What's Hot
- હાઉસફુલ-5 ના હીરો દીનુ મૌર્યના ઘરે ED ના દરોડા, જાણો શું છે સમગ્ર મામલો
- ‘અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ વાન્સે ભારતની આતંકવાદ સામેની લડાઈને સંપૂર્ણ સમર્થન આપ્યું’, મીટિંગ પછી તેજસ્વી સૂર્યાએ કહ્યું
- શું રાજસ્થાન પાણીના સંકટનો સામનો કરી રહ્યું છે? મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જણાવ્યું કે તેમની પ્રાથમિકતા શું છે
- ડિજિટલ ધરપકડ છેતરપિંડીના કેસમાં મુંબઈ પોલીસને મોટી સફળતા મળી, લોકોને તેનાથી બચવા માટે આ રીતો જણાવી
- અદિતિ મિશ્રાના નેતૃત્વમાં દિલ્હીથી કૈલાશ અને લિપુલેખ સુધી બાઇકર્સની સફર, જાણો કોણ છે આ મહિલા અધિકારી?
- ગુજરાતના દ્વારકામાં મોટો અકસ્માત, ગોમતી નદીમાં 7 લોકોના ડૂબી જવાથી મોત
- ગુજરાતના 6 જિલ્લામાં વરસાદની ચેતવણી, IMD એ ચોમાસુ ક્યારે પ્રવેશી શકે છે તે જણાવ્યું
- આ દિગ્ગજ અમેરિકન કંપની કરશે 7,000 કર્મચારીઓને છુટા, ઘણા બજારોમાં ઉત્પાદનોનું વેચાણ બંધ થશે
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
ગેસ સ્ટવમાં વપરાતા ગેસના દહનથી પ્રદૂષણ આ પ્રદુષણના કારણે માણસોમાં કેન્સર થવાનો ભય કુદરતી ગેસમાં 21 ઝેરી વાયુઓ મળી આવ્યા દેશમાં આપણે પ્રદૂષણની ઘણી વખત વાત કરીએ છીએ અને તેના વિશે ચિંતા પણ વ્યક્ત કરીએ છીએ. પરંતુ આ પ્રદૂષણ એક બહારનું પ્રદૂષણ છે જે આકાશમાં રહેલા પ્રદૂષિત કણોને કારણે થાય છે અને તેનું સ્તર એક્યુઆઈના સ્કેલ પર માપવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા ઘરે બનાવેલા રસોડામાં રસોઈ ગેસના ચૂલામાંથી કેટલું પ્રદૂષણ બહાર આવી રહ્યું છે? પ્રદૂષણ પણ એવું છે કે બેન્ઝીન, ટોલ્વિન, ઇથાઇલબેન્ઝિન, ઝાયલિન અને હેકઝેન જેવા ઝેરી અને કેન્સર પેદા કરનારા વાયુઓનું ઉત્સર્જન થઈ…
વાસ્તુમાં દિશાઓ પર રાખવામાં આવ્યો છે ખાસ ભાર ઘરના મંદિરમાં દીવો કરતી વખતે જાળવો આ નિયમ નહીં તો ભોગવવી પડી શકે છે કંગા વાસ્તુશાસ્ત્રમાં દિશાઓ પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. જો કોઈ પણ બાબતમાં સાચી દિશાનું ધ્યાન રાખવામાં ન આવે તો તેના વિપરીત પરિણામો આવે છે. વાસ્તુશાસ્ત્રમાં ઘણી વસ્તુઓ સકારાત્મક અને નકારાત્મક ઉર્જા આપે છે. તેવી જ રીતે ઘરના મંદિર માટે પણ વાસ્તુમાં કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. મંદિરમાં દીવાને સકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જાનો અંત આવે છે. પરંતુ આ અંગે કેટલાક નિયમો પણ જણાવવામાં આવ્યા છે. આ બાબતોનું…
અગ્નિપથ યોજના પર શુક્રવારે રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો વિરોધ પ્રદર્શનની સૌથી વધારે અસર તેલંગણા અને બિહાર જેવા રાજ્યોમાં થઈ છે 15 જૂનથી 23 જૂનની વચ્ચે 2132 ટ્રેન પણ રદ કરવી પડી હતી સંસદના ચોમાસુ સત્રના પાંચમા દિવસે પણ હોબાળો ચાલુ રહ્યો હતો. મોંઘવારી અને કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગની સાથે અગ્નિપથ યોજના પર શુક્રવારે રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. તેની સાથે જ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે અલગ અલગ સવાલોના લેખિત જવાબમાં રાજ્યસભામાં જણાવ્યું હતું કે, અગ્નિપથ યોજનાના વિરોધમાં આંદોલનના કારણે રેલ્વેને 259.44 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સાથે જ 15 જૂનથી 23 જૂનની વચ્ચે 2132 ટ્રેન પણ રદ કરવી પડી હતી.…
