Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

અમુક વસ્તુઓને એક્સપાયરી ડેટ બાદ પણ સુરક્ષિત રીતે ઉપયોગમાં લાવી શકાય છે ઈંડા ખરીદવાની તારીખથી ત્રણ-પાંચ અઠવાડિયા સુધી સરળતાથી ઉપયોગ કરી શકાય છે. પેક કરેલ દૂધ એક્સપાયરી ડેટના એક અઠવાડિયા બાદ પણ પ્રયોગમાં લઇ શકાય છે મોટાભાગના લોકોનુ માનવુ હોય છે કે પેકેટ પર લખવામાં આવેલી તારીખ બાદ તાત્કાલિક ખાવાનુ ખરાબ થઇ જાય છે અને તેને ફરીથી ખાઈ શકાતુ નથી.  અમુક પ્રોડક્ટનો એક્સપાયરી ડેટ વાળો દિવસ ખરાબ હોતો નથી અને અમુક વસ્તુઓને એક્સપાયરી ડેટ બાદ પણ સુરક્ષિત રીતે ઉપયોગમાં લાવી શકાય છે. આ વસ્તુઓ કઈ છે. આ અંગે એક વખત જાણી લો. ઈંડા: ઈંડા ખરીદવાની તારીખથી ત્રણ-પાંચ અઠવાડિયા સુધી સરળતાથી…

Read More

આતંકી હુમલાના ઈનપુટના પગલે દ્વારકા પોલીસ એલર્ટ મંદિરમાં કરાઈ થ્રી લેયર સુરક્ષા, તમામ વાહનોનું ચેકિંગ શરૂ ગોમતીઘાટ, સુદામાસેતુ, રેલવે-બસ સ્ટેશનમાં પોલીસની નજર ભાજપ નેતા દ્વારા કરાયેલ ટિપ્પણી નો દેશ ભરમાં વીરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ખતરનાક આતંકી સંગઠન અલકાયદાએ ગુજરાત માં હુમલો કરવાની ધમકી આપી છે . જેને પગલે રાજ્યની પોલીસ અને ઈંટેલિજેંટ વિભાગ એલર્ટ પર આવી ગયા છે. ત્યારે જગતમંદિર દ્વારકાધીશના મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.  હુમલાની ધમકીને લઇ દ્વારકાધીશના મંદિરમાં થ્રી લેયર સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. આ સાથે દ્વારકામાં પ્રવેશ મેળવતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં આતંકવાદી હુમલાના ઈનપૂટના પગલે…

Read More

રાજ્યમાં મેઘરાજાની સવારી આવી પહોંચી વલસાડ અને કપરાડામાં પડ્યો વરસાદ મધરાતે પડેલા વરસાદથી સ્થાનિકોને મળી ગરમીમાં રાહત ઉનાળાની સીઝન વિદાઈ લઇ રહી છે. ત્યારે હવે ચોમાસાની શરૂઆત થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. જોકે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવે ચોમાસાનું આગમન થઇ રહ્યું હોય તેવું વાતાવરણ પણ બંધાઈ રહ્યું છે. શુક્રવારે મોડીરાત્રે વલસાડ શહેર સહિત જિલ્લાના અનેક પથંકમાં ગાજ વીજ સાથે વરસાદ વરસ્યો હતો. વલસાડ તાલુકાની જો વાત કરવામાં આવે તો 14 MM અને કપરાડા તાલુકામાં 2 MM વરસાદ વરસ્યો હતો. વલસાડ શહેરમાં મધ્યરાત્રિએ આવેલા ધોધમાર વરસાદને પગલે વીજળી ગુલ થઈ ગઈ…

