Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

અમે ચૂંટણી જીતવા નહીં, લોકોનું ભલું કરવા આવ્યાં છીએ: મોદી નવસારીમાં 3050 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું આદિવાસી સમાજ સામુદાયિક જીવન, પર્યાવરણને રક્ષા કરનારો સમાજ છે: વડાપ્રધાન ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે ત્યારે વડાપ્રધાનની ગુજરાતની યાત્રાઓ વધવા લાગી છે. આજે પીએમ મોદી નવસારીના ખુડવેલમાં જાહેરસભાને સંબોધી હતી અને અહીંથી જ નવસારી જિલ્લાનાં 3050 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ચૂંટણી આવી એટલે કામ થાય એવું નથી, આ ચુનૌતી છે, એક અઠવાડિયું એવું શોધી લાવો કે જ્યારે વિકાસનું કોઇ કામ ન કર્યું હોય. અમારા…

Read More

સમ્રાટ પૃથ્વીરાજનું બોક્સ ઓફિસમાં નબળું કલેક્શન 7 દિવસમાં કરી ફક્ત 55 કરોડની કમાણી મેકર્સને આશા છે કે આ વીકમાં ફિલ્મ ચાલશે સુપરસ્ટાર અક્ષય કુમાર અને માનુષી છિલ્લરની સમ્રાટ પૃથ્વીરાજ બોક્સ ઓફિસ પર ધીમી ગતિએ ચાલી રહી છે. ફિલ્મની કમાણી સાત દિવસમાં ફક્ત 55 કરોડની આસપાસ પહોંચી છે. ત્યારે મેકર્સને આશા છે કે આ ફિલ્મ વીકેન્ડમાં સારી કમાણી કરશે. શુક્રવાર, સમ્રાટ પૃથ્વીરાજને હિન્દીમાં 3550 સ્ક્રીન્સ અને તમિલ અને તેલુગુમાં 200 સ્ક્રીન્સમાં રિલીઝ કરવામાં આવી છે. એડવાન્સ બુકિંગથી ફિલ્મે લગભગ 3.43 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.ચંદ્રપ્રકાશ દ્વિવેદી દ્વારા નિર્દેશિત, ‘સમ્રાટ પૃથ્વીરાજ’ને સૌપ્રથમ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા કરમુક્ત બનાવવામાં આવી હતી. આ…

Read More

ચાલુ ટ્રેનમાં મોબાઈલની કરવામાં આવી લૂંટ રેલ્વે બ્રિજ પર લટકી લુટારુએ કરી ચોરી બિહારના રાજેન્દ્ર સેતુ રેલ બ્રિજ પરની છે આ ઘટના બિહારના ઘણા વિસ્તારોમાં હજુ ચોરીના બનાવો બને છે. ત્યારે તાજેતરમાં એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં ચાલુ ટ્રેનમાં પુલ પરથી મોબાઇલની ચોરી થઈ જાય છે. બિહારના બેગુસરાયમાં ફોન છીનવી લેતો આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ લૂંટ પટના અને બેગુસરાયને જોડતા રાજેન્દ્ર સેતુ રેલ બ્રિજ પર થઈ હતી. હાલ આ વીડિયો ટ્વિટર પર ફરી રહ્યો છે, જેમાં એક વપરાશકર્તાએ વીડિયોનું સ્લો-મોશન વર્ઝન શેર કર્યું છે.આ ફોન સ્નેચિંગ ફક્ત અડધી સેકન્ડમાં જ થાય…

Read More

ચોમાસાની સિઝનમાં આ ખોરાકનું કરો સેવન ચોમાસાની ઋતુમાં સિઝનલ બીમારીઓનું પ્રમાણ વધી જાય સિઝનલ બીમારીથી કરશે પ્રોટેક્ટ ચોમાસાની સિઝન આવતા જ લોકોના ખાવાના શોખ વધી જાય છે. ટેસ્ટી અને તળેલું ખાવાનું લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. મોટાભાગના લોકો ચોમાસાની ઋતુમાં ચા સાથે પકોડા અને સમોસા ખાતા અને વરસાદની મજામાણતા હોય છે. વરસાદની મોસમ અદભૂત વાતાવરણ અને સાથે સાથે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને પણ લાવે છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિની કસોટી કરે છે. ચોમાસાની ઋતુમાં સિઝનલ બીમારીઓનું પ્રમાણ વધી જાય છે. ત્યારે આવા સમયે ખોરાક પર ખાસ ધ્યાન રાખવું જોઈએ! ઘરનો ખોરાક અને ફળ ફળાદીનું જ સેવન કરવું જોઈએ. 1. લીલા…

Read More

દેશના 15માં રાષ્ટ્રપતીની ચૂંટણી આગામી 18 જૂને યોજશે સામાન્ય ચૂંટણી કરતાં અલગ હોય છે રાષ્ટ્રપતીની ચૂંટણી કુલ 4,809 મતદારો કરશે મતદાન આગામી 18 જૂલાઈના રોજ દેશના 15માં રાષ્ટપતિ માટેની ચૂંટણીનું મતદાન થનાર છે. ત્યારે શું તમે જાણો છો કે આ ચૂંટણીમાં દેશની સામાન્ય જનતા મતદાન કરી શકતી નથી: તો કોણ મતદાન કરે છે અને કેવી રીતે દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિની નિમણૂક કરવામાં આવે છે તે ઘણા લોકો જાણતા નથી ત્યારે ચાલો આજે રાષ્ટ્રપતિની ચૂંટણીની આખી પ્રક્રિયા જાણીએ… દેશના 15માં રાષ્ટ્રપતીની ચૂંટણી આગામી 18મી જુલાઈએ યોજશે, જ્યારે 21 જુલાઈએ મતગણતરી હાથ ધરવામાં આવેશે. આ વખતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુલ 4,809 મતદારો મતદાન…

