What's Hot
- હાઉસફુલ-5 ના હીરો દીનુ મૌર્યના ઘરે ED ના દરોડા, જાણો શું છે સમગ્ર મામલો
- ‘અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ વાન્સે ભારતની આતંકવાદ સામેની લડાઈને સંપૂર્ણ સમર્થન આપ્યું’, મીટિંગ પછી તેજસ્વી સૂર્યાએ કહ્યું
- શું રાજસ્થાન પાણીના સંકટનો સામનો કરી રહ્યું છે? મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જણાવ્યું કે તેમની પ્રાથમિકતા શું છે
- ડિજિટલ ધરપકડ છેતરપિંડીના કેસમાં મુંબઈ પોલીસને મોટી સફળતા મળી, લોકોને તેનાથી બચવા માટે આ રીતો જણાવી
- અદિતિ મિશ્રાના નેતૃત્વમાં દિલ્હીથી કૈલાશ અને લિપુલેખ સુધી બાઇકર્સની સફર, જાણો કોણ છે આ મહિલા અધિકારી?
- ગુજરાતના દ્વારકામાં મોટો અકસ્માત, ગોમતી નદીમાં 7 લોકોના ડૂબી જવાથી મોત
- ગુજરાતના 6 જિલ્લામાં વરસાદની ચેતવણી, IMD એ ચોમાસુ ક્યારે પ્રવેશી શકે છે તે જણાવ્યું
- આ દિગ્ગજ અમેરિકન કંપની કરશે 7,000 કર્મચારીઓને છુટા, ઘણા બજારોમાં ઉત્પાદનોનું વેચાણ બંધ થશે
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
અમદાવાદમાં 5થી 10 જુલાઇ દરમિયાન 5થી 8 ઇંચ વરસાદ પડવાની શક્યતા પશ્ચિમ બંગાળમાં પણ એક લો પ્રેશર સર્જાયું હોવાથી એની અસર ગુજરાત પર જોવા મળશે 8મી જુલાઈના રોજ ખૂબ ભારે વરસાદ પડવાની સંભાવના ઓડિશાના દરિયામાં એક લો-પ્રેશર સર્જાયું છે, જેને કારણે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મોન્સૂન ટ્રફ રચાયો છે. આ મોન્સૂન ટ્રફની અસરથી સમગ્ર ગુજરાતમાં હળવાથી ભારે તેમજ કેટલાંક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદમાં 5થી 10 જુલાઇ દરમિયાન 5થી 8 ઇંચ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે પાંચથી સાત જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને લઈને આગાહી આપી…
આસામમાં પુરની ભયંકર સ્થિતિ આ પુર માનવનિર્મિત હોવાની આશંકા વીડિયો વાયરલ થયા બાદ બે આરોપીની ધરપકડ આસામમાં પુરનું તાંડવ સતત કહેર વર્તાવી રહ્યું છે. પુરથી અત્યાર સુધીમાં 179 લોકોના મોત થઈ ચુક્યા છે. કેટલાય લોકો ઘર વિહોણા થઈ ગયા છે. આસામમાં પુરથી સૌથી વદારે અસર કછાર જિલ્લામાં જોવા મળી રહી છે. કછાર જિલ્લામાં પુરના પાણીએ સૌથી વધારે તબાહી મચાવી છે. પોલીસે અને એનડીઆરએફની ટીમ રાહત અને બચાવ કામમાં લાગેલી છે. આ તમામની વચ્ચે આસામ પોલીસે કછાર જિલ્લામાં આવેલી બરાક નદીના ડેમ તૂટવાના મામલે બે લોકોની ધરપકડ કરી છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, પોલીસે આ મામલે બે લોકોની ધરપકડ કરી છે.…
મકાઈના લોટનું ખીચું હેલ્થ માટે છે બેસ્ટ ગરમાગરમ ખીચું નાનાથી લઈને મોટેરાંને પણ ભાવે છે સરળ રેસિપિથી બનશે ફટાફટ આ વાનગી ચોમાસું જેની આપણે સૌ રાહ જોતા હતા તે સીઝન શરૂ થઈ ગઈ છે. આ સીઝનમાં ખાસ કરીને મકાઈની વાનગી ખાવાની મજા વધી જાય છે. જો તમને પણ મકાઈની કેટલીક વાનગીઓ જેમકે ભજિયા, ખીચડી પસંદ હોય તો તમે આની સાથે ખીચુ પણ બનાવી શકો છો. તે તમને એક હેલ્ધી નાસ્તાની ગરજ સારશે. મકાઈના લોટનું ખીચુ તમારી હેલ્થ માટે પણ સારું રહે છે. તો જાણો કેવી રીતે સરળતાથી બનાવી શકાશે આ વાનગી. મકાઈના લોટનું ખીચુ સામગ્રી 1 કપ મકાઈનો લોટ (સફેદ…
