What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાવાગઢથી નીકળીને વડોદરા પહોંચી ગયા મોદીએ ખુલ્લી જીપમાં બેસીને જનતાનું અભાવાદન ઝીલ્યું હતું લેપ્રસી મેદાન ખાતે સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાવાગઢથી નીકળીને વડોદરા પહોંચી ગયા છે. ત્યાં વડાપ્રધાન મોદીનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વડાપ્રધાન વડોદરા એરપોર્ટથી લેપ્રસી મેદાન પહોંચ્યા છે. જ્યાં મોદીએ ખુલ્લી જીપમાં બેસીને જનતાનું અભાવાદન કર્યું હતું. આ પહેલા મોદીએ ગાડીમાં બેઠા બેઠા રસ્તામાં ઉભેલા લોકોનું પણ અભિવાદન કર્યું હતું. મોદીનો કાફલો એરપોર્ટ પરથી નીકળ્યા બાદ વરસાદ શરૂ થઇ ગયો હતો. પીએમ મોદીએ પોતાના હિન્દીમાં ભાષણ દરમિયાન વચ્ચે વચ્ચે ગુજરાતીમાં પણ બોલી રહ્યા છે.અભેધ સુરક્ષા વચ્ચે…
એમેઝોન ની મિર્ઝાપુર 3 નું શુટિંગ ચાલુ લોકોમાં ત્રીજી સિઝનને લઈને ઉત્સાહ કાલીન ભૈયાનું પાત્ર ભજવ્યું છે પંકજ ત્રિપાઠીએ આજકાલ લોકો ફિલ્મો કરતા વેબ સિરીઝ વધુ નિહાળે છે ત્યારે મિર્ઝાપુરની 2 સિઝન આવી ચુકી છે અને લોકો ત્રીજી સિઝનને લઈને ખુબ જ ઉત્સાહિત છે. ત્યારે કાલીન ભૈયાએ આ વિશે ચર્ચાઓ કરી છે. એમેઝોન એપમાં હાલ ‘મિર્ઝાપુર’ની બે સીઝન છે ત્યારે લોકો ત્રીજી સિઝનની રાહ જોઈ રહ્યા છે. પહેલી સિઝનની જેમ જ બીજી સીઝન પણ સુપરહિટ રહી હતી. ત્રીજી સિઝનની પણ જાહેરાત થઇ ચૂકી છે અને લોકો ત્રીજી સિઝનની વાર્તા શું હશે તેનું અનુમાન લગાવતા દિવસ પસાર કરી રહ્યા છે. સાથે…
સુરતમાં વહેલી સવારથી જ સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. વરાછા અને લિંબાયત વિસ્તારમાં બે કલાકમાં 1 ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા કોઝવેની સપાટીમાં વધારો થયો છે. સુરત શહેરના વાતાવરણમાં વહેલી સવારથી જ પલટો આવ્યો છે અને વહેલી સવારથી જ સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જ્યારે સુરતના વરાછા અને લિંબાયત વિસ્તારમાં બે કલાકમાં 1 ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. લિંબાયત અને વરાછા વિસ્તારમાં ધોધમાર વરસાદ થતાની સાથે જ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. વરસાદને કારણે વાતાવરણ આહલાદક થઈ ગયું છે. વહેલી સવારે સુરતમાં કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ તો કેટલાકમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો.…