Read More

ટાર્ગેટ કિલિંગને લઈને જમ્મુ અને કશ્મીરમાં વાતાવરણ પહેલેથી જ ખૂબ ગરમ છે રામબનમાં પણ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. ભાદરવાહમાં કોમી તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ટાર્ગેટ કિલિંગને લઈને જમ્મુ અને કશ્મીરમાં વાતાવરણ પહેલેથી જ ખૂબ ગરમ છે, જ્યારે હવે કોમી તણાવને જોતા, જમ્મુ અને કશ્મીર પોલીસે ડોડા જિલ્લાના ભદરવાહ શહેરમાં ફ્લેગ માર્ચ બાદ કર્ફ્યુ લાદ્યો છે. હવે પ્રશાસને ભદરવાહ સહિત કિશ્તવાડ, ડોડા અને રામબનમાં પણ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. પોલીસનું કહેવું છે કે તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરનાર કોઈપણને બક્ષવામાં આવશે નહીં.સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સોશિયલ…

Read More

SBI, ICICI, HDFC  બેન્કના શેર પોતાના પોર્ટફોલિયોમાં ઉમેરવા જોઇએ જો ફુગાવો ઘટે તો ફરી એકવાર આપણને ગ્રોથમાં તેજી જોવા મળી શકે છે નિફ્ટી બેન્ક હાલ 34,700 – 35,500ની રેન્જમાં જોવા મળી રહી છે. RBIએ પોલિસી રેટ કે રેપો રેટ માં વધારો કર્યો છે, પરંતુ કેશ રિઝર્વ રેશિયોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. પોલિસીની જાહેરાત પૂરી થતાં જ તેની સીધી અસર બેન્કિંગ સેક્ટરના શેર પર જોવા મળી રહી છે. સવારે લગભગ બધી જ બૅન્કો લાલ રંગમાં ટ્રેડ કરી રહી હતી. પરંતુ થોડા જ સમયમાં બધા શૅર ઉપરની તરફ જવા લાગ્યા હતા. જો કે, બપોરે 12 વાગ્યા બાદ ફરી એકવાર બેન્કિંગ…

Read More

બટાકાનો રસ સુંદરતા જાળવવામાં ઘણો જ લાભકારી સાબિત થાય છે. બટાકાને પીસીને તેનો રસ દરરોજ 20 મિનિટ સુધી ચહેરા પર રાખવો જોઈએ બટાકાના રસનો ઉપયોગ ટોનર તરીકે કરી શકો છો બટાકાનો રસ સુંદરતા જાળવવામાં ઘણો જ લાભકારી સાબિત થાય છે. જો તમારા ચહેરા પર ફ્રીકલ્સના નિશાનો દેખાવા લાગ્યા છે અને તે કાળા ડાઘનું સ્વરૂપ લઈ રહ્યા છે, તો તેને હળવા કરવા માટે, તમારે બટાકાને પીસીને તેનો રસ દરરોજ 20 મિનિટ સુધી ચહેરા પર રાખવો જોઈએ. આનાથી, હઠીલા ફ્રીકલ્સ તો દૂર થશે જ, સાથે જ ડાર્ક સ્પોટ્સ પણ હળવા થવા લાગશે.કરચલીઓ એ વૃદ્ધત્વની નિશાની છે. આવી સ્થિતિમાં, ફાઇન લાઇન્સને દૂર રાખવા માટે,…

Read More

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતનાં એક દિવસનાં પ્રવાસે છે દક્ષિણ ગુજરાતનાં પાંચ જિલ્લાઓમાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત, ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના ત્રણ દિવસનાં પ્રવાસે છે. આજે નરેન્દ્ર મોદી નવસારીમાં, અમિત શાહ અમદાવાદમાં, સ્મૃતિ ઈરાની કચ્છમાં અને આનંદીબેન પટેલ ગાંધીનગરમાં અલગ અલગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતનાં એક દિવસનાં પ્રવાસે છે. તેઓ સવારે 9.35 વાગે સુરત એરપોર્ટ પહોંચશે. જે બાદ તેઓ સવારે 10.15 વાગે નવસારીનાં ચીખલીમાં ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જેમા દક્ષિણ ગુજરાતનાં પાંચ જિલ્લાઓમાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત, ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે. સવારે 11.35 વાગે નવસારી જવા રવાના થશે. બપોરે 12.05…

Read More

નિર્જળા એકાદશીનું વ્રત જેઠ મહિનાના સુદ પક્ષની અગિયારમી તિથિએ કરવામાં આવે છે. આ વ્રત ભારતમાં ગરમીની ઋતુ દરમિયાન આવે છે આ દિવસે જળ દાનનું પણ ખૂબ જ મહત્ત્વ છે. આ વ્રત અમુક સ્થાને 10 જૂને તો અમુક જગ્યાએ 11 જૂનના રોજ રહેશે. મહાભારત, સ્કંદ અને પદ્મ પુરાણ પ્રમાણે નિર્જળા એકાદશીનું વ્રત જેઠ મહિનાના સુદ પક્ષની અગિયારમી તિથિએ કરવામાં આવે છે. આ વ્રત દરમિયાન સૂર્યોદયથી લઈને બીજા દિવસ સુધી બારસ તિથિના સૂર્યોદય સુધી પાણી પીધા વિના રહેવાનું વિધાન છે. આ કારણે તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. ગ્રંથોમાં ઉલ્લેખ છે કે આ વ્રતને વિધિ-વિધાન સાથે કરનાર લોકોની ઉંમર વધે છે અને…

Read More