Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

8 -10 વર્ષ પહેલા ગમે તે કામમાં લાઈનો હતી, બધુ ઓન’લાઈન’ કરી સમાધાન કર્યું: મોદી ગાંધીનગર ખાતેથી વડાપ્રધાન મોદીએ ડિજિટલ ઈન્ડિયા વીકનો દેશ ભરમાં કરાવ્યો પ્રારંભ 200થી વધુ સ્ટોલ સાથેના ડિજિટલ મેળામાં વિવિધ ડિજિટલ સોલ્યુશન્સનું પ્રદર્શન મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ “ડિજિટલ ઇન્ડિયા વીક -૨૦૨૨”નો દેશવ્યાપી શુભારંભ કરાવ્યો. ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ’ થીમ પર આધારિત કાર્યક્રમ આજથી 9 જુલાઈ સુધી ચાલશે. જેમાં  200થી વધુ સ્ટોલ સાથેના ડિજિટલ મેળાનું આયોજન કરવામા આવ્યું છે. ગુજરાતથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઇન્ડિયા વિકનો પ્રારંભ કરાવતા કહ્યું કે સમયની સાથે જે દેશ આધુનિક ટેક્નોલોજીને નથી અપનાવતો તે પાછળ રહી જાય છે.આજે આપણે ગર્વથી…

Read More

કિઆ ઈન્ડિયા (Kia India)એ જૂન 2022નો વેચાણ રિપોર્ટ જાહેર કર્યો છે. આ સાથે જ Kia India ભારતની ટોપ-5 કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે. Kia Indiaએ ભારતીય માર્કેટમાં છેલ્લાં 6 મહિનામાં 1 લાખ ગાડીઓનું વેચાણ કર્યું કિઆ ઈન્ડિયા (Kia India)એ જૂન 2022નો વેચાણ રિપોર્ટ જાહેર કર્યો છે. કંપનીએ ગત મહિને 24,024 યુનિટનું વેચાણ કર્યું જે ગત વર્ષે જૂન મહિનાની સરખામણીમાં 60 ટકા વધારે રહ્યું. જે અત્યાર સુધી કોઈપણ મહિનામાં કંપનીનું સૌથી વધારે વેચાણ રહ્યું. આ સાથે જ Kia India ભારતની ટોપ-5 કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે Kia Indiaએ ભારતીય માર્કેટમાં છેલ્લાં 6 મહિનામાં 1 લાખ ગાડીઓનું વેચાણ…

Read More

આ તારીખે ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતાની આગાહી હવામાન વિભાગના ડાયરેક્ટરે કરી આગાહી વરસાદની આગાહીને પગલે અનેક જિલ્લામાં અપાયું એલર્ટ હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને આગાહી આપી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ રહેશે. આ દરમિયાન અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે. આઠમી જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને લઈને આગાહી આપી છે. હાલ પશ્ચિમ બંગાળમાં એક લૉ પ્રેસર બન્યું હોવાથી તેની અસર ગુજરાત પર જોવા મળશે. આ લૉ પ્રેશર મધ્ય પ્રદેશ થઈને ગુજરાત તરફ આવી રહ્યું છે. બીજી તરફ હવામાન…

Read More

આ છે દેશના છેલ્લા રસ્તાઓ આ રસ્તાઓ પરથી દેખાય છે પડોશી દેશ જો તમે રોડ ટ્રીપના શોખીન છો તો આ તમારા કામનુ છે જો તમે રોડ ટ્રિપ્સ લેતા રહો છો, તો તમારે ભારતના છેલ્લા રસ્તાઓની પણ મુલાકાત લેવી જોઈએ. સરહદને અડીને આવેલા આ રસ્તાઓ માત્ર સુંદર જ નથી, પરંતુ અહીં જઈને તમને રોમાંચક અનુભવ પણ મળશે. તમે આંદામાન ટાપુઓથી લઈને સુંદર કાશ્મીર સુધીના ભારતના ઘણા સ્થળોની મુસાફરી કરી હશે. તમે આવી ઘણી જગ્યાઓ વિશે તો સાંભળ્યું જ હશે, જેની પાછળની કહાની રહસ્યમય અને એટલી રસપ્રદ હશે કે એક વાર તમને પણ ત્યાં જવાનું મન થાય. જો તમે રોડ ટ્રીપના શોખીન…

Read More

ઉદ્યોગ ક્ષેત્રને લઈને ગુજરાતે મેળવી વધુ એક સિદ્ધી ઉભરતા ઉદ્યોગ સાહસિકો માટે બન્યું હોટ ફેવરિટ સ્ટાર્ટઅપમાં મળ્યું ટોપ પર્ફોમરનું સ્થાન ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હાંસલ કર્યા બાદ ગુજરાત હવે સ્ટાર્ટઅપ બિઝનેસમાં પણ મોટી સિદ્ધી મેળવી છે. ગુજરાત ઉભરતા ઉદ્યોગ સાહસિકો માટે હોટ ફેવરિટ બન્યું છે. ઉભરતા ઉદ્યોગ સાહસિકોને ગુજરાતે પૂરતા પ્રમાણમાં સપોર્ટ આપીને તેમના સ્ટાર્ટઅપ વિકસાવવામાં મદદ કરી છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડે (ડીપીઆઇઆઇટી) સોમવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઉભરતા ઉદ્યોગસાહસિકો માટે સ્ટાર્ટઅપ રેન્કિંગ જાહેર કર્યાં હતા જેમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્યોમાં ગુજરાતને સ્થાન આપવામાં આવ્યું છે. સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત, કર્ણાટક અને મેઘાલય સર્વશ્રેષ્ઠ…

