Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ ‘સાલાર’નું શૂટિંગ અચાનક થયું બંધ કારણ જાણી તમે પણ ચોકી જશો અભિનેતા શરીર પાત્ર સાથે ફિટ ન થતું હોવાથી દિગ્દર્શકનો ફેંસલો લોકપ્રિય અભિનેતા પ્રભાસનું વજન વધી જતાં તેની ફિલ્મ સાલારનું શૂટિંગ અટકાવવું પડયું હતું. ફિલ્મના દિગ્દર્શકે પ્રભાસને પાત્ર અનુસાર યોગ્ય શેપમાં આવવા જણાવ્યું છે. આ ઘટનાક્રમને લીધે સાલારનું શૂટિંગ શિડયૂલ અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. પ્રભાસની છેલ્લી ફિલ્મ રાધે શ્યામ બોક્સ ઓફિસ પર ઝાઝું ઉકાળી શકી ન હતી. હાલ તેની સાલાર ઉપરાંત પ્રોજેક્ટ કેનું શૂટિંગ ચાલી રહ્યું છે. જોકે, એક અપડેટ અનુસાર શૂટિંગ દરમિયાન પ્રભાસનું સ્થૂળ શરીર પાત્રની મૂળ જરુરિયાત સાથે મેચ નથી થતું એમ ડિરેકટર પ્રશાંત નીલને…

Read More

લેયર્ડ નેકલેસ છે યંગ જનરેશનના ફેવરિટ આજકાલ કૉલેજ ગોઇંગ ગર્લ્સને ખૂબ પસંદ પડી રહ્યા છે ત્રણ કે ચાર ચેઇન જેવા પાતળા નેકલેસ એકસાથે પહેરવાનું કરે છે પસંદ યંગ જનરેશન જેને ખૂબ ફૉલો કરે છે એવી અનન્યા પાંડે અને તારા સુતરિયા હોય કે પછી કરીના કપૂર હોય, આજકાલ વેસ્ટર્ન વેઅર સાથે નેકલેસની વાત આવે ત્યારે લેયર્ડ નેકલેસ બધાનો હૉટ ફેવરિટ બની ગયો છે. આ નેકલેસની ખાસિયત એ છે કે એ ખૂબ ડિઝાઇન અને વરાઇટીમાં મળી રહે છે અને ડેલિકેટ લુકને કારણે રેગ્યુલર વેઅરમાં પણ પહેરી શકાય છે. જાણી લો કેવી ડિઝાઇન્સ ટ્રેન્ડમાં છે. મિનિમલ જ્વેલરી | મોટા ભાગની યુવતીઓ રોજબરોજની લાઇફમાં ગળામાં કંઈ…

Read More

સોનાની વધતી આયાતને રોકવા માટે મોદી સરકારે લીધા મોટો નિર્ણય સરકારે સોના પરની ઈમ્પોર્ટ ડ્યુટી 7.5 ટકાથી વધારીને 12.50 ટકા કરી છે. મે મહિનામાં 107 ટન સોનાની આયાત કરવામાં આવી હતી સરકારે સોના પરની ઈમ્પોર્ટ ડ્યુટી 7.5 ટકાથી વધારીને 12.50 ટકા કરી છે. જેને લઈને સોનું મોંઘુ થયું છે. હકીકતમાં, સોનાની વધતી આયાતને રોકવા માટે સરકારે સોના પરની આયાત જકાત વધારવાનો નિર્ણય લીધો છે.મહત્વનું છે કે, સોનાની વધતી આયાતને કારણે કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયા પર દબાણ જોવા મળી રહ્યું છે. નાણા મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે સોનાની આયાતમાં અચાનક જ મોટો ઉછાળો આવ્યો છે. મે 2022માં માત્ર 107 ટન…

