Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

રસીકરણના કારણે 2021માં ભારતના 42 લાખથી વધુ જીવ બચાવ્યા બ્રિટનની ઈમ્પિરિયલ કોલેજના અભ્યાસનું તારણ આવ્યું સામે સંશોધકોએ ૧૮૫ દેશોના ડેટાનો અભ્યાસ કરીને તારણ રજૂ કર્યું હતું બ્રિટનની ઈમ્પિરિયલ કોલેજના સંશોધકોએ ૧૮૫ દેશોના ડેટાનો અભ્યાસ કરીને તારણ રજૂ કર્યું હતું એ પ્રમાણે કોરોનાની વેક્સિને શરૃઆતના એક વર્ષમાં બે કરોડ કરતાં વધુ લોકોનો જીવ બચાવ્યો હતો. ભારતમાં વેક્સિનેશનના કારણે ૪૨ લાખ લોકોને કોરોના સામે સુરક્ષા મળી હતી. લક્ષ્યાંક પ્રમાણે વેક્સિનેશન થયું હોત તો લાખોનો જીવ બચાવી શકાયો હોત. બ્રિટિશ ઈમ્પિરિયલ કોલેજના સંશોધકોએ કોરોના વેક્સિનના ડેટાનો અભ્યાસ કર્યો હતો. ૧૮૫ દેશોના ડેટા તપાસીને સંશોધકોએ દાવો કર્યો હતો કે જો નિર્ધારિત લક્ષ્યાંક પ્રમાણે વેક્સિનેશનમાં…

Read More

ભાડા પટ્ટે ઓફિસની માગ 3 ગણી વધી આ માંગમાં બેંગ્લુરુ, દિલ્હી, મુંબઈ ટોચ પર 7 શહેરોમાં મેમાં 6.1 મિલિયન ચોરસફૂટ ઓફિસ ભાડાપટ્ટે લેવાઈ દેશમાં વર્ક ફ્રોમ ઓફિસ ટ્રેન્ડ ફરી શરૂ થતાં ઓફિસની માગ વધી છે. દેશના સાત શહેરોમાં ગત મહિને 6.1 મિલિયન ચોરસ ફૂટ ઓફિસ ભાડે લેવામાં આવી હતી. ભાડેપટ્ટે ઓફિસની માગ ત્રણ ગણી વધી છે. ઓફિસ માર્કેટ લિઝિંગ ગતિવિધિઓમાં તમામ પ્રકારના ઓફિસ બિલ્ડિંગ ગ્રેડ્સમાં વૃદ્ધિ જોવા મળી હતી. મે, 2021માં 2.2 મિલિયન ચોરસ ફૂટ ઓફિસ ભાડે લેવામાં આવી હતી. જેએલએલના ચીફ ઈકોનોમિસ્ટ અને હેડ ઓફ રિસર્ચ સમાંતક દાસે જણાવ્યુ હતુ કે, ઓફિસ માર્કેટમાં તેજી જોવા મળી છે. કુલ બજાર…

Read More

રાજ્યમાં 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અમદાવાદ,ગાંધીનગર,વડોદરાવાસીઓએ વરસાદ માટે રાહ જોવી પડશે ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બરાબર ચોમાસું જામી ગયું છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ અને ડાંગ, નવસારી અને તાપીમાં વરસાદની આગાહી કરી છે. સાથે દાદરા નગર હવેલીમાં પણ સાર એવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બીજી બાજુ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગરમાં પણ સારા વરસાદની આગાહી કરાઇ છે. આથી ભારે…

