What's Hot
- ભારે પવન અને વરસાદથી દિલ્હીનું વાતાવરણ બદલાયું, ગરમીથી રાહત, IMD એ ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી
- Kedarnath Helicopter Crash: આર્યન કંપની સામે કેસ દાખલ, હવે ‘કમાન્ડ એન્ડ કોઓર્ડિનેશન સેન્ટર’ સ્થાપિત થશે
- એર ઇન્ડિયાના વિમાનમાં ફરી સમસ્યા, હોંગકોંગથી દિલ્હી આવતી ફ્લાઇટ પાછી ફરી
- ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આજે અંતિમ વિદાય, પિતાના નિધન પર પુત્ર ઋષભની પહેલી પ્રતિક્રિયા
- અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મ નિર્માતા ગુમ, છેલ્લું સ્થાન સ્થળથી 700 મીટર દૂર, પરિવારે DNA નમૂના આપ્યા
- SBI Amrit Vrishti FD: SBI એ આ ખાસ FD પર વ્યાજ ઘટાડ્યું છે, જાણો હવે તમને કેટલું મળશે?
- સરકારી હોય કે ખાનગી બેંક, તમને સૌથી સસ્તી લોન ક્યાં મળશે?
- પૈસાથી પૈસા કમાવવા માંગો છો! આ IPO આજથી ખુલવા જઈ રહ્યો છે, બોલી લગાવતા પહેલા બધું જાણી લો
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત ઘટાડાને જોતા મોટા ભાગના પ્રતિબંધો હટાવવામાં આવી રહ્યા છે. પરંતુ તાજેતરમાં કોરોનાના નવા પ્રકારે ફરી બધાની ચિંતા વધારી દીધી છે. રિપોર્ટ્સ અનુસાર, કોરોનાનો આ નવો વેરિઅન્ટ ઓમિક્રોનનું સબ-વેરિઅન્ટ છે. તેનું નામ BA.5.1.7 છે અને આ વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાય છે. માહિતી અનુસાર, ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા ભારતમાં BF.7 સબ-વેરિઅન્ટનો પ્રથમ કેસ શોધી કાઢવામાં આવ્યો છે. નવા વેરિઅન્ટ બાદ, સ્વાસ્થ્ય નિષ્ણાતોએ સાવધાની રાખવાની સલાહ આપી છે, કારણ કે BF.7 અને BA.5.1.7 વેરિઅન્ટને ચીનમાં કોવિડ-19ના કેસમાં ઉછાળાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે. ઓમિક્રોનના નવા પેટા વેરિઅન્ટ્સ BA.5.1.7 અને BF.7, અત્યંત ચેપી તરીકે જાણીતા છે અને…
દેશના વડપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે બપોરના 1.30 કલાકે જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના મેદાનમાં જંગી જનમેદનીને સંબોધવાના છે જેને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે જૂનાગઢમાં જનસભાને સંબોધન કરશે સાથે જ ગીરસોમનાથ, પોરબંદર અને જૂનાગઢને ₹4155.17 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે. જેમાં નર્મદા જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર, શહેરી વિકાસ, મત્સોદ્યોગ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ તેમજ આરોગ્ય વિભાગ સંબંધિત વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે. જૂનાગઢમાં PM મોદી વંથલી અને મેંદરણા ભાગ-2 પાણી પૂરવઠા યોજનાની ભેટ આપશે તેમજ નાબાર્ડની RIDF યોજના અંતર્ગત બિયારણ, ખાતર અને કૃષિ પેદાશોના સંગ્રહ માટે ગોડાઉનની યોજનાનું ખાતમુહૂર્ત કરશે. પોરબંદર અને ગીર સોમનાથ- પોરબંદરમાં ₹546 કરોડની…
