What's Hot
- આજ નું પંચાંગ 9 જૂન 2025: આજે ત્રયોદશી પછી ચતુર્દશી તિથિ શરૂ થાય છે, જાણો રાહુકાલનો સમય અને શુભ મુહૂર્ત
- આજે બની રહ્યું છે સર્વાર્થ સિદ્ધિ અને રવિ યોગનું સંયોજન, આ 4 રાશિઓમાં અચાનક થશે નાણાકીય લાભ
- French Open 2025: નોવાક જોકોવિચને કારમી હારનો સામનો કરવો પડ્યો, આ ખેલાડી ફાઇનલમાં પ્રવેશ્યો; ટાઇટલનું સ્વપ્ન તૂટી ગયું
- સત્યેન્દ્ર જૈનની પાંચ કલાક પૂછપરછ કરવામાં આવી, ACB ઓફિસમાંથી બહાર આવતાની સાથે જ તેમણે ભાજપ પર નિશાન સાધ્યું
- ‘અમે કોઈ સંદેશ નહીં આપીએ, સીધા સમાચાર આપીશું’, MNS સાથે ગઠબંધનની શક્યતા પર ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
- દિલ્હી એરપોર્ટથી 114 ફ્લાઇટ રદ થશે, મુસાફરોને ત્રણ મહિના સુધી અસુવિધાનો સામનો કરવો પડશે, જાણો કારણ?
- ભારતમાં કોરોનાના કેસ 5000 ને વટાવી ગયા, 24 કલાકમાં 4 લોકોના મોત, જાણો દિલ્હી અને મહારાષ્ટ્રમાં શું સ્થિતિ છે?
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ બકરી ઇદની શુભેચ્છા પાઠવી, અભિનંદન સંદેશમાં આ વાત કહી
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
ગુજરાતમાં આગમ દિવસોમાં ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારી શરૂ કરી દીધી છે. જે અંતર્ગત કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ અમદાવાદ ખાતે તમામ જિલ્લાના કલેક્ટરો અને પોલીસ વડાઓ સાથે ચૂંટણીલક્ષી બેઠક કરશે. કેન્દ્રીય ચૂંટણીપંચના 9 સભ્યોનું ડેલિગેશન આજથી ગુજરાત આવશે. શનિવાર અને રવિવારના રોજ એમ બે દિવસ સુધી ગુજરાતમાં અનેક બેઠકો યોજાશે. ચૂંટણીપંચના ડેલિગેશનમાં 3 ડેપ્યુટી ચૂંટણી કમિશનરો પણ સામેલ રહેશે. કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓ અંતિમ મતદાર યાદી બાબતે પણ રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓ સાથે ચર્ચા કરશે. તદુપરાંત ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જે મતદાર યાદી સુધારણા…
ગુજરાતમાં હાલ થોડા દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે શુક્રવારના રાતના 12 વાગ્યા સુધીમાં કુલ 69 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ વલસાડમાં 6.6 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે હવાામન વિભાગની આગાહી પ્રમાણે, આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ રહેશે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં 40 કિમીની ઝડપે પવન ફુંકાશે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં શુક્રવારના રાત્રિના 12 વાગ્યા સુધીમાં એટલે કે કુલ 18 કલાકમાં 69 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડમાં 6.6 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે વલસાડના…
ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારી કર્મચારીની 15 માંગો પર નિર્ણયની વિગતવાર માહિતી આપી છે. જેમાં જૂની પેન્શન યોજનાને લગતી અમુક માંગણીઓ પણ સ્વીકારી લેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં ચૂંટણી ટાણે એક પછી એક આંદોલનો ગાંધીનગરમાં થઈ રહ્યા છે, ત્યારે સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના તેમજ સાતમાં પગાર પંચ અને અન્ય ઘણી પડતર માગણીઓ સાથે આંદોલનના રસ્તે હતા. આવતીકાલે (શનિવાર) 6 લાખ જેટલા કર્મચારી માસ સીએલ પર ઉતરી જવાના હતા, તે પહેલા સરકારે કર્મચારી મંડળો સાથે બેઠક કરી આંદોલનની આગ ઠારી દીધી છે. જીતુ વાઘાણીએ જણાવ્યું કે, સરકાર જૂની પેન્શન યોજના અંગે…
વડાપ્રધાન મોદીની આજે વિશ્વ ફલક પર પોતાની આગવી છબી ધરાવે છે. પોતાન ઇ આગવી કરવી પધ્ધતિ અને પરિણામોને પગલે દેશના દરેક વ્યક્તિમાં તે ચાહના ધરાવે છે. લોકો પણ તેમને ખૂબ પસંદ કરે છે. ત્યારે દર વર્ષે તેમના જન્મ દિવસ નિમિતે દેશ ભરમાં તેની ઉજવણી ભારે ઉત્સાહ સાથે કરવામાં આવે છે. વર્ષ 2014માં દેશના વડાપ્રધાન બન્યા બાદ તેમણે દેશની જનતા માટે અનેક નિર્ણયો લીધા છે. વડાપ્રધાન મોદીએ દેશ માટે કરેલ સેવાઓના પગલે લોકોમાં ભારે લોકચાહના જોવા મળી રહી છે. ત્યારે તેમના જન્મદીવસ નિમિતે ભાજપના કાર્યકરો અને દેશની જનતા તેમના જન્મદિવસની ભારે જોર શોર સાથે ઉજવણી કરે છે. ત્યારે આ વર્ષે પણ…
દેશના ખેડૂતોના હિતમાં અને તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે કેન્દ્રની મોદી સરકારે ત્રણ કૃષિ કાયદાઓ અમલમાં લાવ્યા હતા. જોકે આ કાયદાઓનો વિરોધ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે ચાલો જાણીએ શું છે આ કાયદાઓ? 1 આવશ્યક વસ્તુ (સંશોધન) કાયદો- 2020 આ કાયદામાં, દાળ, તેલબિયા, ખાદ્ય તેલ, ડુંગળી-બટાટા જેવી આવશ્યક વસ્તુઓની યાદીમાંથી હટાવાની જોગવાઈ હતી. એવું માનવામાં આવી રહ્યુ હતું કે, આ કાયદાની જોગવાઈથી ખેડૂતોને યોગ્ય ભાવ મળશે. કારણ કે, બજારમાં સ્પર્ધા વધશે. જણાવી દઈએ કે, વર્ષ 1955ના આ કાયદામાં સંશોધન કરવામાં આવ્યું હતું. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરી વસ્તુઓની જમાખોરી રોકવા માટે તેમના ઉત્પાદન, સ્પલાઈ અને કીંમતને નિયંત્રણ કરવાનું હતું.…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકારે 2014 માં એક એવા ભારતનું નિર્માણ કરવા માટે તેમની યાત્રા શરૂ કરી જે તમામ પાસાઓમાં આત્મનિર્ભર હોય અને જ્યાં સમાજના તમામ વર્ગોને મૂળભૂત સુવિધાઓની પહોંચ હોય. આ દિવસે, 8 વર્ષ પહેલાં, જ્યારે પીએમ મોદીએ પ્રથમ વખત તેમના શપથ લીધા હતા, ત્યારે તેમનું સૂત્ર હતું ‘સબકા સાથ, સબકા વિકાસ’ અને તેમણે લોકોને વચન આપ્યું હતું કે તેમનો ‘અચ્છે દિન’ ખૂબ જ નજીક છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સુધી, NDA સરકારના છેલ્લા આઠ વર્ષમાં ભારતનું $5 ટ્રિલિયન અર્થતંત્ર બનવાનું લક્ષ્ય મુખ્ય ચર્ચાનો મુદ્દો છે. સત્તામાં આવ્યાના સમયથી, વડા પ્રધાને…
