What's Hot
- Realme એ 7,000mAh બેટરીવાળા બે શાનદાર ફોન લોન્ચ કર્યા, Xiaomi, iQOO, Samsung નું ટેન્શન વધ્યું
- એલોન મસ્કે X મની પેમેન્ટ ફીચર રજૂ કર્યું, ટૂંક સમયમાં તમે તમારા X એકાઉન્ટમાંથી પૈસા મોકલી શકશો
- જતા સમયે પણ, 27 કરોડના ખેલાડીએ પોતાની ટીમને લાખોનું નુકસાન પહોંચાડ્યું
- ગુલવીર સિંહે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો
- LSG એ IPL ઇતિહાસનો સૌથી શરમજનક રેકોર્ડ બનાવ્યો, આજ સુધી કોઈ ટીમે આટલી ખરાબ હાલતનો સામનો કર્યો નથી
- પીએમ મોદી બે દિવસ માટે બિહાર જઈ રહ્યા છે, પટનામાં ભવ્ય રોડ શો થશે, જાણો તેમના કાર્યક્રમની સંપૂર્ણ રૂપરેખા
- દાઉદ ઇબ્રાહિમ ગેંગના સભ્ય હત્યા કેસ, ગેંગસ્ટર રવિ પૂજારી 26 વર્ષ પછી નિર્દોષ જાહેર
- સરકાર સંસદમાં ન્યાયાધીશ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવી શકે છે, ઘરમાંથી રોકડ રકમ મળી હોવાનો મામલો
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું ટ્રેલર આવ્યું આલિયા ભટ્ટ ગાંગુબાઈના રોલમાં જોવા મળશે કાઠિયાવાડના સામાન્ય પરિવાર સાથે જોડાયેલ છે ફિલ્મ સૌથી વધુ રાહ જોવાઈ રહેલી આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું ટ્રેલર આવી ગયું છે. માત્ર 40 મિનિટમાં 3 લાખથી વધારે લોકોએ ટ્રેલર જોઈ લીધું છે. સંજય લીલા ભણસાલીની આ ફિલ્મમાં આલિયા ભટ્ટના ભરપૂર પાવરફૂલ ડાયલોગ છે. આ ડાયલોગ સાંભળતાની સાથે મોઢામાંથી વાહ સરી પડે. ફિલ્મમાં આલિયા ભટ્ટ સાથે લીડ રોલમાં અજય દેવગણ પણ છે. ગઈ કાલે એક્ટરનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો હતો. ફિલ્મમાં તે મેન્ટરના રોલમાં છે. અજય ફિલ્મમાં કરીમ લાલાનો રોલ પ્લે કરશે 25 ફેબ્રુઆરીના રોજ આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે.…
વિરાટ 6 રન બનાવશે વધુ એક રેકોર્ડ 5000 રન પૂરા કરવાનો રેકોર્ડ બનવશે સચિનને પાછળ છોડી વિરાટ બનાવશે રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ રવિવારથી શરૂ થઈ રહેલી પહેલી વનડેમાં જો વિરાટ 6 રન કરી દેશે તો પૂર્વ ભારતીય કેપ્ટન કોહલી એક ખાસ રેકોર્ડ નોંધાવશે. ઉલ્લેખનીય છે કે 33 વર્ષનો આ શાનદાર બેટર ભારતમાં 5000 રન કરનારો માત્ર બીજો બેટર બની જશે. તેની પહેલા માત્ર સચિન તેંડુલકર જ ભારત માટે આ રેકોર્ડ નોંધાવી શક્યો છે. તેંડુલકરે ભારતમાં 164 મેચોની 160 ઇનિંગ્સમાં 6,976 રન કર્યા છે. સચિને ભારતની ધરતી પર 5000 રન પૂરા કરવા માટે 121 ઇનિંગ્સ લીધી હતી. તે જ સમયે, જો…
આપના ગાયબ 5 કોર્પોરેટર ભાજપમાં જોડાશે આપના 4 કોર્પોરેટર 4 દિવસથી હતા ગાયબ મહેશ સવાણી બાદ આપને વધુ એક ઝટકો એક તરફ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં આમ આદમી પાર્ટી ભંગાણને આરે હોય તેવું લાગી રહ્યું છે. મહેશ સવાણી અને વિજય સુવાળા બાદ સુરતમાં હવે કોર્પોરેટરો પણ આપનો સાથ છોડે તેવી શક્યતા સેવાઈ રહી છે. કારણકે આમઆદમી પાર્ટીના 4 કોર્પોરેટરો 4 દિવસથી ગાયબ છે. આમ આદમી પાર્ટી દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે ભાજપ દ્વારા આપના કોર્પોરેટરોને ખરીદવામાં આવી રહ્યા છે. જોકે જો આ કોર્પોરેટરો AAPમાં જોડાયા તો પાર્ટીને મોટો ફટકો પડી શકે…
વડાપ્રધાન મોદીને કોર્ટે આપી નોટિસ આર્મી યુનિફોર્મ પહેરવા મુદ્દે કોર્ટે આપી નોટિસ પ્રયાગરાજ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આવેલ અરજીને આધારે નોટિસ અપાઈ પ્રયાગરાજની ડિસ્ટ્રિક્ટ કોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ થયેલી અરજી મામલે વડાપ્રધાન કાર્યાલયને નોટિસ પાઠવી છે. કેસની સુનાવણી 2 માર્ચે નિર્ધારિત કરાઇ છે. ડિસ્ટ્રિક્ટ જજ નલિનકુમાર શ્રીવાસ્તવે વકીલ રાકેશ નાથ પાંડેય દ્વારા કરાયેલી અરજી મામલે તેમની દલીલો સાંભળ્યા બાદ આ આદેશ આપ્યો. રાકેશ નાથ પાંડેયે વડાપ્રધાન વિરુદ્ધ અરજી દાખલ કરી તેમની સામે કેસ કરવાનો આદેશ જાહેર કરવાની માગ કરી છે. અરજીમાં આરોપ મુકાયો છે કે 4 નવેમ્બર, 2021ના રોજ જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં મોદીએ ભારતીય સૈન્યની વર્દી પહેરી હતી, જે આઇપીસીની કલમ 140…
સુપ્રીમ કોર્ટે કોરોના સહાય મુદ્દે ગુજરાત સરકારને ઝાટકી મૃત્યુ સહાય ચૂકવીને તમે કોઈના પર ઉપકાર નથી કરતી: કોર્ટ 10 દિવસમાં જ વળતર ચૂકવવું જોઈએ: કોર્ટ કોરોનાકાળમાં મૃત્યુ પામેલા દર્દીઓની મૃત્યુ સહાય અંગે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં કબૂલાત કરી છે કે, સરકારી ચોપડે અત્યારસુધીમાં 10,579 મોત થયા છે. પરંતુ આની સામે કોરોનાની મૃત્યુ સહાય માટે એક લાખથી વધુ અરજીઓ આવી છે. જેમાં સરકારે 87 હજાર જેટલી અરજી મંજૂર કરી છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું છે કે, ઘણા રાજ્યોમાં કોરોના મૃત્યુ અંગે સરકારી આંકડા અને કોરોના સહાય માટે મંજૂર કરેલી અરજીના આંકડાઓમાં મોટો તફાવત છે. આટલા બધા ક્લેમ ખોટા ન…
માર્ચમાં ખૂલશે એલઆઈસીનો આઈપીઓ એલઆઈસી માટે એફડીઆઈ નીતિમાં ફેરફાર કરાશે ઈશ્યૂ સાઈઝના 10 ટકા રકમ પોલિસી હોલ્ડર્સ માટે અનામત દેશનો સૌથી મોટો એલઆઈસીનો આઈપીઓ આગામી મહિને માર્ચમાં યોજાઈ શકે છે. કેન્દ્ર સરકાર આગામી સપ્તાહે સેબી સમક્ષ આઈપીઓ માટે ડ્રાફ્ટ ફાઈલ કરશે. ઈશ્યૂનો અમુક હિસ્સો એન્કર ઈન્વેસ્ટર્સ માટે અનામત રાખશે. દિપમના સચિવ તુહિન કાંતા પાંડેએ આ અંગે માહિતી આપતાં જણાવ્યુ હતું કે, ઈન્સ્યોરન્સ રેગ્યુલેટર દ્વારા ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સને મંજૂરીની રાહ જોઈ રહ્યાં છીએ. બાદમાં સેબીની મંજૂરી સાથે માર્ચમાં આઈપીઓ આવી શકે છે. નાણા મંત્રીએ બજેટ 2022-23 સ્પીચમાં એલઆઈસીનો આઈપીઓ ટૂંકસમયમાં યોજાવાની જાહેરાત કરી હતી. સરકાર ઈન્સ્યોરન્સ સેક્ટરની ટોચની કંપનીના ડિસઈન્વેસ્ટમેન્ટ અંતર્ગત આઈપીઓ…
