What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
સ્વતંત્રતા દિવસ પહેલા હર ઘર તિરંગા અભિયાન શરૂ થશે સામાન્ય જનતા માટે તિરંગો ફરકાવવાના નિયમો બદલાયા હવે રાત દિવસ ફરકાવી શકશો તિરંગો હવે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરે રાત દિવસ તિરંગો ફરકાવી શકશે. કારણ કે કેન્દ્રની મોદી સરકાર સ્વતંત્રતા દિવસ પહેલા ‘હર ઘર તિરંગા સમારંભ’થી તિરંગો ફરકાવાના નિયમોમાં મહત્વના ફેરફાર કરી રહી છે. અત્યાર સુધી જનતાને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવાની મંજૂરી હતી. સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાના એક પત્રમાંથી આ વાત સામે આવી છે. તેમણે 20 જૂલાઈએ તમામ સચિવોને આ પત્ર લખ્યો હતો. પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તિરંગો ફરકાવવાના નવા…
અમિત શાહે અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ કર્યા 2024 પહેલા માણસામાં કોઇ સુવિધા બાકી ન રહે તેવી વ્યવસ્થા કરીશુંઃ શાહ અમિત શાહ 23 અને 24 જુલાઈના ગુજરાત પ્રવાસે માણસામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાંસ્કૃતિક ભવન અને મધ્યાહન ભોજન રસોઇઘરનું લોકાર્પણ કર્યું હતું. અમિત શાહે અક્ષયપાત્ર રસોડા, માણસા પુસ્તકાલય, નગરપાલિકાના હોલની મુલાકાત લીધી હતી. હવે તેઓ માણસા સિવિલ અને ચંદ્રસર તળાવની પણ મુલાકાત લેશે. નગરપાલિકા નગરપાલિકા હસ્તક સંસ્કૃતિ ભવનના લોકાર્પણ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, માણસા સહકારી ક્ષેત્રે મોડલ બને તેવું કામ કરવાનું છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં નવી હોસ્પિટલ બનાવમાં આવશે. માણસા-બાવલા ફોર લેન રોડ બનાવવામાં આવશે. ગટર યોજના માટે 50…
ઉત્તર ગુજરાતમાં વરસાદની શરૂઆત અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદ ભિલોડામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજથી 3 દિવસ ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે મેઘરાજાની પધરામણી થઇ ગઇ છે. મેઘરાજાએ સાબરકાંઠા, અરવલ્લીમાં તડામાર વરસાદ વરસ્યો. તેમાં અત્યારે સૌથી વધારે અરવલ્લીમાં વરસાદ નોંધાયો છે. અરવલ્લીના ભિલોડોમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ પડતા નીચાણ વાળા વિસ્તારો પાણી પાણી થયા છે. ધોધમાર વરસાદને પગલે પોલીસ સ્ટેશન વિસ્તાર,ગોવિંદનગરમાં પાણી ભરાયા છે. આ તરફ ઇડર -શામળાજી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અડધુ ટાયર પાણીમાં ડૂબે એટલા પાણી ભરેલા જોવા મળ્યા હતા. તો આ…
હીરો સ્પ્લેન્ડરની બોલબાલા બઘાને પાછળ છોડી બની ભારતની નંબર 1 બાઇક ગયા મહિને ભારતમાં સૌથી વધુ વેચાતી ટોપ 10 બાઈકમાં સ્પ્લેન્ડર નંબર 1 પર હીરો મોટોકોર્પ ભારતની સૌથી મોટી ટુ વ્હીલર કંપની છે. ભારત વિશ્વના સૌથી મોટા ટુ-વ્હીલર માર્કેટમાંનું એક છે અને હીરો સ્પ્લેન્ડર અહીંની સૌથી લોકપ્રિય બાઇક્સમાંની એક છે. તમને જાણીને નવાઈ લાગશે કે હીરો સ્પ્લેન્ડર પ્લસ દર મહિને 2-4 લાખ યુનિટ્સનું વેચાણ કરે છે અને આવા જ કેટલાક આંકડા ગયા મહિને સામે આવ્યા હતા એટલે કે જૂન 2022માં પણ આ બાઇક સૌથી વધુ વેચાઈ હતી. Honda CB Shine, Hero HF Deluxe, Bajaj Pulsar, Hero Glamour, Bajaj Platina અને…
આપણાં ગુજરાતમાં પણ ઘણી જગ્યાઓ પર ધોધ જોવા મળે છે આવી જ એક છુપાયેલી જગ્યાઓ માંથી એક છે ઝરવાણીનો ધોધ અમદવાદથી આ જગ્યા માત્ર 203 કિમી દૂર આવેલી છે ગુજરાતમાં ફરવાલાયક સ્થળો તો ઘણા છે અને પ્રવાસીઓ માટે ગુજરાત એક આકર્ષણનું કેન્દ્ર છે. ગુજરાતનાં અલગ અલગ સ્થળોની અલગ અલગ સુંદરતા અને મહત્વ છે. ધાર્મિક રીતે અઢળક મંદિરો અને ફરવા માટે મનમોહી લે એવા કુદરતી દ્રશ્યોથી ભરપૂર ગુજરાતમાં ચોમાસાનું આગમન તો થઈ ગયું છે. ગુજરાતમાં વરસાદનું આગમન થાય એટલે કેટલાક વિસ્તારો અને જગ્યા સર્વગથી ઓછી નથી દેખાતી. ધોધ કે ઝરણા જોવા માટે લોકો જે ગુજરાતની બહાર ફરવા જાય છે એમને જણાવી…
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે e-FIR સેવાનો કરાવ્યો પ્રારંભ વાહનચોરી અને મોબાઈલ ચોરીની ઓનલાઈન ફરિયાદ કરી શકાશે ફરિયાદની કોપી એપથી મેળવી શકાશે અમિત શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આઝાદી બાદ આદિવાસી મહિલાનું રાષ્ટ્રપતિ બનવું દેશ માટે ઐતિહાસિક અને ગૌરવની વાત છે. સાથે જ શાહે E-FIR સિસ્ટમ બદલ ગુજરાત સરકારને શુભેચ્છા આપ્યા હતા અને પોલીસની કામગીરીની પીઠ થાબડતા જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ અનેક વર્ષોથી દેશમાં આગળ રહી છે અને દાણચોરી કરનારી ચેનલો બંધ થઇ ગઇ છે. સાથે જ તેમણે એમ પણ જણાવ્યું કે, ગુજરાત પોલીસ આધુનિક અને ટેક્નોસેવી બની છે. પોરબંદર અને કચ્છના દરિયા કાંઠે દાણચોરી ધમધમતી હતી તે દાણચોરીના…
GST નેટર્વકનું પોર્ટલ 1લી સપ્ટેમ્બરથી બે મહિના માટે ખુલ્લો રાખવાનો નિર્દેશ કોર્ટના આ નિર્ણયથી ઘણાં વેપારીઓને મળશે રાહત, જે કેસ લડી રહ્યાં છે કેસના કારણે વ્યવસાયો પર ક્રેડિટ રિર્ટન મેળવાના અધિકારથી દૂર ના કરી શકાય GST મામલે સુપ્રીમ કોર્ટે વેપારીઓને મોટી રાહત આપી છે. અદાલતે શુક્રવારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક (GSTN) પોર્ટલને 1 સપ્ટેમ્બરથી બે મહિના માટે ખુલ્લું રાખવાનો નિર્દેશ આપ્યો હતો, જેથી વ્યવસાયો ટેક્સ ક્રેડિટનો દાવો કરી શકે. મહત્વનું છે કે, જુલાઈ 2017માં આવેલી આ નવી પરોક્ષ કર વ્યવસ્થા પછી આવા ઘણા કેસ પેન્ડિંગ છે. નિષ્ણાતોએ આ નિર્ણયને સીમાચિહ્ન ગણાવ્યો છે. સર્વોચ્ચ અદાલતના નિર્ણયથી ઘણા વ્યવસાયોને રાહત મળશે…
