What's Hot
- હાઉસફુલ-5 ના હીરો દીનુ મૌર્યના ઘરે ED ના દરોડા, જાણો શું છે સમગ્ર મામલો
- ‘અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ વાન્સે ભારતની આતંકવાદ સામેની લડાઈને સંપૂર્ણ સમર્થન આપ્યું’, મીટિંગ પછી તેજસ્વી સૂર્યાએ કહ્યું
- શું રાજસ્થાન પાણીના સંકટનો સામનો કરી રહ્યું છે? મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જણાવ્યું કે તેમની પ્રાથમિકતા શું છે
- ડિજિટલ ધરપકડ છેતરપિંડીના કેસમાં મુંબઈ પોલીસને મોટી સફળતા મળી, લોકોને તેનાથી બચવા માટે આ રીતો જણાવી
- અદિતિ મિશ્રાના નેતૃત્વમાં દિલ્હીથી કૈલાશ અને લિપુલેખ સુધી બાઇકર્સની સફર, જાણો કોણ છે આ મહિલા અધિકારી?
- ગુજરાતના દ્વારકામાં મોટો અકસ્માત, ગોમતી નદીમાં 7 લોકોના ડૂબી જવાથી મોત
- ગુજરાતના 6 જિલ્લામાં વરસાદની ચેતવણી, IMD એ ચોમાસુ ક્યારે પ્રવેશી શકે છે તે જણાવ્યું
- આ દિગ્ગજ અમેરિકન કંપની કરશે 7,000 કર્મચારીઓને છુટા, ઘણા બજારોમાં ઉત્પાદનોનું વેચાણ બંધ થશે
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર બે ડબલ ડેકર બસો અથડાઈ CM યોગી આદિત્યનાથે આ ઘટના પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી અકસ્માતમાં 6 લોકોના મોત થયા ઉત્તર પ્રદેશના બારાબંકીમાં સોમવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. લોની કટરા પોલીસ સ્ટેશન વિસ્તારના નારાયણપુર ગામ પાસે પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર બે ડબલ ડેકર બસો અથડાઈ હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે 12થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. આ ઘટનાની જાણ વહીવટીતંત્રને થતાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યાં હતાં આ અકસ્માતમાં ડબલ ડેકર બસના 6 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને ઘણા લોકો…
કેસમાં થોડોક ઘટાડો થતાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16,866 કેસ સામે આવ્યા છે કોરોના કહેરને કારણે દેશમાં 41 લોકોના મોત થયા છે કોરોનાથી મોતની સંખ્યામાં વધારો થતાં ચિંતાજનક સ્થિતિ બની આરોગ્ય વિભાગના આંકડા મુજબ ગઈકાલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20,279 નવા કેસ નોંધાયા હતા. આ સાથે 18,143 લોકો સ્વસ્થ પણ થયા હતા. તો છેલ્લા 24 કલાકમાં 36 દર્દીઓએ પણ જીવ ગુમાવ્યો હતો. દેશમાં કોરોના વાયરસના કેસોમાં આજે થોડીક રાહત તો મળી છે. કેમ કે ગઇકાલ કરતાં આજે કોરોના કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. જોકે હવે કોરોનાથી મોતની સંખ્યામાં વધારો થતાં ચિંતાજનક સ્થિતિ બની છે. ભારતમાં સતત વધી રહેલા કોરોના…