રખડતાં ઢોર મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન હાઇકોર્ટેની ઝાટકણી બાદ તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરકાર તરફથી એડવોકેટ જનરલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે, રખડતા ઢોર પર ટીમ સતત મોનિટરિંગ કરે છે. સંબધિત તમામ વિભાગ મહેનતથી કામ કરે છે. મુકેશ કુમારે પણ કડક પગલા લેવા સહમતિ દર્શાવી હતી. બીજી બાજુ, ગુજરાત હાઈકોર્ટે સરકારને મીડિયાના અહેવાલ બતાવ્યા હતા. ન્યૂઝ પેપર બતાવી કામગીરી અંગે કોર્ટે સરકારને સવાલ કર્યો હતો. કોર્ટે પૂછ્યું હતું કે, તમારું કામ શું છે? જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, તમામ અધિકારીઓ હાજર છે. રખડતા ઢોર પર…
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ મંગળવારે યોજાયેલી 91મી વાર્ષિક સાધારણ સભામાં મહિલા આઈપીએલની મંજૂરી આપી દેવામાં આવી છે. બીસીસીઆઈએ એક સત્તાવાર અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, “જનરલ બોડીએ વિમેન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગના આયોજનને મંજૂરી આપી હતી. આગામી વર્ષે 26 ફેબ્રુઆરીએ આઇસીસી વિમેન્સ ટી-20 વર્લ્ડ કપના સમાપન બાદ તરત જ મહિલા આઈપીએલ શરુ થશે જેમાં પાંચ ટીમ હશે. બીસીસીઆઇના પ્રસ્તાવ પ્લાનમાં 22 મેચોનો સમાવેશ થાય છે અને દરેક ટીમમાં 18 ખેલાડીઓ ભાગ લેશે, જેમાં વધુમાં વધુ છ વિદેશી ખેલાડીઓ હશે. પાંચથી વધુ વિદેશી ખેલાડીઓ એક સાથે પ્લેઇંગ ઇલેવનમાં એક સાથે રમી શકતા નથી, જેમાં પૂર્ણ-સભ્ય રાષ્ટ્રના ચાર અને એક સહયોગી ટીમના ખેલાડીઓ…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજાઇ હતી. જેમાં લાંબી ચર્ચાઓ બાદ અનેક નિર્ણય લેવામાં આવ્યા હતા. જેની માહિતી આપતા સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે ઐતિહાસિક નિર્ણય લેતા બાંધકામ નિયમિત કરવા વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે. વર્ષ 2011માં અનેક જગ્યાએ અનધિકૃત બાંધકામ થયા હતા. જેથી જનતાની ઈચ્છા હતી કે આ મામલે સરકાર ત્વરિત કોઈ નિર્ણય કરે જેથી આ વટહુકમથી લોકોને ખૂબ મોટો ફાયદો થશે. તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાને બાંધકામ નિયમિત કરતો વટહુકમનું પાલન ફરજિયાત કરવાનું રહેશે. રેરા સિવાયના બાંધકામોને સરકારના નિર્ણયથી ફાયદો થશે. ઇમ્પેક્ટ ફી અંગે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે કે 1 ઓકટોબર…
કેબિનેટની બેઠકમાં રવિ પાકોની એમએસપી વધારવાને લઈને મંજૂરી મળી ગઈ છે. સૌથી વધારે દાળોની એમએસપીમાં વધારો થયો છે. મસૂરની MSP 400 રૂપિયા ક્વિન્ટલ વધી છે. જ્યારે, સરસવની MSP 400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારવાનો નિર્ણય કર્યો છે. રવિ પાકોને સામાન્ય રીતે ઓક્ટોબર-ડિસેમ્બર મહિનામાં વાવવામાં આવે છે. આ પાકોની વાવણીના સમયે તાપમાન ઓછું હોય છે. જ્યારે, પાક વાવતા સમયે તાપમાન ગરમ જોઈએ છે. આ સમયે ઘઉં, જુવાર, ચણા, મસૂર, બટાકા, વટાણાં તેમજ સરસવની વાવણી કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર કૃષિ ખર્ચ અને મૂલ્ય આયોગ (CACP) ની ભલામણ પર MSP નક્કી કરે છે. આ આયોગ હેઠળ આવતી કુલ 23 ખેત પેદાશોમાં 7 અનાજ…