Read More

એકનાથ શિંદેના આક્રમક વલણથી શિવ સૈનિકોમાં ભારે રોષ ઉથલપાથલને ધ્યાનમાં રાખીને મુંબઇ પોલીસ થઇ સતર્ક સોશિયલ મીડિયા પર રખાઇ રહી છે બાજ નજર મહારાષ્ટ્રના રાજકારણમાં થઇ રહેલી જબરી ઉથલપાથલને ધ્યાનમાં રાખીને મુંબઇ પોલીસ સતર્ક થઇ ગઇ છે. મુંબઇ પોલીસે રાજકીય રીતે સંવેનદનશીલ ગણાતાં સ્થળોએ સલામતી વ્યવસ્થા વધુ સઘન બનાવી દીધી છે. શિવસેનાના સિનિયર નેતા એકનાથ શિંદેએ પક્ષની નેતાગીરી સામે ભારે નારાજીનું રણશિંગું ફૂંક્યું છે. પોતાના ગાઢ સાથીઓને લઇને પહેલાં ગુજરાતના સુરત અને ત્યારબાદ સુરતથી આસામના ગુવાહાટીમાં પહોંચી ગયા છે. સમય જતાં એકનાથ શિંદેના જૂથમાં નારાજ સભ્યોની સંખ્યા વધતી ગઇ.પરિણામે શિવ સેનાના ગઢમાં મોટાં ગાબડાં પડયાં. આવા રાજકીય ધરતીકંપથી મહારાષ્ટ્રની મહાવિકાસ…

Read More

શું તમને હાડકા અને સાંધામાં દુ:ખાવાની સમસ્યા છે? તમારા ડાયટમાં આ ત્રણ વસ્તુઓનો કરો સમાવેશ શરીરમાં તમારા હાડકાને બનાવશે મજબૂત ઘણા લોકોને ઉઠતા-બેસતા વખતે હાડકા અને સાંધામાં દુ:ખાવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ એ વાત તરફ ઈશારો કરે છે કે તમારા હાડકા નબળા થયા છે. હાડકાને મજબૂત કરવા માટે કેલ્શિયમ ખૂબ જરૂરી માનવામાં આવ્યું છે. હાડકામાં દુ:ખાવાની સમસ્યાનો સામનો વૃદ્ધ સહિત હવે જવાન લોકોએ પણ કરવો પડે છે. હાડકા માટે કેલ્શિયમ ઘણુ જરૂરી માનવામાં આવે છે. શરીરમાં કેલ્શિયમની કમી થવાથી હાડકા નબળા થવા લાગે છે. તેથી તમારા ડાયટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જેનાથી હાડકા અને સાંધાના દુ:ખાવાની સમસ્યાનો સામનો…

Read More

આજે ભગવાન વિષ્ણુનો અભિષેક કરવાથી પાપ દૂર થાય છે સૂર્યને અર્ઘ્ય આપવાથી ઉંમર વધશે જાણો શાસ્ત્ર મુજબ બારસ તિથિનું શું છે મહત્વ 25 જૂન એટલે આજે જેઠ મહિનાના વદ પક્ષની બારસ તિથિ છે. આ તિથિના સ્વામી ભગવાન વિષ્ણુ હોય છે. એટલે આ દિવસે વિષ્ણુજીની પૂજા કરવાનું વિધાન પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. આ દિવસે તીર્થ સ્નાન અથવા ગંગાજળ મિક્સ કરેલાં પાણીથી નાહવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થાય છે. ભગવાન વિષ્ણુની તિથિ હોવાથી આ દિવસે વ્રત અને પૂજા કરવાથી અનેકગણું પુણ્ય ફળ મળે છે. નારદ પુરાણ પ્રમાણે બારસ તિથિએ ભગવાન સૂર્યને અર્ઘ્ય આપવાથી, બાર નામનો જાપ કરવાથી અને સૂર્યને પ્રણામ કરવાથી દોષ…