Ioniq 6 સંપૂર્ણપણે ટેક્નોલોજી આધારિત ફીચર્સથી ભરેલું છે હ્યુન્ડાઈ મોટર ગ્રુપ ટેસ્લાને પડકારવા ઈલેક્ટ્રિક મોડલ લોન્ચ કરવાની યોજના ધરાવે છે Android Auto અને Apple CarPlay સપોર્ટ ઘરાવે છે હ્યુન્ડાઈ મોટર કંપની એ સત્તાવાર રીતે દક્ષિણ કોરિયામાં તેના હોમ બેઝ પર Ioniq 6 નામની તેની પ્રથમ ઇલેક્ટ્રિક સેડાન લોન્ચ કરી છે. હ્યુન્ડાઈ મોટર ગ્રુપ ટેસ્લાને પડકારવા અને EV સ્પેસમાં યુએસ કંપનીની લીડ ઘટાડવા માટે 2030 સુધીમાં 31 ઓલ-ઈલેક્ટ્રિક મોડલ લોન્ચ કરવાની યોજના ધરાવે છે. Hyundai Ioniq 6 કોરિયન કંપનીના મોટા EV પ્લાનિંગનો એક ભાગ હોઈ શકે છે. આ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તે કંપનીની પ્રથમ ઓલ-ઇલેક્ટ્રિક સેડાન છે…
શિક્ષણ ફી મુદે આજે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો ખાનગી શાળાઓ મર્યાદામાં રહીને વિધાર્થીઓની ફી વધારી શકે છે સ્કૂલ ફીમાં આંશિક વધારો શાળા સંચાલકો કરી શકે છે ખાનગી શાળાઓના શિક્ષણ ફી મુદે આજે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સ્કૂલની ફી વધારા બાબતે હાઇકોર્ટે સ્કૂલ તરફી ચુકાદો આપ્યો છે.આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે અવલોકન કરતાં જણાવ્યુ કે ખાનગી શાળાઓ મર્યાદામાં રહીને વિધાર્થીઓની ફી વધારી શકે છે. પરંતુ કોઇ પણ ખાનગી શાળાના સંચાલકો આડેધડ અને મસમોટી ફી નહી વધારી શકે. શાળાની સુવિધાને અનુરૂપ સ્કૂલ ફીમાં આંશિક વધારો શાળા સંચાલકો કરી શકે છે તે અંગેનો ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો જાહેર કર્યો છે. વધુમાં ગુજરાત…
ગીર સોમનાથ જિલ્લામાં વરસાદથી કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું નાળાં-કેનાલો અને વોકળાઓ છલોછલ ભરાઈ જતાં છલકાયાં સુત્રાપાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં અષાઢી બીજથી વરસેલા ભારે વરસાદથી જંગલ અને એની આસપાસનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યાનો આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લાના પ્રખ્યાત એવા પ્રાંચી તીર્થ અને ત્રણ તાલુકામાંથી પસાર થતી સરસ્વતી નદીનાં આકાશી દૃશ્યો સામે આવ્યાં છે, જેમાં તીર્થભૂમિ પ્રાંચીમાં લીલોતરી સોળે કળાએ ખીલેલી અને નદીમાં ધસમસતું પાણી વહેતું જોવા મળી રહ્યાનો અદભૂુત નજારો સામે આવ્યો છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ સીઝનના પ્રથમ રાઉન્ડમાં જ એવરેજની સરેરાશ સામે વેરાવળ-સોમનાથ પંથકમાં 75 ટકા, તાલાલામાં…
