Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

દિલ્હીમાં પ્રતિબંધોમાં રાહત આપવામાં આવી કોરોનાના કેસમાં ઘટાડો થતા અપાઈ છૂટછાટ વિકેન્ડ કર્ફ્યુ ખતમ કરવામાં આવ્યું દેશ ભરમાં ઓમિક્રોન અને કોરોના કેસમાં ઉછાળો આવ્યો છે. ત્રીજી વેવ દેશમાં ચાલી રહી છે. ત્યારે રાજધાની દિલ્હીમાં કોરોના કેસમાં ઘટાડા બાદ હવે સામાન્ય લોકોને પ્રતિબંધોમાંથી રાહત મળી છે. ગુરુવારે કોરોનાની સ્થિતિ પર દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સપ્તાહના અંતમાં કર્ફ્યુ અને બજારોમાં ઓડ-ઈવન સિસ્ટમનો અંત લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, રાત્રી કર્ફ્યુ હાલ ચાલુ રહેશે. તે જ સમયે, સિનેમા હોલ 50 ટકા ક્ષમતા સાથે ખુલશે. લગ્ન સમારોહમાં 200 લોકોના ભાગ લેવા પર પણ છૂટ આપવામાં આવશે.…

Read More

છેલ્લા 24 કલાકમાં 2.86 લાખ નવા કેસ નોંધાયા નવા 573 દર્દીઓએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવ્યો કોરોનાની પોઝીટીવીટી રેટ 16 ટકાથી વધીને 19.5 ટકા થઈ ગયો દેશમાં કોરોનાની બેકાબૂ ગતિ હજુ પણ યથાવત છે. કોરોના ચેપના છેલ્લા 24 કલાક દરમિયાન, 2,86,384 નવા કેસ નોંધાયા છે જ્યારે 573 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. આ પછી દેશમાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા વધીને 22 લાખ 2 હજાર 472 થઈ ગઈ છે. કોરોનાની પોઝીટીવીટી રેટ 16 ટકાથી વધીને 19.5 ટકા થઈ ગયો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 14 લાખ 62 હજાર 261 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. દેશમાં અત્યાર સુધીમાં 72 કરોડ 21 લોકોનો કોરોના…

Read More

અમિત શાહે સપા પર કર્યા પ્રહાર મફત વીજળી આપવાની વાતને લઈ શાહના પ્રહાર બાહુબલી પોલીસના ડરથી સરન્ડર કરવા લાગ્યા: શાહ ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે અને ઉત્તર પ્રદેશમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે, જેના માટે તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે જ સમયે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ચૂંટણીમાં આગળ વધવા માટે ગુરુવારે બ્રજમાં શ્રી કૃષ્ણના શહેર મથુરા પહોંચ્યા હતા. આ દરમિયાન ગૃહમંત્રી સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને બસપા પ્રમુખ માયાવતી પર પ્રહારો કરી રહ્યા હતા. અમિત શાહે કહ્યું કે જ્યારે પણ માફિયાઓ સામે કાર્યવાહી થાય છે ત્યારે અખિલેશ યાદવને પેટમાં દુ:ખાવો થાય છે. ગૃહમંત્રી અમિત…

Read More

ગાજર અને તેના પણ ખાવાના છે અનેક ફાયદા ગાજરના પાન લીવર, હાડકાં કરે છે મજબૂત વિટામિન K1, A, પોટેશિયમ અને કેલ્શિયમથી ભરપૂર છે તમે શિયાળામાં ગાજર ખાઓ છો, પરંતુ શું તમે જાણો છો કે તેના પાંદડામાં પણ એવા ઘણા ગુણ હોય છે જેનાથી તમને ફાયદો થાય છે. તેના પાનનો સૂપ પીવો તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. તેનું નિયમિત સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળશે. આ સાથે, તે આંખોની રોશની વધારવા, કેન્સરનું જોખમ ઘટાડવા અને મૌખિક સ્વાસ્થ્યને વધુ સારી રીતે જાળવવામાં પણ અસરકારક છે. ગાજર અને તેના પાંદડામાં કેલ્શિયમ હોય છે, જે એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરી…