Read More

હાલ જ હીરો મોટોકોર્પએ નવું સ્પ્લેન્ડર બાઇક લોન્ચ કર્યું છે બીએસ 6 ઈંજન સાથે આવનાર પહેલી સ્પ્લેન્ડરઆઇસ્માર્ટ બાઇક છે નિર્ધારિત કિંમત માત્ર 64,900 છે આજકાલના જડપી જીવનમાં દરેક પાસે ટુ-વ્હીલર્સ હોવું ફરજિયાત જેવુ બની ગયું છે. શહેર હોય કે ગામડું આજે દરેક વ્યક્તિ પાસે બાઇક અથવા બીજું કોઈ સ્કૂટર જરૂરથી હોય છે. કોઈ પણ જગ્યાએ જલ્દી પંહોચવા માટે લોકો ટુ-વ્હીલર્સનો ઉપયોગ કરે છે. શહેરના અનહદ ટ્રાફિકથી બચવા માટે પણ આજકાલ લોકો ટુ-વ્હીલર્સનો વધુ ઉપયોગ કરે છે. એવામાં ઘણી કંપનીઓ ઘણા બાઇક અને સ્કૂટર બનાવે છે પણ સામાન્ય માણસ માટે સારી માઇલેજ આપતું અને સારું લુક ધરાવતું ટુ-વ્હીલર્સ જે બજેટમાં પણ…

Read More

વરસાદ બાદ ડાંગ જિલ્લાનો નજારો બન્યો આહલાદક નદીઓમાં નવા નીરની સાથે વગડો બન્યો લીલોછમ સહેલાણીઓ મણિ રહ્યા છે વરસાદની મજા ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારામાં ખુશનુમા વાતાવરણ છવાયું છે. સાપુતારાનું વાતાવરણ ખુશનુમા બનતા ગિરીમથક સાપુતારામાં શનિ, રવિની રજા માણવા સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટવાની શક્યતા છે. હાલ આખો ડાંગ જિલ્લો ઘણો જ અહલાદક લાગી રહ્યો છે. વરસાદ બાદ આ વિસ્તારમાં ફરવાની મઝા જ કાંઇ ઔર છે. અત્યારે પણ સહેલાણીઓ ઝરમર વરસાદમાં ભીંજાતા જોવા મળી રહ્યા છે. ગુજરાત કી આંખો કા તારા સાપુતારા હાલ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. જેથી તે સહેલાણીઓ માટે આકર્ષણ કેન્દ્ર બન્યું છે. રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ચાલુ…

Read More

રાતોરાત બકરી થઈ ગઈ ફેમસ કારણ છે આશ્ચર્ય જનક લોકો બકરીનો વિડિયો સોશિયલ મીડિયામાં કરી રહ્યા વાઇરલ દુનિયાભરમાં હજારો પ્રકારના જીવ જંતુઓ અને પ્રાણીઓ છે. દરેક જીવોની શરીરની રચના એકબીજાથી જુદી હોય છે પણ કેટલાક જીવો તેમની અનોખી શરીરની બનાવટને લઈને ચર્ચામાં રહેતા હોય છે. થોડા સમય પહેલા નાના કદની ગાયનો વીડિયો વાયરલ થયો હતો જેણે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. પરંતુ હવે સોશિયલ મીડિયા પર એક અનોખી બકરી રાતોરાત સેલિબ્રિટી બની ગઈ છે. પાકિસ્તાનની બકરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે તેના કાનને લઈને ચર્ચામાં છે.વીડિયોમાં તમે આ અનોખી બકરીને જોઈ શકો છો. દેખાવમાં તો આ બકરીનું બચ્ચું સામાન્ય…

Read More

વડોદરાની ફોનિક્સ સ્કૂલમાં આગ 3 પોલીસ કોન્સ્ટેબલની સતર્કતાને લીધે દુર્ઘટના ટળી તમામ વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢ્યા વડોદરા શહેરના સુસેન સર્કલ પાસે આવેલી ફોનિક્સ સ્કૂલમાં આગની ઘટના બનતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં નાસભાગ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા ક્લાસ રૂમમાં ફસાયેલા 450 ઉપરાંત વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ કરી સહી સલામત બહાર કાઢ્યા હતા. તે સાથે ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી. જોકે, એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો હતો. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં સુસેન સર્કલ પાસે આવેલી ફોનિક્સ સ્કૂલના ત્રીજા માળે એમ.સી.બી.માં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. બાળકો શાળામાં હાજર હતા અને આગ લાગતા જ…

Read More