Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

મા અંબાના દર્શને જઈ રહેલા પદયાત્રીઓને અકસ્માત નડ્યો હતો. અરવલ્લીના માલપુરના કૃષ્ણાપુર પાસે અકસ્માત સર્જાયો હતો. ઈનોવા ચાલકે અંબાજી જતાં પદયાત્રીઓને કચડ્યા હતા. હૃદય કંપાવી દે તેવી ઘટનામાં 6 પદયાત્રીના મોત નિપજ્યા છે. આ ઘટના એટલી દર્દનાક હતી કે, અન્ય પદયાત્રીઓ ગભરાઈ ગયા હતા. પોતાના સાથી પદયાત્રીઓના મોતથી ચારેતરફ રોક્કળ મચી ગઈ હતી. 5 પદયાત્રી ઘાયલ થતાં સારવાર માટે ખસેડાયા છે. તમામ પદયાત્રી પંચમહાલના કાલોલ પાસે કલાલીના રહેવાસી છે. તમામ મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્તો માટે રાજ્ય સરકારે સહાય પણ જાહેર કરી છે. માલપુરના કૃષ્ણાપુર પાસે પદયાત્રીઓને અકસ્માત નડ્યો હતો. વહેલી સવારે 7 વાગ્યે કરુણ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ઈનોવા…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોચીના શિપયાર્ડમાં ઉપસ્થિત છે. તેઓ દેશના પ્રથમ શક્તિશાળી સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતને ભારતીય નૌકાદળને સોંપ્યુ છે. આ એરક્રાફ્ટ કેરિયરના આગમનથી દેશની દરિયાઈ સરહદો સુરક્ષિત થઈ જશે. આ ભારતના સમુદ્રી ઇતિહાસમાં સૌથી મોટું જહાજ છે. મહત્વનું છે કે, ભારત પહેલા માત્ર પાંચ દેશોએ 40 હજાર ટનથી વધુ વજનનું એરક્રાફ્ટ કેરિયર બનાવ્યું છે. INS વિક્રાંતનું વજન 45 હજાર ટન છે. તે અત્યાર સુધીનું ભારતનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર છે. INS વિક્રાંતને 100થી વધુ MSME દ્વારા પૂરા પાડવામાં આવતા સ્વદેશી ઉપકરણો અને મશીનોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. તે ભારતના દરિયાઈ ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું જહાજ છે…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે ગુજરાતના ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે ભારતનો સૌપ્રથમ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા મંજૂરી આપી છે. ગુજરાત સહિત આંધ્રપ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવાની કેન્દ્ર સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની વિકાસ યાત્રામા યશ કલગી બનનાર આ ભેટ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમગ્ર ગુજરાત વતી આભાર વ્યક્ત કર્યો છે. ગુજરાતમાં બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા માટે Gujarat Industrial Development Corporation દ્વારા જગ્યા આઈડેંટીફાઈ કરી બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા અર્થે એક પ્રપોસલ તૈયાર કરીને કેન્દ્ર સરકારની સ્કીમ સ્ટીયરીંગ કમીટી (SSC) સમક્ષ ડિટઈલ્ડ પ્રોજેક્ટ રીપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારની સ્કીમ…

Read More

ગુજરાતની સંસ્કૃતિનો મેળો એવો તરણેતરનો મેળો શરૂ થઈ ગયો છે. જેમાં દેશ વિદેશથી લોકો અહી આવે છે. ત્યારે આજરોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વવિખ્યાત તરણેતરના મેળાની મુલાકાત કરી હતી.  જેમાં તેમણે, જણાવ્યું હતું કે દર વર્ષે ગુજરાતમાં ૧૫૦૦થી વધુ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ૪૦૦થી વધુ મેળાઓનું આયોજન થાય છે ત્યારે લોકજીવન અને ગ્રામ્ય સંસ્કૃતિમાં મેળાનું મહત્વ સમજી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકમેળા, સાંસ્કૃતિક મેળાઓ સહિતના મેળાઓને પ્રોત્સાહન આપવાની નીતિ અમલમાં મૂકી હતી.  મેળાઓ આપણી વૈવિધ્યસભર અને અનેક વિશેષતાઓ ધરાવતી લોકસંસ્કૃતિની પરંપરા જાળવી રાખવાનું અને સંવર્ધન કરવાનું કામ કરે છે. સરકાર મેળાઓમાં તેમનું સ્વરૂપ જાળવી રાખી આ…

