Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

જમ્મુ-કાશ્મીરના DG જેલ હેમંત કે લોહિયાની તેમના ઘરે હત્યા કરવામાં આવી છે. તેમનું ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. એટલું જ નહીં તેમના શરીર પર ઈજાના નિશાન પણ મળી આવ્યા છે. આતંકવાદી સંગઠન TRFએ એચ.કે લોહિયાની હત્યાની જવાબદારી લીધી છે. પોલીસને શંકા છે કે તેમના નોકરે જ આ હત્યાને અંજામ આપ્યો છે. નોકર જમ્મુ-કાશ્મીરના રામબનનો રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર, લોહિયાનો મૃતદેહ તેમના ઘરે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. આ પછી પોલીસ તપાસમાં તેમની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસને તેમના નોકર યાસિર પર હત્યાની શંકા છે. ડીજીપી દિલબાગ સિંહે આ ઘટનાને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેમણે…

Read More

કેન્દ્ર સરકારે સોમવારે કેટલીક ન્યૂઝ વેબસાઇટ્સ, OTT પ્લેટફોર્મ અને ખાનગી ટીવી ચેનલોને માર્ગદર્શિકા જારી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, તેણે ઓનલાઈન સટ્ટાબાજી કેન્દ્રોની જાહેરાતો બતાવવાથી દૂર રહેવું જોઈએ. આ માર્ગદર્શિકા માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ખાનગી ટીવી ચેનલોને ઓનલાઈન સટ્ટાબાજી કેન્દ્રોની જાહેરાતો બતાવવાથી દૂર રહેવાની સખત સલાહ આપવામાં આવે છે. સરકારે કહ્યું કે, માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરનારને યોગ્ય કાયદા હેઠળ સજા કરવામાં આવશે. ડિજિટલ મીડિયા અને OTT પ્લેટફોર્મ પર સમાચાર અને વર્તમાન બાબતોના પ્રકાશકોને ભારતીય પ્રેક્ષકોને આવી જાહેરાતો ન આપવા માટે એક અલગ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. “ઓનલાઈન વિદેશી…

Read More

અમદાવાદમાં રસ્તે રખડતા ઢોરના કેસમાં આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. રખડતા ઢોરને અંકુશમાં રાખનારા અધિકારીઓ સામે આ ફરિયાદ નોંધાઈ છે અને સાથે પશુના માલિક સામે પણ ફરિયાદ નોંધાતા પોલીસ તપાસમાં લાગી છે. પોલીસે આ મામલે કોર્પોરેશનના અધિકારી સામે સાપરાધ મનુષ્યવધ એટલે કે કલમ 304 હેઠળ ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે, નરોડાના ભાવિન પટેલને રસ્તે રખડતા ઢોરે અડફેટે લેતા મોત થયું હતું. રખડતા ઢોર ના કેસમાં પહેલીવાર AMCના અધિકારીઓ સામે ગુનો નોંધાતા દોડધામ મચી ગઇ છે. ત્યારે કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની પરિવારજનોની માંગ છે. ત્યારે આ નફ્ફટ અને બેદરકાર ભ્રષ્ટ એ.એમ.સી ના અધિકારીઓની…

Read More

ખેડા જિલ્લામાં ફરીવાર પથ્થરમારાની ઘટના સામે આવી છે. ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેરા ગામમાં નવરાત્રી દરમિયાન પથ્થરમારાની ઘટના સામે આવી છે. નવરાત્રીના તહેવારમાં ગરબા રમવા બાબતે એક સમુદાયના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. નવરાત્રી દરમિયાન ભાગોળમાં ગરબા રમી રહેલા લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા માતર પોલીસ, LCB, SOG સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પથ્થરમારામાં 6થી 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. Sp, Dysp, મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઉંઢેરા ગામે દોડી આવ્યા હતા. હાલ ઉંઢેરા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ પથ્થરમારામાં બે…

Read More

સોમવારે આતંકવાદીઓએ ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં એક બિન-સ્થાનિક બેંક મેનેજરને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. આતંકવાદીઓના ગોળીબારમાં બેંક મેનેજર કોઈ ઈજા પહોંચ્યા વિના બચી ગયો હતો. ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ બાદ 5 ઓક્ટોબરે બારામુલ્લામાં જનસભાને સંબોધિત કરવા જઈ રહ્યા છે. જાણકારી અનુસાર આ હુમલો બારામુલ્લા જિલ્લાના ગૌશબુગ પટ્ટનમાં થયો હતો. કેટલાક શંકાસ્પદ બંદૂકધારીઓએ અહીંની જમ્મુ-કાશ્મીર ગ્રામીણ બેંકમાં કામ કરતા મેનેજર પર ગોળીબાર કર્યો હતો. બેંક મેનેજરો બિન-સ્થાનિક છે. ગોળીનો અવાજ સાંભળીને ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હુમલા બાદ તરત જ સુરક્ષાદળોએ ઘટના સ્થળે પહોંચીને આતંકીઓની શોધખોળ શરૂ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત…