ગુજરાત વિભિન્ન સંસ્કૃતિઓ વાળું રાજ્ય છે આઈના મહેલ રવાસીઓ માટે એક મોટું આકર્ષણનું કેન્દ્ર છે ખીરાસરા પેલેસ કાઠિયાવાડના ભવ્ય ભૂતકાળના સમૃદ્ધ વારસા અને સંસ્કૃતિનું સાક્ષી છે ગુજરાત એક એવું શહેર છે જે તેની વિભિન્ન સંસ્કૃતિઓ માટે ઘણું ઓળખીતું અને ટુરીસ્ટને આકર્ષિત કરતું રાજ્ય છે. ગુજરાતમાં આવેલ ઘણા શહેર વિશ્વભરમાં મશહુર છે. ગુજરાતમાં જ ઘણા ઐતિહાસિક શહેર આવેલ છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. આપણે ગુજરાતી લોકો ઇતિહાસ, કિલ્લા અને પેલેસ જોવા માટે ગુજરાત છોડીને રાજસ્થાનમાં પંહોચીએ છીએ પણ ગુજરાતમાં એ એવા ઐતિહાસિક પેલેસ આવેલ છે જેના વિશે ઘણા લોકો નથી જાણતા. આજે અમે તમને એવા જ…
સુપ્રીમ કોર્ટેમાં આ અરજી બે વકીલ શુભમ અવસ્થી અને સપ્તઋષિ મિશ્રા તરફથી દાખલ કરવામાં આવી હતી કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં સંવિધાનના અનુચ્છેદ 32 અંતર્ગત રિટ દાખલ કરવામાં આવી હતી હોસ્પિટલો અને પૂજા સ્થળ પર સિગરેટના વેચાણ પર પ્રતિબંધ લગાવાની માગ કરવામાં આવી હતી કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં ધૂમ્રપાનની ન્યૂનતમ ઉંમર મર્યાદા 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાની માગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટેમાં આ અરજી બે વકીલ શુભમ અવસ્થી અને સપ્તઋષિ મિશ્રા તરફથી દાખલ કરવામાં આવી હતી. શુભમ અને સપ્તઋષિ તરફથી દેશમાં કિશોરો અને યુવા લોકોની વચ્ચે ધૂમ્રપાનની વધતી લતને જોતા તેને કંટ્રોલ કરવાની માગ પર દિશા નિર્દેશ…
5 દિવસ ભારે વરસાદની આગાહી 50 જળાશયો હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે હવેની ઇનિંગમાં વરસાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને ઘમરોળશે ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળશે. 22 જુલાઇથી મેઘરાજા આક્રમક બેટિંગ કરે તો નવાઇ નહીં. કારણ કે હવામાન વિભાગ દ્વારા 23 જુલાઇથી 27 જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે આ વખતે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે પરંતુ હવેની ઇનિંગમાં વરસાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને ઘમરોળશે. દરિયામાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો આ…
તમારાં મનપસંદ ડિવાઇસમાંથી સ્વિચ કરવાની સ્વતંત્રતા મળશે એન્ડ્રોઇડ સ્માર્ટફોનથી આઇફોનમાં ડેટા ટ્રાન્સફર કરવાની સુવિધા શરૂ કરી દીધી વ્હોટ્સએપે ટ્વિટર પર કહ્યું, ‘ચેટ્સને સેવ રાખવાની નવી રીત સૌથી વધુ મહત્વની છે વ્હોટ્સએપે બુધવારના રોજ આખરે એન્ડ્રોઇડ સ્માર્ટફોનથી આઇફોનમાં ડેટા ટ્રાન્સફર કરવાની સુવિધા શરૂ કરી દીધી છે. અત્યાર સુધી, વ્હોટ્સએપ પર ચેટ, મીડિયા અને અન્ય જરૂરી ડેટા જૂના એન્ડ્રોઇડ ફોનથી નવા એપલ ડિવાઇસમાં ટ્રાન્સફર કરી શકાતાં ન હતાં. વ્હોટ્સએપે ટ્વિટર પર કહ્યું, ‘ચેટ્સને સેવ રાખવાની નવી રીત સૌથી વધુ મહત્વની છે. આજે, તમારી પાસે તમારી આખી ચેટ હિસ્ટ્રીને એન્ડ્રોઇડથી iOSમાં ટ્રાન્સફર કરવાની ક્ષમતા હશે. હવે તમને તમારાં મનપસંદ ડિવાઇસમાંથી સ્વિચ કરવાની સ્વતંત્રતા…