સમગ્ર દુનિયામાં ભારતનું પ્રતિનિધિત્વ કરતાં વડાપ્રધાન મોદી એક સામાન્ય પરિવારમાથી આવે છે. આજે દેશ તેમના નેતૃત્વમાં દુનિયાની સાથે મળીને ઉભો છે. તેમના પ્રતિનિધિત્વમાં દેશમાં પણ અનેક ફેરફારો આવ્યા છે. દેશના સામાન્ય નાગરિકથી લઈને દરેક વ્યક્તિ માટે સરકારે વિવિધ યોજનાઓ શરૂ કરી છે. મોદી સરકારે સામાન્ય વર્ગ માટે ઘણી ક્રાંતિકારી યોજનાઓ શરૂ કરી જેને કારણે જરૂરિયાતમંદોને સીધો ફાયદો થયો. કેન્દ્ર સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓના કારણે આવનારી પેઢી વડાપ્રધાન મોદીને ઈતિહાસમાં હંમેશા યાદ કરશે. છેલ્લા આઠ વર્ષમાં નરેન્દ્ર મોદી સરકારે નાણાંકીય, આરોગ્ય સેવા અને સામાજિક સુરક્ષાની દ્રષ્ટિએ સમાજના વિવિધ વર્ગોને સીધો લાભ આપવા માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. સ્વચ્છ ભારત અભિયાન…
આજે વિશ્વ ફલક પર પોતાની અને આખા દેશની એક અલગ જ છાપ ઊભી કરી દુનિયા સામે દેશનું પ્રતિનિધિત્વ દેશના વડાપ્રધાન મોદી કરી રહ્યા છે. આજે દેશ અને દુનિયામાં નાના બાળકથી લઈ વયોવૃદ્ધ દરેક વ્યક્તિ નરેન્દ્ર મોદીને ઓળખે છે. તેમના બાળપણ વિષે તમે જાણો છો? આજે વડાપ્રધાન છે તે બાળપણમાં ચાની લારી પર કામ કરતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ ગુજરાતના વાદનગર ખાતે થયો હતો. તેમના પિતા રેલ્વે સ્ટેશન ખાતે ચાની લારી ચલાવતા હતા. ત્યારે આજના આ લેખમાં આપણે જાણીએ કે મોદીની ચાની લારીથી લઈ વડાપ્રધાન મોદી બનવા સુધીની જર્ની વિષે જાણીએ. નરેન્દ્ર મોદી શાળાએથી પાછા ફર્યા બાદ તે દરરોજ તેના…
અમદાવાદની એક ઈમારતમાં લિફ્ટ તૂટવાની ઘટના તાજી જ છે, 8 શ્રમિકોના મોતની ગુંજ હજી સંભળાઈ રહી છે. ત્યારે સુરતમાં સુરતમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં દુર્ઘટના સર્જાઈ છે. સુરતમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં દુર્ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદ બાદ સુરતમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં દુર્ઘટના સર્જાઈ છે. સુરતના પાંડેસરાના પેરેલિયમ એપાર્ટમેન્ટમાં આ ઘટના બીન હતી. એપાર્ટમેન્ટના 14 માં માળે બિલ્ડિંગમાં લિફ્ટનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે અચાનક લિફટનુ કામ કરતા એક શ્રમિક નીચે પટકાયો હતો. આટલે ઉંચેથી નીચે પટકાતા જ શ્રમિક મોતને ભેટ્યો હતો. પરંતું એટલી વારમાં બીજો શ્રમિક તેને બચાવવા ગયો હતો. જેથી તેનું પણ મૃત્યુ થયું. ઘટના બાદ પાંડેસરા પોલીસની ટીમ ઘટના સ્થળે…
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી દુનિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. અદાણી આ મુકામ પર પહોંચનારા એશિયાના પહેલા વ્યક્તિ છે. Forbes ની રિયલ ટાઈમ બિલિયોનર લિસ્ટ મુજબ અદાણી 155.3 અબજ ડોલરની નેટવર્થ સાથે દુનિયાના અમીરોની યાદીમાં બીજા નંબરે પહોંચી ગયા છે. આ યાદીમાં ફ્રાંસના ઊદ્યોગપતિ બર્નાર્ડ આરનોલ્ટ 155.2 અબજ ડોલરની નેટવર્થ સાથે ત્રીજા અને અમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસ 149.7 અબજ ડોલરની નેટવર્થ સાથે ચોથા નંબરે છે. ટેસ્લાના સીઈઓ એલન મસ્ક 273.5 અબજ ડોલરની સાથે પહેલા નંબરે છે. આજે તેમનું ગ્રુપ કોઈલથી લઈને પોર્ટ્સ, મીડિયા, સીમેન્ટ, એલુમિના, અને ડેટા સેન્ટર સુધીના કારોબારમાં છે. અદાણી ગ્રુપ માર્કેટ કેપ પ્રમાણી દેશનો…