી
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મંડી તહસીલ સાવજિયામાં મિની બસ ખાઈમાં ખાબકી. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા. ઉપરાજ્યપાલે આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. રાજ્ય સરકાર તરફથી મૃતકોના પરિજનોને પાંચ લાખ રૂપિયા અને ઘાયલોને એક લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. એવું કહેવાય છે કે મિની બસ જમ્મુ કાશ્મીરના મંડીથી સાવજાન જઈ રહી હતી. આ દરમિયાન અચાનક ડ્રાઈવરે બસ પર કાબૂ ગૂમાવ્યો અને બસ ખાઈમાં જઈ ખાબકી. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની મંડીની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં…
ઢોર નિયંત્રણ કાયદા અંગે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ઢોર નિયંત્રણ કાયદો આગામી સત્રમાં રદ કરાશે. જી હા. રાજ્ય સરકાર આગામી સત્રમાં આ કાયદો પરત ખેંચશે. માલઘારી સમાજના આગેવાનોને મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. બેઠક બાદ ભૂપેન્દ્ર પટેલ દ્વારા માલધારી સમાજના લોકોને ખાતરી આપી હતી. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે માલઘારી સેલના સંયોજક ડો. સંજયભાઇ દેસાઇએ પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા ઢોર નિયંત્રણ કાયદા અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલે સમસ્ત માલઘારી સમાજના આગેવાનો અને સંતોને આશ્વાસન આપ્યું છે કે ઢોર નિયંત્રણનો આ કાયદો આવનાર સત્રમાં રદ કરવામાં આવશે. પત્રકાર પરિષદને સંબોધતા ડો. સંજયભાઇએ જણાવ્યું હતું…
રાજ્યમાં ભાદરવો ભરપૂર વરસી રહ્યો છે. કડાકા અને ભડાકા સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે ગુજરાતના લોકો અને ખેડૂતો માટે એક ખુશખબર મળી રહ્યા છે. સિઝનમાં પહેલીવાર સરદાર સરોવર ડેમની જળસપાટી 137.84 મીટરે પહોંચી ગઈ છે. મહત્તમ જળસપાટીથી ડેમ માત્ર 80 સેન્ટીમીટર દૂર છે. નવા નીરથી સરદાર સરોવર ડેમ 98 ટકા ભરાયો છે. નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસાદ પડવાના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી આ સીઝનમાં પ્રથમવાર 137.84 મીટરે નોંધાઈ છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમ હવે તેની મહત્તમ સપાટીથી માત્ર 80 સેન્ટિમીટર દૂર છે. હાલ ડેમ માં…
ગુજરાતના દરિયામાંથી ફરી એક વખત ડ્રગ્સ ઝડપાયું છે. આ વખતે 200 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને કોસ્ટ ગાર્ડે મધ દરિયે કરેલા સંયુક્ત ઓપરેશનમાં આ ડ્રગ્સ ઝડપાયું છે. ઝડપાયેલા ડ્રગ્સની કિંમત 200 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઝડપાયેલું ડ્રગ્સ આશરે 40 કિલોગ્રામ છે. મળતી માહિતી પ્રમાણે આ ડ્રગ્સ પાકિસ્તાની ફિશિંગ બોટ અલ તયાસામાં ભરીને લાવવામાં આવી રહ્યું હતું. ડ્રગ્સ સાથે પાકિસ્તાના છ નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ્સ પંજાબમાં મોકલવાનું હતું. ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ નેટવર્ક મામલે તાજેતરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે જણાવ્યુ હતુ કે, ગુજરાત પોલીસ ડ્રગ્સ નેટવર્ક સામે…
રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે તા.૦૯ સપ્ટેમ્બર-૨૦૨૨થી વધુ એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો હોવાનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જણાવાયું છે. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એકટ-2006 અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-2011 હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે. જેમાં કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નિકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે. ગુટકામાં તમાકુ કે નિકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકશાન થતું હોય છે. જેથી નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોઇ આ નિર્ણય કરાયો છે. આ…
અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે ડુપ્લીકેટ દસ્તાવેજો બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. આ ફેક્ટરીમાં વિદેશ જવા માટે થઈને જે કોઈપણ ડોક્યુમેન્ટોની જરૂર પડતી હોય તેવા તમામ પ્રકારના દસ્તાવેજો આ ફેક્ટરીમાં બનાવવામાં આવતા હતા. શહેરના દિલ્હી દરવાજા પાસે બીજી ટાવરમાં આ ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. એસઓજી ક્રાઈમ બ્રાન્ચે નકલી દસ્તાવેજો બનાવનાર પાંચ જેટલા શખસોની ધરપકડ કરીને 8,50,000 નો મુદ્દમાલ કબ્જે કર્યો છે. અત્યાર સુધી બનાવટી પાસપોર્ટ અને અન્ય ડોક્યુમેન્ટ બનાવટી બનતા જોયા હશે, પરંતુ આજે એક બે નહિ પરંતુ 100 જેટલા અલગ અલગ ડોક્યુમેન્ટ ડુપ્લીકેટ બનતા હોય તેવી જગ્યાએ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડીને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં મુખ્ય…
કેન્દ્ર સરકારે ઓછામાં ઓછી 26 દવાઓને ‘આવશ્યક’ યાદીમાંથી હટાવી દીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે આવશ્યક દવાઓની એક સંશોધિત રાષ્ટ્રીય સાદી (NLEM) જાહેર કરી છે. આ યાદીમાં 27 શ્રેણીઓની 384 દવાઓ સામેલ છે. લિસ્ટમાં જે દવાઓ સામેલ નથી તેમાં રેનિટિડીનનું નામ પણ છે. રેનિટિડીન (ranitidine) હંમેશા એસિડિટી અને પેટ સંબંધિત અન્ય બીમારીઓ માટે લેવામાં આવે છે. આ દવાને Rantac, Zinetac અને Aciloc જેવી બ્રાન્ડના નામો હેઠળ વેચવામાં આવે છે. પરંતુ હવે આ દવાઓને કેન્સર પેદા કરનારી ચિંતાઓને કારણે હટાવી દેવામાં આવી છે. પરંતુ આવશ્યક દવાઓની રાષ્ટ્રીય યાદીમાં ઇવરમેક્ટિન, મુપિરોસિન જેવી કેટલીક સંક્રમણ રોધી દવાઓ અને નિકોટીન રિપ્લેસમેન્ટ થેરેપી…
રાજ્યમાં આજે દ્રારકા, જૂનાગઢ, પોરબંદર, જામનગર અને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં મેઘો મહેરબાન થયો છે. આજ રોજ દ્વારકામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. પરંતુ સતત વરસાદના કારણે દ્વારકાના રસ્તાઓ ઉપર પાણી ભરાઇ ગયા હતા. જૂની નગરપાલિકા વિસ્તારમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. ત્યારે રાજ્યમાં હજુ થોડાક સમય સુધી વરસાદી માહોલ રહી શકે છે. બીજી બાજુ જૂનાગઢના માળીયા હાટીનામાં પણ ધોધમાર વરસાદ શરુ થઇ ગયો હતો. આજે બીજા દિવસે પણ જૂનાગઢમાં સવારના સાડા દસ વાગ્યાથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે શાક માર્કેટ વિસ્તારમાં પાણી ભરાઇ ગયા. તદુપરાંત આસપાસના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. જામનગરમાં પણ મેઘરાજાએ પધરામણી…
ગુજરાતમાં CM ભૂપેન્દ્ર પટેલ અને રેલવે મંત્રીની ઉપસ્થિતિમાં આજે મહત્વના MoU કરાયા. રાજ્ય સરકાર અને વેદાંતા ગ્રુપ વચ્ચે આજે સેમી કંડક્ટર અને ડિસ્પ્લે ફેબ્રિકેશન યુનિટની સ્થાપના માટેના MoU કરાયા. જે માટે રૂ. 1.75 લાખ કરોડનું રોકાણ કરાશે. MoU દરમ્યાન CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ‘PM મોદીનું સ્વપ્ન છે કે ભારતમાં સેમી કંડક્ટરનું ઉત્પાદન થાય. આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગુજરાત બની રહ્યું છે. ગુજરાતમાં મોટું રોકાણ થઇ રહ્યું છે. હંખ રોકાણકારોનું ગુજરાતમાં સ્વાગત કરૂ છું. આ પ્રોજેક્ટથી 1 લાખ લોકોને રોજગારી મળશે.’ તમને જણાવી દઇએ કે, અમદાવાદ જિલ્લામાં આ પ્રોડક્શન યુનિટ સ્થપાશે. આ અંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ‘ગુજરાતમાં હવે…
તેલંગાણાની રાજધાની હૈદરાબાદની પાસે આવેલા સિકંદરાબાદમાં એક ઇલેક્ટ્રિક બાઇકના શોરૂમમાં ગઈ કાલે રાત્રે ભીષણ આગ લાગી હતી. જાણવામાં આવી રહ્યું છે કે ઇલેક્ટ્રિક બાઇકને ચાર્જ કરતી વખતે આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે તેણે સમગ્ર શોરૂમને લપેટમાં લીધો હતો. ફાયર બ્રિગેડની બે ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો. જણાવી દઈએ કે આ ઘટનામાં આઠ લોકોના મોત થયા છે. હૈદરાબાદના નોર્થ ઝોનના અપર ડીસીપીએ જણાવ્યું હતું કે, ‘શોર્ટ સર્કિટના કારણે સિકંદરાબાદમાં પાસપોર્ટ ઓફિસની પાસે આવેલ ઇલેક્ટ્રિક બાઇકના શોરૂમમાં આગ લાગી હતી. શોરૂમની ઉપર એક લોજ હતી જેમાં ઘણા લોકો ફસાયા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા…