What's Hot
- 30 વર્ષ પછી સ્ત્રીઓ માટે સૌથી મહત્વપૂર્ણ બને છે આ 3 વિટામિન, શરીરમાં દુખાવો, થાક અને નબળાઈ રહેશે દૂર
- મધ અને આદુ એકસાથે ખાવાથી શું થાય છે, જાણો શું ફાયદા થાય છે?
- પામ તેલ કેટલું ખતરનાક છે? જાણો તેને ખાવાના શું ગેરફાયદા છે અને તેનાથી કયા રોગો થાય છે?
- ભારતમાં યોજાનારા વર્લ્ડ કપ 2025ની તારીખ અને સ્થળની જાહેરાત, પાકિસ્તાન તેની મેચ આ શહેરમાં રમશે
- PBKS vs RCB : જો વરસાદને કારણે મેચ ધોવાઈ જાય તો ચેમ્પિયન કોણ બનશે?
- સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન શું છે, તે મ્યુચ્યુઅલ ફંડમાં કેવી રીતે કામ કરે છે?
- શેરબજાર લીલા નિશાનમાં ખુલ્યું, આ શેરોમાં તેજી સાથે કારોબાર શરૂ થયો
- તમારું આવકવેરા રિટર્ન જાતે ફાઇલ કરો, અહીં જાણો ITR ઓનલાઈન ફાઇલ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પદ્ધતિ
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
સોલર પાવરથી ચાલનાર દમદાર સ્માર્ટવોચ ભારતમાં લોન્ચ કઈક આવ છે ફીચર્સ અને કિંમત નવી સ્માર્ટવોચમાં કંપની સોલર ચાર્જિંગ સપોર્ટ પણ આપી રહી છે સ્માર્ટવોચ પસંદ કરનાર યૂઝર્સ માટે ખુશીના સમાચાર છે. જાણીતી કંપની Garmin એ ભારતમાં પોતાની નવી સ્માર્ટવોચ સિરીઝ Forerunner 955 અને Forerunner 255 ને લોન્ચ કરી દીધી છે. ફોરરનર 955 સિરીઝમાં બે સ્માર્ટવોચ- ફોરરનર 955 અને ફોરરનર 955 સોલર સામેલ છે. તો ફોરરનર 255 હેઠળ ગાર્મિને ફોરરનર 255 અને ફોરરનર 255S ને લોન્ચ કરી છે. સોલર પાવર્ડ મોડલની સાથે આવનાર ફોરરનર 955 સિરીઝની શરૂઆતી કિંમત 53,490 રૂપિયા છે. તો બીજીતરફ ફોરરનર 255ની શરૂઆતી કિંમત 37490 રૂપિયા છે. વોચમાં…
અગ્નિપથ યોજનાનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં આગમી અઠવાડિયે થશે સુનાવણી અગ્નિપથ યોજના સામે દેશભરમાં થઈ હતી હિંસા સેનામાં ભરતીની કેન્દ્ર સરકારની નવી સ્કીમ પર હોબાળા બાદ આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. અગ્નિપથ યોજના સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ રાજી થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, અગ્નિપથ યોજનાને લઈને બિહાર, યુપી, હરિયાણા સહિત અનેક રાજ્યોમાં યુવાનોએ હોબાળો કર્યો હતો. અનેક ટ્રેનોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ મામલે રાજ્ય સરકાર દ્વારા ઉપદ્રવીઓ વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો હતો. અગ્નિપથ યોજનાને પડકારતી અરજી સોમવારે સુપ્રીમ કોર્ટ સામે રાખવામાં આવી હતી. અરજીકર્તાઓએ વકીલને કહ્યું…
રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે દોઢ ઇંચ વરસાદ માધાપર ચોકડીએ ગોઠણસમા પાણી ભરાયા રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન રાજકોટ શહેરમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. પરંતુ બપોર બાદ વીજળીના કડાકા-ભડાકા સાથે એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. શહેરના જામનગર રોડ, યાજ્ઞિક રોડ, 150 ફૂટ રિંગ રોડ, રેસકોર્સ, રૈયા રોડ, કિશાનપરા ચોક, યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ અને મોરબી રોડ સહિતના વિસ્તારોમાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. આથી શહેરના મુખ્ય માર્ગો પર એકથી બે ફૂટ સુધી પાણી ભરાઇ ગયા છે. બીજી તરફ ભારે માધાપર ચોકડીએ ગોઠણસમા પાણી ભરાતા બાઇક, રિક્ષા બંધ પડી જતા ચાલકો પરેશાન થઈ રહ્યા છે.…
જોની બેયરસ્ટો અને ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન કોહલી વચ્ચે થોડી બોલાચાલી થઈ “મને ન કહે કે મારે શું કરવું જોઈએ. તારું મોઢું બંધ રાખ અને બેટિંગ કર.”- કોહલી ભારત હાલ આ સિરિજના 2-1થી આગળ ચાલી રહ્યું છે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટનમાં રમાઈ રહેલ ટેસ્ટમાં ઘણો રોમાંચ જોવા મળી રહ્યો છે. શરૂઆતી બે દિવસમાં ભારતીય ટીમ આ મેચમાં આગળ હતી અને ત્રીજી મેચની શરૂઆત એક બોલાચાલી સાથે થઈ છે. ઈંગ્લેન્ડના જોની બેયરસ્ટો અને ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન કોહલી વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી. એ પછી અમ્પાયર્સે વચ્ચે આવીને મામલો શાંત કરવો પડ્યો હતો. વાત એમ છે કે ત્રીજા દિવસે જ્યારે…
પ્રધાનમંત્રી મોદી આંધ્ર પ્રદેશમાં પહોંચ્યા હતા અહીં સ્વતંત્રતા સંગ્રામના શહીદને સલામ કરી હતી પીએમ મોદીએ સ્વતંત્રતા સેનાનીના દિકરીને જાહેરમાં નમન કર્યું પ્રધાનમંત્રી મોદીએ આંધ્રપ્રદેશમાં સોમવારે અલ્લૂરી સીતારામ રાજૂની 30 ફુટની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ અવસર પર પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ દેશના સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસ અમુક વર્ષો અને અમુક લોકો સુધી સીમિત નથી, પણ આ દેશના ખૂણે ખૂણે બલિદાનનો ઈતિહાસ છે. તેમણે પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ મહાન સ્વતંત્રતા સેનાની 125મી જયંતિ અને રમ્પા વિદ્રોહની શતાબ્દી વર્ષ ભર મનાવામા આવશે. પોતાના ભાષણ બાદ પીએમે શ્રી પસાલા કૃષ્ણમૂર્તિના પરિવાર સાથે મુલાકાત કરી હતી, જે આંધ્ર પ્રદેશના સ્વતંત્રતા સેનાની હતા. પ્રધાનમંત્રીએ…
સ્કૂલ સમયને લઈને શિક્ષણ વિભાગ અને સંચાલકો સામસામે ગ્રાન્ટેડ સ્કૂલો સવારની પાળીમાં ન ચલાવવા આદેશ સ્કૂલમાં સવારની પાળી બંધ કરી બપોરનો કરતા વિવાદ શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ સ્કૂલોને સવાર પાળીમાં ન ચલાવવાનો આદેશ કરાતા શિક્ષણવિભાગ અને શાળા સંચાલકો સામસામે આવી ગયા છે. શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે કે સવારની પાળીની શાળા બપોરે 11થી 5 ચલાવવામાં આવે. આ પરિપત્રને લઇને વાલીઓ- વિદ્યાર્થી તથા શાળા સંચાલકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. રાજ્યના શિક્ષણ વિભાગે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમય બદલતા વિવાદ સર્જાયો છે. શાળાઓના સમયમાં ફેરફાર કરતાં સંચાલકો રોષે ભરાયા છે. શિક્ષણ વિભાગના આ પરિપત્રથી રાજ્યની 7620…