Read More

અત્યારે મહિને-મહિને અને નાના પેકિંગમાં તેલ વધુ વેચાય છે. નવેમ્બર-ડિસેમ્બરમાં સીંગતેલ સહિતના તેલીબિયાંની આવકો સારી હોય છે ગુજરાતમાં મુખ્યત્વે સીંગતેલ અને કપાસિયા તેલનું ચલણ વધારે છે. ચાલુ વર્ષે સીંગતેલ, કપાસિયા તેલ, પામ તેલ સહિતનાં ખાદ્યતેલોના ભાવમાં એકધારો વધારો થઈ રહ્યો છે.ખરીદીની પેટર્નમાં થયેલા ફેરફારના કારણે લોકોને તેલના ભાવમાં થતાં વધારાની અસર વધુ દેખાય છે. અગાઉ લોકો બલ્કમાં એટલે કે એક વર્ષનું તેલ એકસાથે લઈ લેતા હતા. તેની સામે અત્યારે મહિને-મહિને અને નાના પેકિંગમાં તેલ વધુ વેચાય છે. આ રીતે ખરીદી કરવાથી ગ્રાહકોને વાર્ષિક 15-20%ની બચત થઈ શકે છે.ઘઉ, ચોખા અને મસાલાની જેમ આખા વર્ષ માટે તેલની ખરીદી થઈ જતી હતી.…

Read More

તમે તમારા દેશી ખોરાકને ખાઈને પણ વજન ઘટાડી શકો છો સવારે ઉઠીને ખાલી પેટે એક ગ્લાસ પાણી પીવું જોઈએ. ભાતમાં કાર્બ્સ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, વજન ઉતારવા માત્ર ડાયટ અને ઉપવાસ પર આધાર રાખવાને બદલે યોગ્ય પ્રકારનો આહાર વધુ જરૂરી છે. જો તમે વજન ઘટાડવા શરૂઆત ક્યાંથી કરવી તે વિચારતા હોવ, તો કેટલીક સરળ વાતોને ધ્યાને રાખવી જોઈએ. જેમાં તંદુરસ્ત જીવનશૈલી જાળવવી, દરરોજ કસરત કરવી અને પૂરતી ઊંઘ લેવાનો સમાવેશ થાય છે. તમે તમારા દેશી ખોરાકને ખાઈને પણ વજન ઘટાડી શકો છો.  દેશી એટલે કે ઘરે બનાવેલું ભોજન તમારા માટે અનુકૂળ રહી શકે છે. અલબત્ત ઘરે શું ખાવું…

Read More

ભગવાન વિષ્ણુના ત્રિવિક્રમ અને વામન અવતારની પૂજા કરવામાં આવે છે આ દિવસે વ્રત રાખવાથી શારીરિક પરેશાનીઓ દૂર થાય છે ગંગા અને યમુના સહિત કોઈપણ પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે. જેઠ મહિનાના સુદ પક્ષની બારસ તિથિએ ભગવાન વિષ્ણુના ત્રિવિક્રમ અને વામન અવતારની પૂજા કરવામાં આવે છે. જેને  ત્રિવિક્રમ બારસ કહેવામાં આવે છે. આ દિવસે વ્રત રાખવાથી શારીરિક પરેશાનીઓ દૂર થાય છે. સાથે જ, જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ પણ દૂર થાય છે. આ દિવસે ઉપવાસ કરવાનું વિધાન ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. ઉપવાસનો શાબ્દિક અર્થ એ થાય કે  ઉપ એટલે નજીક અને વાસનો અર્થ પાસે રહેવું. એટલે ભોજન અને બધા સુખનો ત્યાગ કરીને…

Read More

ટેટ-1 અને ટેટ-2ના ઉમેદવારો માટે મોટા સમાચાર 3300 ઉમેદવારને જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં મળશે ઑર્ડર ઝડપી સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે તેવી બાંહેધરી પણ આપી લાંબા સમયથી રાહ જોઇ રહેલા ટેટ-1 અને ટેટ-2ના ઉમેદવારો માટે મોટા સમાચાર મળી રહ્યા છે. 3300 ઉમેદવારને જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં ઓર્ડર આપી હાજર કરી દેવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.ટેટ-1 અંતર્ગત 1,300 શિક્ષકોની ધો.1થી 5માં ફાળવણી કરવામાં આવી છે. જ્યારે ટેટ-2 અંતર્ગત 2 હજાર શિક્ષકોની ધો.6થી 8માં ફાળવણી થઈ છે.સૌથી વધુ કચ્છમાં 226 શિક્ષકો ફળવાયા છે. સૌથી ઓછી ફાળવણી જૂનાગઢમાં 6 શિક્ષકોની થઈ છે. છેલ્લા ઘણા સમયથી વિદ્યાસહાયકની ભરતી ન થતા ઉમેદવારોમાં હતાશા…