અરવિંદ કેજરીવાલ આજે રાજકોટ એરપોર્ટ પર પહોંચશે રાજકોટમાં વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે PM મોદી GIFT સિટીની પણ મુલાકાત લેશે આપના અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે રાજકોટ એરપોર્ટ પર પહોંચશે. જે બાદ 26મી તારીખે સોમનાથ મહાદેવના દર્શન કરશે અને બપોરે રાજકોટમાં વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે. કેજરીવાલ ગુજરાતની આગામી વિધાનસભાની ચુંટણીની રણનીતી ઘડવા માટે વારંવાર ગુજરાતના જુદા જુદા વિસ્તારના પ્રવાસે આવી રહ્યા છે. આ અંગે આપના કાર્યકર્તાઓના જણાવ્યા પ્રમાણે આજે કેજરીવાલ હિમાચલથી ચાર્ટડ પ્લેનમાં સીધા રાજકોટ એરપોર્ટ આવશે. આજે સાંજે તેમનો કોઇ કાર્યક્રમ નથી. એરપોર્ટ પરથી તેઓ ચાર્ટડ પ્લેનમાં જ કેશોદ જવા રવાના થશે. જ્યાંથી તેઓ…
દક્ષિણ ગુજરાત સહિત કચ્છમાં મેઘો ધોધમાર વરસી રહ્યો છે ગુજરાતના 231 તાલુકામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત કચ્છમાં મેઘો ધોધમાર વરસી રહ્યો છે. ત્યારે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં ક્યાં કેટલો વરસાદ થયો તે વિશે વાત કરીએ તો સૌથી વધુ વરસાદ સુરતના ચોર્યાસીમાં થયો. ચોર્યાસીમાં 17મી.મી, તિલકવાડામાં 10 મી.મી, ગરુડેશ્વરમાં 8 મી.મી વરસાદ તથા સતલાસણામાં 8 મી.મી, જામ કંડોરણામાં 8 મી.મી વરસાદ નોંધાયો. મહિસાગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.જિલ્લામાં સાર્વત્રિક વરસાદને કારણે લોકોમાં ખુશી જોવા મળી રહી છે. મહિસાગર જિલ્લામાં લુણાવાડા, સંતરામપુર,…
સમોસાનું વજન આઠ કિલો આ સમોસા અડધા કલાકમાં ખાઈ જનારને 51 હજારનું ઈનામ મેરઠના કૌશલ સ્વીટ્સે આ બાહુબલી સમોસા બનાવ્યા સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વીડિયો જોવા મળે છે. કેટલાક રમુજી, કેટલાક ઈમોશનલ અને કેટલાક આઉટ ઓફ બોક્સ વીડિયો હોય છે. ત્યારે આજકાલ ઇન્ટરનેટ પર બાહુબલી સમોસાનો દબદબો હતો. મેરઠના કૌશલ સ્વીટ્સે આ બાહુબલી સમોસા બનાવ્યા અને સર્વ કર્યા છે. આ સમોસાનું વજન આઠ કિલો છે. તેની તસવીરોએ લોકોની ટાઈમલાઈન પર જોવા મળે છે. આ સમોસા ઘણી ન્યૂઝ ચેનલોમાં પણ બતાવવામાં આવ્યા હતા અને દેખીતી રીતે તે ઘણા ફૂડ બ્લોગર્સની યાદીમાં પણ હવે સામેલ થઈ ગયા છે. ન્યૂઝ ચેનલોમાં બતાવવામાં…
આઇટી કંપનીઓ મોબિલીટી સોલ્યુશન તરફ આગળ વધી રહી છે 85% ગુજરાતની આઈટી કંપનીઓનો બિઝનેસ વિદેશમાંથી હવેનો જમાનો વેબ-3નો આવશે દેશના આર્થિક વિકાસનું ગ્રોથ એન્જિન ભલે એમએસએમઇ (મન્યુફેક્ચરીંગ) છે પરંતુ હવે જમાનો બદલાય રહ્યો છે. આ સેક્ટરને ગ્રોથ સાધવો હશે તો ડિજિટલાઇઝેશન તરફ વળવું જ પડશે. ટેક્નોલોજીના યુગમાં આ મજબૂત ગ્રોથ માટે આઇટી સેક્ટરને અવગણવું ભારે પડી શકે છે. દેશ ટેક્નોલોજી બાબતે હજુ પા..પા…પગલી ભરી રહ્યો છે. હવેનો જમાનો અત્યાધુનિક મોબાઇલનો છે અને તેમાં પણ 5-જી આવી રહ્યું છે ત્યારે હવે કોમ્યુટર આઉટડેટેડ થવા લાગશે. બધી ટેક્નોલોજી તમારા હાથમાં (સ્માર્ટફોન) દ્વારા રન થતી હશે તે દિવસો દૂર નથી જોકે શરૂઆત થઇ…
