Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

દેશના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે અને આગામી સમયમાં આવો જ માહોલ રહેશે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, દેશમાં ચોમાસુ સક્રિય રહેવાથી આગામી 4 દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં અને મધ્ય ભારતમાં વરસાદ પડવાની શક્યતા છે. આઈએમડીનું એલર્ટ છે કે, જે વિસ્તારમાં વરસાદ પડવાનો છે ત્યાં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ બને તેવી પણ શક્યતા છે. અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં પણ વીજળી પડવાની સાથે સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આજે અને કાલે વરસાદની સંભાવના છે. અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં આજે પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. પશ્ચિમ મધ્ય પ્રદેશના…

Read More

યાત્રાધામ અંબાજીમાં યોજાતા ભાદરવી પૂનમના મહામેળાને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે માઇભક્તોમાં અંબાજી પગપાળા ચાલીને જવાનો અનેરો થનગનાટ છે. બે વર્ષના વિરામ બાદ આ વર્ષે તા. 5 મી સપ્ટેમ્બરથી 10 મી સપ્ટેમ્બર સુધી યોજાનાર આ મહામેળામાં હૈયાથી હૈયુ દળાય એવો માનવ મહેરામણ ઉમટશે. કોરોનાની મહામારીને લીધે બે વર્ષથી મેળો યોજાઈ શક્યો નહોતો ત્યારે ચાલુ સાલે મેળાનું આયોજન થવાથી દુનિયાભરમાંથી માઈભક્તોનું ઘોડાપુર મેળામાં ઉમટી પડવાની સંભાવના છે. શ્રદ્ધા વિશ્વાસ અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા આ શક્તિપીઠમાં માતાજીનું હૃદય બિરાજમાન હોવાની પુરાણોમાં માન્યતાને લીધે જ શ્રધ્ધાળુઓમાં અંબાજી શક્તિપીઠનું વિશેષ મહત્વ છે. અંબાજી મંદિરમાં માતાજીની મૂર્તિ નહી પરંતુ વીસાયંત્રની પૂજા થાય…

Read More

રાજ્ય સરકાર દ્વારા વૃદ્ધો માટે એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખાસ કરીને એકલા રહેતા વૃદ્ધોને મેડિકલની પૂરતી સુવિધા મળી રહે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજયમાં વૃધ્ધ-સીનિયર સીટીઝન નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ ઝડપથી મળી રહે એ માટે રાજ્યની તમામ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો, જીલ્લા હોસ્પિટલો તેમજ આરોગ્ય કેંદ્રો ખાતે વયો વૃધ્ધો-સિનિયર સિટિઝન એટલે કે 60 વર્ષથી ઉપરની વય વ્યક્તિઓ માટે આરોગ્યલક્ષી સેવાઓ માટે અલાયદી સુવિધાઓ પુરી પાડવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આરોગ્ય વિભાગે જણાવ્યાનુસાર વયોવૃધ્ધ વ્યક્તિઓ એટલે કે, 60 વર્ષ કે તેથી ઉપરની વયનાં લોકો માટે રાજ્યની તમામ જીલ્લાઓની સરકારી હોસ્પિટલો, મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો, પેટા જીલ્લા હોસ્પિટલો,…

Read More

કોવિડ-19 મહામારી જેવા સંકટ સમયે દેશના ઈકોનોમિક ગ્રોથને સંભાળવા અને બેંકો તથા ગ્રાહકોને મોનેટાઈઝેશન જેવી સુવિધા આપનાર રિઝર્વ બેંકની સામે પડકારો જરાય ઓછા નથી. વૈશ્વિક પડકારોના કારણે મોંઘવારી એક મોટો મુદ્દો છે. પરંતુ આરબીઆઈ મોંઘવારી અને વિકાસને કેવી રીતે સંભાળશે. આ સમગ્ર મામલે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે ઝી બિઝનેસના મેનેજિંગ એડિટર અનિલ સંઘવી સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી. જેમાં આ તમામ પહેલુઓ પર ચર્ચા કરવામાં આવી. આવો જાણીએ…. મોંઘવારીને કાબૂમાં કરવા માટે શું છે પ્લાન? મોંઘવારી પર બોલતા શક્તિકાંત દાસે કહ્યું કે મોંઘવારી વૈશ્વિક સ્તરે વધુ છે. આજે  આ એક વૈશ્વિક મુદ્દો છે. અમેરિકા, બ્રિટન, જર્મની જેવા દેશોમાં મોંઘવારી ખુબ વધુ…

Read More

કોર્ટે સંસ્કૃતને રાષ્ટ્રભાષા જાહેર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી અને કહ્યું કે આ એક નીતિગત નિર્ણય છે, જેના માટે બંધારણમાં સુધારો કરવાની જરૂર છે. પીઆઈએલની સુનાવણી દરમિયાન કોર્ટે અરજદારને સંસ્કૃતમાં એક પંક્તિનો પાઠ કરવા પણ કહ્યું હતું. આ અરજી નિવૃત અમલદાર ડીજી વણઝારા વતી કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. તેમણે સંસ્કૃતને રાષ્ટ્રભાષા જાહેર કરીને ભાષાને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી. તેના પર જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ કૃષ્ણ મુરારીની બેંચે કહ્યું કે આ નીતિ નિર્ણયના દાયરામાં આવે છે. આ માટે બંધારણમાં સુધારાની પણ જરૂર પડશે. કોઈ ભાષાને રાષ્ટ્રભાષા તરીકે જાહેર કરવા સંસદમાં રિટ જારી કરી શકાતી…