ટૂંક સમયમાં એન્ડ્રોઈડ ફોન યુઝર્સ માટે કરાશે તૈયાર Delete for Everyone ફીચરની સમય મર્યાદામાં કરાશે ફેરફાર અત્યારે વધારેમાં વધારે 8 કલાક જ છે જે વધી જશે વોટ્સએપ યુઝર્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. હવે ડિલીટ ઓફ એવરીવન સિસ્ટમની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. સામે આવેલી રિપોર્ટ મુજબ, કંપની Delete for Everyone ફીચરની સમય મર્યાદામાં ફેરફાર કરવાની છે. પરંતુ અત્યારે આ ફીચરને એક કલાક, આઠ મિનિટ અથવા 16 સેકન્ડ માટે સેટ કરી શકો છો. પરંતુ અપડેટ બાદ આ સમય મર્યાદા વધારીને બે દિવસથી વધુ કરવામાં આવશે. Delete for Everyone ફીચરની વાત કરીએ તો તેમાં તમે કોઈ પણ મેસેજને ઓટોમેટિકલી…
ચૂંટણી પ્રચારમાં અમિત શાહે આપ્યું કઈક આવું નિવેદન કમળનુ બટન જોરથી દબાવવા કર્યો અનુરોધ આજમખાનું નામ ભાષણમાં લેતા શાહ ઉતર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ના ચૂંટણી પ્રચારમાં ભાજપે સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે BJPના ચૂંટણી પ્રચાર માટે યુપીના પ્રવાસે છે. અમિત શાહ ગુરુવારે અનુપશહર વિધાનસભામાં જાહેર સભા કરવા પહોંચ્યા છે. અહીં જનસભાને સંબોધતા અમિત શાહે અનુપશહેરના લોકોને કહ્યું કે ભારત માતાની જયના નારા એટલા જોરથી બોલાવો કે અહીંથી કાશી સુધી તેનો અવાજ સંભળાવો જોઈએ, અમિત શાહે કહ્યું કે અનુપશહરને છોટી કાશી તરીકે ઓળખવામાં આવે છે. અમિત શાહે કહ્યું કે યોગી આદિત્યનાથ બે તૃતિયાંશ બહુમતી સાથે યુપીમાં ફરીથી…
હેડ ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર કરાઈ અગાઉ પેપરલીકના કારણે કરાઈ હતી રદ 20 માર્ચના રોજ હેડ ક્લાર્કની પરીક્ષા યોજવામાં આવશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ ક્લાર્ક વર્ગ 3ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. 20 માર્ચના રોજ હેડ ક્લાર્કની પરીક્ષા યોજવામાં આવશે. આગાઉ પેપરલીક થવાના કારણે હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવી હતી. જોકે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી તારીખની જાહેરાત કરવામાં આવી છે. જેના પછી ઉમેદવારો ફરીથી તૈયારીમાં લાગી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ હેડ ક્લાર્ક વર્ગ-3ની જાહેરાત ગયા વર્ષે 20 જાન્યુઆરીએ આવી હતી. લાંબા સમયની તૈયારી પછી ઉમેદવારો ગયા ડિસેમ્બર મહિનાની 9મી…
રાજ્યમાં રાત્રિ કર્ફ્યૂ સહિતના નિયંત્રણોમાં છૂટછાટ મળી શકે છે ગુજરાતમાં કોરોના કેસમાં ઘટાડો આવતા લેવાઈ શકે છે નિર્ણય મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મળશે આજે બેઠક ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયા સરકાર રાત્રિ કર્ફ્યૂ સહિતના નિયંત્રણોમાં હળવાશ આપી શકે છે. આજે સાંજે સીએમ ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને કોર કમિટીની બેઠક મળશે. જેમા નવી ગાઈડલાઈન મુદ્દે ચર્ચા કરવામાં આવશે. કેમ કે, રાત્રિ કર્ફ્યૂની સમયમર્યાદા આવતીકાલે પૂર્ણ થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેઠકમાં ધોરણ 1થી 9ના વર્ગખડ ઓફલાઈન શરૂ કરવા મુદ્દે પણ સરકાર મહત્વનો નિર્ણય લઈ શકે છે. સરકાર રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકની રાહત આપી શકે છે. તો વળી લગ્ન પ્રસંગમાં…