Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશના પાંચ રાજ્યોની જાતિઓને અનુસૂચિત જનજાતિમાં સામેલ કરવામાં આવી છે. તેમાં ઉત્તર પ્રદેશના 13 જિલ્લામાં ગોંડ જાતિના લોકોને અનુસૂચિત જાતિમાંથી હટાવીને અનુસૂચિત જનજાતિમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગોંડ જાતિની પાંચ પેટા જાતિઓ – ધુરિયા, નાયક, ઓઝા, પાથરી અને રાજગોંડને પણ અનુસૂચિત જનજાતિની યાદીમાં સામેલ કરવામાં આવી છે. બાકીના રાજ્યોની એસટી સમુદાયની વિગતો પછીથી જાહેર કરવામાં આવશે. આ વર્ષે માર્ચમાં, સરકારે લોકસભામાં બંધારણ (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ) આદેશ (બીજો સુધારો) બિલ, 2022 રજૂ કર્યું હતું. ઉત્તર પ્રદેશની ગોંડ, ધુનિયા, નાઈક, ઓઝા પાથરી અને રાજગોંડ જાતિઓને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની જોગવાઈ કરતું…

Read More

મહારાણી એલિઝાબેથ દ્વિતીયના રાજકીય અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ યુનાઇટેડ કિંગડમ જશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 17-19 સપ્ટેમ્બર 2022ના ભારત સરકાર તરફથી સંવેદના વ્યક્ત કરવા માટે લંડન, યુનાઇટેડ કિંગડમ જશે. મહારાણીના અંતિમ સંસ્કાર 19 સપ્ટેમ્બરે વેસ્ટમિંસ્ટર એબ્બેમાં 2000 વીઆઈપી મહેમાનોની હાજરીમાં થશે. મહારાણી એલિઝાબેથ દ્વિતીયના રાજકીય અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં રાષ્ટ્રાધ્યક્ષોને સામેલ થવાની આશા છે. બ્રિટનમાં આ દિવસે રજા જાહેર કરવામાં આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન પણ મહારાણીના અંતિમ સંસ્કારમાં સામેલ થશે. આ સિવાય ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મેક્રોન અને કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો પણ લંડન જશે. બ્રિટનના દિવંગત મહારાણી એલિઝાબેથનું પાર્થિવ શરીર મંગળવારે સાંજે સ્કોટલેન્ડથી લંડન પહોંચ્યું…

Read More

અમદાવાદ શહેરમાં મોટી દુર્ઘટના ઘટી છે. ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી એસ્પાયર 2 નામની બિલ્ડિંગનું બાંધકામ ચાલુ હતુ. આ દરમિયાન બાંધકામમાં વપરાતી લિફ્ટ સાતમા માળેથી અચાનક તૂટીને નીચે પડી હતી. જેના કારણે 6 શ્રમિકોના મોત નીપજ્યા છે. આ સાથે બે લોકો ગંભીર રીતે ઘાયલ હોવાની માહિતી મળી રહી છે. હાલ પોલીસના મોટા અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચીને ત્યાં વધુ તપાસ કરી રહ્યા છે. પોલીસ અધિકારીઓ આ નિર્માણાધીન બિલ્ડિંગ સાથે સંકળાયેલા લોકોની પણ તપાસ કરી રહ્યા છે. આ અંગે આસપાસના સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, તેઓ આ દુર્ઘટના જ્યાં ઘટી ત્યાં પાસેની બિલ્ડિંગમાં જ કામ કરે છે. તેઓ જ્યારે સવારે 10 વાગ્યાની આસપાસ અહીં આવ્યા…

Read More

જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મંડી તહસીલ સાવજિયામાં મિની બસ ખાઈમાં ખાબકી. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા. ઉપરાજ્યપાલે આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. રાજ્ય સરકાર તરફથી મૃતકોના પરિજનોને પાંચ લાખ રૂપિયા અને ઘાયલોને એક લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. એવું કહેવાય છે કે મિની બસ જમ્મુ કાશ્મીરના મંડીથી સાવજાન જઈ રહી હતી. આ દરમિયાન અચાનક ડ્રાઈવરે બસ પર કાબૂ ગૂમાવ્યો અને બસ ખાઈમાં જઈ ખાબકી. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની મંડીની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં…

Read More

ઢોર નિયંત્રણ કાયદા અંગે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ઢોર નિયંત્રણ કાયદો આગામી સત્રમાં રદ કરાશે. જી હા. રાજ્ય સરકાર આગામી સત્રમાં આ કાયદો પરત ખેંચશે. માલઘારી સમાજના આગેવાનોને મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. બેઠક બાદ ભૂપેન્દ્ર પટેલ દ્વારા માલધારી સમાજના લોકોને ખાતરી આપી હતી. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે માલઘારી સેલના સંયોજક ડો. સંજયભાઇ દેસાઇએ પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા ઢોર નિયંત્રણ કાયદા અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલે સમસ્ત માલઘારી સમાજના આગેવાનો અને સંતોને આશ્વાસન આપ્યું છે કે ઢોર નિયંત્રણનો આ કાયદો આવનાર સત્રમાં રદ કરવામાં આવશે. પત્રકાર પરિષદને સંબોધતા ડો. સંજયભાઇએ જણાવ્યું હતું…