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે રાષ્ટ્રપતિ પદના શપથગ્રહણ કર્યા ચીફ જસ્ટિસ ઓફ ઈંડિયા એનવી રમણાએ દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવ્યા હતા દ્રૌપદી મુર્મૂને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું દેશના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે રાષ્ટ્રપતિ પદના શપથગ્રહણ કર્યા છે. હાલમાં તેઓ સંસદભવનમાં સંબોધન કરી રહ્યા છે. દ્રૌપદી મુર્મૂએ 25 જૂલાઈ એટલે કે, સોમવારના રોજ દેશના 15માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. તેઓ દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ છે. ચીફ જસ્ટિસ ઓફ ઈંડિયા એનવી રમણાએ દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવ્યા હતા. https://twitter.com/rashtrapatibhvn/status/1551415295616897027?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1551415295616897027%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fdroupadi-murmu-oath-taking-ceremony-live-updates વિદાયમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમના પત્ની સવિતા કોવિંદે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ ભવનમાં પાઠવી શુભકામનાઓ નવનિર્વાચિત…
વજન ઘટાડવા માટે ડુંગળી છે ગુણકારી વજન ઘટાડવાની પ્રક્રિયા શરૂ કરવા માટે તેને સલાડ તરીકે ખાવો શાકભાજી બનાવી રહ્યાં છો તો તેમાં થોડી ડુંગળી વધારે નાખો વજન ઘટાડવા માટે આજે અમે તમને એક એવી રીત જણાવીશુ જેનાથી ઘર બેઠા વજન ઘટાડી શકાશે. કુદરતી રીતે વધતા વજનને ઘટાડવા માટે ડુંગળી અસરકારક છે. અમુક રિપોર્ટસ મુજબ ભોજનમાં જો ડુંગળીનુ સેવન કરવામાં આવે તો વજન ઘટાડી શકાય છે. એવામાં તમે વજન ઘટાડવા માટે ડુંગળીનો કેવી રીતે ઉપયોગ કરશો તે અમે જણાવીએ. કાચી ડુંગળીનુ સેવન કર્યા બાદ મોંઢામાંથી દુર્ગધ આવવાની સમસ્યા થાય છે, પરંતુ જો તમે તમારું વજન ઘટાડવા માંગો છો તો તમે કાચી…
નાગપંચમીનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વપૂર્ણ નાગ દેવની પૂજા વિધિ પૂર્વક કરો, મળશે વિશેષ ફળ નાગ દેવ દરેક દેવી-દેવતાના વિરાટ રૂપમાં રહેલા છે હિન્દુ ધર્મમાં નાગને પૂજનીય તો માનવામાં આવે છે, પરંતુ તેને મહત્વપૂર્ણ દરજ્જો પણ આપવામાં આવ્યો છે. જેની પાછળ મુખ્ય કારણ છે કે નાગ દેવ ક્યાકને ક્યાક દરેક દેવી-દેવતાના વિરાટ રૂપમાં રહેલા છે. જેમકે ભગવાન શિવે નાગને પોતાના ગળામાં ધારણ કર્યા છે. ભગવાન ગણેશને જનોઈના રૂપમાં નાગ છે, તો ભગવાન વિષ્ણુ શેષનાગની શૈયા પર જ વિશ્રામ કરે છે. સમુદ્રમંથનમાં પણ નાગનો કરાયો હતો ઉપયોગ જ્યારે ભગવાન વિષ્ણુએ ભગવાન શ્રીરામ અને કૃષ્ણના રૂપમાં અવતાર લીધો તો તેની સાથે અનુક્રમે…
સ્વતંત્રતા દિવસ પહેલા હર ઘર તિરંગા અભિયાન શરૂ થશે સામાન્ય જનતા માટે તિરંગો ફરકાવવાના નિયમો બદલાયા હવે રાત દિવસ ફરકાવી શકશો તિરંગો હવે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરે રાત દિવસ તિરંગો ફરકાવી શકશે. કારણ કે કેન્દ્રની મોદી સરકાર સ્વતંત્રતા દિવસ પહેલા ‘હર ઘર તિરંગા સમારંભ’થી તિરંગો ફરકાવાના નિયમોમાં મહત્વના ફેરફાર કરી રહી છે. અત્યાર સુધી જનતાને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવાની મંજૂરી હતી. સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાના એક પત્રમાંથી આ વાત સામે આવી છે. તેમણે 20 જૂલાઈએ તમામ સચિવોને આ પત્ર લખ્યો હતો. પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તિરંગો ફરકાવવાના નવા…