Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં તમામ રાજકીય પક્ષોએ તડામાર તૈયારી કરી દીધી છે. ત્યારે હવે ચૂંટણી પંચે પણ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મતદાન જાગૃતિ વધારવા માટે ચૂંટણી પંચે અલગ-અલગ એસોસિએશન સાથે MoU કર્યા છે. ગુજરાત ચૂંટણી પંચે રાજ્યના દરેક મતદાર સુધી પહોંચવા માટે દવા બજારના એસોસિએશન સાથે MoU કર્યા છે. ગુજરાત ચૂંટણી પંચ અને ગુજરાત કેમિસ્ટ વચ્ચે MoU થતા હવેથી રાજ્યની તમામ મેડિકલ સ્ટોર પરથી મતદાનનો પ્રચાર થશે. એટલે કે મેડિકલ સ્ટોર પર આવતા દર્દીઓને મતદાન કરવા સમજાવાશે. રાજ્યના 32 હજાર મેડિકલ સ્ટોર સાથે ચૂંટણી પંચે MoU કર્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગુજરાતની મુલાકાતે આવી હતી…

Read More

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના લગભગ 5 હજાર નવા કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસની સંખ્યા વધીને 44,436 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 845 કેસમાં ઘટાડો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં સક્રિય કેસોમાં કુલ ચેપના 0.10 ટકાનો સમાવેશ થાય છે. કોરોના કેસનો દૈનિક સકારાત્મક દર 1.62 ટકા નોંધાયો છે. તે જ સમયે, સાપ્તાહિક હકારાત્મકતા દર 1.69 ટકા રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 38 લોકોના મોત થયા છે. જો કે, કેરળમાં પાછળથી 19 લોકોના મૃત્યુઆંક ઉમેરાયા બાદ આમાં વધારો થયો છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 5 લાખ 28 હજાર 487 (5,28,487) પર…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ડબલ એન્જિનની સરકાર રાજ્યના સાડા છ કરોડ નાગરિકોનાં સપનાં સાકાર કરી રહી છે. રાજ્યના સુરત શહેરમાં પણ વિકાસનાં અનેકવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે. 29 સપ્ટેમ્બરે વડા પ્રધાન મોદી સુરતમાં રૂ. 3472.54 કરોડનાં વિવિધ વિકાસ-કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ વિવિધ વિકાસ-કાર્યોમાં પાણીપુરવઠાના રૂ.672 કરોડનાં કાર્યો, રૂ. 890 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટ્સ, રૂ. 370 કરોડના ડ્રીમ (DREAM) સિટીનાં કાર્યો, રૂ. 139 કરોડના ખર્ચે બાયો-ડાયવર્સિટી પાર્ક તેમ જ અન્ય વિકાસ કાર્યો જેવાં કે પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેરિટેજ રિસ્ટોરેશન, સિટી બસ-બીઆરટીએસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિક વેહિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમ જ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલાં…

Read More

ગુજરાત મિશન 2022 અંતર્ગત આપના દિલ્હીના નેતાઓએ રાજ્યમાં ધામા નાખ્યા છે. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા સિદ્ધપુરની મુલાકાતે છે. જ્યારે રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા આજે રાજકોટની મુલાકાતે છે. તો આવતીકાલે આપના સંયોજક અને દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતની મુલાકાતે આવશે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન એક મોટી જાહેરાત કરી શકે છે. આપના નેતાઓનું ફોકસ ગુજરાત ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં સભાઓ ગુંજવા લાગી છે. રાજ્યમાં અનેક રાજકીય નેતાઓ પ્રવાસ ખેડી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાત પર તમામ રાજકીય પક્ષો નજર રાખી રહ્યા છે. ગુજરાતની આ વખત વિધાનસભાની ચૂંટણીમાં…

Read More

આ વર્ષે ચોમાસું તેની વિદાય પહેલા ઉત્તર ભારતને ભીંજવી રહ્યું છે. છેલ્લા બે દિવસથી દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં વરસાદ પડી રહ્યો છે, જેના કારણે શહેરોમાં ટ્રાફિક જામ અને પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદની આ પ્રક્રિયા આજે એટલે કે શનિવારે પણ ચાલુ રહેશે. આ માટે વિભાગે યલો એલર્ટ જાહેર કરીને લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. ભારે વરસાદને જોતા યુપીના ઘણા શહેરોમાં આજે પણ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. સપ્ટેમ્બરના અંત સુધી વરસાદ પડશે હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ વર્ષે ચોમાસાએ દેશના કેટલાક ભાગોમાંથી વિદાય લીધી છે. પરંતુ ઉત્તર ભારતમાં તે સપ્ટેમ્બરના…