મહિલાઓ માટે આ 5 શૂઝ છે બેસ્ટ સ્પોર્ટ્સ અને રેગ્યુલર બને રીતે કરી શકશો આનો ઉપયોગ આ શૂઝ મહિલાઓને કંફર્ટની સાથે બેસ્ટ લુક પણ આપે છે જો તમે શ્રેષ્ઠ અને શ્રેષ્ઠ ગુણવત્તાવાળા સ્પોર્ટ્સ શૂઝ મેળવવા માંગતા હો. તેથી એમેઝોન પર ચાલી રહેલા વોર્ડરોબ રિફ્રેશ સેલ સાથે, તમે તમારા માટે સસ્તી કિંમતની શ્રેણીમાં શ્રેષ્ઠ સ્પોર્ટ્સ શૂઝ મેળવી શકો છો. આ શૂઝ પર તમને આકર્ષક ઑફર્સ અને ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યા છે. આ સ્પોર્ટ્સ શુઝ મહિલા ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. જે વધુ સારી રીતે આરામ પણ આપે છે. અહીં તમને આવા 5 શ્રેષ્ઠ શૂઝની યાદી મળી રહી છે. તેને…
PM મોદી પાવાગઢ મંદિરે રૂ.137 કરોડના વિકાસ કાર્યોની આપી ભેટ PM મોદી કાલિકા માતાના નવનિર્મિત શિખર પર કર્યુ ધ્વજારોહણ હું મહાકાળીને પ્રાર્થના કરું છું કે તેમના આશીર્વાદથી હું દેશના લોકોની સેવા કરતો રહું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પાવગઢ શક્તિપીઠ સ્થિત મહાકાળી માતાનાં દર્શન કર્યા હતા. શક્તિપીઠના નવનિર્મિત શિખર પર PM મોદીએ ધ્વજારોહણ કર્યું હતું અને સાથે જ માતાજીના શિખર પર 500 વર્ષમાં પહેલીવાર ધજા લહેરાઈ હતી. ઉલ્લેખનીય છે કે 500 વર્ષ પહેલાં આક્રમણખોરોએ મહાકાળી માતાના મંદિરના શિખરને ખંડિત કર્યું હતું ને ત્યારથી અહીં ધજા નહોતી. વડાપ્રધાનના માર્ગદર્શનમાં મંદિરના જીર્ણોદ્ધાર સાથે નવનિર્મિત શિખર બન્યું, એના પર આજે 5 સદી બાદ પહેલીવાર…
આસામમાં પૂરને કારણે 54 લોકોના નિપજ્યા મોત અત્યાર સુધીમાં 54 લોકોના મોત, 28 જિલ્લાના 18 લાખથી વધારે લોકો પ્રભાવિત કેટલાય ગામડાએ જળસમાધી લીધી છેલ્લા બે દિવસથી આસામમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે પૂરની સ્થિતિ સર્જવા પામી છે. જેમાં ઘણા લોકો ઘર વિહોણા થયા છે, તો ઘણા લોકોના મોત નિપજ્યા છે. અસમ સ્ટેટ ડિજાસ્ટર મેનેજમેન્ટ અથોરિટીએ જાણકારી આપી છે કે, અસમમાં પુરના કારણે વધુ નવ લોકોના મોત થઈ ગયા છે. જેમાં કુલ મૃત્યુ પામનારા લોકોની સંખ્યા હવે 54 થઈ ગઈ છે. અસમના હોજઈ, નલબાડી, બઝલી, ધુબરી, કામરૂપ, કોકરાઝાર અને સોનિતપુર જિલ્લામાં મોતની યાદી મળી છે. રાજ્યમાં આ વર્ષે પુર…
ઈશાન કિશન T20I સિરીઝમાં સૌથી ઝડપી 500 રન બનાવી કોહલીનો રેકોર્ડ તોડશે આ સીઝનમાં જ ઈશાન કિશન આ રેકોર્ડ બનાવે તેવી સંભાવના ભારત-દક્ષિણ આફ્રિકા T20 સિરીઝમાં ઇશાનનો જબર દેખાવ ઇશાન કિશન સાઉથ આફ્રિકા સામે ચાલી રહેલી T20I સિરીઝમાં સારો દેખાવ કરી રહ્યો છે. તે મેન ઇન બ્લુ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો છે. તેણે ભારત માટે ટોચના ક્રમમાં સાતત્યપૂર્ણ શરૂઆત કરી છે અને તેમને સન્માનજનક સ્કોર હાંસલ કરવામાં મદદ કરી છે. ડાબોડી બેટ્સમેને દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ ઇનિંગ્સમાં 54.66ની એવરેજ અને 157.66ની સ્ટ્રાઈક રેટથી 164 રન બનાવ્યા છે. જો તે પોતાનો ગોલ્ડન રન ચાલુ રાખશે તો તે વિરાટ…