Read More

સોલર પાવરથી ચાલનાર દમદાર સ્માર્ટવોચ ભારતમાં લોન્ચ કઈક આવ છે ફીચર્સ અને કિંમત નવી સ્માર્ટવોચમાં કંપની સોલર ચાર્જિંગ સપોર્ટ પણ આપી રહી છે સ્માર્ટવોચ પસંદ કરનાર યૂઝર્સ માટે ખુશીના સમાચાર છે. જાણીતી કંપની Garmin એ ભારતમાં પોતાની નવી સ્માર્ટવોચ સિરીઝ Forerunner 955 અને Forerunner 255 ને લોન્ચ કરી દીધી છે. ફોરરનર 955 સિરીઝમાં બે સ્માર્ટવોચ- ફોરરનર 955 અને ફોરરનર 955 સોલર સામેલ છે. તો ફોરરનર 255 હેઠળ ગાર્મિને ફોરરનર 255 અને ફોરરનર 255S ને લોન્ચ કરી છે. સોલર પાવર્ડ મોડલની સાથે આવનાર ફોરરનર 955 સિરીઝની શરૂઆતી કિંમત 53,490 રૂપિયા છે. તો બીજીતરફ ફોરરનર 255ની શરૂઆતી કિંમત 37490 રૂપિયા છે. વોચમાં…

Read More

અગ્નિપથ યોજનાનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં આગમી અઠવાડિયે થશે સુનાવણી અગ્નિપથ યોજના સામે દેશભરમાં થઈ હતી હિંસા સેનામાં ભરતીની કેન્દ્ર સરકારની નવી સ્કીમ પર હોબાળા બાદ આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. અગ્નિપથ યોજના સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ રાજી થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, અગ્નિપથ યોજનાને લઈને બિહાર, યુપી, હરિયાણા સહિત અનેક રાજ્યોમાં યુવાનોએ હોબાળો કર્યો હતો. અનેક ટ્રેનોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ મામલે રાજ્ય સરકાર દ્વારા ઉપદ્રવીઓ વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો હતો. અગ્નિપથ યોજનાને પડકારતી અરજી સોમવારે સુપ્રીમ કોર્ટ સામે રાખવામાં આવી હતી. અરજીકર્તાઓએ વકીલને કહ્યું…

Read More

રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે દોઢ ઇંચ વરસાદ માધાપર ચોકડીએ ગોઠણસમા પાણી ભરાયા રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન રાજકોટ શહેરમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. પરંતુ બપોર બાદ વીજળીના કડાકા-ભડાકા સાથે એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. શહેરના જામનગર રોડ, યાજ્ઞિક રોડ, 150 ફૂટ રિંગ રોડ, રેસકોર્સ, રૈયા રોડ, કિશાનપરા ચોક, યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ અને મોરબી રોડ સહિતના વિસ્તારોમાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. આથી શહેરના મુખ્ય માર્ગો પર એકથી બે ફૂટ સુધી પાણી ભરાઇ ગયા છે. બીજી તરફ ભારે માધાપર ચોકડીએ ગોઠણસમા પાણી ભરાતા બાઇક, રિક્ષા બંધ પડી જતા ચાલકો પરેશાન થઈ રહ્યા છે.…

Read More

જોની બેયરસ્ટો અને ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન કોહલી વચ્ચે થોડી બોલાચાલી થઈ “મને ન કહે કે મારે શું કરવું જોઈએ. તારું મોઢું બંધ રાખ અને બેટિંગ કર.”- કોહલી ભારત હાલ આ સિરિજના 2-1થી આગળ ચાલી રહ્યું છે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટનમાં રમાઈ રહેલ ટેસ્ટમાં ઘણો રોમાંચ જોવા મળી રહ્યો છે. શરૂઆતી બે દિવસમાં ભારતીય ટીમ આ મેચમાં આગળ હતી અને ત્રીજી મેચની શરૂઆત એક બોલાચાલી સાથે થઈ છે. ઈંગ્લેન્ડના જોની બેયરસ્ટો અને ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન કોહલી વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી. એ પછી અમ્પાયર્સે વચ્ચે આવીને મામલો શાંત કરવો પડ્યો હતો. વાત એમ છે કે ત્રીજા દિવસે જ્યારે…

Read More

પ્રધાનમંત્રી મોદી આંધ્ર પ્રદેશમાં પહોંચ્યા હતા અહીં સ્વતંત્રતા સંગ્રામના શહીદને સલામ કરી હતી પીએમ મોદીએ સ્વતંત્રતા સેનાનીના દિકરીને જાહેરમાં નમન કર્યું પ્રધાનમંત્રી મોદીએ આંધ્રપ્રદેશમાં સોમવારે અલ્લૂરી સીતારામ રાજૂની 30 ફુટની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ અવસર પર પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ દેશના સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસ અમુક વર્ષો અને અમુક લોકો સુધી સીમિત નથી, પણ આ દેશના ખૂણે ખૂણે બલિદાનનો ઈતિહાસ છે. તેમણે પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ મહાન સ્વતંત્રતા સેનાની 125મી જયંતિ અને રમ્પા વિદ્રોહની શતાબ્દી વર્ષ ભર મનાવામા આવશે. પોતાના ભાષણ બાદ પીએમે શ્રી પસાલા કૃષ્ણમૂર્તિના પરિવાર સાથે મુલાકાત કરી હતી, જે આંધ્ર પ્રદેશના સ્વતંત્રતા સેનાની હતા. પ્રધાનમંત્રીએ…

Read More