Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

વડોદરા શહેરના વાસણા વિસ્તારમાં આવેલા દેવનગરમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા હડકંપ મચી ગયો છે. ધડાકાભેર ગેસનો બાટલો ફાટતા મકાન ધરાશાયી થઇ ગયું હતું. આ દુર્ઘટનામાં બે મહિલાના મોત થયા છે. ચારથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાની માહિતી મળી રહી છે. ઘાયલ રહેવાસીઓને તાત્કાલિક ધોરણે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ભયંકર વિસ્ફોટથી આસપાસના લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે. દેવનગરમાં આવેલા એક મકાનમાં વહેલી સવારે અચાનક ગેસનો બાટલો ફાટ્યો હતો. જેમાં ઘરમાં હાજર મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જયારે અન્ય…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગાંધીનગરથી ‘વંદે ભારત ટ્રેન’ને લીલીઝંડી આપવામાં આવી છે. વડાપ્રધાને ટ્રેનની મુલાકાત લીધી હતી અને ટ્રેનમાં પેસેન્જરને આપવામાં આવતી સુવિધાઓનું નિરીક્ષણ કર્યુ હતુ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ ટ્રેન વિશે માહિતી મેળવી હતી. વડાપ્રધાન મોદીએ ટ્રેનની સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું. મહત્ત્વનું છે કે સામાન્ય જનતા માટે રેલવે સ્ટેશનમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્ટેશનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ‘વંદે ભારત ટ્રેન’ને વડાપ્રધાન મોદી ગાંધીનગરથી અમદાવાદ સુધી ટ્રેનમાં મુસાફરી કરી કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા…

Read More

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર ઇવીએમ, બૂથ, મતદાન સાહિત્ય, સ્ટાફ સહિતની કામગીરીમાં લાગી ગયુ છે. બીજી તરફ જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુએ પત્રકારોને જણાવ્યું હતુ કે, રાજકોટ શહેર-જિલ્લાના 2253માંથી 50% બૂથનું મતદાનના દિવસે વેબકાસ્ટિંગ કરાશે. એટલે કે, વલ્નેરબલ, ક્રિટિકલ બૂથમાં અગાઉ છેલ્લા પંદર વર્ષમાં કયા બૂથ ઉપર બૂથ કેપ્ચરિંગ, મારામારી, બોગસ મતદાન સહિતના બનાવો નોંધાયા હોય તેવા વિસ્તારોના બૂથ અલગ તારવી તેની ક્રિટિકલમાં ગણના કરવામાં આવે છે આવા બૂથ કે, મતદાન મથકો ઉપર અનિચ્છનિય બનાવ બને તો તેના ઉપર ચૂંટણીપંચ તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી બાજ નજર રાખી શકે. અત્રે એ ઉલ્લેખનિય છે કે, રાજકોટ શહેર-જિલ્લાના…

Read More

શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની મહત્વની બેઠક યોજાઈ હતી. RBI આ બેઠકમાં ફુગાવા પર લગામ લગાવવા અને અમેરિકી ડોલર સામે રૂપિયાના ઘટતા મૂલ્યને રોકવા માટે કેટલાક મહત્વના આકરા નિર્ણયો લીધા છે. RBI ગવર્નર શક્તિકાંત દાસની આગેવાની હેઠળની છ સભ્યોની સમિતિ સતત ચોથી વખત વ્યાજદરમાં વધારો કર્યો છે. RBI દ્વારા રેપો રેટમાં 0.50 ટકા જેટલો વધારો કરવામાં આવતા નવો રેપો રેટ 5.90 ટકા પર પહોંચ્યો છે. તો એપ્રિલ 2019 બાદ રેપો રેટ તેના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયો છે. આરબીઆઈએ માર્ચ 2020 માં કોરોના મહામારી કારણે લાગેલા લોકડાઉનની અસરને ઘટાડવાના ઉદ્દેશ્યથી રેપો રેટમાં ઘટાડો કર્યો હતો. આ પછી…

Read More

Global Innovation Index 2022માં ભારત 40મા સ્થાને પહોંચી ગયું છે. 2015માં તે 81માં ક્રમે હતું. અનુક્રમણિકા બતાવે છે કે ભારત સ્ટાર્ટઅપ્સ માટે વધુ સારું વાતાવરણ બનાવવા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે સતત સુધરી રહ્યું છે. આ પહેલા વર્લ્ડ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઈઝેશનના છેલ્લા રિપોર્ટમાં ભારતે ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ (GII)માં બે સ્થાનની છલાંગ લગાવી હતી. 2021માં ભારત 46માં ક્રમે હતું. સંગઠનના જણાવ્યા પ્રમાણે 2015થી ભારતની રેન્કિંગમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જ્યારે ભારતનો જીઆઈઆઈ 2015માં 81 હતો, જે 2022માં 40માં ક્રમે પહોંચી ગયો છે. આ સુધારો સરકારી અને ખાનગી સંસ્થાઓ દ્વારા સ્ટાર્ટઅપ્સ માટે અનુકૂળ વાતાવરણ બનાવવા માટે સંશોધન પર ભાર મૂકવાથી આવ્યો…