Read More

મધરાતે ગાજવીજ-તોફાની પવન સાથે ધોધમાર વરસાદ ધોધમાર વરસાદથી ચાર કલાકમાં જળબંબાકારની સ્થિતિ એક વ્યક્તિ સહિત 11 પશુનાં મોત આણંદ જિલ્લામાં ગુરુવારની રાત્રે વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો હતો. આ વખતે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જિલ્લાના બોરસદમાં ગાજવીજ અને તોફાની પવન સાથે માત્ર ચાર કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને કારણે આભ ફાટ્યું હોય એમ સમગ્ર નગરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદને પગલે રસ્તા પર નદીઓ વહેવા લાગી હતી તેમજ 11 જેટલાં પશુનાં મોત પણ થયાં હતાં. બોરસદમાં પડેલા ભારે વરસાદને કારણે એક શખસનું મોત પણ થયું છે. કસારી ગામે તળાવમાં સ્લિપ થતાં કુણાલ ઉર્ફે સંજુ…

Read More

સુરતમાં ચોમાસાની સીઝનમાં સરસિયા ખાજાનું ધૂમ વેચાણ વિદેશમાં ભારે બોલબાલા, આવી રીતે ખવાય છે સીઝનમાં એક દુકાનમાં વેપારીઓ લગભગ 10 લાખનો ધંધો કરતા હોય છે સુરત શહેર વિવિધ વાનગીઓ માટે જાણીતું છે. સીઝન પ્રમાણે લોકો ચીજ વસ્તુઓ આરોગતા હોય છે. ચોમાસાની સીઝનમાં લોકો કેરીના રસ સાથે ખાજા પર લીંબુનો રસ નાંખીને ખાતા હોય છે. આ સીઝનમાં એક દુકાનમાં વેપારીઓ લગભગ 10 લાખનો ધંધો કરતા હોય છે. સીઝન માટે સુરતમાં બે અલગ અલગ પ્રકારના ખાજા તૈયાર કરાયા છે. જેમાં સરસિયા ખાજા વધુ ખવાય છે. સુરતના ખાજા વિદેશમાં પણ જાણીતા છે. ઓનલાઈન ઓર્ડર આપીને વિદેશમાં વસતા લોકો સુરતમાંથી ખાજા મંગાવતા હોય છે.…

Read More

રાજકોટના સાંસદ મોહન કુંડારિયા કોરોનાથી સંક્રમિત મોહન કુંડારિયા પોતાના નિવાસ સ્થાને થયા આઈસોલેટ વિદેશથી પરત આવ્યા બાદ સાંસદમાં દેખાયા હતા કોરોનાના લક્ષણો રાજ્યમાં કોરોનામાં વધારો થઇ રહ્યો છે. દિવસ જાય તેમ મહાનગરોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજકોટમાં કોરોનાના કેસે માથુ ઉચક્યુ છે, રાજકોટમા સાંસદ મોહન કુંડારિયા કોરોના સંક્રમિત થયા છે. મોહન કુંડારિયાને કોરોનાના લક્ષણો દેખાતા તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેમાં તેઓ પોઝિટીવ આવતા નિવાસ સ્થાને જ આઇસોલેટ કરાયા છે. બે દિવસ બાદ ફરીથી ટેસ્ટ કરવામાં આવશે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. 30 જૂને નવા કોરોનાના વધુ 547 કેસ નોંધાતા હડકંપ મચ્યો છે. 419…

Read More

ગાંધીનગર હવે વૃક્ષોથી આચ્છાદિત નથી ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના રિપોર્ટમાં ચોંકાવનારાં તારણો સામે આવ્યાં વિકાસને કારણે 30 ટકા વૃક્ષો કાપી નાખવા પડ્યાં કહેવાય છે કે અમદાવાદીઓએ ભરઉનાળે થોડીક પણ ઠંડક જોઈતી હોય તો ગાંધીનગર જતા રહેવાનું. ત્યાં એટલાં બધાં વૃક્ષો છે કે ચારેક ડીગ્રી ગરમી ઓછી થઈ જાય. ગાંધીનગરની ઓળખ જ લીલાંછમ શહેર તરીકે થાય છે, પણ હમણાં જે સર્વે રિપોર્ટ સામે આવ્યો એ ચોંકાવનારો છે. આ રિપાર્ટ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાએ પ્રકાશિત કર્યો છે. એમાં એવી લાલ લાઇટ બતાવાઈ છે કે ગાંધીનગરનાં વૃક્ષો હવે ઘટાદાર રહ્યાં નથી. આમ પણ છેલ્લાં સાત વર્ષમાં 30 ટકા વૃક્ષો ઓછાં થઈ ગયાં છે.…