કેદારનાથમાં એક હોલિકોપ્ટ ક્રેશ થઈ ગયું છે. આ ઘટનામાં બે પાયલોટ અને ચાર યાત્રીઓ સહિત છ લોકોનાં મોત નીપજ્યા છે. આ મૃતકોમાં ત્રણ ગુજરાતી યાત્રી હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટના ગૌરીકુંડની પાસે થઈ છે. હેલિકોપ્ટર આર્યન કંપનીનું હતુ જેમાં છ લોકો સવાર હતા. આ અંગેની જાણ સાંસદ શક્તિસિંહ ગોહિલે પોતાના ટ્વિટરમાં ટ્વિટ કરીને આપી છે. તેમણે જણાવ્યુ છે કે, કેદારનાથ ખાતે હેલીકોપ્ટર તૂટી પડેલ છે. જેમાં ભાવનગરની દીકરીઓ હતી તે ખબરથી ચિંતિત છું . વડા પ્રધાનશ્રી તથા મુખ્ય મંત્રીશ્રી ને વિનંતી છે કે, સત્વરે યોગ્ય બચાવ અને જરૂરી તમામ વ્યવસ્થા કરે. સાંસદ શક્તિસિંહ ગોહીલે ટ્વિટ કરેલી ટિકિટની વિગતો…
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર જલ્દી જ નેશનલ હાઇવે અને એક્સપ્રેસવે પર કાર ચાલકો માટે એક નવી ટોલ પોલિસી લાવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નવી પોલિસી અમલમાં આવ્યા બાદ નેશનલ હાઇવેના ટોલટેક્સના દરો ઘટી શકે છે. જોકે આ બાબતે કોઈ સત્તવાર જાહેરાત થઇ નથી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, જો તમે નાની કારનો ઉપયોગ કરો છો, તો નવી પોલિસી પ્રમાણે નેશનલ હાઇવે અને એક્સપ્રેસવે પર તમારે ઓછો ટોલ ટેક્સ ચૂકવવો પડશે. આ ફાયદો માત્ર નાની કારધારકોને જ મળશે કે જે કારથી રસ્તાને ઓછું નુકસાન થવાની સંભાવના હોય છે. તેથી તેનો ટેક્સ પણ મર્યાદિત હશે. અસલમાં નાના વાહનોને કારણે રોડને ઓછું નુકસાન થાય…
જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ટાર્ગેટ કિલિંગની ઘટના સામે આવી છે. ગત રાત્રે થયેલા એક આતંકવાદી હુમલામાં યુપીના બે શ્રમિકોના મોત થયા છે. અગાઉ પણ આ પ્ર્કારની ઘણી બધી ઘટનાઓ બની છે જેમાં બિહાર કે દેશના અન્ય કોઈ પ્રાંતમાઠી આવતા લોકો પર આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટેડ હુમલાઓ કરવામાં આવ્યા હોય. આજે ફરી આ પ્ર્કરની ઘટના બનતા ફફડાટનો માહોલ છે. બંને મૃતક શ્રમિક મુશીર કુમાર અને રામ સાગર કન્નૌજ જિલ્લાના રહેવાસી હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આતંકીઓએ મોડી રાત્રે ગ્રેનેડથી હુમલો કર્યો હતો. હુમલાની માહિતી બાદ કાશ્મીર પોલીસે ઘેરાબંધી કરી છે અને લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદીની ધરપકડ કરી છે. આતંકીઓએ શોપિયામાં હરમન વિસ્તારમાં બંને મજૂરો પર…
સુરતશહેરમાં ડ્રેનેજની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે. અહીં ડ્રેનેજની કામગીરી દરમિયાન બે કામદારોના મોત નિપજ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્રણ કામદારો ડ્રેનેજ સફાઇની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન દુર્ઘટના બની છે. ઘટનામાં ગૂંગળામણને લીધે ત્રણેય કામદારોની તબિયત બગડી હતી. જ્યારે સારવાર દરમિયાન બે કામદારોના મોત થયા છે, જ્યારે અન્ય કામદારની સ્થિતિ નાજૂક હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ કામદારની સારવાર ચાલી રહી છે. ઘટનાને પગલે પોલીસ અને સ્થાનિક તંત્ર દોડતું થયું છે. આજે સવારે સુરતના એસવીએનઆઈટી કોલેજ પાસે સફાઇ કામદારો ગટર સાફ કરવાની કામગીરી કરી રહ્યા હતા, તે દરમિયાન આ દુર્ઘટના બની હોવાનું સામે…