Read More

રાજધાની દિલ્હીમાં મંકીપોક્સના 3 નવા કેસ નોંધાયા છે. હાલમાં દિલ્હીમાં મંકીપોક્સના કેસોની સંખ્યા વધીને 12 થઈ ગઈ છે. માહિતી અનુસાર, હાલમાં દિલ્હીની લોકનાયક જયપ્રકાશ સિવિલ હોસ્પિટલ (LNGP) હોસ્પિટલમાં મંકીપોક્સના પાંચ દર્દીઓ દાખલ છે અને હાલમાં ત્યાં કોઈ શંકાસ્પદ દર્દી દાખલ નથી. દિલ્હીમાં મંકીપોક્સનો 9મો કેસ 30 વર્ષીય નાઈજિરિયન મહિલા તરીકે ઓળખાયો હતો. રાજધાની દિલ્હીમાં મંકીપોક્સ ચેપથી સંક્રમિત દર્દીઓની સારવાર માટે એલએનજેપી હોસ્પિટલને નોડલ હેલ્થ સેન્ટર બનાવવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, રવિવારે એક 30 વર્ષીય નાઈજીરિયન વ્યક્તિને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેના રિપોર્ટની રાહ જોવાઈ રહી હતી. મંકીપોક્સ એક વાયરલ ઝૂનોટિક રોગ છે. આ રોગમાં, દર્દીને તાવ,…

Read More

ગાંધીનગરથી મુંબઈ વચ્ચે હાઇસ્પીડ ટ્રેન વંદે ભારત ચાલુ થવા જઈ રહી છે. ત્યારે હવે શતાબ્દિ એક્સપ્રેસના સમયમાં અને ગંતવ્યમાં સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારે 1લી ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીનગર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસના પ્રારંભના પરિણામે ટ્રેન નંબર 12009/12010 શતાબ્દી એક્સપ્રેસ હવે 1લી ઑક્ટોબર, 2022થી મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે દોડશે. ટ્રેન નંબર 12009 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ મુંબઈથી 06.10 કલાકના હાલના સમયને બદલે 06.20 કલાકે ઉપડશે અને 6.33 કલાકને બદલે 6.43 કલાકે બોરીવલી પહોંચશે. આ ઉપરાંત આ ટ્રેન 12.25 કલાકના હાલના સમયને બદલે 12.45 કલાકે અમદાવાદ પહોંચશે. તેવી જ રીતે 1 ઓક્ટોબર, 2022થી…

Read More

ગુજરાતમાં બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે સુરત, બપોરે ભાવનગર કાર્યક્રમ પૂર્ણ કરી સાંજે અમદાવાદ પહોંચ્યા હતા. અહીં તેઓએ નેશનલ ગેમ્સનું ઉદ્દઘાટન કર્યું હતું. ત્યાંથી તેઓ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલ વાઈબ્રન્ટ નવરાત્રીમાં પહોંચ્યા હતા. અહીં ભાગવતના ઋષિ કુમારોએ મંત્રોચ્ચાર સાથે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓએ માતાજીની આરતી ઉતારી હતી. આ તકે તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. દરમ્યાન ગરબા રમવા માટે આવેલા ખેલૈયાઓ પણ આરતીમાં જોડાયા હતા અને પીએમ મોદી સાથે તેઓએ પણ પોતાના હાથમાં દીવો લઈ માતાજીની આરતી ઉતારી હતી ત્યારબાદ ગરબા ગાવાના કાર્યક્રમની શરૂઆત થઈ હતી. માતાજીની…

Read More

જ્ઞાનવાપી મસ્જિદ-શ્રિંગાર ગૌરી કેસમાં વારાણસી જિલ્લા અદાલતે હિન્દુ પક્ષની અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. સુનાવણી બાદ કોર્ટે ગુરુવારે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આગામી સુનાવણીની તારીખ 7 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે. જિલ્લા ન્યાયાધીશ ડૉ. અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટે હિન્દુ પક્ષની અરજી સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. તે જ સમયે, મુસ્લિમ પક્ષે નવ અઠવાડિયા પછી પણ સુનાવણીની માંગ પર ભાર મૂક્યો હતો. વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુનાવણી થઈ કોર્ટે આગામી તારીખ 7 ઓક્ટોબર નક્કી કરી છે. તમને જણાવી દઈએ કે જ્ઞાનવાપી-શ્રુંગાર ગૌરી કેસમાં અંજુમન પ્રજાતનિયા મસ્જિદ કમિટીની માંગ ફગાવી દેવાયા બાદ આજે બીજી વખત જિલ્લા ન્યાયાધીશની સુનાવણી હાથ ધરવામાં…

Read More

દેશમાં સાત વર્ષ બાદ નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 36મી નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમની શરૂ થઈ ગઈ છે. ગરબા ગાયક પાર્થ ઓઝાએ ગુજરાતની વિકાસ યાત્રા બતાવ્યા બાદ પરફોર્મન્સ આપ્યું હતું. પાર્થ ભારતીય સિનેમામાં પણ ઘણો સક્રિય છે અને તેણે ઘણી ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે. આ કાર્યક્રમમાં પીએમ મોદી પણ હાજરી આપશે. તે દેશના ખૂણેખૂણેથી આવેલા ખેલાડીઓને સંબોધિત કરશે. ગુજરાતને પ્રથમ વખત નેશનલ ગેમ્સની યજમાની મળી છે અને આ વખતે આ ગેમ્સ માટે કોઈ શહેરનું નામ આપવામાં આવ્યું નથી. રાજ્યના છ શહેરોમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. આ છ શહેરો અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા,…

Read More