Read More

નિર્ણય કર્યો હતો જે અનુસાર ગુરુવારે વિધાનસભામાં વિશ્વાસ મત પર વોટિંગ થયું હતું. વિશ્વાસ મતના સમર્થનમાં મુખ્યમંત્રી સહિત 58 ધારાસભ્યોએ વોટ આપ્યાં હતા. જોવાની વાત એ છે વિશ્વાસ મતના વિરોધમાં એક પણ વોટ પડ્યો  નહોતો. 70 સભ્યો ધરાવતી દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના 62 ધારાસભ્યો છે. 58 ધારાસભ્યોએ સરકારના પક્ષમાં વોટિંગ કરતા આસાનીથી બહુમતી સિદ્ધ થઈ ગઈ હતી. હકીકતમાં સીએમ કેજરીવાલ ભાજપ પર એવો આરોપ મૂક્યો હતો કે ભાજપ ઓપરેશન લોટસ હેઠળ તેમની પાર્ટીના ધારાસભ્યોની તોડવાનો પ્રયાસ કરી રહી છે જોકે ભાજપ તેના આ પ્રયાસમાં સફળ ન થયો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ ઘટના બાદ કેજરીવાલે વિશ્વાસ મત લેવાનો નિર્ણય…

Read More

પીએમ મોદીનો ફરી ચૂંટણીના વર્ષમાં એકવાર ગુજરાત પ્રવાસ નક્કી થયો છે. પીએમ મોદી 10 સપ્ટેમ્બરે અમદાવાદ આવી સાયન્સસિટી ખાતે તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના સાયન્સ અને ટેક્નોલોજી વિભાગના મંત્રીઓ તથા સચિવોની બે દિવસ માટે યોજાનારી વિજ્ઞાન પરિષદનું ઉદ્દઘાટન કરશે. જેમાં તમામ રાજ્યોના સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રીઓ અને સચિવો ભાગ લેશે. પીએમ મોદીના 11 સપ્ટેમ્બરના કાર્યક્રમનું પણ આયોજન થઈ રહ્યું છે. બુધવારે નવી દિલ્હીમાં આ સંદર્ભે કેન્દ્રિય મંત્રી જિતેન્દ્રસિંહે એક ઉચ્ચકક્ષાની બેઠક યોજી જાહેરાત કરી હતી. જાણકાર સૂત્રો જણાવી રહ્યા છે કે રાજ્યનો વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ આ પરિષદના આયોજન માટે કેન્દ્રિય મંત્રાલયની સૂચના અનુસાર ફેસિલિટેટરની ભૂમિકા ભજવી રહ્યો છે. લગભગ…

Read More

અમેરિકન એરક્રાફ્ટ ઉત્પાદક બોઇંગે ભારતીય એરલાઇન્સની ક્ષમતા વધારવાની આશા વ્યક્ત કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર, જે ગતિએ ભારત વિશ્વના સૌથી મોટા બજાર તરીકે ઉભરી રહ્યું છે અને માંગમાં તેજી આવી રહી છે, ભારતીય એરલાઇન્સ આવતા વર્ષ સુધીમાં તેમની ક્ષમતામાં ઓછામાં ઓછો 25%નો વધારો કરી શકે છે. બોઇંગના પ્રાદેશિક માર્કેટિંગના મેનેજિંગ ડિરેક્ટર ડેવ શુલ્ટે જણાવ્યું હતું કે, અમે અપેક્ષા રાખીએ છીએ કે એરલાઇન ઝડપથી રિબાઉન્ડ કરશે અને વાર્ષિક સીટોના ​​25 ટકાથી વધુનો ઉમેરો કરશે. બોઇંગે જણાવ્યું હતું કે ભારતીય એરલાઇન્સ આગામી દિવસોમાં 7%ની વાર્ષિક ક્ષમતા વધારા સાથે બજારમાં ટોચના સ્તરના સ્પર્ધકોને પાછળ છોડી દેશે. ભાડા અને ઊંચા ખર્ચને કારણે થયું નુકસાન…