Read More

બાળકો માટે ઇલેક્ટ્રીક સાઇકલ થઈ લોન્ચ કાવાસાકી ભારતમાં આ સાઇકલ નહીં કરે લોન્ચ આંતરરાષ્ટ્રીય બજારમાં કંપનીએ 1099 ડોલરમાં લોન્ચ કરી સુપરબાઈક બનાવતી કંપની કાવાસાકીએ પોતાની પહેલી ઇલેક્ટ્રિક બાઈક લોન્ચ કરી છે. આ બાઈકને કંપનીએ બાળકોને ધ્યાનમાં રાખીને બનાવી છે. ત્રણ વર્ષથી લઈને આઠ વર્ષ સુધીના બાળકો આ બાઈક ચલાવી શકે છે. આ બાઈકને કંપનીએ ‘એલેક્ટ્રોડ’ નામ આપ્યું છે. કંપનીએ આ બાઈક પહેલીવાર સાઇકલ ચલાવતાં બાળકોને ધ્યાનમાં રાખીને બનાવી છે. આ ઇલેક્ટ્રિક બાઈકમાં ઘણાં સારાં ફીચર્સ આપવામાં આવ્યા છે. અહીં રેન્જની સાથે-સાથે આ ઇલેક્ટ્રિક બાઇકને અલગ-અલગ મોડમાં પણ ઓપરેટ કરી શકાય છે, જોકે કંપની આ બાઈકને ભારતમાં નહીં બનાવે. કાવાસાકીએ…

Read More

PM મોદીએ કહ્યું ભારતના IT સેક્ટરનું સામર્થ્ય દુનિયા જોઈ રહી છે IN-SPACe સેન્ટર ગુજરાતની શાન વધારશે: મોદી ભારતની સ્પેસ ઈન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવવાની ખૂબ જ ક્ષમતા છે વડાપ્રધાન મોદી આજે ફરી અમદાવાદના પ્રવાસે આવ્યાં છે. આજે સવારે નવસારી જિલ્લામાં તેમણે 3050 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. ત્યારે હવે તેમના હસ્તે અમદાવાદના બોપલમાં ઈસરોના IN-SPACe સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે તેમની સાથે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યાં છે. ગુજરાતને વડાપ્રધાને વધુ એક ભેટ આપી છે. નાસા જેવી જ કામગીરીની આબેહૂબ કામગીરી જોવા મળશે. તે ઉપરાંત ખાનગી કંપનીઓને પ્રોત્સાહન આપવાનો પણ હેતું છે.વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે,…

Read More

સલમાનને મારવાની ધમકી જ નહીં ઘર બહાર શાર્પ શૂટર પણ હતો તૈનાત ધમકી આપી ખંડણી માંગવાનો હતો પ્લાન પોલીસ બંદોબસ્તથી ગભરાઈ ગાયો શાર્પ શૂટર સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાન ને ધમકીભર્યો પત્ર આપવાના કેસમાં એક મહત્વનો ખુલાસો થયો છે. બોલિવુડ સુપરસ્ટાર અને તેના ફિલ્મ રાઈટર પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની ઓળખ વિક્રમ બ્રાર તરીકે થઈ છે. વિક્રમ, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો નજીકનો સાગરિત છે, તેમ પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ ખુલાસો થયા બાદ વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી છે. બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનને મારી નાખવાનો માત્ર ધમકી જ નહોતી અપાઈ યોજના પણ તૈયાર હતી.…

Read More