Read More

ગુજરાતમાં ફરી છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વરસાદને લઇને હવામાન વિભાગે વધુ એક વખત આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં સામાન્ય, મધ્યમ તેમજ છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટોછવાયો વરસાદ પડશે. હાલ વરસાદની એક્ટિવિટીમાં ઘટાડો થયો છે. નોંધનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધી 30 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. બીજી બાજુ આજે અમદાવાદમાં પણ છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમરેલી-રાજુલા કોસ્ટલ બેલ્ટના ગામડાઓમાં વરસાદ વરસ્યો. અસહ્ય બફારા બાદ ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો હતો. રાજુલાના ભેરાઈ, કડિયાળી, રામપરા, છતડીયા અને હિંડોરણામાં વરસાદ ખાબક્યો હતો.  આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનીને…

Read More

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરનારાઓ માટે સારા સમાચાર છે. ડેરિસલ એરલાઇન્સ નવી સિસ્ટમ દાખલ કરવા જઇ રહી છે, જે તેના ફ્લાઇટ શેડ્યૂલમાં કોઈપણ ફેરફાર અથવા ફ્લાઇટમાં વિલંબ વિશે ત્વરિત માહિતી આપશે.આ સાથે એક કોઓર્ડિનેશન ટીમ પણ બનાવવામાં આવશે જે એરપોર્ટ પર નજર રાખશે અને જો કોઈ સમસ્યા હશે તો તેનો સામનો કરશે. ટાટાની માલિકીની એર ઈન્ડિયાએ અન્ય કેટલાક પાસાઓને સુધારવા માટે કામ કરવાનું નક્કી કર્યું છે.શુક્રવારે આંતરિક વાતચીતમાં, એર ઈન્ડિયાના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે એરલાઈન તેના માટે એરપોર્ટ સ્લોટની શોધ કરશે.

Read More

ગુજરાત રમખાણોના કેસમાં પુરાવા સાથે છેડછાડ કરવા બદલ ધરપકડ કરાયેલા સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડને વચગાળાના જામીન મળી ગયા છે. ગઈકાલની સુનાવણીમાં કોર્ટે ગુજરાત સરકાર પર જ આકરા સવાલો ઉઠાવ્યા છે. કોર્ટે તિસ્તા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા માટેનું કારણ પૂછ્યું છે. કોર્ટે કહ્યું કે તિસ્તા વિરુદ્ધ કોઈ ગંભીર કેસ નથી અને તેના પર આઈપીસીની કોઈ કલમ લગાવવામાં આવી નથી. હજુ પણ મહિલા હોવાને કારણે તેને રાહત આપવામાં આવી નથી. ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ કેસમાં જામીન માટે 6 અઠવાડિયાનો વધુ સમય આપવા પર પણ સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે શું હાઈકોર્ટમાં આવું થાય છે, શું હંમેશા આટલી લાંબી…

Read More

દેશમાં અનેક તહેવારો ઉજવવામાં આવે છે અને આ બધા તહેવારો પોતાપોતાની રીતે ઐતિહાસિક મહત્વ ધરાવે છે. એમાંનો એક તહેવાર એટલે નવરાત્રી. ત્યારે નવરાત્રીને લઇને ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. એટલે કે, આ વર્ષે રાજ્યમાં અંબાજી, બહુચરાજી, પાવાગઢ અને ચોટીલા સહિત નવ શક્તિપીઠો પર ગરબાનું આયોજન કરાશે. તદુપરાંત અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ ગરબાનું ભવ્ય આયોજન કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. મહત્વનું છે કે, નવરાત્રી તહેવાર દેવી દુર્ગામાને સમર્પિત છે. જેમાં માતા દુર્ગાના 9 સ્વરૂપોની 9 દિવસ સુધી પૂજા કરવામાં આવે છે અને દસમા દિવસે દશેરા ઉજવવામાં આવે છે. ત્યારે તમને જણાવી દઇએ કે, આ વખતે નવરાત્રીનો મહાપર્વ આગામી 26…

Read More

ઓગસ્ટમા ઊપર ગયેલા તેલના ભાવ હવે ફરી નીચે આવી રહ્યાં છે. બે દિવસ પહેલા સિંગતેલ, કપાસિયા તેલ અને પામોલિન તેલમાં ભાવ ઘટાડા બાદ ફરી એકવાર ભાવમાં ઘટાડો આવ્યો છે. આજે શુક્રવારે રાજકોટમાં પામતેલના ભાવમાં રૂપિયા 30 નો ઘટાડો નોંધાયો છે. આ સાથે જ પામતેલનો ડબ્બો 1690 રૂપિયાએ પહોંચ્યો છે. છેલ્લા પાંચ મહિનામાં પામતેલના ડબ્બામાં 500 રૂપિયાનો ઘટાડો થઈ રહ્યો છે. મલેશિયા અને ઈન્ડોનેશિયામાંથી પામતેલની મોટા પ્રમાણમાં આવકના પગલે અને પામ તેલના માંગમાં ઘટાડો થતાં પામતેલમાં દિવસે દિવસે સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. માર્કેટના તજજ્ઞો કહે છે કે, આગામી દિવસોમાં પણ પામ તેલના ભાવમાં હજી ઘટાડો થઈ શકે છે. તો…

Read More