દીવ જવાના હોય તો ખાસ ધ્યાન રાખજો આ ત્રણ દિવસ નહિ થઈ શકે ‘છાંટાપાણી’ દીવમાં ચૂંટણી હોવાથી 3 દિવસ દારૂ બંધી લગાવાઈ ગુજરાતીઓ છાશવારે દીવ, દમણમાં ફરવા ઉપડી જતા હોય છે. તેનું કારણ ફરવુ નહિ પણ દારૂ હોય છે. કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દારૂમુક્તિ છે. ગુજરાતનો મોટો વર્ગ દારૂ પીવા દીવમાં જતો હોય છે. ત્યારે જ આજથી ત્રણ દિવસ દીવ જવાના હોય તો પ્લાન કેન્સલ કરી નાંખજો. કારણ કે દીવમાં ત્રણ દિવસ દારૂબંધી છે. કેન્દ્રશાસિત પ્રદેશ દિવમાં 5 જુલાઈથી 8 જુલાઈ સુધી આલ્કોહોલિક પીણાં પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દિવ મ્યુનિસિપલ કાઉન્સિલની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખી…
આખું અઠવાડિયું મુંબઈમાં ભારે વરસાદ પડવાની આગાહી અનેક વિસ્તારમાં વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર CM એકનાથ શિંદેનો પ્રશાસનને પણ સતર્ક રહેવા નિર્દેશ અપાયો હવામાન વિભાગે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આખું અઠવાડિયું મુંબઈમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. મુંબઈ ઉપરાંત થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ, પુણે, બીડ, લાતૂર સબિત અનેક વિસ્તારમાં વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જો કે, પરિસ્થિતિને પહોંચી વળવા અનેક જગ્યાએ NDRFની ટીમ તૈનાત કરી દેવાઇ છે. સાથે નવનિયુક્ત CM એકનાથ શિંદેએ પ્રશાસનને પણ સતર્ક રહેવાનો તેમજ સાવધાની રાખવાનો નિર્દેશ કર્યો છે. નદીઓના જળસ્તર પણ નજર રાખવાનું…
વરસાદને લીધે 15 ફીડર બંધ; નવાગામ, આમ્રપાલી, સંતોષીનગર સહિતના વિસ્તારોમાં અંધારા કસ્ટમર કેરે કહ્યું ટ્રાન્સફોર્મર ફેલ થયું છે, કાલે સવારે જ આવશે લોકોએ આખી રાત અંધાર પટ્ટમાં વિતાવવી પડી રાજકોટમાં સોમવારે આવેલા ધોધમાર વરસાદને કારણે શહેરના જુદા જુદા વિસ્તારના 15 જેટલા ફીડર બંધ પડી જતા અનેક ઘરોમાં અંધારપટની સ્થિતિ છવાઈ હતી. શહેરના બેડીનાકા સબ ડિવિઝન હેઠળ આવતા પોપટપરા અને કૃષ્ણનગર સહિતના વિસ્તારમાં સોમવારે રાત્રે 8 વાગ્યે વીજળી ગુલ થઇ ગઈ હતી. વીજગ્રાહકોએ એકથી દોઢ કલાક સુધી રાહ જોયા બાદ પીજીવીસીએલના ફોલ્ટ સેન્ટરમાં ફોન કરીને ફરિયાદ કરી હતી કે રાત્રે 8 વાગ્યાની લાઈટ નથી, ક્યારે આવશે? સામે પીજીવીસીએલના કસ્ટમર કેરના કર્મચારીએ…