Read More

મોટા ભાગના કિસ્સાઓમાં, ઠગ લોકોએ તેમનો નંબર વડાપ્રધાન કાર્યાલય અથવા પીએમઓના નામથી સંપર્ક એપ્લિકેશનમાં સેવ કર્યો હતો. આવી સ્થિતિમાં, તમને જણાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જો તમને કોઈ કારણસર વડા પ્રધાન કાર્યાલયથી ફોન આવે છે, તો તે સત્તાવાર ફોનથી આવશે. બીજી તરફ પીએમ મોદીના મોબાઈલ નંબરની વાત કરીએ તો તેમનો પર્સનલ ફોન નંબર શું છે, તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. જ્યારે પીએમ તેને પણ ફોન કરે છે ત્યારે કોલર આઈડી દેખાતું નથી. આવી સ્થિતિમાં તેમના કેબિનેટ સાથીદારો પણ ક્યારેક ચોંકી જાય છે. આવી જ એક ઘટના વિદેશ મંત્રી એસ જયશંકરે વર્ણવી હતી. ગયા વર્ષની વાત છે જ્યારે…

Read More

બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસર થતાં ગુજરાતમાં હવામાન વિભાગે 4 દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદના વરતારા કર્યા છે. અંબાલાલની આગાહી મુજબ ગુજરાતમાં નવરાત્રીમાં વરસાદ પડવાની સંભાવના પૂરેપૂરી છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદી ઝાટપાની શક્યતા સેવાઇ છે.26 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો આવશે જે બાદ 27 સપ્ટેમ્બરે કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.28 સપ્ટે.થી 1 ઓક્ટોબર સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. અંબાલાલે વધુમાં જણાવ્યું કે 5 ઓક્ટોબર સુધી દરિયામાં ભારે પવન ફૂંકાશે. 10 ઓક્ટોબર બાદ બંગાળ ઉપસાગરમાં હવાનું…

Read More

સરકારે ઘરેલૂ બજારમાં ચોખા, ઘઉં અને લોટ જેવી અનાજની કિંમતો પર લગામ લગાવવા માટે નિકાસ પર રોક લગાવી દીધી, પણ તેની કિંમત સતત વધતી જાય છે. ખાદ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, ગત વર્ષની સરખામણીમાં આ ખાદ્ય ઉત્પાદનોની કિંમતોમાં 20 ટકા સુધીનો ઉછાળો આવી ચુક્યો છે. ખાદ્ય મંત્રાલય અનુસાર, ઘરેલૂ બજારમાં ચોખા, ઘઉં અને લોટની કિંમતોમાં આગળ પણ વધારો થવાનું અનુમાન છે. એક દિવસ પહેલા જ મંત્રાલયે ચોખા, ઘઉં અને લોટના ઓલ ઈંડિયા જથ્થાબંધ તથા છુટક મોંઘવારી સતત ચાલુ છે. તેમાં કહેવાયુ છે કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે આ ખાદ્ય પેદાશોની કિંમતોમાં 9થી 20 ટકાનો મોટો ઉછાળો આવ્યો છે. આ…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકો સુવિધાયુકત, સલામત અને સુરક્ષિત રીતે મુસાફરી કરી શકે તેવા સારા અભિગમથી રાજ્યના માર્ગોના રિસરફેસીંગ કામો માટે રૂ.508.64 કરોડ માર્ગ-મકાન વિભાગને ફાળવવાની લીલીઝંડી આપી દીધી છે. રાજ્યમાં આ વર્ષે વરસાદને કારણે અસર થયેલા 98 રસ્તાઓના કુલ 756 કિ.મી. લંબાઇમાં રિસરફેસીંગ કામો મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને મંજૂર કરેલી આ રકમમાંથી હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારનો માર્ગ અને મકાન વિભાગ માર્ગોની સુવિધા વધુ સુદ્રઢ બનાવી સરળ અને સલામત યાતાયાત માટે વિવિધ જિલ્લાઓમાં વ્યાપક સ્તરે કામગીરી હાથ ધરી રહ્યો છે. રાજ્યમાં રોડ રસ્તાની હાલત મામલે CM ભૂપેન્દ્ર પટેલે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાંજ રસ્તાના તાત્કાલિક સમારકામ માટે અધિકારીઑને આદેશ કર્યા હતા.…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં પર્યાવરણ મંત્રીઓની પરિષદને સંબોધિત કરે છે. તેમણે કહ્યું કે આજનું નવું ભારત નવી વિચારસરણી અને નવા અભિગમ સાથે આગળ વધી રહ્યું છે. આજે ભારત પણ એક ઝડપી વિકાસશીલ અર્થતંત્ર છે અને તેની ઇકોસિસ્ટમને સતત મજબૂત કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, આપણું વન આવરણ વધ્યું છે અને વેટલેન્ડનો વિસ્તાર પણ ઝડપથી વધી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું, અમારી પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવાના અમારા ટ્રેક રેકોર્ડના કારણે આજે વિશ્વ પણ ભારત સાથે જોડાઈ રહ્યું છે. ગીરમાં સિંહ, વાઘ, હાથી, એક શિંગડાવાળા ગેંડા અને ચિત્તાની સંખ્યામાં વર્ષોથી વધારો થયો છે. મધ્યપ્રદેશમાં થોડા દિવસો પહેલા ચિત્તાના ઘરે પરત ફરતા એક…

Read More