Read More

Whatsappમાં યુઝર્સે લોગ-ઈન કરવા નાખવો પડશે પિન હવે Whatsapp થશે વધુ સુરક્ષિત આ ફીચર ટેસ્ટીંગ સ્ટેજમાં છે વોટ્સએપ એકાઉન્ટને વધુ સુરક્ષિત બનાવવા માટે હવે તેમાં વધુ એક ફીચર ઉમેરવા જઈ રહ્યું છે. હવે WhatsAppમાં પણ ટુ સ્ટેપ વેરિફિકેશનની સુવિધા ઉપલબ્ધ થશે. આ ફીચર્સ માત્ર ડેસ્કટોપ યુઝર્સ માટે જ હશે અને યુઝર્સને તેનો ઉપયોગ કરવો કે નહીં કરવાની સુવિધા પણ મળશે. હાલમાં, જો તમે નવા સ્માર્ટફોનનો ઉપયોગ કરીને WhatsApp પર લોગ-ઈન કરો છો, તો એપ્લિકેશન તમને 6-અંકનો કોડ પૂછે છે, જે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવે છે. જ્યારે, ડેસ્કટોપ લોગ-ઈન માટે તમારે ફક્ત WhatsApp વેબ પર એક QR કોડ…

Read More

હાર્દિક પંડ્યા ટીમમાં પાછો આવે તેવા સંકેતો ઓલરાઉન્ડર બનવા ખાસ પ્રેક્ટિસ શરૂ કરી;હાર્દિક ઈન્જરીને કારણે બોલિંગ નહોતો કરી શક્યો T20 વર્લ્ડ કપ પછી ખરાબ ફિટનેસના કારણે હાર્દિક પંડ્યાને ઈન્ડિયન ટીમમાંથી ડ્રોપ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે અત્યારે તે રિકવર થઈને IPL 2022માં અમદાવાદની ટીમના કેપ્ટન તરીકે મેદાનમાં ઊતરશે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ફિટનેસના સવાલો સામે હાર્દિકે ચુપ્પી તોડી છે. પંડ્યાએ કહ્યું છે કે હું અત્યારે ફિટ છું અને ખાસ પ્રેક્ટિસ સેશન કરી રહ્યો છું. ટીમ ઈન્ડિયામાં જોરદાર કમબેક કરીશ. હાર્દિક પંડ્યા 2019માં ઇંગ્લેન્ડમાં રમાયેલા વનડે વર્લ્ડ કપથી ઈન્જરી અને ફિટનેસના કારણે મુશ્કેલીમાં મુકાયેલો હતો. તેણે પીઠની સર્જરી પણ કરવવી પડી…

Read More

ગુજરાતની ચૂંટણીને લઈ સી આર પાટીલનું મોટું નિવેદન ગુજરાત ચૂંટણી વહેલી યોજવાની અટકળો વહેલી ચૂંટણીની વાતનો છેદ ઉડાવતા પાટીલ દેશના 5 રાજ્યોમાં આગામી સમયમાં ચૂંટણી યોજાનાર છે. જેને પગલે રાજકીય પક્ષોમાં ભારે હિલચાલ જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ આગામી સમયમાં ચૂંટણી યોજાનાર છે. ત્યારે ચૂંટણી નિયત સમય પહેલા યોજાઇ જવાની ચર્ચોઑ અને અટકળો જોવા મળી રહી છે. ત્યારે  ગુજરાતમાં વહેલી ચૂંટણીઓ થશે તેવી અટકળો પર હાલ પૂર્ણવિરામ મૂક્યું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે  જણાવ્યું છે કે, ગુજરાતમાં નિયત સમયે જ ચૂંટણીઓ યોજાનાર છે. ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. ઉત્તરપ્રદેશ સહિતના પાંચ રાજ્યોની ચૂંટણી પર સૌની…