Read More

રાજ્યમાં ભાદરવો ભરપૂર વરસી રહ્યો છે. કડાકા અને ભડાકા સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે ગુજરાતના લોકો અને ખેડૂતો માટે એક ખુશખબર મળી રહ્યા છે. સિઝનમાં પહેલીવાર સરદાર સરોવર ડેમની જળસપાટી 137.84 મીટરે પહોંચી ગઈ છે. મહત્તમ જળસપાટીથી ડેમ માત્ર 80 સેન્ટીમીટર દૂર છે. નવા નીરથી સરદાર સરોવર ડેમ 98 ટકા ભરાયો છે. નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસાદ પડવાના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી આ સીઝનમાં પ્રથમવાર 137.84 મીટરે નોંધાઈ છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમ હવે તેની મહત્તમ સપાટીથી માત્ર 80 સેન્ટિમીટર દૂર છે. હાલ ડેમ માં…

Read More

ગુજરાતના દરિયામાંથી ફરી એક વખત ડ્રગ્સ ઝડપાયું છે. આ વખતે 200 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને કોસ્ટ ગાર્ડે મધ દરિયે કરેલા સંયુક્ત ઓપરેશનમાં આ ડ્રગ્સ ઝડપાયું છે. ઝડપાયેલા ડ્રગ્સની કિંમત 200 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઝડપાયેલું ડ્રગ્સ આશરે 40 કિલોગ્રામ છે. મળતી માહિતી પ્રમાણે આ ડ્રગ્સ પાકિસ્તાની ફિશિંગ બોટ અલ તયાસામાં ભરીને લાવવામાં આવી રહ્યું હતું. ડ્રગ્સ સાથે પાકિસ્તાના છ નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ્સ પંજાબમાં મોકલવાનું હતું. ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ નેટવર્ક મામલે તાજેતરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે જણાવ્યુ હતુ કે, ગુજરાત પોલીસ ડ્રગ્સ નેટવર્ક સામે…

Read More

રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે તા.૦૯ સપ્ટેમ્બર-૨૦૨૨થી વધુ એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો હોવાનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જણાવાયું છે. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એકટ-2006 અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-2011 હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે. જેમાં કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નિકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે. ગુટકામાં તમાકુ કે નિકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકશાન થતું હોય છે. જેથી નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોઇ આ નિર્ણય કરાયો છે. આ…

Read More

અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે ડુપ્લીકેટ દસ્તાવેજો બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. આ ફેક્ટરીમાં વિદેશ જવા માટે થઈને જે કોઈપણ ડોક્યુમેન્ટોની જરૂર પડતી હોય તેવા તમામ પ્રકારના દસ્તાવેજો આ ફેક્ટરીમાં બનાવવામાં આવતા હતા. શહેરના દિલ્હી દરવાજા પાસે બીજી ટાવરમાં આ ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. એસઓજી ક્રાઈમ બ્રાન્ચે નકલી દસ્તાવેજો બનાવનાર પાંચ જેટલા શખસોની ધરપકડ કરીને 8,50,000 નો મુદ્દમાલ કબ્જે કર્યો છે. અત્યાર સુધી બનાવટી પાસપોર્ટ અને અન્ય ડોક્યુમેન્ટ બનાવટી બનતા જોયા હશે, પરંતુ આજે એક બે નહિ પરંતુ 100 જેટલા અલગ અલગ ડોક્યુમેન્ટ ડુપ્લીકેટ બનતા હોય તેવી જગ્યાએ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડીને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં મુખ્ય…

Read More

કેન્દ્ર સરકારે ઓછામાં ઓછી 26 દવાઓને ‘આવશ્યક’ યાદીમાંથી હટાવી દીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે આવશ્યક દવાઓની એક સંશોધિત રાષ્ટ્રીય સાદી (NLEM) જાહેર કરી છે. આ યાદીમાં 27 શ્રેણીઓની 384 દવાઓ સામેલ છે. લિસ્ટમાં જે દવાઓ સામેલ નથી તેમાં રેનિટિડીનનું નામ પણ છે. રેનિટિડીન (ranitidine) હંમેશા એસિડિટી અને પેટ સંબંધિત અન્ય બીમારીઓ માટે લેવામાં આવે છે. આ દવાને Rantac, Zinetac અને Aciloc જેવી બ્રાન્ડના નામો હેઠળ વેચવામાં આવે છે. પરંતુ હવે આ દવાઓને કેન્સર પેદા કરનારી ચિંતાઓને કારણે હટાવી દેવામાં આવી છે. પરંતુ આવશ્યક દવાઓની રાષ્ટ્રીય યાદીમાં ઇવરમેક્ટિન, મુપિરોસિન જેવી કેટલીક સંક્રમણ રોધી દવાઓ અને નિકોટીન રિપ્લેસમેન્ટ થેરેપી…

Read More