Read More

ભારતના ચૂંટણી પંચની તરફથી 6 રાજ્યોમાં ખાલી વિધાનસભા સીટો પર પેટાચૂંટણી કરવા માટેનું શિડ્યૂલ જાહેર કરી દીધુ છે. ઈસીઆઈના સેક્રેટરી સંજીવ કુમાર પ્રસાદ તરફથી બુધવારે જાહેર કરવામાં આવેલા શિડ્યૂલ મુજબ મહારાષ્ટ્ર, બિહાર, હરિયાણા, તેલંગણા, ઉત્તર પ્રદેશ અને ઓડિશા રાજ્યોની સાત સીટો પર પેટાચૂંટણી પ્રક્રિયા 14 ઓક્ટોબરથી શરુ થશે. . આ તમામ સીટો પર પેટાચૂંટણી 3 નવેમ્બરે થશે અને ચૂંટણી પરિણામ 6 નવેમ્બરે આવશે. ઈસીઆઈના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રની 166-અંધેરી ઈસ્ટ, બિહારની 101-ગોપાલગંજ અને 178 મોકામા, હરિયાણાની 47 આદમપુર, તેલંગણાની 93-મુનુગોડે, ઉત્તર પ્રદેશની 139 ગોલા ગોકરનાથ અને ઓડિશાની 46-ધામનગર વિધાનસભા સીટો પર પેટાચૂંટણી 3 નવેમ્બર 2022 ના રોજ એક જ દિવસે પુરી…

Read More

વડોદરા ગેસ અને CNG ગેસના ભાવમાં વધારો થયો છે. જેમાં ગેસ અને CNG ગેસના ભાવમાં રૂ.3 વધારો ઝીંક્યો છે. કેન્દ્ર સરકારે કરેલા નેચરલ ગેસમાં ભાવ વધારાની અસર જોવા મળી છે. તેમાં અદાણી ગેસનો ભાવ રૂ.81.15થી વધીને રૂ.84.15 થયો છે. જેમાં VGLનો ભાવ રૂ.82થી વધીને રૂ.85એ પહોંચ્યો છે. અદાણી ગેસ કરતા પણ વડોદરા ગેસના ભાવ વધારે થયા છે. તેમજ સપ્ટેમ્બર મહિનામાં દેશમાં પેટ્રોલ અને ડીઝલનાં વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. તહેવારોની મોસમ નજીક આવી રહી છે ત્યારે સારા ચોમાસા પછી ઉપયોગી ચીજોની માંગમાં ધરખમ વધારો થયો છે. આર્થિક પ્રવૃત્તિમાં તેમજ વેપાર ઉદ્યોગ ધંધામાં તેજીનો સળવળાટ થયો છે આને કારણે દેશમાં બંને…

Read More

દશેરાના તહેવાર પહેલા ફાફડા-જલેબીના રસિયાઓ માટે માઠા સમાચાર છે. ફાફડા-જલેબીના ભાવમાં તોતિંગ ભાવ વધારો થયો છે. અત્યારે આ વાનગીઓના ભાવમાં 20થી 30 ટકાનો વધારો થઈ ગયો છે. જેનો તાજેતરનો ભાવ જોવા જઈએ તો એક કિલો જલેબીનો ભાવ 800થી 1300 રૂપિયા વચ્ચે છે, જ્યારે 1 કિલો ફાફડાનો ભાવ 500થી 1000 રૂપિયા સુધી છે. અમદાવાદમાં ફાફડા-જલેબીના ભાવમાં વધારો થયો છે. આ વર્ષે ફાફડા જલેબીના ભાવમાં 20 થી 30 ટકાનો ભાવ વધારો થયો છે. માર્કેટમાં હાલ 1 કિલો ફાફડાનો ભાવ 600 થી લઈને 1000 રૂપિયા સુધી ચાલી રહ્યો છે. તો પ્રતિ કિલો જલેબીનો ભાવ 800થી 1300 રૂપિયા સુધી થયો છે. આ ભાવ વધારા…

Read More

ઈરાનની રાજધાની તેહરાનથી ચીન જતી એક ફ્લાઈટમાં બોમ્બ હોવાનો કોલ પોલીસને મળ્યો હતો. આ ફોન 9.20 કલાકે આવ્યો હતો. હાલમાં ફલાઈટને ડાયવર્ટ કરવામાં આવી રહી છે. કહેવાય છે કે, જયપુરમાં ઈમરજન્સી લેન્ડીંગ માટે ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી છે. એર ટ્રાફિક કંટ્રોલને આ સૂચના ફ્લાઈટમાંથી મળી હતી. જે બાદ તમામ એજન્સીઓને આ જાણકારી આપવામાં આવી હતી. હાલમાં આ ફ્લાઈટ ક્યાં છે, તેની કોઈ જાણકારી નથી, તેના વિશે દિલ્હી ફાયર વિભાગને સૂચના આપી દેવામાં આવી છે. દિલ્હી પોલીસ અને બાકીની એજન્સીઓ પણ તપાસમાં લાગી ગઈ છે. આ જાણકારી મળ્યા બાદ તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. જ્યારે જયપુરથી મળી રહેલી વિગતો…

Read More

‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગીતથી જાણીતી બનેલી ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેને અમદાવાદની સિટી સિવિલ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. હકીકતમાં મ્યુઝિક મેનેજમેન્ટ કંપની સાથે કોપીરાઇટનો વિવાદ ચાલી રહ્યો હોવાથી સિટી સિવિલ કોર્ટે કિંજલ દવે પર આ પ્રખ્યાત ગીત ગાવાનો પ્રતિબંધ મુક્યો છે. એટલે કે હવે કિંજલ દવે તેનું આ જાણીતું ગીત નહીં ગાઇ શકે. કંપનીએ કોપી રાઇટનો ભંગ થયો હોવાનો પણ આરોપ લગાવ્યો છે. ચેમ્બર જજ આનંદલીપ તિવારીએ કિંજલ દવે અને બે ફર્મ-આરડીસી મીડિયા તથા સરસ્વતી સ્ટુડિયોને કોપીરાઇટ હેઠળ રહેલા આ ગીતને સીડી અને કેસેટના રૂપે ના વેચવાનો આદેશ કર્યો છે. રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરાયેલા કોપીરાઇટ…

Read More