Read More

RRB-NTPCના રિઝલ્ટમાં કૌભાંડના વિરોધમાં યુપી-બિહારના વિદ્યાર્થીઓનું પ્રદર્શન બુધવારે પણ ચાલુ રહ્યું હતું. ગયા જંક્શન પર ગુસ્સે થયેલા વિદ્યાર્થીઓએ ટ્રેનમાં આગ લગાવી હતી. સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ટીયરગેસ પણ છોડવામાં આવ્યો હતો. જહાનાબાદ, સમસ્તીપુર, રોહતાસ સહિત ઘણી વિસ્તારોમાં વિદ્યાર્થીઓ રેલવે-ટ્રેક પર આવીને નારેબાજી કરતા હતા. પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને કારણે રેલવે વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. વિદ્યાર્થીઓનું હિંસક પ્રદર્શન જોતાં રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ બપોરે સાડાત્રણ લાગે પ્રેસ-કોન્ફરસન્સ કરે એવી શક્યતા છે. NTPC પરિણામને લઈને ઉત્તરપ્રદેશ અને બિહારમાં ઉમેદવારોના વ્યાપક વિરોધપ્રદર્શનને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડે મોટો નિર્ણય લીધો છે. રેલ મંત્રાલયે હાલ NTPC અને લેવલ વન પરીક્ષા પર પ્રતિબંધ લગાવી દીધો છે.…

Read More

પોરબંદરમાં 73 માં પ્રજાસતાક દિનની અનોખી ઉજવણી શ્રીરામ સી સ્વિમિંગ કલબ દ્વારા મધદરિયે તિરંગો લહેરાવાયો કડકડતી ઠંડી વચ્ચે કલ્બના સભ્યોએ સમુદ્રમાં કર્યુ ધ્વજવંદન પોરબંદરમાં મધ દરિયે યુવાનો દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રગાન બાદ સલામી આપીને રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો છે. પોરબંદરનાં શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા પોરબંદરની ચોપાટી ખાતે રાષ્ટ્રીય પર્વ 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટનાં દિવસે છેલ્લા ઘણાં વર્ષોથી મધદરિયે જઇ અને ધ્વજવંજન કરવામાં આવે છે.  ત્યારે  આજે ગણતંત્ર દિવસની ઉજવણી પણ ઘુઘવાચા સમુદ્રમાં અંદર જઇ અને ધ્વજવંદન કરવામાં આવ્યું છે. આજે ઠંડીમાં પણ યુવાનોએ મધ દરિયે જઇને ધ્વજ ફરકાવ્યો છે. પોરબંદરના શ્રી રામ સી સ્વીમીંગ ક્લબ દ્વારા…

Read More

માઇનસ 35 ડિગ્રી તાપમાનમાં ધ્વજવંદન કરતા જવાનો લદ્દાખમાં 15,000 ફૂટની ઉંચાઈ પર ઉજવણી કરાઈ ઈન્ડો-તિબ્બત બોર્ડર પોલીસ જવાનોએ ગણતંત્ર દિવસ ઉજવ્યો આજે દેશ ભરમાં ગણતંત્ર દિવસની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી રહી છે. દેશ આખામાં ગણતંત્રની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે બાળકથી લઈ વૃદ્ધ સૌ કોઈ ઉજવણી કરતાં હોય છે. ત્યારે આજના દિવસે વિવિધ રોતે ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતના પોરબંદરમાં યુવાનોના એક ગ્રૂપ દ્વારા દરિયાની વચ્ચે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ત્યારે દેશની સરહદ પર રક્ષા કરતાં જવાનો પણ પોતાની નોકરીની જગ્યા પર ઉજવણી કરતા હોય છે  ત્યારે ITBPનાં જવાનોએ હિમાચલ…

Read More