કોરોના અને રશિયા-યુક્રેન યુદ્ધ સંકટ બાદ હવે વૈશ્વિક અર્થતંત્ર પર મહામંદીનું તોળાતું સંકટ જોકે ભારત-ચીન પર એની ઓછી અસર થશે વર્ષ 2023માં અમેરિકા- યુરોપના અર્થતંત્રમાં એક ટકા જેટલો ઘટાડો થઈ શકે છે અનેક વર્ષો બાદ ફરી એક વિશ્વ પર મંદીનાં વાદળો ઘેરાઈ રહ્યાં છે. કોરોના મહામારી, રશિયા-યુક્રેન યુદ્ધથી યુરોપના દેશોમાં મુશ્કેલ આર્થિક ચઢાણો અને અનેક ઉત્પાદનોને લગતી સપ્લાય ચેઈનમાં અવરોધ સર્જાવા જેવી સમસ્યાને લીધે વૈશ્વિક અર્થતંત્ર પર મંદીનું સંકટ ઘેરાઈ રહ્યું છે. આ વખતની મંદીનું સંકટ એટલું ગંભીર જણાય છે કે વિશ્વની સૌથી સમૃદ્ધ વ્યક્તિ એલન મસ્કને પણ એનો સતત ડર સતાવી રહ્યો છે. અગ્રણી બ્રોકરેજ ફર્મ નોમુરા હોલ્ડિંગ્સે પણ…
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં વરસાદ ખાબક્યો 8 જુલાઈના રોજ રાજ્ય (Gujarat) માં અતિભારે વરસાદની આગાહી સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 7.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો ગુજરાતમાં વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, ‘રાજ્યમાં આગામી 5 દિવસ મેઘમહેર યથાવત રહેશે. જેમાં 8 જુલાઈના રોજ રાજ્યમાં અતિભારે વરસાદ વરસશે.’ એવામાં તમને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 7.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના લીધે ઉમરગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. સાથે વાહનચાલકોએ પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. રાજ્યમાં સૌથી વધુ વલસાડમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો…
માદા મચ્છર મચ્છરના કરડવાથી ફેલાય છે શરીરને સંપૂર્ણ રીતે ઢાંકે તેવા કપડાં પહેરો યોગ્ય તબીબી સંભાળ લેવી મહત્વપૂર્ણ છે વરસાદ ની ઋતુના આગમન સાથે જ ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગોના કેસોમાં ઉછાળો જોવા મળે છે. ડેન્ગ્યુ એ માદા મચ્છર એડેસ એજિપ્ટી મચ્છરના કરડવાથી ફેલાય છે. ડેન્ગ્યુની કોઈ ચોક્કસ સારવાર નથી અને જ્યારે આ રોગથી તમે સંક્રમિત થાવ ત્યારે તેના નિદાન માટે યોગ્ય તબીબી સંભાળ લેવી મહત્વપૂર્ણ છે. જો તમે ડેન્ગ્યુના શિકાર બનવા માગતા નથી તો તમારા માટે એ બેસ્ટ છે, કે તમે શરીરને સંપૂર્ણ રીતે ઢાંકે તેવા કપડાં પહેરો. એક્સપર્ટ આ ચોમાસામાં ડેન્ગ્યુના ચેપથી બચવા માટેની ટિપ્સ શેર કરે છે. ડેન્ગ્યુના…
માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે કરો આ ઉપાય બિલાડીની આ એક વસ્તુ રાખશો તો રાતોરાત થઇ જશો અમીર માણસના જીવનમાં ક્યારેય દરિદ્રતા આવતી નથી જ્યોતિષ શાસ્ત્રમાં બિલાડીને માં લક્ષ્મીનુ રૂપ માનવામાં આવે છે. એવામાં બિલાડીને દેખાવુ, બિલાડીનુ આવવુ શુભ હોય છે. પરંતુ શું તમે જાણો છો, જો ઘરમાં બિલાડીની આ એક વસ્તુ રાખવામાં આવે તો તમારું ભાગ્ય બદલતા કોઈ રોકી નહીં શકે. અમે બિલાડીની નાળની વાત કરી રહ્યાં છે. આ રીતે સંભાળીને રાખો માન્યતા છે કે માણસને નાણાની પ્રાપ્તિ ભાગ્ય અને સૌભાગ્યથી થાય છે. એવામાં નસીબ અને સૌભાગ્ય વધારવા માટે અમુક બાબતોને શુભ માનવામાં આવી છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ બિલાડીની…