Read More

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો LPG સિલિન્ડર 198 રૂપિયા સુધી થયો સસ્તો LPG સિલિન્ડરના ભાવ ઘટતાં કિંમત 2219 થી ઘટીને થઇ 2021 આજે દેશમાં LPG સિલિન્ડરનો ઉપયોગ કરનારાઓને સારા સમાચાર મળ્યા છે અને તેની કિંમતમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન એટલે કે IOC ની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 198 રૂપિયા સુધીનો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. 19 કિલોનું સિલિન્ડર 198 રૂપિયા પ્રતિ સસ્તું થવાનો લાભ જનતાને મળશે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે 19 કિલોનો LPG સિલિન્ડર 198 રૂપિયા સુધી સસ્તો થયો છે. જેમાં મુંબઈમાં તેની કિંમતમાં 190.50 રૂપિયાનો ઘટાડો કરવામાં…

Read More

બદામનુ સેવન કરવાથી અનેક પ્રકારના થાય છે ફાયદા બદામનુ વધુ માત્રામાં સેવન કરશો તો શરીરમાં થશે નુકસાન આખા દિવસમાં 5 થી 6 પીસ બદામનુ સેવન કરો શારીરીક અને માનસિક સ્વાસ્થ્ય માટે બદામને ખૂબ હેલ્ધી માનવામાં આવે છે. તો મર્યાદિત માત્રામાં બદામનુ સેવન કરવાથી વજન ઘટાડવાથી લઇને ઈમ્યુનિટી બુસ્ટ કરવા સુધીના અનેક ફાયદા મળે છે. જો તમે તેનુ વધુ માત્રામાં સેવન કરો છો તો આ ફાયદો પહોંચાડવાની જગ્યાએ નુકસાન પહોંચાડી શકે છે. વધી શકે છે વજન શું તમને ખબર છે કે 28 ગ્રામ બદામમાં લગભગ 164 કેલેરી હોય છે. એવામાં જો તમે અન્ય દરરોજના આહારની સાથે બદામનુ વધુ સેવન કરો છો…

Read More

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા રથયાત્રા પૂર્વે આદિવાસી નૃત્ય અને ઢોલ-નગારા સાથે ભક્તોનો ભારે ઉત્સાહ ગજરાજની સવારી પહોંચી રાયપુર ચકલા સર્કલે અમદાવાદમાં ભગવાન જગન્નાથની આજે 145મી રથયાત્રા નિમિત્તે જગન્નાથ આજે નગરચર્યાએ નીકળ્યા છે. 2 વર્ષ બાદ રથયાત્રાનો લાભ મળતા ભક્તોમાં દર્શનનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રામાં લઠ્ઠબાજી અને ચક્ર કરતબ સાથે અખાડાના ટ્રકો ધીરે-ધીરે આગળ વધી રહ્યાં છે. પૂરજોશમાં કરતબ સાથે અખાડાના ટ્રકો આગળ પસાર થઇ રહ્યાં છે. રથયાત્રામાં વિવિધ થીમ પર ટ્રક તૈયાર કરવામાં આવ્યા છે. રથયાત્રાના રૂટ પર ઠેર-ઠેર મગની પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. 2 વર્ષ બાદ જગતના નાથ જગન્નાથ નગરચર્યાએ નીકળતા ભક્તોમાં…

Read More