અગ્નિપથ યોજનાનો વિરોધ જામનગર સુધી પહોંચ્યો એસપી કચેરીએ રજૂઆત માટે હજારો વિદ્યાર્થીઓ ઉમટ્યા વિદ્યાર્થીઓની ભીડને લઇ એસપી કચેરી છાવણીમાં ફેરવાઈ કેન્દ્ર સરકાર દ્વારા સેનામાં ભરતી માટે અગ્નિપથ યોજના લાવવામાં આવી છે. જે યોજનાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે જામનગરમાં પણ અગ્નિપથના વિરોધની આગ પહોંચી ગઈ છે. શહેરમાં આજે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આ યોજનાના વિરોધમાં એકઠા થયા હતા. આજે વહેલી સવારે એસપી કચેરી નજીક વિદ્યાર્થીઓ રજૂઆત કરવા માટે એકઠા થયા હતા. જેને લઈ બંદોબસ્ત માટે સમગ્ર પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. જેથી સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે.ઉલ્લેખનિય છે કે, સેનામાં ભરતીની ‘અગ્નિપથ’ યોજનાના વિરુદ્ધમાં ઠેર-ઠેર દેખાવો…
લગ્નમાં હવે એશિયન અને મિડલ ઈસ્ટર્ન ફૂડનો દબદબો જોવા મળે છે વેડિંગ મેનુના અત્યાર સુધી ગુજરાતી થાળી, પંજાબી, ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયન ફૂડ રહેતું જૅપનીઝ, લેબનીઝ, થાઈ વાનગીઓનો ટેસ્ટ મહેમાન વધુ પસંદ કરી રહ્યા છે વેડિંગ મેનુના મેઇન કોર્સમાં અત્યાર સુધી ગુજરાતી થાળી, પંજાબી, ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયન ફૂડ યજમાનની પહેલી પસંદ હતી. યંગ કપલ્સના બદલાયેલા ટેસ્ટ અને મહેમાનોમાં ન્યુ ડિશ ટ્રાય કરવાનો ક્રેઝ વધતાં હવે જૅપનીઝ, લેબનીઝ, થાઈ વાનગીઓનાં કાઉન્ટર વધતાં જાય છે ત્યારે આ ક્વિઝીનની ખાસિયત વિશે વાત કરીએ તો કોઈ પણ લગ્નપ્રસંગમાં ફૂડની વાઇડ રેન્જ મુખ્ય અટ્રૅક્શન હોય છે. ભાત-ભાતની અને દેશ-વિદેશની વાનગીઓનાં કાઉન્ટર જોઈને ફૂડી મહેમાનોના…
RBIએ જણાવ્યું કે SGBના 8 વર્ષના પીરિયડ માટે જાહેર થશે. મિનિમમ એક ગ્રામ ગોલ્ડમાં રોકાણ કરી શકાય છે કુલ 12,991 કરોડ રૂપિયાનો બોન્ડ જાહેર કરવામાં આવ્યો હતો RBIએ જણાવ્યું કે SGBના 8 વર્ષના પીરિયડ માટે જાહેર થશે. જેમાં હોલ્ડરની પાસે 5 વર્ષ બાદ સમય પહેલા વિમોચનનું ઓપ્શન હાજર રહેશે અને જેમાં મિનિમમ એક ગ્રામ ગોલ્ડમાં રોકાણ કરી શકાય છે. RBIએ જણાવ્યું કે સૉવરેન ગોલ્ડ બૉન્ડની 2021-22 સીરીઝમાં કુલ 10 હપ્તા જાહેર કરવામાં આવ્યાં હતા. આ દરમ્યાન કુલ 12,991 કરોડ રૂપિયાનો બોન્ડ જાહેર કરવામાં આવ્યો હતો. નાણાં મંત્રાલયે જણાવ્યું કે આ બૉન્ડ બેંકો , સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડ, ક્લિયરિંગ…