સિદ્ધુ મુસેવાલા કેસમાં મોટી સફળતા સિંગરને પોઈન્ટ બ્લેન્કથી ગોળી મારનાર શૂટરની ધરપકડ પોલીસે શૂટર અંકિત સિરસાની ધરપકડ કરી મોટી સફળતા પ્રાપ્ત કરી દિલ્હી પોલીસને સિદ્ધુ મુસેવાલાના હત્યા કેસમાં મોટી સફળતા મળી છે. પોલીસે શૂટઆઉટમાં સામેલ અંકિત અને તેના સાથી સચિન ભિવાનીની ધરપકડ કરી છે. આ બંને લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરારની ગેંગમાં કામ કરતા હતા. પોલીસે તેમની પાસેથી પંજાબ પોલીસના ત્રણ યુનિફોર્મ અને એક 9mm ની પિસ્તોલ, એક .3mm ની પિસ્તોલ અને ડોંગલ સાથે બે મોબાઈલ સેટ જપ્ત કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, અંકિત સિરસાએ નજીકથી સિદ્ધુ મુસેવાલા પર ગોળી ચલાવી હતી. પ્રિયવ્રત ફૌજીની સાથે અંકિત ગાડીમાં જ હાજર હતો.…
સુનીલ શેટ્ટી ફિલ્મોથી નહીં, પરંતુ આ બિઝનેસથી કમાય છે અબજો રૂપિયા લગભગ 30 વર્ષની કારકિર્દીમાં, સુનીલ શેટ્ટીએ મુંબઈમાં પોતાનું બિઝનેસ સામ્રાજ્ય ઉભું કર્યું છે સુનીલ શેટ્ટી વર્ષે 100 કરોડ જેટલી કરે છે કમાણી બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની ફી પણ અસાધારણ ન હતી, તેમ છતાં 60 વર્ષની ઉંમર સુધીમાં તેમણે અબજોની સંપત્તિ એકઠી કરી છે. સુનીલ શેટ્ટીનો જન્મ 11 ઓગસ્ટ, 1961ના રોજ મેંગ્લોર નજીક મુલ્કીમાં થયો હતો, સુનીલે 1992માં ફિલ્મ ‘બલવાન’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. લગભગ 30 વર્ષની કારકિર્દીમાં, સુનીલ શેટ્ટીએ મુંબઈમાં પોતાનું બિઝનેસ સામ્રાજ્ય ઉભું કર્યું છે, જેમાંથી તે દર વર્ષે લગભગ 100 કરોડ…
2000 વર્ષ જૂની બાટિક પ્રિન્ટ આજે પણ છે પહેલી પસંદ બાટિક પ્રિન્ટ વિદેશમાં પણ છે બોલબાલા બાટિક પ્રિન્ટને તૈયારમાં લાગે છે લાંબી મહેનત ભારતની પ્રમુખ લોકકલા પૈકી એક કલા હોય તો તે બાટિકની છે. આજે પણ બાટિક પ્રિન્ટ ભારતમાં જ નહીં પરંતુ શ્રીલંકા બાંગ્લાદેશ, ચીન, ઈરાન મલેશિયા અને થાઈલેન્ડ સહિત આખી દુનિયામાં લોકપ્રિય છે. ઘણા ઓછા લોકો હશે જેને બાટિક પ્રિન્ટ વિશે ખબર નહીં હોય. પરંતુ તમારા આઉટફિટ ક્લેકશનનો હિસ્સો તો હશે. છેલ્લા થોડા સમયથી બાટિક પ્રિન્ટનો ક્રેઝ બોલિવૂડમાં પણ વધી રહ્યો છે. શિલ્પા શેટ્ટી અને કરીના કપૂર આ આઉટફિટમાં સ્પોટ પણ થઇ છે. દિલ્હીની ફેશન ડિઝાઇનએ શીતલ શ્રીવાસ્તવ જણાવે…
મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે અગ્નિપરીક્ષા એકનાથ શિંદે સરકારે ફ્લોર ટેસ્ટ પાસ કરવો પડશે વિધાનસભામાં થઈ રહ્યું છે વોટિંગ મહારાષ્ટ્રમાં આજે નવા સીએમ એકનાથ શિંદેની અગ્નિપરીક્ષા છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્ય અને ભાજપ ગઠબંધનવાળી સરકારનો આજે ફ્લોર ટેસ્ટ થઈ રહ્યો છે. અત્યાર સુધીની સ્થિતિ જોતા લાગી રહ્યું છે કે શિંદે જૂથ આસાનીથી ફ્લોર ટેસ્ટ પાસ કરી લેશે. તો વળી બીજી બાજૂ ફ્લોર ટેસ્ટ પહેલા ઉદ્ધવ જૂથની મુશ્કેલીઓ વધી ગઈ છે. શિંદેને શિવસેનાના ધારાસભ્ય દળના નેતા અને ગોગાવલેને ચીફ વ્હિપ તરીકે માન્યતા મળી ગઈ છે. હવે ઉદ્ધવ જૂથના 16 ધારાસભ્યો જેમાં તેમના દિકરા આદિત્ય ઠાકરે પણ સામેલ છે. તેના પર શિંદે સરકારના સમર્થનમાં વોટ…