Read More

ભારત સરકારે સ્વદેશી ફાઈટર એરક્રાફ્ટ તેજસ (LCA માર્ક 2) પર મોટો નિર્ણય લીધો છે. સુરક્ષા પરની કેબિનેટ કમિટી (CCS) એ બુધવારે LCA માર્ક 2 ફાઇટર એરક્રાફ્ટ સંબંધિત પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. હવે આ એરક્રાફ્ટ મિરાજ-2000, જગુઆર અને મિગ-29 ફાઈટર એરક્રાફ્ટનું સ્થાન લેશે. ફાઇટર એરક્રાફ્ટ પ્રોજેક્ટ પર IAF ચીફ એર ચીફ માર્શલ વીઆર ચૌધરી: સુરક્ષા પરની કેબિનેટ સમિતિએ LCA માર્ક 2 પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ નિર્ણયથી આપણા આગામી પેઢીના ફાઇટર એરક્રાફ્ટની સ્વદેશી ડિઝાઇન અને વિકાસને જબરદસ્ત પ્રોત્સાહન મળશે. અમે લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરને પણ વાયુસેનામાં સામેલ કરીશું. તેમણે કહ્યું કે આ નિર્ણય સ્વદેશી ડિઝાઇન અને આપણા આગામી પેઢીના ફાઇટર એરક્રાફ્ટના…

Read More

દેશમાં સર્વાઇવલ કેન્સરના નિવારણ માટે પ્રથમ સ્વદેશી વિકસિત ‘ક્વૈડ્રીવેલેન્ટ’ હ્યૂમન પેપીલોમા વાયરસ (HVP) રસી આજે લોન્ચ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ અને સીરમના સીઈઓ અદાર પૂનાવાલા  (Adar Poonawalla) આઈઆઈસી દિલ્હીમાં તેને લોન્ચ કરી. ભારતીય ફાર્મા રેગુલેટર DCGI એ પાછલા મહિને એસઆઈઆઈને સર્વાઇકલ કેન્સરની વેક્સીન બનાવવાને મંજૂરી આપી હતી. ભારતમાં સર્વાઇકલ કેન્સર 15થી 44 વર્ષની ઉંમર વર્ગની મહિલાઓમાં બીજું સર્વાધિક સંખ્યામાં જોવા મળતું કેન્સર છે. 200-400 રૂપિયા હશે કિંમત સર્વાઇકલ કેન્સર વેક્સીનની કિંમત 200-400 રૂપિયા હશે. પરંતુ હજુ સુધી તેની કિંમત નક્કી થઈ નથી. પૂનાવાલાએ કહ્યુ કે સર્વાઇકલ કેન્સરની વેક્સીન આગામી કેટલાક મહિનામાં દેશમાં ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું…

Read More

રાજ્યમાં અવાર નવાર કચ્છ અને સૌરાષ્ટ્ર પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાય છે. ગુજરાતમાં ધરતીકંપની ઘટનાઓમાં ફરી એકવાર વધી ગઇ છે. ગુજરાતના કચ્છ બાદ અનેક જિલ્લાઓમાં ધરતીકંપની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે.ત્યારે આજે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો 3.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલથી 14 કિલોમીટર દૂર નોંધાયુ છે. આજે સવારે 10.40ની આસપાસ આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવામળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્સીટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના અનુસાર આ ધરતીકંપનો આંચકો 3.5 ની તિવ્રતાનો હતો. જો કે આ ધરતીકંપના કારણે કોઇ પણ જાનમાલના નુકસાન અંગેની માહિતી હજી સુધી પ્રાપ્ત થઇ નથી. આ ઉપરાંત રિક્ટર…

Read More