ઈન્સ્ટાગ્રામે પોતાના પ્લેટફોર્મ પર ઘણા મોટા ફેરફાર કર્યા હવે યુઝર્સને 15 મિનિટથી નાનો કોઈ પણ વીડિયો Reelsમાં દેખાશે કંપનીનુ સંપૂર્ણ ધ્યાન હવે રીલ્સ પર કેન્દ્રીત થયુ વીડિયો અને ફોટો શેરિંગ પ્લેટફોર્મ Instagram પર મોટો ફેરફાર થઇ રહ્યો છે. તમે ઈન્સ્ટાગ્રામના નવા યુગમાં એન્ટ્રી કરી રહ્યાં છો, જેમાં કંપનીનુ ધ્યાન હવે વીડિયો પર હશે. વીડિયો પણ શું રીલ્સ પર હશે. હવે ઈન્સ્ટાગ્રામ પર 15 મિનિટથી નાનો કોઈ પણ વીડિયો રીલ્સની જેમ બતાવવામાં આવશે. જો કે, પહેલા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોને રીલ્સમાં બદલવામાં આવશે નહીં. કંપનીએ આ ફેરફારની શરૂઆત થોડા અઠવાડિયા પહેલા કરી છે અને આગામી થોડા અઠવાડિયામાં આ કાયમી થઇ જશે.…
મણિપુરમાં કોવિડ-19 પોઝિટિવ કેસમાં વધારો 12 વર્ષથી ઓછી ઉમરના બાળકોને સ્કુલ જવા પર પ્રતિબંધ સાવચેતીના ભાગરૂપે કમિશનર દ્વારા લેવામાં આવ્યા પગલાઓ મણિપુરમાં કોવિડ-19 પોઝિટિવ કેસમાં વધારો થતાં, પૂર્વોત્તર રાજ્યના સત્તાવાળાઓએ તેમના સ્વાસ્થ્ય માટે સાવચેતીના પગલા તરીકે 7 ઓગસ્ટ સુધી 12 વર્ષથી ઓછી ઉંમરના (સાત ધોરણ) બાળકો માટે શારીરિક વર્ગો ન લેવાનો નિર્ણય કર્યો છે. શુક્રવારે જારી કરાયેલા સરકારી આદેશમાં આ વાત કહેવામાં આવી છે. કમિશનર (શિક્ષણ), એચ જ્ઞાન પ્રકાશ દ્વારા જારી કરાયેલો આદેશ રાજ્ય સરકારે રાજ્યમાં પ્રવર્તમાન COVID-19 પરિસ્થિતિનું પુનઃમૂલ્યાંકન કર્યા પછી આવ્યો છે. 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો કોવિડ-19થી ચેપ લાગવા માટે વધુ સંવેદનશીલ છે કારણ કે તેમને હજુ…
વેસ્ટ ઇન્ડીઝ અને ભારત વચ્ચે ODI મેચ પહેલા મેચમાં ભારતનો થયો વિજય પ્લેયર ઓફ ધ મેચ બન્યો શિખર ધવન વેસ્ટ ઇન્ડીઝના સામે ભારતની ૩ દિવસીય ODI માં પહેલા મેચમાં ભારતને વિજય મળ્યો છે. ત્યારે ટીમના કપ્તાન શિખર ધવને પોતાનો કમાલ બતાવ્યો હતો. પોતાની અર્ધ શતકીય પારીએ ભારતને વિજય અપાવ્યો હતો. અને સાથે સાથે પોતાના નામે એક રેકોર્ડ પણ બનાવ્યો છે. ધવને આ મેચમાં અર્ધ શતક સાથે લેજેન્ડ સુનીલ ગાવસ્કર, મોહમ્મદ અજહરુદીન, મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્માનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ધવન હાલ સૌથી વધુ ઉમ્ર વાળો કેપ્ટન બન્યો છે જેણે અર્ધ શતક લગાવી હોય. રેકોર્ડ તોડ્યા ધવને 36 વર્ષ…

